RSS

My Comment on a Short Novel in Gujarati (વિવેચન)

24 Oct

Mr. Vijaykumar Shah of Houston (USA) is my good friend. “What to mention and what not for him is a great question to me.” are my words in my earlier post “William’s Tales – 2nd Anniversary with 100 Posts”. He had invited me as a guest blogger on his blog “વિજયનું ચિંતનજગત” and some translated Articles had been published there. He is very active with a group of Gujarati friends in Houston to serve our Gujarati language and literature.

Mr. Vijaybhai is a renowned Gujarati Writer also. Among his many publications, “Poo. Motabhai” is a Short Novel written in form of letters as an experiment. I had put my comment (criticism) on it. Today, I am pleased to represent it here just to highlight its importance for those who have settled abroad for preservation of own culture.

“પૂ. મોટાભાઈ” : એક પ્રતિભાવ – વલીભાઈ મુસા

સુજ્ઞ સાહિત્યકલા રસિકો,

શ્રી વિજય શાહ લિખિત “પૂ. મોટાભાઈ”,પત્રશ્રેણી રૂપે લખાયેલી, એક અનોખી કથા છે. અગાઉ મેં સંક્ષિપ્તમાં અને અંગ્રેજીમાં ‘કોમેન્ટ’ લખી હોવા છતાં, આ ઉમદા કૃતિને સાચો ન્યાય અપાય તેવા ઉમદા હેતુથી થોડાક વિસ્તારથી અહીં ગુજરાતીમાં મારા પ્રતિભાવ વ્યક્ત કરવા પ્રેરાયો છું. વળી બ્લોગ જગતમાં લેખો ઉપરાંત ‘કોમેન્ટ્સ’ને એટલા જ રસ સાથે વાંચનારો એક બહોળો વર્ગ હોઈ તેમના સંતોષ માટે લખવામાં આવતા આ વિવેચનના થોડાક અતિવિસ્તારને સૌ સહી લેશે તેવી આશા રાખું છું.

અહીં પત્રશ્રેણી રૂપે અભિવ્યક્ત થએલી આ કથા વિષે આગળ વધવા પહેલાં એક આડ વાતથી મારી જાતને રોકી નથી શકતો. મારા વાંચન દરમિયાન આવેલી એક અંગ્રેજી રહસ્યકથા “The Moonstone”ની અહીં વાત છે,જે “પૂજ્ય મોટાભાઈ”ની જેમ પાત્રાભિવ્યક્તિના પ્રયોગ રૂપે હતી.દરેક મુખ્ય કે ગૌણ પાત્રના ફાળે એક એક પ્રકરણ આવતું જાય, ઘટનામા પોતે પ્રત્યક્ષ હોય તેટલા પૂરતું વર્ણન થતું રહે અને રહસ્ય અકબંધ જળવાઈ રહીને કથા આગળ વધતી રહે. આવા નવતર પ્રયોગો સિદ્ધહસ્ત સર્જકો જ સફળતાપૂર્વક કરી શકે અને અહીં શ્રી વિજયભાઈએ એ કમાલ પાત્ર સ્વરૂપે નહિ, તો પત્ર સ્વરૂપે કરી બતાવી છે.

હવે આપણે ‘પૂ.મોટાભાઈ’ના કથાવસ્તુ તરફ વળીએ તો તમામ અભ્યાસી ભાવુકો બે વાત ઉપર સર્વસંમત થશે જ કે આ કથા એ સામસામે છેડે ઊભેલી પૂર્વ અને પશ્ચિમની સસ્કૃતિઓની સંઘર્ષકથા નથી, પણ સમન્વયકથા છે; અને, ચાર ચાર પેઢીઓ સુધી બદલાતા જતા સંજોગો અને વાતાવરણ વચ્ચે પણ ભારતીય કુટુંબપ્રથા અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહેવાની સુખદ અનુભૂતિનો અહીં પરિચય છે. પાત્રનિરૂપણ વિષે તો કહેવાનું જ શું હોય, કેમકે દરેક પાત્ર જીવંત છે, વિચારશીલ છે, ભાવુક છે. વાંચન દરમિયાન સતત એમ લાગ્યા જ કરે છે કે એક જમાનામાં ‘સરસ્વતીચન્દ્ર’ વિષે જનમાનસ બની ગયું હતું કે આ કોઈ મુંબઈના શેઠિયાના કુટુંબની સાચી ઘટના છે, એવું કદાચ અહીં પણ હોય! સાહિત્ય વિવેચન જગતમાં આત્મલક્ષી અને પરલક્ષી સર્જન વિષે ઘણી ચર્ચાઓ થઈ ચૂકી હોઈ અહીં તે અપ્રસ્તુત છે,એટલે આપણે મૂળ લક્ષ તરફ આગળ વધીએ.

