RSS

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

15 Oct

“જીવન કે જીવ નાશ પામે છે પણ શરીરના પરમાણુઓ નાશ નથી પામતા. મ્રુત શરીરની રાખમાથી બધું પાછુ મળી શકે સિવાય કે એવા પરમાણુઓ જે બાશ્પશીલ હોય અને ઊડી ગયા હોય.”

બાઈબલ અને કુરઆનમાં ન્યાય (કયામત)ના દિવસે સઘળા જીવોની પુનર્જીવિત થવાની વાતને આ વિધાનથી સમર્થન મળે છે. જો કે આ બધો જે તે ધર્મોમાંની શ્રદ્ધાનો વિષય છે અને તેનું સામાન્યીકરણ થઈ શકે નહિ, થવું જોઈએ પણ નહિ. ઈશ્વરને સર્વશક્તિમાન અને સર્જનહાર તરીકે સ્વીકારવામાં આવતો હોય તો તેના માટે બધું જ શક્ય છે. આદમ કે મનુને પ્રથમ માનવ માનવામાં આવતા હોય તો તેમનાં માતાપિતા હોવા વિષેની વાત ઉપર આપણે અટકી જવું પડે અથવા માનવું પડે કે તેઓ વગર માતાપિતાએ ઈશ્વરેચ્છાએ અસ્તિત્વમાં આવ્યા. આમ વગર માતાપિતાએ તેઓ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવ્યા ગણાય. આપ પ્રજોત્પત્તિનો એક પ્રકાર બન્યો કહેવાય. બીજા પ્રકારમાં ઈસુ ખ્રિસ્ત અને કર્ણને લઈ શકાય કે જેઓ માત્ર માતા થકી અસ્તિત્વમાં આવ્યા. ત્રીજા પ્રકારમાં બહુમતીમાં એવા બાકીના સઘળા એ જીવો આવે કે જેમની ઉત્પત્તિ નરમાદાની રતિક્રિડા થકી થઈ.

આ સઘળી વાતનું તાત્પર્ય એ છે કે માનવીના મૃતદેહને બાળવામાં આવે, દાટવામાં આવે, જલસમાધિ આપવામાં આવે કે કોઈપણ રીતે દેહનું વિસર્જન કરવામાં આવે તો પણ તે સર્વથા નાશ પામે નહિ. (સોકેટીસે તેમના આખરી સમયે શિષ્યો દ્વારા તેમની અંતિમક્રિયા કેવી રીતે કરવામાં આવે તેના જવાબમાં તેમણે પણ આ મતલબનું જણાવ્યું હતું.) એવું પણ બને કે નવીન દેહ માટી (ખાક) કે પંચમહાભુતમાં પુન: સર્જાવાના બદલે જ્યોતિ (નૂર) ના બાંધામાં બંધાય અને તેમાં બિનનાશવંત એવા આત્મા (રૂહ)ને ફૂંકવામાં આવે. મૃત્યુ પછી પાપ અને પુણ્યનાં લેખાંજોખાં થયા પછી સ્વર્ગ કે નર્કમાં સુખ કે સજા ભોગવવા માટે એ જીવો સદેહી હોવા તો જોઈએ ને !

વેગુમિત્રો, મારા પ્રતિભાવમાં વિજ્ઞાનના વિષયનું વિષયાંતર થવા બદલ ખેદ અનુભવું છું. આ તો જીવનભરનાના વાંચનના પરિણામે જેમજેમ વિચારો આવતા ગયા તેમ લખાતું ગયું. અહીં મારો ‘આવો કે તેવો’ કોઈ મત હોવાની કોઈ ગેરસમજ ન થવી જોઈએ. વળી મારા આ પ્રતિભાવના સમર્થન કે ખંડનની પણ મારી કોઈ અપેક્ષા નથી, કેમ કે મારું તારણ એવું કોઈ અંતિમ પણ નથી. “Say not, ‘I have found the truth’; but rather, ‘I have found a truth’.”(Khalil Gibran). (અહીં અંગ્રેજી આર્ટિકલ a અને the ધ્યાને લેવાવા જોઈએ.)

– વલીભાઈ મુસા

નોંધ :- વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના વેગુ ઉપરના લેખ : “સમય – ૨ : સમય શું છે ?” ને વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો. 

 

Tags: , ,

2 responses to “(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

  1. સુરેશ જાની

    October 15, 2013 at 11:45 am

    વિજ્ઞાનની જેમ જ જ્ઞાન પણ જીવન માટે ઉપયોગી છે. કદાચ ઘણું વધારે.

    લો તાંણે સમયનું ગનાન….
    સમય ભુલાવે ભાન, એવું કહો છો મારા ભાઇ!
    હતા કદીયે ભાનમાં? તે ભુલીયે પાછા ભાઇ?

    સમય સમય બલવાન છે, તે તો સાચું ભાઇ!
    પણ નિર્બલકે બલ રામ છે, તે પણ સાચું ભાઇ!

    આખી કવિતા આ રહી –
    http://gadyasoor.wordpress.com/2006/07/04/samay/

    Like

     
  2. M. Gada

    November 8, 2013 at 8:48 am

    My views on reincarnation and “soul” are discussed in detail in articles posted on Abhivyakti. I have logically argued and concluded that soul is only the part of our body which perishes with the body. It is the information stored in our DNA.

    I also discuss in detail why reincarnation is not possible . These topics are covered in 4-5 articles. It is easy to find them under my name in the subject column.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: