RSS

(૪૯૧) “ચતુર્થ પરિમાણની પેલે પાર” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૩)

06 Sep

Beyond The Fourth Dimension

 

Visible

Explicit

Tangible

high strung

on pins and needles

external physical timepiece

struggles to keep up with

ruthless demanding Time.

Invisible

Implicit

intangible

enigmatic

restive internal biological clock

struggles to keep away

a ruthless demanding death.

Time was not to blame

only timepiece – that failed to tick.

Death was not to blame

only life – that failed to live on.

– Vijay Joshi      

 

* * *

ચતુર્થ પરિમાણની પેલે પાર

(ભાવાનુવાદ)

દૃશ્ય

સુસ્પષ્ટ

પાર્થિવ

સુગ્રથિત

બેચેન

બાહ્ય ભૌતિક ઘડિયાળ

મથ્યા કરે નિજ ગતિ થકી

ને કરે તકાદો સમયનો નિષ્ઠુર બની.

અદૃશ્ય

અભિપ્રેત

અપાર્થિવ

ગૂઢ

ચંચળ

ગુહ્ય પ્રાકૃતિક ઘડિયાળ

મથ્યા કરે દૂર હડસેલવા

ને કરે એય તકાદો મૃત્યુનો નિષ્ઠુર બની.

સમયને ન દોષ દેવાય,

દેવાય દોષ તો ઘડિયાળને

જે નિષ્ફળ રહ્યું ટિક કરવા કાજે.

મૃત્યુનેય ન દેવાય દોષ

દેવાય દોષ તો માત્ર જિંદગીને

જે નિષ્ફળ રહી જીવવા કાજે.

–વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

 

ચતુર્થ પરિમાણની પેલે પાર

સંક્ષેપ :

પ્રખર વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન દ્વારા પ્રસ્થાપિત થયેલા ખ્યાલ મુજબ અદૃશ્ય, અજાણ્યું અને વણશોધાયેલું એવું અગોચર બ્રહ્માંડ હોઈ શકે છે કે જ્યાં દિશા કે સમયનું કોઈ માપ કે ગણતરી ન હોય. આને અનંતકાળ તરીકે ઓળખાવી શકાય કે જે અવકાશનાં ત્રણ પરિમાણો ઉપરાંતનું વિશેષ એવું ચોથું પરિમાણ છે.

સમય અને મૃત્યુની ગતિ એકમાર્ગી રસ્તા જેવી છે જે બંને સાથે મળીને બધાજ સજીવોને નિયંત્રિત કરે છે, તેમની સાથે ચાલાકીથી પોતાનું કામ પાર પાડે છે અને તેમને ભયભીત કરે છે.

આ કાવ્ય અપાર્થિવ અને પ્રાકૃતિક એવાં બે ઘડિયાળોની સરખામણી કરે છે અને સમજાવે છે કે એ બંને કેવી રીતે સમય અને મૃત્યુ સામે આરક્ષણ મેળવવા મથામણ કરે છે. સમય અને મૃત્યુ એ ગૂઢ, ચલાયમાન અને સાતત્યપૂર્ણ છે.

કાવ્યનો નિષ્કર્ષ એ છે કે છેવટે તો માનવી પોતે જ પોતાનાં કાર્યો માટે જવાબદાર હોય છે. તેણે કોઈનાય ઉપર દોષારોપણ કરવાની રમત બંધ કરી દેવી જોઈએ અને તેણે અનિવાર્ય અને અંતિમ એવી જીવનની વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

# # #

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

 

Tags: , , ,

One response to “(૪૯૧) “ચતુર્થ પરિમાણની પેલે પાર” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૩)

  1. pragnaju

    September 6, 2015 at 12:44 pm

    રી બ્લોગ ની જેમ રી કોમેંટ કહી શકાય ?

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.