કૃતિના પ્રારંભથી જ શરૂ થતી સર્જનના આનંદથી માંડીને જન્મ-જીવન-મૃત્યુ, જ્ઞાન-વિજ્ઞાન,માતૃપિતૃભક્તિ, દ્રવ્યોપાર્જન માટેની વૃત્તિઓ-પ્રવૃત્તિઓ-મજબૂરીઓ, વર્તમાન પેઢીની ભાવી પેઢીઓ વિષેની ચિંતાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ-બીમારીઓ જેવા અગણિત મુદ્દાઓ ઉપરના પ્રશ્નો-વિચારો-સમાધાનની રસપ્રદ રજૂઆતો વાચકને એ પરિવારના અંગભૂત એકમ તરીકે એવી રીતે પ્રસ્થાપિત કરી દે છે કે દરેક પાત્રના પોતપોતાના પૂરતા જ સીમિત આઘાતો-પ્રત્યાઘાતો વાચકને માટે તો સઘળાના બેલીની જેમ પોતાના જ બની રહે છે.

આગળ મારા મુડ અને લખાણની વ્યાપમર્યાદા અનુસાર જે કંઈ લખાય તે ખરું, પણ વચ્ચે તાકીદના ધોરણે શીખાના એક મનોભાવને વ્યક્ત કરી દેવાની ઈચ્છા નહિ રોકી શકાય. શીખાના મનોમન સોહમ અને અન્ય સભ્યો માટે નેક દિલે અપાયેલા એક અભિપ્રાય “માબાપનાં કેવાં ગુણીયલ અને કેળવેલાં સંતાનો!” વાંચીને એમ થયું કે સોહમ કેવો નસીબદાર પતિ છે કે તેને પોતાને અને પોતાના પરિવારને આપમેળે સમજી શકનાર પત્ની મળી છે. પૂ. મહાત્મા ગાંધી પણ કહેતા કે જો કોઈ વાત હું કસ્તુરના ગળે ઊતારી શકું, તો સમજી લો કે આખા દેશ અને દુનિયાના ગળે એ વાત ઊતરી ગઈ. અહીં હકીકત એ છે કે ‘બા’ જુનવાણી વિચારસરણી ધરાવતાં હતાં અને આપમેળે બાપુની વાત સમજી શકતાં ન હતાં, બાપુને પ્રયત્નપૂર્વક સમજાવવું પડતું હતું. આમ કસ્તુરબા તેમના માટે નવીન વિચારની પારાશીશી સમાન હતાં. પણ અહીં આપણી કથામાંની શીખાના આ એક પ્રસંગમાં જ નહિ, અનેક પ્રસંગે તેનું વ્યક્તિત્વ એવું ઉપસે છે કે જુદીજુદી વયના ભાવુક વાચકો સ્ત્રીનાં ચાર સ્વરૂપ માતા, બહેન, પત્ની કે દીકરી એમ કોઈ પણ એક તરીકે શીખા જેવી નારી પોતાને પણ હોય એવું અવશ્ય ઝંખે.

