મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ ની મજાર ઉપર પુષ્પગુચ્છ અર્પણવિધિ અને તેમની રૂહની મગ્ફેરત માટેની મારી દુઆઓ (પ્રાર્થનાઓ)ની મારી તમન્ના પૂર્ણ થવામાં વિજયભાઈનું યોગદાન રહ્યું કે જેથી તેમની ગોઠવણી મુજબ મરહુમના સુપુત્ર જનાબ સિરાજભાઈ અને મરહુમનાં ધર્મપત્ની મોહતરમા ફાતિમાબેન સાથે એ ઉમદા કાર્ય પાર પડ્યું. મરહુમના 85 વર્ષના દીર્ઘકાલીન જીવનના અંતિમ ત્રણેક માસના સમયગાળાના જ મારા બ્લોગ માધ્યમના મૈત્રીસંબંધે હું તેમનાથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેમની ઝિયારત (બેસણા) પ્રસંગે મારા દિલે મરહુમના વિષેનો લાગણીભાવ જન્મ્યો અને “Paying Respect to the Late Mr. ‘Sufi’ લેખ લખાઈ ગયો.
મારા મુખ્ય બ્લોગ “William’s Tales” માંના લેખોને ગુજરાતી અને અંગ્રેજીમાં વિભાજિત કરીને તેમને વિષય કે સાહિત્ય પ્રકાર અનુસાર ઈ-બુક્સ બનાવવા માટેના તૈયારીરૂપ વિશેષ બ્લોગ્ઝનું આયોજન તો કરી દીધું છે, પણ તેને પરિપૂર્ણ કરવાનું લક્ષ અશક્ય નહિ, પણ મુશ્કેલ તો જરૂર છે જ. જોઈએ આગળ શું થાય છે; પણ નિખાલસભાવે એક વાત તો સ્પષ્ટ જણાવી દઉં કે ચંદ્રકાન્ત બક્ષી જેવા જીવનભર સાહિત્યના ભેખધારી રહી ચુકેલા અને ધુરંધર એવા વિરાટ વ્યક્તિત્વ ધરાવતા એ મહાનુભાવ સામે સાવ વામણા તરીકે મારી જાતને સમજતા મુજ નાચીજની કોઈ હસ્તી નથી કે તેમના પેંગડામાં પગ નાખવાનો વિચાર સુદ્ધાં પણ હું કરી શકું!
’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.
ગુજરાતી સાહિત્ય અને ભાષાના સેવાયજ્ઞમાં હ્યુસ્ટનવાસી મિત્રો જે યોગદાન આપી રહ્યા છે તે બેમિસાલ છે. ગુજરાતી શબ્દજ્ઞાનવૃદ્ધિ માટે અવારનવાર પ્રયોજવામાં આવતી સ્પર્ધાઓ કે તરેહતરેહના શબ્દપ્રયોગોના સંકલન માટે મૂકવામાં આવતાં આમંત્રણો જેવી વિવિધ પ્રવૃત્તિઓથી હું હંમેશાં પ્રભાવિત થતો રહ્યો છું. મેં વિજયભાઈને ગુજરાતી બોલચાલ (Colloquial)ની ભાષામાં પુનરુક્તિદોષ જણાઈ આવે તેવા શબ્દપ્રયોગો એક્ત્ર કરવાની પ્રવૃત્તિ માટે સૂચન કર્યું હતું. મેં ઉદાહરણ તરીકે સુસ્વાગતમ્ અને અન્નજળપાણી શબ્દો આપ્યા હતા. બીજા બેએક શબ્દો એ વખતે યાદ આવ્યા ન હતા, જે અહીં આપું છું: ગુલાબજળપાણી, સજ્જન માણસ. અલંકારશાસ્ત્રમાંનાં વ્યાકરણનાં પુસ્તકોમાં ચાલ્યા આવતા પ્રણાલિકાગત પ્રકારોમાં અલ્પોક્તિ જેવા અલંકારો (સાહિત્યના નવ રસોમાં ઉમેરાએલા શાંત રસ અને ભક્તિ રસની જેમ) ને ઉમેરી શકાય.
‘એ યાદગાર સાંજ’ને સજાવવામાં યોગદાન આપનાર સૌ ભાઈબહેનોનો લેખની કદમર્યાદાને ધ્યાને લેતાં વિગતે ઉલ્લેખ ન કરી શકવા બદલ દિલગીરી અનુભવું છું. આમ છતાંય એક વાત તો અવશ્ય જણાવીશ કે “All’s well that ends well – અર્થાત્ જેનો અંત સારો તેનું સઘળું સારું.” ન્યાયે લખનવી નજાકતમાં કહેવાતો હળવો નાસ્તો, પણ વાસ્તવમાં ભારે ભોજન જેમાં શીરો પ્રમુખપદે હતો તેને આરોગવાનો અનેરો આનંદ સૌએ માણ્યો હતો. મારી બાયપાસ સર્જરી થઈ છે તે વિચારને બાયપાસ કરીને મેં શ્રાવક થયા વગર જ મળેલા શીરાને બરાબરનો ઝાપટ્યો હતો. આ તકે રમાબેન બ્રહ્મભટ્ટ અને પ્રદીપભાઈનાં બહેન સુકેશાબેનને યાદ કરવાં જ રહ્યાં. પ્રદીપભાઈના નિવાસસ્થાને જાવન અને મારા નિવાસસ્થાને પરત આવન માટેના ખનિજતેલરથના મારા સારથિઓ અનુક્રમે વિજયભાઈ અને ચીમનભાઈ પટેલનો હળવો આભાર માનું છું કે જેથી તેમને વધુ ભાર ન લાગે!
And..today this Post….No 267…That Memorable Evenining….& you expressed your “feelings” of that Night in Houston, Texas.
As I read this Post ..I note Vijay Shah’s Visit to your Blog & “Liking” this Post.
That’s good !
I knew Vijaybhai..then I came to know you because I knew Vijaybhai as a Mitra….And now, Valibhai now with God’s Grace we 3 are Mitro.
Your Wecome at Houston…& you meeting Many at Houston..then meeting Sureshbhai too at his Home and ALL your Personal experiences in U.S.A. will always remain as a “Part of your Life”…and for me talking to you on the phone while you were here in America will always remain as a ” Part of my Life”.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Valibhai….Thanks for sharing your inner feelings via this & other Posts !
Learned that you enjoy Vijay Shah and શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ private and Public function Bhai suresh and all Gujarati lovers enjoy your company.Hope that will plan your next visit to US.
We are happy to read the event and talking.
Stay connected.
‘એ યાદગાર સાંજ’ અને તે પછી પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટના કાવ્ય વાળુ લખાણ વાંચીને આપના ઉમદા સ્વભાવ અને ઉચ્ચ વિચારોનો વધુ પરિચય થતાં આપના પ્રત્યેના માનમાં અનેકઘણો વધારો થયો. એ દિવસે ‘ કબીર’ની વ્યવસ્થા અંગેના પુર્વનિર્ધારીત કાર્યક્રમને કારણે જે રીતે મારે વહેલા નીકળી જવું પડેલ એનો અફસોસ સદૈવ રહ્યા કરશે. દેવિકાબેનના કાવ્ય પરનો આપનો અધિક્રુત પ્રતિભાવ વાંચીને મને મારી ‘પામરતા’નો એટલો અહેસાસ થયો કે મેં હવે પછી કોઇના પણ કાવ્યો કે ગઝલો અંગે ઔપચારિક પ્રતિભાવો ન લખવાનો નિર્ણય કરી લીધો.
યુ આર ગ્રેટ !
chandravadan
August 29, 2011 at 11:14 am
And..today this Post….No 267…That Memorable Evenining….& you expressed your “feelings” of that Night in Houston, Texas.
As I read this Post ..I note Vijay Shah’s Visit to your Blog & “Liking” this Post.
That’s good !
I knew Vijaybhai..then I came to know you because I knew Vijaybhai as a Mitra….And now, Valibhai now with God’s Grace we 3 are Mitro.
Your Wecome at Houston…& you meeting Many at Houston..then meeting Sureshbhai too at his Home and ALL your Personal experiences in U.S.A. will always remain as a “Part of your Life”…and for me talking to you on the phone while you were here in America will always remain as a ” Part of my Life”.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Valibhai….Thanks for sharing your inner feelings via this & other Posts !
LikeLike
dhavalrajgeera
August 29, 2011 at 11:56 am
Dear Valibhai.
Learned that you enjoy Vijay Shah and શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ private and Public function Bhai suresh and all Gujarati lovers enjoy your company.Hope that will plan your next visit to US.
We are happy to read the event and talking.
Stay connected.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike
સુરેશ
August 29, 2011 at 1:46 pm
વાતો ગમી ગઈ – શીરાની જેમ ગળે ઉતરી ગઈ!!
આ બામણને ‘ શીરો’ શબ્દ સૌથી વધારે ગમ્યો!
LikeLike
Navin Banker
August 29, 2011 at 3:16 pm
‘એ યાદગાર સાંજ’ અને તે પછી પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટના કાવ્ય વાળુ લખાણ વાંચીને આપના ઉમદા સ્વભાવ અને ઉચ્ચ વિચારોનો વધુ પરિચય થતાં આપના પ્રત્યેના માનમાં અનેકઘણો વધારો થયો. એ દિવસે ‘ કબીર’ની વ્યવસ્થા અંગેના પુર્વનિર્ધારીત કાર્યક્રમને કારણે જે રીતે મારે વહેલા નીકળી જવું પડેલ એનો અફસોસ સદૈવ રહ્યા કરશે. દેવિકાબેનના કાવ્ય પરનો આપનો અધિક્રુત પ્રતિભાવ વાંચીને મને મારી ‘પામરતા’નો એટલો અહેસાસ થયો કે મેં હવે પછી કોઇના પણ કાવ્યો કે ગઝલો અંગે ઔપચારિક પ્રતિભાવો ન લખવાનો નિર્ણય કરી લીધો.
યુ આર ગ્રેટ !
નવીન બેન્કર
૨૯ ઓગસ્ટ ૨૦૧૧
LikeLike