Monthly Archives: February 2010
માનવીય દિલથી કહો – ‘જીવો અને જીવવા દો.’
Click here to read in English
Posted by Valibhai Musa on February 25, 2010 in Article, લેખ, Character, Civilization, Culture, gujarati, Human behavior, Humor
Tags: લેખ, Ethics, life, Live and Let Live, Passions, Social, story
સલામ, ફ્રાન્સિસ ડિસોઝા યુગલને સલામ…
Click here to read in English
મારો અગાઉનો આર્ટિકલ “Mercy killing or merciful death – A debate” (દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા)ને મારા વાંચકો તરફથી સારો પ્રતિભાવ મળતાં તેની Hits નો આંક ૧૪૦૦ થી વધુ પહોંચી ગયો, જે મારા તે અગાઉના સર્વોચ્ચ સ્થાને સ્થિત એવા આર્ટિકલ – “Power of Determination” (દૃઢ નિશ્ચયની તાકાત)ને પણ આંબી ગયો. “Mercy killing or merciful death – A debate” ને પ્રતિભાવ રૂપે મળેલી ૧૦ કોમેન્ટ પૈકી એક કોમેન્ટ મારા પુત્ર અને અમદાવાદ ખાતેની અમારી ‘Hotel Safar Inn’ના ડાયરેક્ટર અકબરઅલીની પણ હતી. તેણે પોતાની કોમેન્ટમાં મારા આજના વિષય ઉપર આર્ટિકલ લખવા મને પ્રોત્સાહિત કર્યો છે. મિ. ફ્રાન્સિસ અમારી હોટલના ખૂબ જ ઉત્સાહી અને પ્રમાણિક જનરલ મેનેજર છે. અમે સૌ તેમને એક કર્મચારી તરીકે નહિ, પણ અમારા કુટુંબના જ સભ્યની જેમ ગણીએ છીએ..
‘દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ -એક ચર્ચા’ના અંત ભાગે મેં જગતભરનાં હયાત કે અવસાન પામેલાં એવાં માતાપિતા અને મુખ્યત્વે તો માતાઓને બિરદાવી હતી કે જેમણે પોતાના ઉદરમાં વિકસતાં ગંભીર રીતે ખામીયુક્ત બાળકોને ગર્ભપાતની ડોક્ટરી સલાહ હોવા છતાં પોતાની કૂખે જન્મવા દીધાં હોય. આવાં લોકોએ બાળકના અને પોતાના કુટુંબના ભાગ્ય સામે લડી લેવાના પડકારને ઝીલી લીધો ગણાય. નિ:સહાય બાળકો પ્રત્યેના પોતાના વાત્સલ્યભાવના કારણે તેમની અતિ ખર્ચાળ અને વારંવાર કરાવવી પડતી પ્લાસ્ટિક અને રીકન્સટ્રક્ટીવ સર્જરી માટે પોતાનાં કે ઊછીનાં લીધેલાં અઢળક નાણાં ખર્ચ્યાં હોય.
Read the rest of this entry »
Posted by Valibhai Musa on February 22, 2010 in Article, લેખ, Character, FB, gujarati, Human behavior, Humanity
Tags: લેખ, determination, Ethics, family, life, Medical, Merciful death, Mercy killing, Passions, Ricky Lee Anaderson, Social
દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા
Click here to read in English
આજના મારા લેખનો વિષય અનહદ ગૂંચવણભર્યો અને મુશ્કેલ પણ છે અને તેથી જ તેના કોઈ નક્કર તારણ ઉપર ન પણ આવી શકાય. આ એક લાંબા સમયથી ચાલી આવતી અને વિરોધભાસી ચર્ચા છે જેનો કોઈ અંત નથી, કેમ કે બંને વિચારધારાઓ પાસે પોતપોતાની પોતાના મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સેંકડો દલીલો છે. અહીં મારા વાંચકો આ ચર્ચાના ભાગરૂપ મારા પ્રમાણિક પ્રયત્નને જોઈ શકશે, જેમાં મેં મારા પક્ષે પૂરી તટસ્થતા જાળવી રાખી છે અને ચર્ચાના સંભવિત પરિણામને મારી સંમતિ કે અસંમતિની કોઈ મહોર પણ મારી નથી. ‘દયા-હત્યા’ જેને અન્ય સારા શબ્દોમાં ‘અસાધ્ય વેદનામય દર્દથી પીડિત દર્દીનું શાંતિપૂર્વક મોત નિપજાવવું’ કહી શકાય. આ મુદ્દે ઘણાં વર્ષોથી વિશ્વભરમાં ચર્ચાઓ થતી આવી છે અને હું પણ અહીં અન્યોની જેમ આ ચર્ચામાં દાખલ થઈ રહ્યો છુ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,’આપણું જીવન એ દીર્ઘ અને મથામણયુક્ત સત્યની શોધ માટે છે.’ મારા અગાઉના કોઈક આર્ટિકલમાં મેં કહ્યું છે કે ‘આપણે સત્યના કોઈ એક અંશ (A Truth) સુધી કદાચ પહોંચી શકીએ, પણ પૂર્ણ સત્ય (The Truth)ને પામવું તો મુશ્કેલ હોય છે.’
હવે આપણે એ સમજીએ કે આ પ્રકારની હત્યા કે મોત એ છે શું! મારા લેખના શીર્ષકમાં ‘દયા’ અથવા ‘દયાપૂર્ણ’ શબ્દો સામાન્ય છે; પરંતુ ‘હત્યા’ અને ‘મૃત્યુ’ શબ્દો ભિન્ન છે, જેમનો એક જ અર્થ ‘જીવનનો અંત આણવો’ એમ જ લેવાનો છે. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વિષય ઉપરની બે વ્યાખ્યાઓ તારવી કાઢી છે : (૧) વ્યક્તિના જીવનનો તેની વિનંતીથી ઈચ્છાનુસાર, સરળ અને પીડારહિત અંત આણવો, જ્યારે કે તે અસાધ્ય અને પીડાજનક રોગથી પીડિત હોય. (૨) ઈરાદાપૂર્વક પીડિત કોઈ વ્યક્તિના જીવનનો દયાથી પ્રેરાઈને અન્યો દ્વારા અંત લાવવામાં આવે..
Read the rest of this entry »
Posted by Valibhai Musa on February 17, 2010 in Article, લેખ, Character, Culture, gujarati, Human behavior, Humanity
Tags: લેખ, Charles Darwin, Ethics, family, Lethal, life, Medical, mercifyl death, Mercy killing, oppression, Passions, Social, truth
જીવનસાથી
Click here to read in English
લગ્ન એ માત્ર સામાજિક રિવાજ જ નહિ, એક સંસ્કાર પણ છે. જગતભરની વિવિધ જ્ઞાતિઓના સમુદાયો કે સમાજો સર્વસંમત રીતે સ્વીકારે છે કે વ્યક્તિએ પુખ્તવયે પહોંચતાં પરણી જ જવું જોઈએ. આ ‘પરણી જ જવું’ શબ્દો સાર્થક કે પરિપૂર્ણ કરવા પહેલાં જીવનસાથીની પસંદગી કરવી પડે, જે વ્યક્તિના જીવનનું ખૂબ જ કપરું કાર્ય છે. સોક્રેટીસ કહે છે, ‘મારી તમને સલાહ છે કે પરણી જાઓ. જો તમને સારી પત્ની મળી, તો તમે સુખી થશો; અને જો તેમ ન બન્યું, તો તમે અવશ્ય તત્વચિંતક તો બનશો જ!’ આ વિધાન આત્મલક્ષી અને કટાક્ષમય પણ છે, કેમ કે સોક્રેટીસને તત્વજ્ઞાની બનાવવાનો ખરો જશ તેમની પહેલી પત્નીના ફાળે જાય છે કે જે સંભવતઃ ખૂબ જ ઝગડાખોર હતી. જો કે તેના પછીની બીજી પત્ની નામે ઝેન્થીપી (Xanthippe) બહુ જ ભલી હતી. ગમે તે હોય, પણ યુવાન પુરુષ કે સ્ત્રીને સમાન અધિકાર છે કે પોતે પોતાના માટે આદર્શ જીવનસાથીની પસંદગી કરી લે અને કોઈએ પણ તત્વજ્ઞાની બનવાની જરૂર નથી!
લગ્ન એ માનવજીવનમાં ખૂબ જ અગત્યનો સંબંધ છે. વળી, લગ્નને યોજનાર અર્થાત્ ગોઠવનાર વ્યક્તિ પણ એટલી જ અગત્યની બની જાય છે, ભલે પછી તે પોતે હોય કે માતાપિતા કે મિત્રો હોય. હવે આ લગ્ન સ્વયં કરી લેવામાં આવતું હોય કે બાહ્ય મદદ વડે કરવામાં આવતું હોય, પણ તે પહેલાં બંને પાત્રોએ એકબીજાને સારી રીતે ઓળખી લેવાં જોઈએ. લગ્ન એ સંવેદનશીલ અને ગંભીર બાબત છે. તે પરસ્પર ચાહનાર બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે. આ બંને લગ્ન વડે બેમાંથી એક થાય છે, પ્રેમથી પરસ્પર જોડાય છે, સાથે મળીને પોતાના કૌટુંબિક જીવનને શરૂ કરે છે અને પોતાનું શેષ જીવન સાથે મળીને પસાર કરે છે. લગ્ન એ એકરાર (કબુલાત) છે અને તેની ઉભયના જીવન, કારકીર્દિ અને વ્યક્તિત્વ ઉપર મોટી અસર પડતી હોય છે.
Read the rest of this entry »
Posted by Valibhai Musa on February 11, 2010 in Article, લેખ, Culture, gujarati, Human behavior
Tags: Alfred Hitchcock, Antonne de Saint-Exupery, લેખ, Catherine Pulsifer, Christopher Morley, divorce, Dr. James C. Dobson, family, life, Life partner, Louis Anspacher, Mignon McLaughlin, Social, Wedlock, wife, Xanthippe
ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!
મારો આજનો આર્ટિકલ મારા અગાઉના ‘No honor in honor killing!’ (ગૌરવ હત્યામાં કોઈ ગૌરવ નથી!)સાથે સંપૂર્ણપણે નહિ, પણ મારી આ પ્રસ્તાવના ભાગ સાથે અમુક અંશે સંકળાએલ છે. મોટા ભાગના ગુજરાતી વાંચકોએ ઝવેરચંદ કાલીદાસ મેઘાણીને વાંચ્યા હશે કે જેમને મહાત્મા ગાંધીએ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનું બિરૂદ આપ્યું હતું. તેમનાં વિખ્યાત સર્જનો તો અનેક છે, પણ અહીં હું લોકોમાં કદાચ ખૂબ જ ઓછું જાણીતું પણ મને અત્યંત સ્પર્શી ગએલું એક કાવ્ય રજૂ કરવા માગું છું. તે એક કરૂણ લોકગીત છે અને અંગ્રેજી કાવ્ય ‘Fair flowers in the valley’ (ખીણમાંનાં મોહક ફૂલો) ઉપર આધારિત છે. તે ભાવવાહી અને લાગણીમય ઢબે ગાઈ શકાય તેવું ગેય કાવ્ય છે. તે કાવ્યનું શીર્ષક અને ધ્રૂવ પંક્તિ છે ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’.
તો ચાલો આપણે મારા આર્ટિકલના શીર્ષકને ન્યાય આપવાના તથા વિષયપ્રવેશના હેતુસર સંક્ષિપ્તમાં આ લોકગીતનો સાર સમજી લઈએ. આ એક પરીણિત પણ માતૃત્વ ધારણ કરવા અસમર્થ એવી સ્ત્રી ઉપરનું ગીત છે. તે એકાદશીનો ઉપવાસ કરીને પોતાના ખોળે બાળક હોવાના આશીર્વાદ યાચવા અર્થે દેવમંદિરે પૂજાઅર્ચના કરવા જાય છે. વગડામાંના પોતાના માર્ગમાં ચોતરફ હરિયાળી વચ્ચે બેસુમાર લાલ રંગનાં ખીલેલાં ફૂલ દેખાય છે. આ ફૂલોની વચ્ચે સંપૂર્ણ વિકસિત, નવજાત અને જાણે કે જીવિત જ હોય તેવું એક આભાસી બાળક પેલી સ્ત્રીની નજરે ચઢે છે.
Posted by Valibhai Musa on February 4, 2010 in Article, લેખ, Character, Culture, gujarati, Human behavior, Humanity, Poetry
Tags: લેખ, blunder, defence mechanism, error, Ethics, family, Honor-killing, life, Literature, Nightmare, oppression, Passions, Social, William George Plunkett
[…] Click here to read in English […]