RSS

(175) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૨

12 May

ભાગ-૧ માટે અહીં ક્લિક કરો. 

પેલા ભાઈના આર્ટિકલમાં મુખ્યત્વે નીચેની ત્રણ બાબતોનો સમાવેશ થયાનું સ્મરણમાં આવે છે. (૧) સમાજમાંથી સંપૂર્ણપણે વ્યાજપ્રથાની નાબૂદી (૨) દર વર્ષે કે સમયાંતરે ચલણી નોટોની ફેરબદલી કરવી. (૩) વ્યાજનાબૂદીના વિકલ્પે નિયમિત રાષ્ટ્રીય આવક મેળવવા તથા નવીન ચલણી નોટોના છપામણી ખર્ચને પહોંચી વળવા વટાવ (ઘસારો) વસુલવો.

હવે આ ત્રણેય મુદ્દાઓને વિશદ રીતે સમજવા માટે હવે પછી જે કંઈ વિચારમંથન કે શક્યતાઓ રજૂ કરવામાં આવશે તેમાં એ મૂળ લેખની ઝાંખી યાદદાસ્ત ઉપર આધારિત આછીપાતળી રૂપરેખા સાથે મારા પોતાના વિચારોનું સંયોજન કરીને આપ સૌ વાંચકોને સમજાવવાનો મારો નમ્ર પ્રયાસ રહેશે. જો કે આ ચર્ચાનો નિષ્કર્ષ મારા કરતાં વધારે સારી રીતે લાવવા એવા નિષ્ણાતો અને અનુભવીઓ વધારે સક્ષમ પુરવાર થઈ શકે છે. લેખની વ્યાપમર્યાદાને ધ્યાનમાં લેતાં હું નીચે ક્રમિક રીતે મુદ્દાઓ માત્ર રજૂ કરીશ અને તેમની યોગ્યતા કે અયોગ્યતા તો વાંચકોના પ્રતિભાવ અને ચર્ચાઓના અંતે નક્કી થશે. વળી ચારેક દાયકા પછી સુષુપ્ત અવસ્થામાં પડી રહેલા અને મારા મનોજગતના કોઈક ખૂણે સંતાઈ રહેલા આ ક્રાંતિકારી વિચારનાં વિવિધ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ તો તજજ્ઞો જ વધારે સારી રીતે કરી શકશે અને એ જ લોકો આ વિચારની ખાસિયતો કે મર્યાદાઓનું વિશ્લેષણ પણ કરી શકશે. નીચે આપવામાં આવતાં મારાં પોતાનાં તારણો છે અને તેમને સર્વાંગસંપૂર્ણ સમજવાની કોઈ ગેરસમજ ન થાય તેવું મારું નિખાલસ અને વ્યવહારુ મંતવ્ય છે. તો નિષ્કર્ષ રૂપે નીચે આપવામાં આવનારા મારા મુદ્દાઓને વાંચવા, સ્વીકારવા કે અવગણવા તે વાંચકોએ પોતે જ નક્કી કરી લેવાનું છે.

(૧) તમામે તમામ સ્તરેથી વ્યાજ આપવા કે લેવાની પ્રથા બંધ થતાં લોકો પાસે નાણું નિષ્ક્રિય પડી ન રહેતાં ફરતું રહેશે અને કર્જદારોનું આર્થિક શોષણ અટકશે.

(૨) વ્યાજપ્રથાથી મૂળ મૂડીમાં વૃદ્ધિ થાય છે, જ્યારે વટાવપ્રથામાં મૂડી ઘટતી જશે.

(૩) રૂ|. ૧00 અને તે ઉપરની ચલણી નોટો પ્રતિવર્ષ બદલી નાખવામાં આવે., જ્યારે તેનાથી નાની નોટો અને સિક્કાઓને યથાવત્ જાળવી રાખવામાં આવે. દર વર્ષે નવીજ ચલણી નોટો છપાતી હોવાના કારણે સમાંતરે ચાલતો જાલી (નકલી) નોટોનો પ્રભાવ નેસ્તનાબુદ થઈ શક્શે.

(૪) આ નવી પ્રથા માટે કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર) ગણવામાં આવે.

(૫) રીઝર્વ બેંક દ્વારા રૂ|. ૧00, ૫00. ૧000 (અને ભવિષ્યે તેથી પણ મોટી નોટો બહાર પડે તો) ૧લી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્બર સુધીમાં જૂનીના બદલે નવી નોટો સરભર મૂલ્યે બદલી આપવામાં આવે.

(૬) બેંકો કે પોસ્ટઓફિસો આ ત્રણ માસ દરમિયાન નોટોની ફેરબદલી એટલી ઝડપથી કરી આપે કે જેથી ૧લી જાન્યુઆરીથી નવી ૧00+ નોટો સંપૂર્ણપણે ચલણમા આવી જવી જોઈએ.

(૭) નવી ચલણી મોટી નોટોના પાછળના ભાગે નીચે મુજબનો કોઠો છાપવો જોઈએ અને નીચે જણાવ્યા મુજબ ત્રણ ખૂણા Perforated (છિદ્રિત) કરેલા અને ક્રમાંકિત કરેલા હોય કે જેમને અવમૂલ્યનના હેતુસર પ્રતિ ત્રણ માસે કાપી શકાય, જેનાથી અભણ માણસોને પ્રવર્તમાન મૂલ્ય સમજવામાં અનુકૂળતા રહે.

– જાન્યુઆરી થી માર્ચ દરમિયાન મૂલ્ય ૧00% (અખંડ ચલણી નોટ)

– એપ્રિલથી જૂન દરમિયાન મૂલ્ય ૯૯% (જમણી બાજુએથી નીચેનો ખૂણો કાપવો)

– જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મૂલ્ય ૯૮% (જમણી બાજુએથી ઉપરનો ખૂણો કાપવો)

– ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન મૂલ્ય ૯૭% (ડાબી બાજુએથી ઉપરનો ખૂણો કાપવો)

(૮) બેંકો કે ખાનગી રોકડ લેવડદેવડમાં જ વટાવ મૂલ્ય લાગુ પડે, જ્યારે બેંક ચેક દ્વારા આવો વ્યવહાર થતો હોય ત્યાં આ વટાવ મૂલ્યનો કોઈ પ્રશ્ન રહેશે નહિ. બેંકોએ રોકડાં નાણાં ભરવા માટેની સ્લીપમાં પાછલા ભાગે દરેક પ્રકારની નોટનાં ચાર ખાનાં (દા.ત. ૧00, ૯૯, ૯૮, ૯૭) રાખવાં પડશે.

(૯) સરકારને પ્રતિવર્ષ નવી ડિઝાઈનમાં નોટો છાપવાનું અંદાજિત ખર્ચ 0.૨૫% બાદ જતાં વાર્ષિક ૨.૭૫% નિયમિત રાષ્ટ્રીય આવક થતી રહેશે.

(૧૦) લોકો પોતાનાં નાણાં બેંકોમાં જ રાખવા અને બેંકો મારફત જ લેવડદેવડ કરવાની ઘરેડમાં આવી જશે.

(૧૧) લોકો નાણું સંઘરી રાખવાના બદલે ખાનગી રીતે પણ વિશ્વાસપાત્ર વ્યક્તિઓ સાથે વ્યાજ/વટાવ મુક્ત ઊછીના-ઊછીના ધોરણે વ્યવહાર કરશે, જેના પરિણામે આપસઆપસમાં સહકાર (મજબૂરીના કારણે જ તો!)ની ભાવના વધશે. પ્રમાણિક અને ખરા જરૂરિયાતમંદ માણસને સામેથી વ્યાજ-વટાવ મુક્ત જરૂરી ફંડ મળતું રહેશે.

(૧૨) લોકો માનસિક રીતે એવી ઘરેડમાં આવતા જશે કે કોઈ પોતાની પાસે સ્થૂળ સ્વરૂપે ચલણી નાણું રાખશે નહિ. ધંધાવ્યવસાય કે ઉદ્યોગોમાં પણ બિનહિસાબી વેપાર કે ઉત્પાદનનું પ્રમાણ નહિવત્ થઈ જશે, જેના પરિણામે કરચોરી કે કરછટકબારીનો અંત આવી જશે અને કાળું ધન ક્રમશ: અંકુશમાં આવતું જશે.

(૧૩) આ વ્યવસ્થાનો સંક્ષિપ્તમાં સારાંશ એ કે બિનઉપયોગી અને નિષ્ક્રીય રૂ|.૧00/- ના મૂલ્યની ચલણી નોટ પ્રતિવર્ષ ૩%ના ઘસારાએ લગભગ ૩૩ વર્ષે નામશેષ થઈ જશે.

(૧૪) એક જમાનાથી ચાલી આવતી ‘ગરથ (નાણું) ગાંઠે’ ની માન્યતા બદલાઈને ‘ગરથ છેટે (બેંકે)’ની નવીન વિચારધારા પ્રચલિત થશે.

(૧૫) રૂ|.૧00/- થી નાના મૂલ્યની ચલણી નોટ કે સિક્કા ને ઘસારો ન લાગતો હોઈ ગરીબ કે મધ્યમ વર્ગના માણસને કોઈ નુકસાન પડશે નહિ. વળી આ લઘુ નાણું રોકડ લેણદેણમાં ખંડિત મૂલ્યની મોટી નોટોને જે તે ત્રિમાસિક ગાળામાં પૂર્ણ મૂલ્યની બનાવવાના પૂરક ચૂકવણામાં કામ લાગશે.

(૧૬) આ નવીન વ્યવસ્થાને આનુષંગિક બેન્કીગ વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવો પડશે, જેમાં સહકારી બેંકોની સંપૂર્ણ નાબુદી (નાણાં સિવાયની અન્ય સહકારી પ્રવૃત્તિમાં તબદીલ થઈ શકે) સાથે ખાનગી બેંકોને સરકારી બેંકોમાં સમાવિષ્ટ કરી દેવી પડશે અને રીઝર્વ બેંકે પોતાની વધુ ને વધુ શાખાઓ ખોલવી પડશે કે જેથી ચલણી નોટોની ફેરબદલીમાં લોકોને સરળતા રહે. બેંકીગ માળખું વિસ્તાર ન પામે ત્યાં સુધી કે કાયમી ધોરણે પોસ્ટ ઓફિસોની સેવાઓ લઈ શકાશે.

(૧૭) લોકો પાસેનું બંને પ્રકારનું કાળું કે ધોળું નાણું એવી રીતે ટપોટપ ઠેકાણે પડી જશે કે ધોળું જશે બેંકોમાં અને કાળું જશે ખાનગી હાથોમાં. ગરીબોલક્ષી વિવિધ સહાયોની જવાબદારી સરકાર માથેથી હળવી થશે.

(૧૮) છેલ્લે એવી નાણાકીય લેવડદેવડની પ્રણાલિકા ઊભી થશે કે લોકો બેંક મારફતના વ્યવહારો કરશે, જેના પરિણામે સરકારને ઓછી ચલણી નોટો છાપવી પડશે.

(૧૯) વટાવ-ઘસારા મુક્ત નાની ચલણી નોટોની સરળ રીતે અપ્રાપ્તિના કારણે મોટાં માથાંવાળા એવી પકડમાં આવી જશે કે તેમની પાસેની મોટી નોટોને સંઘરી રાખશે તો તેમણે ફરજિયાતપણે ઘસારો ખમવો પડશે.

(૨૦) સરકાર દ્વારા કાળા નાણાની સ્વૈચ્છિક જાહેરાતની કોઈ તક ન અપાવી જોઈએ અને બધું એની મેળે સમસૂતર પાર પડવા દેવું જોઈએ.

(૨૧) સ્થાવર મિલ્કતોમાંના રોકાણ તરફ લોકો વળશે તેવી ભીતિ અસ્થાને છે, કેમકે ખરીદનારો કદાચ નાણું ઠેકાણે પાડીને હાશ અનુભવશે, પણ સામે નગદ નાણે મિલ્કત વેચનારાએ સાપનો ભારો લઈને ફરવું પડશે.

(૨૨) કિંમતી ધાતુ કે વિદેશી મુદ્રાના રૂપમાં નાણું છૂપાવનારને નાથવા માટે કિંમતી ધાતુ ધારણ કરવાની ટોચમર્યાદાના કાયદાના ચુસ્ત અમલ દ્વારા અને વિદેશી મુદ્રાના રૂપમાં નાણું છુપાવવાવાળાઓ સામે વિદેશી મુદ્રા નિયંત્રણ ધારાના કડક અમલ દ્વારા એમ ઉભય રીતે એ બંને શક્યતાઓને કાબૂમાં લઈ શકાશે.

(૨૩) બેંકો પોતાની થાપણો એક જ પ્રકારના વ્યાજમુક્ત બચત ખાતા મારફતે મેળવશે, જેમાં ચેકસ્વરૂપે મળતી ડિપોઝીટ ચેકના મુલ્ય જેટલી જ જમા આપવામાં આવશે, જ્યારે રોકડ સ્વરૂપે ઘસારા-વટાવ ધોરણે જમા આપવામાં આવશે. આ જ રીતે ધિરાણ પણ સિક્યોરિટી (અવેજ) સામે વ્યાજમુક્ત આપવામાં આવશે. બેંકો પોતાના વહીવટી ખર્ચને પહોંચી વળવા સરકાર જે નક્કી કરે તે દરે માત્ર દર વર્ષે ધિરાણ ખાતામાં સર્વિસ ચાર્જ ઉમેરી શકશે.

મારું નમ્ર નિવેદન છે કે ઉપર દર્શાવેલા મુદ્દાઓને નમૂનારૂપ સમજવા અને તજજ્ઞો આ નવીન વ્યવસ્થાનાં સઘળાં પાસાંઓ ઉપર પુખ્ત વિચાર કરીને એવું અચલ માળખું ગોઠવે કે જે સંપૂર્ણપણે ત્રુટિરહિત હોય.

મારા વાંચકોને હાર્દિક નિમંત્રણ છે કે આ લેખમાં તરતા મુકાએલા એક નવીન વિચાર ઉપર પોતાના ભાવ કે પ્રતિભાવ દર્શાવે કે જેથી આ વિચારની યોગ્યતા કે અયોગ્યતાની ચકાસણી થવા ઉપરાંત જો તેને સરકાર દ્વારા અમલી બનાવવામાં આવે તો તેનું વૈધાનિક સ્વરૂપ આદર્શ બની શકે.

આશા રાખું છું કે મને ચોદિશાએથી આ વિચારના વિરુદ્ધમાં કે તેની તરફેણમાં મંતવ્યો મળી જ રહેશે અને ખાસ કરીને નિષ્ણાતો તરફથી તો મૂલ્યવાન સૂચનો મળશે જ તેની મને માત્ર ખાત્રી જ નહિ, વિશ્વાસ પણ છે.

ચર્ચારંભે હતું :

पूत कपूत तो क्यों धनसंचय?
पूत सपूत तो क्यों धनसंचय?

સમાપને છે :

देश जीवित तो क्यों धनसंचय?

हम जीवित तो क्यों धनसंचय?

આભારસહ,

વલીભાઈ મુસા                                                                                   (સંપૂર્ણ)

 

Tags: , , ,

18 responses to “(175) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૨

  1. સુરેશ જાની

    May 12, 2010 at 6:18 pm

    સી.એ. થયેલા મારા દિકરાને તજજ્ઞી અભિપ્રાય માટે મોકલું છું .

    જો કે, તરતનો નકારાત્મક પ્રતિભાવ —

    માનવમનની વાંદરાઈ જોતાં કોઈ પણ સિસ્ટમને ધોળીને પી જવાની તેની ક્ષમતા આના દુરુપયોગ જરૂર શોધી કાઢશે જ !

    Like

     
  2. pragnaju

    May 12, 2010 at 6:29 pm

    મુંબઇના સ્ટોક એક્સચેંન્જમાં’સ્કેમ’શબ્દની જેમ વ્યાજનાબૂદી શબ્દ ઊછાળી અહીંના સૂસવાટા મારતા ઠંડા પવનની દ્રુજારી વધારી દીધી છે!
    જગમશહૂર નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક મરચંટ ઓફ વૅનિસની યાદ આવી.એના દુષ્ટ ખલનાયક શાયલોક કહે છે કે મુદત વીતી ગઈ છે છતાં નાણા ન ચૂકવનારના શરીરમાંથી બે રતલ માંસ લેવાની શરત છે.અને પ્રતિવાદીની દલીલ કે માંસ લેતા લોહીનું ટીપું પણ પડવું ન જોઈએથી પ્રતિવાદી જીતી જાય છે.
    ત્યારે લાગતું કે વ્યાજની પ્રથામા નિયમન હોવું જરુરી છે.ખાસ કરીને અહીં ક્રેડીટ કાર્ડની વસૂલી.બાકી તમારી ૨૩ પોઈંટ પધ્ધતિ ઠીક લાગતી નથી.કદાચ આ વિષય મારો નથી ..
    અમારા એક વૉલસ્ટ્રીટના જાણકારને આખલા પાસે બેસી આ અંગે પૂછશું .

    Like

     
  3. Ramesh Patel

    May 12, 2010 at 11:37 pm

    લોકોને કામ મળે અને સરળરીતે જીવવા માટે દામ મળે ત્યારબાદ,નાણાંના
    લેવડ દેવડની પધ્ધતિ દૂષણો દામે તેવી મનોમંથન બાદ ઘડાય તો લેખે લાખે.
    ટકે શેર ખાજા ટકે શેર ભાજી,બધી ચીજ વેચાય ત્યાં એક જ ભાવ-ની નીતિ
    ના ચાલે.
    આપના લેખ દ્વારા એક હકારાત્મક વિચાર અને આજનો વિકટ વંઠેલ પ્રશ્ન પર
    સિનિયર શુભેચ્છેકો ના વિવિધ ઘમાસણ ભર્યા મંતવ્યો પણ ઊચ્ચ કક્ષાના લાગ્યા.
    શ્રી વલીભાઈ સાચે જ આપ ઉસ્તાદ કઠીયારા નીકળ્યા,ખોટું ના લગાડતા.
    સસ્નેહ
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

     
  4. shashikant vanikar

    May 13, 2010 at 7:11 am

    Respected Vali Saab,
    heartiest congrats for such a big new thought, a golbal idea of preventing money exploitation and its subsequents in the routine life of human beings.

    your all points are not just as information (wordly), but its thoughful, fully based ideas. govt. should think over it and as suggested by your goodself, some experts also think over it and make a full pack system for the concerned matter at some level,at some time. the current scenario of money must be stopped, otherwise human beings (society) may be put under serious situation at some time. each idea displayed in this article is supported by its solutions and background with logic, that’s great for us. pl. think over it and keep writing on it.
    with very warm regards, shashikant.

    Like

     
  5. Valibhai Musa

    May 13, 2010 at 7:35 am

    Thanks Mr. Shashi (Hope you won’t mind brief addressing!),

    I am very happy to have your comment on the subject. I have already cleared in my Article that the framework of the proposed system needs to be handled by experts.

    Secondly, I never think even in my dream that the idea of this Article is solely mine. It is backed by some unknown person to me. Main three points are as the base of the content. The rest points have been thought out tentatively from my end.

    Hope you will bring this Article to the knowledge of those experts known to you for further discussions.

    With warm regards,

    Valibhai

    Like

     
  6. DR. CHANDRAVADAN MISTRY

    May 13, 2010 at 2:54 pm

    વલીભાઈ,
    આ પોસ્ટ વાંચી…..એક “નવી પ્રથા” અપનાવવા માટેના વિચારને કેવી રીતે “અમલ”માં મુકવો એ વિષે વિગતો હતી ….
    જરા વિચારી…ફરી પધારીશ>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai Inviting YOU & your READERS to Chandrapukar for Posts on SUVICHARO !

    Like

     
  7. Sharad Shah

    May 14, 2010 at 8:59 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ;
    આ તો ભાઈ કીડી ને કોશનો ડામ જેવો ઘાટ થયો. માંડ માંડ ઘરની અર્થવ્યવ્સ્થા સરખી ગોઠવીવવામા લગભગ જીવન વિતવા આવ્યું ત્યાં આખા દેશની અર્થવ્યવ્સ્થા? ના ભાઈ ના. હવે હામ પણ નથી અને વ્રુત્તિ પણ થતી નથી. પણ પુરુષનો સ્વભાવ હોય છે મોટાં મોટાં પ્રશ્નોમાં પોતાની જાતને ઉલઝાવી રાખવાની. પેલી જોક છે ને,
    “વલીભાઈની પડોશમા મુલ્લાનસરુદ્દીન દસ વરસથી રહેતા હતાં પણ ક્યારેય પત્ની સાથે તેમનો ઝગડો નહતો થયો. એક દિવસ વલીભાઈએ મુલ્લાને ઉભા રાખ્યાને પૂછ્યું,” મુલ્લા, તમારા સુખી દાંપત્ય જીવનનુ રહ્સ્ય શું છે? મુલ્લા કહે,” એમા રહસ્ય જેવું કાંઇ નથી. લગ્નની પ્રથમ રાત્રિએ જ અમે નક્કી કરી લીધેલું કે નાની નાની સમસ્યાઓ મારી પત્નીએ ઉકેલવી અને મોટી મોટી સમસ્યાઓ મારે. ત્યારથી અમે એકબીજા ના કામમા માથુ મારતા નથી અને ક્યારે ઝગડો પણ થતો નથી” વલીભાઈ કહે, “આ નાની નાની સમસ્યાઓ અને મોટી મોટી સમસ્યાઓ, કાંઇ સમજાણું નહી” મુલ્લા એ કહ્યું, ” ભાઈ નાની નાની સમસ્યાઓ અર્થાત ટીવી કે વોશિંગ મશીન કે અન્ય રાચરચીલું કયુ લેવું ક્યાં મુકવું, દરદાગીના ક્યારે અને કેટલા ખરીદવા, રસોઈમા શું બનાવવું વગેરે વગેરે…. અને મોટી મોટી સમસ્યાઓ એટલે કે અમેરિકાએ અફઘાનિસ્તાન પર ચઢઈ કરવી જોઇએ કે નહી, કે ગ્રીસની આર્થિક સમસ્યાઓનુ નિરાકરણ કેમ કરવું, કે ભારતની નાણા વ્યવ્સ્થામા શું શું ફેરફારો કરવા જરુરી છે…વગેરે વગેરે…”
    વલીભાઈ કદાચ મોટી મોટી સમસ્યાઓ ભ્રામકરીતે ઉકેલી દાંપત્યજીવન ભલે સુધરતું હોય, પણ જન્મારો તો એળે જતો રહે તેનુ શું?
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ શાહ.

    Like

     
  8. Valibhai Musa

    May 14, 2010 at 12:00 pm

    શરદભાઈ,

    શાસિતો પૈકી કોઈ એકલદોકલ વ્યક્તિ બીજા દેશોની ચર્ચાઓ કરે, તેમાં કોઈ જોખમ નહિ; કેમ કે સત્તા વગર એ કરી પણ શું શકે? તકલીફ છે સત્તામાં બેઠેલાઓની. તેમની પારકી પંચાતો, અન્ય દેશોને તો બરબાદ કરે કરે, પણ પોતાના દેશનુંય ભેગું ધનોતપનોત નીકળી જાય. વીસમી આખી સદી અને એકવીસમી સદીના પ્રથમ દસકાનો ઈતિહાસ ગવાહ છે કે રાજપુરુષોની રાજકીય ભૂલોએ પીડિત દેશોની પ્રજાના લાખોકરોડો માનવીઓને કમોતે મારી નાખ્યા છે.

    મુલ્લાં નસરુદ્દીનની આડમાં રમુજ સાથે ઉમદા લક્ષને સાધવામાં તમે સફળ પુરવાર થયા છો. હાસ્યના બે પ્રકારો પૈકી સૂક્ષ્મ હાસ્યની આ તો ખૂબી છે.

    કોઈ બ્લોગર જેટલી જહેમત તમે કોમેન્ટ્સ પાછળ ઊઠાવી રહ્યા છો. તમારો પોતાનો પણ કોઈ બ્લોગ હોય તો? મને લાગે છે કે તમે નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હશો! પણ થોડુંક લખજો અને મારી વાત ગળે ઊતરે તો તો પછી ‘શુભસ્ય શીઘ્રમ્’ થવા દો.

    સ્નેહાધીન,

    વલીભાઈ

    Like

     
  9. Sharad Shah

    May 15, 2010 at 2:53 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ્;
    મારા ગુરુએ એકવખત કહેલું કે, “WHATSOEVER THE PROBLEM IS, THE SOLUTION IS ONLY AND ONLY ONE, THAT IS MEDITATION” આ સાંભળીને મનમાં ખળભળાટ મચી ગયેલો. જાત જાતના તર્કવિતર્ક અને વિચારોથી મન ભરાઈ ગયેલું. પણ જેમ જેમ પરિપક્વતા આવતી ગઈ, તેમ તેમ સમજાવા માંડ્યું કે તર્કવિહીન લાગતી આ વાત ૧૦૦% સત્ય છે. ત્યારથી સમસ્યાઓનુ સમાધાન બહાર શોધવાની વ્રુત્તિ ઘટી રહી છે, અને શ્રધ્ધા ભિતરની વધી રહી છે.
    બીજું કે, મારું ઘર, મારી કાર, મારી માલમિલકત, મારી બુધ્ધી, મારી પત્ની, મારો દિકરો, મારો મિત્ર… આ બધી મારા-મારીના દોરડાં ધીમે ધીમે છુટી રહ્યાં છે, ત્યાં તમે નવું “મારો બ્લોગ” નુ દોરડું બાંધવાનુ કહો છો? કાંઈ આપણી દુશ્મની છે?
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

     
  10. Valibhai Musa

    May 15, 2010 at 4:19 am

    શરદભાઈ,

    તમારા પ્રતિભાવમાંના ‘બીજું કે’પછીનો મસ્તીખોર જવાબ આપવાનું મન થઈ જ ગયું છે તો મનને મારતો નથી. હવે જે વાત પ્રગટ થવા ધમપછાડા કરી રહી છે તે દર્શાવવા પહેલાં એક જવાબદારી તમને સોંપું છું કે ઘરમાં કોઈ પરિસ્થિતિ વણસવાની કોશીશ કરે તો તમારે માત્ર એટલું જ કહેવાનું કે વલીભાઈએ દિલ બહેલાવવા માટે જ ગાલિબી ખ્યાલ પેશ કર્યો છે. માથા કરતાં પાઘડી મોટી થઈ જવા બદલ દિલગીર છું.

    હવે તો દુશ્મની સંતોષવાના અન્ય માર્ગો પ્રચલિત થયા છે. ઉ.ત. પડદા પાછળ રહીને એવા દુશ્મનભાઈને બીજુઁ બૈરું કરાવવાનું, જૂનું વાહન ખરીદાવવું, જૂના ઘરને જમીનદોસ્ત કરાવીને નવું જ ઘર બનાવી લેવાના બદલે ઓછા ખર્ચમાં રીપેરીંગ થઈ જશે તેવી સલાહ આપવી, ક્રેડીટ કાર્ડના રવાડે ચઢાવવા,શેરબજારના ધંધે વળગાડવા, જો એ દુશ્મનભાઈ સંતોષી જીવડો હોય તો એના ઘરમાં તેને ખબર ન પડે તે રીતે ૯૯ રૂપિયા ભરેલી કોથળી નાખી આવવાની, પછી જૂઓ તે દિવસરાત કામ કરતો થઈ જશે!

    દુશ્મની સંતોષવા કંઈ બ્લોગ શરુ ન કરાવાય, એ તો ડોઝ હળવો પડે!

    Like

     
  11. Sharad Shah

    May 15, 2010 at 10:46 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ્;
    આ તો જરા અમથી મજાક છે.તમારો પ્રેમ આંખોમાં જોયો છે અને તમારા શબ્દોમાં નિતરે છે. માઠું લગાડશો મા.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

     
  12. Sharad Shah

    May 15, 2010 at 11:08 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ્;
    કમપ્યુટર બંધ કરતા કરતા ફરી તમારો જવાબ વાંચ્યો ને ૯૯ રુપિયાની થેલી વાળી વાત સાંભળીને વળી મુલ્લા નસરુદ્દિનની યાદ આવી ગઈ.
    વલીભાઈની પડોશમાં મુલ્લાનુ ઘર હતું, ને મુલ્લા પાંચે ટાઈમની નમાજ પછી ખુદાને પ્રાર્થના કરતો ને કહેતો,” યા ખુદા બસ, એક્વાર ૧૦૦ રુપિયા આપ, પછી ક્યારેય નહી માંગુ. તૂ ૧૦૧ આપીશ તો પણ નહી લઊ અને ૯૯ આપીશ તો પણ નહી લઊ” વલીભાઈ રોજ મુલ્લાની પ્રાર્થના સાંભળે અને થયું કે મુલ્લાની કસોટી કરવી જોઇએ. બીજા દિવસે સવારની નમાજ પછી મુલ્લા નિત્યક્રમ મુજબ પ્રાર્થના કરી કે તુરંત જ વલીભાઈએ પૂરા રુપિયા ૯૯ એક રુમાલમાં બાંધીને બારીમાંથી પોટલી મુલ્લાના ખોળામા નાખી. મુલ્લાએ આંખો ખોલી ને ખોળામા પડેલી પોટલી જોઇ. તુરંત જ પોટલી ખોલી અને રુપિયા ગણ્યા તો ૯૯ થયા. એટલે મુલ્લા બોલ્યા,” યા ખુદા તૂં પણ ભારે હિસાબવાળો છે. ૯૯ રુપિયા રોકડા અને ૧ રુપિયો રુમાલનો, પૂરા ૧૦૦ ગણીને આપ્યા.”
    શેષ શુભ;

    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

     
  13. Rajendra M.Trivedi, M.D.

    May 16, 2010 at 10:50 am

    પ્રિય વલીભાઈ,

    पूत कपूत तो क्यों धनसंचय?
    पूत सपूत तो क्यों धनसंचय?

    સમાપને છે…..

    देश जीवित तो क्यों धनसंचय?

    हम जीवित तो क्यों धनसंचय?

    ईसलिये भारतके पुराने ग्रन्थोमै लिखा है,

    रुणम क्रुत्वा घ्रुतम पिबेत.

    अमेरीका से लेकर पुरे विश्वके देशो मे इस निती हम देख सकते है.

    राजेन्द्र त्रिवेदी

    Like

     
  14. Valibhai Musa

    May 16, 2010 at 12:03 pm

    રાજેન્દ્રભાઈ,

    તમારો ઈશારો Credit Cards તરફે છે. ચાર્વાકના સૂત્રની સુધારેલી આવૃત્તિ એટલે આ જ! સંસ્કૃતિનું ચક્ર ફર્યા જ કરે છે. એક દિવસ આવશે જ કે ‘પછેડી તેટલા જ પગ લાંબા’ માં લોકોને માનવું પડશે. લોકો વાર્યા નહિ વળે, પણ હાર્યા વળશે! ગાંધીઅન અર્થશાસ્ત્ર વગર કોઈ ઉદ્ધાર નથી,જગતનો!

    Like

     
  15. pragnaju

    May 16, 2010 at 12:43 pm

    ‘ગાંધીઅન અર્થશાસ્ત્ર વગર કોઈ ઉદ્ધાર નથી,જગતનો!’

    વિનોબા ભાવેના વિચારો ખૂબ ગમે-“અર્થશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું, અને તેની સાથે મેં તે દિવસોમાં મારું રોજનું ગુજરાન બે આનામાં કરવાનું નક્કી કર્યું; કેમ કે તે વખતે હિંદુસ્તાનમાં માથાદીઠ ઓછામાં ઓછી આવક દોઢ-બે આના હતી. ત્યારે સાત પૈસાનું ભોજન અને એક પૈસો બળતણ માટે (ત્યારના આઠ = બે આના, અને સોળ આના = 1 રૂપિયો), એવો મારો હિસાબ હતો. સાત પૈસામાં જવારના રોટલા, મગફળી, ગોળ, દાળ, થોડુંક શાક, મીઠું, આંબલી એટલી ચીજો આવતી. એક વાર ગાંધીજીના ઉપવાસને કારણે મારે એમની પાસે દિલ્હી જવું પડ્યું. ત્યાં જુવાર નહોતી મળતી, ઘઉં જ મળતા હતા અને તે મોંઘા હતા. એટલે ત્યાં મારે મગફળી છોડવી પડી. મારો આ ‘બે આના આહાર’ નો પ્રયોગ વરસેક ચાલ્યો.

    કોઈકને થશે કે અર્થશાસ્ત્રના અધ્યયનને વળી આવી તપસ્યા સાથે શો સંબંધ છે ? તો એ વિશે મારે કહેવું છે કે અધ્યયન ત્યારે જ હજમ થાય છે, જ્યારે આપણે તેમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ, આપણી ઈન્દ્રિયોને, પ્રાણોને કસીને તેમાં એકાગ્રતા સાધીએ છીએ. એક વાર મેં બે વરસ અત્યંત એકાગ્રતાથી વેદોનું અધ્યયન કરેલું. ત્યારે પણ હું માત્ર દૂધ-ભાત ઉપર રહ્યો હતો. આવી રીતે વિચારોની સાથે જીવનને જોડવાની મને આદત છે. 1935માં ફરી એક વરસ સુધી પ્રયોગ કર્યો. તેમાં એક દિવસ પણ પડવા ન દીધો. ચરખા ઉપર સૂતર કાંતનારાઓને પૂરતી કમાણી નથી થતી, તેની ચર્ચા ચાલતી હતી. એક બાજુ એમ કહેવાતું કે મજૂરી વધારીશું તો ખાદીના ભાવ વધશે અને તે વેચાશે નહીં. બીજી બાજુ, શ્રમ કરનારાને જીવનનિર્વાહ પૂરતુંયે ન મળે, તે કેમ ચાલે ? આનો શો ઉપાય ? આનો ઉપાય એ જ કે મારા જેવાએ પોતાના જીવનમાં પ્રયોગ કરીને જોવું કે ત્યારે કાંતનારાને જેટલી મજૂરી મળતી હતી, તેટલી જ મજૂરીમાં ગુજરાન શી રીતે થઈ શકે છે.

    મેં રોજની ચાર-ચાર આંટી કાંતવાનો મહાયજ્ઞ શરૂ કર્યો. તેમાં સાડા આઠથી નવ કલાક થઈ જતા. ઊભો-ઊભો કાંતતો, બેસીને કાંતતો, બેન્ચ પર બેસીને કાંતતો, જમણે હાથે કાંતતો, એ હાથ થાકે એટલે ડાબે હાથે કાંતતો. રોજ ચાર આંટી પૂરી થવી જોઈએ. અને છતાં ચરખા સંઘના તે વખતના દર મુજબ મને મહિને દહાડે આની પાંચ રૂપિયા મજૂરી મળતી. એટલામાં જ મેં મારો નિર્વાહ ચલાવવાનો પ્રયત્ન કર્યો. પણ મેં પ્રયોગ કરીને જોયું કે મહિને સાત-સાડા સાત રૂપિયા તો મળવા જ જોઈએ. દરેક કાંતનારને આઠ કલાકના કામથી મહિને આટલું તો મળવું જ જોઈએ. મારા આ પ્રયોગથી ઘણાની આંખ ઊઘડી ગઈ. ગાંધીજીને પણ ખબર પડી. ઘણાએ મજૂરી વધારવાનો વિરોધ કર્યો. પણ ગાંધીજીએ દઢતાપૂર્વક ચરખા સંઘ પાસે કાંતનારને જીવન-વેતન આપવાનો સિદ્ધાંત કબૂલ કરાવ્યો. મેં કહ્યું, ‘આનાથી મને અપાર આનંદ થયો, કારણ કે હું પણ એક મજૂર છું. ઘાયલ કી ગત ઘાયલ જાને !’

    એક વાર હું પવનાર ગામમાં ધાબળો ખરીદવા ગયો. એક બહેન ધાબળા લઈને વેચવા બેઠી હતી. તેણે ભાવ કહ્યો, એક ધાબળાનો દોઢ રૂપિયો. મેં એની પાસેથી બધી માહિતી મેળવી. ઊન શું ભાવે પડ્યું ? એ મને ઓળખતી હતી કે આ માણસ પવનાર આશ્રમમાં રહે છે, એટલે તેણે મને બધું વિગતે કહ્યું. મેં હિસાબ કરી જોયો તો જણાયું કે એ ધાબળો એને પાંચ રૂપિયાથી ઓછામાં નહીં પડતો હોય. ‘ત્યારે તું આને દોઢ રૂપિયામાં કેમ આપી રહી છે ?’ તો બોલી, ‘પાંચ રૂપિયા કોણ આપે ? દોઢ કહું છું, તો સવા રૂપિયામાં માગે છે !’ મેં ધાબળો લીધો અને તેને પાંચ રૂપિયા દઈ દીધા.

    પછી તો મેં અમારા આશ્રમમાં આવનારા છોકરાઓને આ ધાબળાની વાત જણાવીને કહ્યું કે, તમે લોકો ચીજવસ્તુની પડતર બરાબર જોઈને તેનો બજારભાવ વધારતાં શીખો, કારણ કે પૂરતો ભાવ ન આપવો એ ગરીબોને લૂંટવા બરાબર છે. તમને લોકોને અહીં પૂરતી મજૂરી અપાય છે, તો તમે પણ બીજાઓને પૂરતી મજૂરી મળે તેવું કરો. ચોમાસામાં ઘાસનો ભારો બાંધીને બહેન વેચવા આવે છે. તમે તે ભારો બે આનમાં ખરીદો. છોકરાઓ માની ગયા. બજારમાં ઘાસ વેચનારી કહેતી કે ભારાના ત્રણ પૈસા, તો લોકો કહેતા, બે પૈસામાં આપવો છે ? જ્યારે આશ્રમના છોકરાઓએ જઈને કહેવા માંડ્યું કે આની કિંમત તો બે આના છે. લોકો કહેતા, ‘તમે લોકો આમને ચઢાવી મારો છો ! બે આના કોણ આપશે ?’ છોકરાઓએ કહ્યું, અમે આપીશું. અને ખરેખર એમણે બે આના આપીને ભારો ખરીદી લીધો. બજારમાં દરેક જણ એ જ બેતમાં હોય છે કે બીજાને કેવી રીતે લૂંટવો. આમાં ધરમૂળથી પરિવર્તન કરવું પડશે. હું જે પૈસો કમાઉં છું, હું જે અન્ન ખાઉં છું, તેમાં કોઈનું શોષણ તો નથી થયું ને – એવું વિચારવું પડશે. માત્ર ધન-આધારિત આજની વ્યવસ્થામાં આવું કાંઈ ઝટ સૂઝતું નથી. આપણે એમ માની લીધું છે કે દુનિયામાં આવું જ ચાલે. પરંતુ ઊંડાણથી આ બધો વિચાર કરવો પડશે. આજે શરીરશ્રમ કરનારને ઓછી મજૂરી મળે છે, અને બીજાં કામો કરનારાઓને તેનાથી અનેકગણું મળે છે. એટલે સમાજમાં શ્રમનું મૂલ્ય સ્થપાય તે જરૂરી છે. પ્રચલિત અર્થવ્યવસ્થા અને સમાજ ઉપર આપણે કુઠારાઘાત કરવો છે. આખીયે વ્યવસ્થા આજે ધન-આધારિત છે, તેને બદલે તેને શ્રમ-અધારિત બનાવવી છે.”

    Like

     
  16. Sharad Shah

    May 17, 2010 at 8:16 am

    પ્રિય મિત્રો;
    પ્રેમ્;
    મારી સમજ મુજબ અર્થશાસ્ત્રના સિધ્ધાંતો સ્થળ અને સમય સાથે બદલાતા રહે છે અને બદલાવા પણ જોઈએ જ.ગાંધીજીના સિધ્ધાંતોને જડતાથી પકડવા કરતાં આજના સમયની પરિસ્થિતીમાં કેટલાં સહયોગી કે ઉપયોગી થાય તેની મૂલવણી તટસ્થરીતે થવી ઘટે. ગાંધીજી માટેનો આપણો આદર, ઘેલઝાનુ સ્વરુપ ધારણ ન કરી લે તેનુ ધ્યાન રાખવું ઘટે.
    સદભાવનાઓ સાથે ધર્મશાસ્ત્રોને કે નીતિશાસ્ત્રને લેવાદેવા હશે, પણ અર્થશાસ્ત્રને નથી હોતી. અર્થશાસ્ત્ર બળને (શારિરીકશ્રમ) ઓછું અને કળને(બુધ્ધીને) વધુ મૂલ્ય આપે છે. તેથી એક ડોક્ટર એક મોટર મિકેનીક કરતાં વધુ ધન ઉપાર્જન કરે છે.અર્થશાસ્ત્ર નબળાનુ શોષણ પણ કરે છે અને પોષણ પણ. પોષણ ન કરે તો શોષણ કોનુ કરે? શોષણ અર્થ ઉપાર્જનનો સરળ માર્ગ છે. પાશ્વિક છે, પણ મનુષ્યની અંદર પડેલી અનેક પાષ્વિકવ્રુત્તિઓ માની આ પણ એક વ્રુત્તિ છે અને તે યુગો યુગોથી પ્રવર્તમાન છે. ધર્મ આ પાષ્વિકવ્રુત્તિઓને બદલવાનુ વિજ્ઞાન છે. એટલે અર્થશાસ્ત્ર પાસે શોષણ રહીત અર્થવ્યવસ્થાની અપેક્ષા અસ્થાને છે.
    શેષ શુભ.
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.