RSS

Daily Archives: July 6, 2010

(205) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા – ૨ (સંપૂર્ણ)

શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના સૂચન ઉપરાંત માનનીય રેખાબેન સિંધલે પણ મને મારા લેખમાં આગળ વધવા વિચારશીલ એક એવો મુદ્દો પૂરો પાડ્યો છે કે લાગણીઓનું માત્ર જતન કરવાની વૃત્તિ કોઈ પ્રખર સત્ય કે સૈદ્ધાંતિક બાબતની અવગણનાનું કારણ ન બનવી જોઈએ.

અમારી કોન્ફરન્સના બીજા દિવસની સવારે બધા પોતપોતાના રૂમમાં સ્નાનશૌચાદિની ક્રિયાઓ પતાવ્યા બાદ અમારા D.M.ના રૂમમાં નાસ્તાપાણી માટે એકત્ર થયા હતા. બધા આગલી રાત્રિના સ્વપ્નિલ રાજાપાઠમાંથી ડાહ્યીડમરી પ્રજા જેવા બનીને નાસ્તાની ટ્રોલીનો ઈંતજાર કરી રહ્યા હતા, ત્યાંતો આખાબોલા એક ડિલર ભાઈએ અમારા D.M.નો ઉધડો લેતાં કહ્યું કે ‘તમારી કંપનીએ ગઈ રાતે સાવ ઘટિયા ક્વોલિટીનો દારૂ પૂરો પાડ્યો હોવાના કારણે મારી તો ગરદન જ સાવ જકડાઈ ગઈ છે. આજે રાત્રે તો હું મારા અંગત ખર્ચે બધાયને જલસા કરાવવાનો છું. બહારની Liquor Shopમાંથી એવી તો અફલાતુન આઈટમ લઈ આવીશ કે તમે લોકોએ તમારી આખી જિંદગીમાં એવી ચાખી પણ નહિ હોય, કેમ વલીભાઈ ખરું ને!’ Read the rest of this entry »

 

Tags: , , , , , , , ,