પૂ. મોટાભાઈ (સાત)માં વચ્ચે હવામાનની વાત આવી તે વિષે કહું તો અમે આજે પણ પશ્ચિમના દેશોમાં રહેતા અમારા સ્નેહીજનની મજાક કરવાનું એમ કહીને ચૂકતા નથી કે ટીવી કે રેડિયો સમાચારમાં છેલ્લે હવામાન સમાચારની જેમ તેમના ફોન કે પત્રમાં ક્યાંક તો એ આવે જ, એમ જાણતા હોવા છતાંય કે ત્યાંના જીવનમાં એ જરૂરી છે. આ સામાન્ય વાત અહીં લખવા પાછળનો હેતુ માત્ર એટલો જ કે લેખકનું કેટલું સચોટ અને બારીક નિરીક્ષણ છે, ઘટનાના સ્થળ અને કાળને વર્ણવવામાં!

સમગ્ર સર્જન દરમિયાન દિલને સ્પર્શી જાય તેવી વચ્ચે વચ્ચે આવતી જતી પ્રસંગોચિત કાવ્યરત્નકણિકાઓ વડે આપણને શેક્સપિઅરનાં ઐતિહાસિક નાટકોમાં વચ્ચે વચ્ચે આવતા Chronicler (ઇતિહાસકાર) કે પછી સંસ્કૃત નાટકોના સૂત્રધારની યાદ આવ્યા સિવાય નહિ રહે. જો કે અહીં પાયાનો થોડોક ફરક છે. ત્યાં કથાતંતુને જોડવાનો આશય છે, જ્યારે ‘પૂ. મોટાભાઈ’માં તો ભાવાનુસંધાન જ માત્ર નહિ પણ ભાવને સંવેદનશીલ અને ઘેરો બનાવવા માટે એ પંક્તિઓ પ્રયોજાયેલી જોવા મળે છે.

‘પત્રશ્રેણી ભવિષ્ય તરફ વળે છે’ થી શરૂ થતા અંશ અને હનીના પત્ર દ્વારા થતું કથાનું સમાપન હિંદી ચલચિત્ર ‘કોશીશ’માં છેલ્લે સામાન્ય રીતે આવતા “The End” ના બદલે “And Koshish Continues…” ની જેમ જ છે. ‘ચોરસ દુનિયા’ (જેલની કોટડી) એકાંકી નાટકના એક સંવાદની જેમ “જૂના જાય છે અને નવા આવે છે, જગ્યા ખાલી પડતી જ નથી” ની જેમ પેઢી દર પેઢી જીવનની સમસ્યાઓ વધતા કે ઓછા અંશે એની એ જ હોય છે, ફક્ત માણસો બદલાતા રહેતા હોય છે.

છેલ્લે, ચણ અને ચારા માટે સ્થળાંતર કરતાં પક્ષીઓ અને પશુઓની જેમ એરીસ્ટોટલના મતે મનુષ્ય પણ સ્વભાવે એક સામાજિક પ્રાણી જ છે. તેને પણ રોજીરોટીની તલાશ માટે દેશવિદેશ જવું પણ પડે. હાલમાં વિશ્વ આખાયમાં અને ખાસ કરીને ભારતમાં સવિશેષ વિદેશગમનનું પ્રમાણ વધ્યું છે, ત્યારે અહીં વિવેચનમાંની આ કૃતિ સર્વજનના પોતપોતાના ધર્મ, કર્મ અને સંસ્કાર જળવાઈ રહે તેમ કઈ રીતે વિદેશમાં વસવાટ કરી શકાય તે માટે દીવાદાંડી સમાન પુરવાર થઈ શકે તેમ છે.

વિજયભાઈને આવી ઉત્તમોત્તમ કૃતિ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.

સૌને વંદન/સલામસહ,
વલીભાઈ મુસા
16 04 2008

Mukund gandhi
Hi Vijaybhai,
Valibhai has a very good choice of his words and has written excellent comment which is so well deserving and appropriate.
16 04 2008

Valibhai Musa
Hello Mr. Mukund Gandhi,

Thanks for yor comment to my comment. It is the grace of God, nothing else.Real credit goes to Mr. Vijay Shah for his “Poo.Mota Bhai”.
Regards,
Valibhai Musa
18 04 2008

 
Leave a comment

Posted by on October 24, 2009 in Article, લેખ, Culture, gujarati

 

Tags: , , , , , , , ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: