RSS

Category Archives: અછાંદસ

(૫૩૭) પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! (વ્યંગ્યકવન / અછાંદસ)

પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!

“’અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’
વ્હેલી પરોઢે ચણ ચણીને,
જળકૂંડીએ પ્યાસ બુઝાવી, વાતે વળી કપોતની જોડી.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

ન ઊંચાં આવાસ બાંધવાં, સઘળાં જે કંઈ આપણાં, વ્હાલા;
ન લેવી એર ટિકિટો, દેશવિદેશે ઊડવા કાજે,
બસ, આપણે તો, ભલા, આપણો એરિયા બસ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

મોંઘાંદાટ બકાલાં, જો ને લોકોને લેવાં,
વઘારે તેલ ના મળે, ફેર પ્રાઈસ શોપે લાઇનો લાંબી,
નિજ પરસેવે ન્હાઈ લેવાનું, હાથલારીઓ ખેંચી ખેંચી!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

જો ને પેલો છોરો બિચારો,
વાણ તૂટેલી ખાટલીએ ઘોરે, આખી રાત તન વલોર્યું
તડકો જગાડે તોય ના જાગે, આસપાસ કોલાહલ છતાંયે!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

‘ભૂખ ભૂંડી કે ભીખ?’, એવો વિચાર તજીને
પાઠ ભણે ભીખ માગવા તણા, પડખે નિશાળ છતાંયે;
કકળતું તો હૈયું મારું, તેઉને જોતાં, વાલમ, કેવું તો તેઉનું દુઃખ?
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ?’

હૈયા તણી વાત કહું, માટીડા? પાંખભર આપણાં, વ્હાલા,
કહો તો દત્તક લઈએ, નાગીપુગી એ છોરીને,
મારો તો જીવ બળે છે, પણ આપણે તો લીલાલહેર!
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

* * *

“’હા,અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’,
એય ગાંડી, આજ સવારે ચણ ચણતાં, ચણ્યો શું ઝેરી દાણો?
સાનભાન વણી વાત કરે તું, શું છોરીને મારવી તારે?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’

રાંધ્યા વગરનો એ કાચો દાણો, કરાવે બિચારીને ઝાડા,
એ માણસ છે, વ્હાલી, કાચું તો ખાય જો અન્ન,
માવતર પાપે દુઃખી થાતાં,  આપણો ક્યાં વાંક લગાર?
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”

“માવતર પાપે? ના સમજાયું, ફોડ પાડીને કરો વાત,
વાંક તેઉનો ને નવસ્તરી ફરે, એ બિચારી છોરીની જાત
પાડાના વાંકે પખાલીને ડામ, એ તો ખોટું સાવ હળાહળ.
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

“ઊઘાડું કહેતાં શરમ આવે, સમજાવું તોય ખુલ્લંમખુલ્લા,
તેઉની નજરું આગળ, શ્વાનગાડી લાગે ખસી કાજે
તોય, ‘અમે બે, અમારાં બે’ ન જાણે, કેવી નઘરોળ જાત!
‘હા, અલી સાંભળ્યું, પણ તારી અક્કલ વિહોણી વાત!’”

“આવું સાવ ઊઘાડું કહેતાં, ના’વી આવી શરમ લગારે?
વાલમડા, હું તો લાજી મરું, ભલે તોય આપણે તો નસીબદાર,
આપણને એવો કાનૂન નોં લાગે, ને આપણે પિંજર બા’ર
‘અલ્યા સાંભળ્યુ કે, વ્હાલા, આપણે તો કેવું સુખ!’”

* * *

“સુણો, જગતનાં નર ને નારી. વાત કપોતજોડી તણી
‘અમે બે, અમારાં બે’ છોડી, બોલો ‘અમે બે, અમારું એક’
નહિ તો પછી વાંઝિયામેણાં, સરકારી બસ ગાડીઓ તૈયાર!!!
‘અલ્યાં સાંભળ્યું કે, સૌ જન, પછી તો આપણું રહ્યું ક્યાં સુખ!’”

 -વલીભાઈ મુસા

(તા. ૦૭૦૮૧૭)

 

Tags: ,

(૫૨૫) DESPERATE  AGE (Tenzin Tsundue) – ઉત્સાહભંગ જૈવન્ય (ભાવાનુવાદક – વલીભાઈ મુસા)

ઉત્સાહભંગ જૈવન્ય 

હણી નાખો મુજ દલાઈ લામાને,
કે જેથી ન હું અનુસરું અધિક તેઉને.

મારા મસ્તકને ભંડારી દો ભોંયમાં
યા ધીબી નાખો એને
કે પછી કરી દો નગ્ન મુજને.

વળી ચહો તો જકડી લો જંજીર મહીં,
કિંતુ ના કરશો આઝાદ મુજને.

કારાવાસ મહીં કેદ
મુજ દેહ તણું સ્વામીત્વ ભલે રહે તમ તણું,
પરંતુ દેહ મહીં સ્થિત
મુજ આસ્થા તો રહેશે માત્ર ને માત્ર મુજ તણી.

ચહો છો કરવા ધાર્યું એ જ?
તો મિટાવી દો અહીં જ મુજને, સાવ ચૂપકીદીથી.
ને કરી લો ખાત્રી કે મુજ એકેય શ્વાસ ન બાકી રહે,
કિંતુ ના કરશો આઝાદ મુજને.

ઇચ્છો જો વળી,
તો ખતમ કરી નાખો મુજને ફરી ફરી
સાવ નવેસરથી, હા.

લાવી દો તવ અનુશાસન મહીં મને
અને શિક્ષિત કરી દો ફરી જ મુજને
યા ભરી દો તવ વિચારધારા મુજ મસ્તિષ્ક મહીં.
વળી ચહો તો દર્શાવી દો તવ સામ્યવાદી યુક્તિ-પ્રયુક્તિઓ
કિંતુ ના કરશો આઝાદ મુજને.

હણી નાખો મુજ દલાઈ લામાને, ,
કે જેથી ન હું અનુસરું અધિક તેઉને.

– તેન્ઝિન સન્ડૂ  (મૂળ કવિ)
વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * *

Disclaimer :

I have tried to have permission through available sources to translate and publish the following poem in Gujarati. I have not received any response; but being my literary work non-profit, I dared to do my work prior to any permission. If any breach of copyright is felt by the poet of the poem or any other copyright holder, I earnestly request to related persons just to mail me and the Post will immediately be withdrawn from my blog.

* * *

DESPERATE  AGE

Kill my Dalai Lama
that I can believe no more.

Bury my head
beat it
disrobe me
chain it.
But don’t let me free.

Within the prison
this body is yours.
But within the body
my belief is only mine.

You want to do it?
Kill me here – silently.
Make sure no breath remains.
But don’t let me free.

If you want,
do it again.
Right from the beginning:

Discipline me
Re-educate me
Indoctrinate me
show me your communist gimmicks.
But don’t let me free.

Kill my Dalai Lama
and I will
believe no more.

– Tenzin Tsundue

* * *

[You can chain me, you can torture me, you can even destroy this body, but you will never imprison my mind. – Mahatma Gandhi]

* * *

મૂળ કવિનો પરિચય:

[તેન્ઝિન સન્ડૂ એ તિબેટીયન મૂળના યુવા આંદોલનકારી કવિ છે. પિતૃઓએ માતૃભૂમિ તિબેટમાંથી દેશનિકાલ પામીને  ભારતમાં આશ્રય લીધો હતો. ભારતમાં જ જન્મેલા આ કવિએ ચેન્નાઈમાં ગ્રેજ્યુએશન લીધું હતું. એકવાર તેમણે પગપાળા એકલા અટૂલા હિમાલય પાર કરીને તિબેટમાં પ્રવેશવાનું સાહસ કર્યું હતું. ધરપકડ થતાં તેમને ત્રણ મહિના કારાવાસમાં રહેવું પડ્યું હતું અને છેવટે તેમને ભારતની સરહદે પાછા ધકેલી દેવામાં આવ્યા હતા. ચીનના આધિપત્ય હેઠળની માતૃભૂમિની મુક્તિ માટે એકલપંડે ઝઝૂમતા આ કવિ  કાવ્યસર્જન દ્વારા અને તિબેટના રાષ્ટ્રધ્વજ અને પોતાની માગણીને વાચા આપતાં બેનર્સને જાનના જોખમે   અવારનવાર પ્રદર્શિત કરતા રહીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યા છે. છેલ્લા અર્ધા શતકથી આઝાદી માટે ટળવળતી આ તિબેટિયન પ્રજા ચીની શાસનની એડી હેઠળ ચગદાતી રહી છે. યુનો અને યુનોમાં પ્રભાવશાળી એવા અમેરિકા જેવા દેશો તિબેટની મુક્તિ માટે ચીન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવામાં નિષ્ફળ પુરવાર થયા છે. સામ્યવાદી ચીનથી ભિન્ન સંસ્કૃતિ અને અસ્મિતા ધરાવતા તિબેટને ૮૦ વર્ષીય ૧૪મા દલાઈ લામા નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે.

આ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘Crossing the Border’ ૧૯૯૯માં પ્રગટ થયો હતો, જે તેમણે મુંબઈ યુનિવર્સિટીના સહાધ્યાયી મિત્રોના આર્થિક સહયોગથી બહાર પાડ્યો હતો. ૨૦૦૧માં તેમને ‘આઉટલુક પિકાડોર એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. ત્યારપછીનાં તેમનાં ‘Kora’ અને ‘Semshook’ પુસ્તકોએ અનેક આવૃત્તિઓ હાસિલ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનાં સર્જનો દ્વારા સુખ્યાત એવા આ કવિ ઉપરનો ‘ફ્રી તિબેટ, ગેટ આઉટ’: તેન્ઝિન સનડૂ’ (http://webgurjari.in/2015/10/13/free-tibet-get-out) શીર્ષકે એક લેખ ‘વેબગુર્જરી’ ઉપર અગાઉ આવી ચૂક્યો છે. તેમાં ઉલ્લેખિત આ કાવ્યનો ભાવાનુવાદ પ્રસિદ્ધ કરવા દેવા માટેની સહમતી માટે સર્જકશ્રીને ઈ-પત્ર મોકલવામાં આવ્યો હતો, પણ તેઓશ્રીની વ્યસ્તતા કે અન્ય કોઈ કારણે પ્રત્યુત્તર મળ્યો નથી. આમ છતાંય મારા બ્લૉગનો કોઈ આર્થિક લાભ લેવાનો આશય ન હોઈ અને કોઈપણ દેશની પ્રજાનો સ્વાતંત્ર્ય એ જન્મસિદ્ધ માનવ અધિકાર હોવાનો માનવતાવાદી સંદેશો આ કાવ્યમાં હોઈ કવિશ્રી તેન્ઝિન સન્ડૂની અનુમતિની અપેક્ષાએ આ ભાવાનુવાદ તેમના આભારસહ અત્રે પ્રસિદ્ધ કરવામાં આવે છે.  – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)]

 

 

Tags: , , ,

(519) Best of the year 2015 (5)

You may click on

(૪૫૬) પ્રિયતમાની જીવંત કબર ! (ભાવાનુદિત કાવ્ય) [7]

(૪૫૭) ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ (ભાવાનુવાદ) [8]

(૪૫૮) માધુરી દીક્ષિત (સિનેતારિકા) – ભાવાનુવાદ [9]

(૪૬૦) હું અને મારો ઘોડો : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧)

(૪૬૧) ચકલીઓ : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૨)

(૪૬૩) ચાલો ને, આપણે … – ભાવાનુવાદ [10]

(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

(૪૬૫) “માધુરી દીક્ષિત (સિનેતારિકા)” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૩)

(૪૬૭) “ગૌરવર્ણો ભિક્ષુક” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૪)

(૪૬૯) “મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૫)

(472) Comprehension of  a Poem ‘Colossal Mistake’ (by Rabab Maher) – Valibhai Musa

(474) The Demise of a Gentle Giant

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬)

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

(૪૮૩) “સર્જન અને વિસર્જન” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૧)

(૪૮૪) “તાત્ત્વિક સ્વગતોક્તિ”- શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૨)

(૪૮૫) પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન : ૭ : “ચાલો ને, આપણે …”

(૪૮૬) પ્રિયતમાની જીવંત કબર : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૮) – વલીભાઈ મુસા

(૪૮૯) હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ! -વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(૪૯૧) “ચતુર્થ પરિમાણની પેલે પાર” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૩)

(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)

(૪૯૩) “કોરો કાગળ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૪) -વલીભાઈ મુસા

(૪૯૪) “જ્યમ અસ્ખલિત મેઘ વરસે…” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૦)

(૪૯૭) આમવૃક્ષ (મૂળ વાર્તાકાર : મધુલિકા લિડલ || ભાવાનુવાદક : વલીભાઈ મુસા

(૫૦૦) “વિખૂટા પડ્યાનો વલવલાટ” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૧)

 –વલીભાઈ મુસા 

 

 

 

 

 

Tags: , , , , , , , , , , , ,

(૫૧૩) “અમર્યાદ આનંદ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને રસદર્શન (૮) -વલીભાઈ મુસા

અમર્યાદ આનંદ

ચિત્તભ્રમ માનવવૃંદથી ના અધિક દૂર,
એવું સ્થિત ત્યાં, નિષ્પ્રાણ શબ્દો તણું કબ્રસ્તાન.

એય વળી કેવા?
સાવ જ નિરુત્સાહી, એકાકી અને વળી અસ્ફુટ શબ્દો;
ઊંડેરા દટાયલા, વિસ્મૃત અને સ્વચ્છંદ એ શબ્દો;
બુઠ્ઠા, કોડીય ન ઉપજે તેવા સાવ મફતિયા અને સંદિગ્ધ શબ્દો;
સાવ ખાડે ગયેલા નકામા, અંધારી ગુફામાં અટવાતા અને સાવ બોદા એ શબ્દો;
વણજોઈતા, રદબાતલ અને વણવપરાતા શબ્દો;
અપમાનજનક, હાનિગ્રસ્ત અને ધોકલે ધબેડાયેલા એ શબ્દો.

ત્યાં તો નાનેરું શિશુ એક આવ્યું,
રખડતું-રઝળતું, અહીં એકદા.
વીણી લીધા શબ્દત્રય સહજ મનમોજે,
ને લ્યો, જાણે જાદુઈ હાથે લાધ્યા એ જીવંત
અને બોલી પડ્યા, સાવ હળવા અવાજે,
સમજી શકે શિશુ એવા સહજ ભાવ ભાવે,
એ ત્રણેય શબ્દો કે, ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’)
અને એ નાનેરું બાળ પણ બોલી ઊઠ્યું,
સહર્ષે વળતા જવાબે કે,
‘હું પણ ચાહું, તમને બધાને!’ (‘I love you all, too!’)

– વિજય જોશી  (મૂળ કવિ)

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Boundless Joy

Not too far from manic human herd,
sits a graveyard of lifeless words.

melancholy, lonely, dubious words,
buried, forgotten, abandoned, words.
pointless, worthless, vague words.
Pitted, cavernous, hollow words,
unwanted, discarded, unused words.
abused, injured, battered words.

A little boy came wandering one day,
picked up three words in a random way.

They came alive in his magical hands,
and spoke slowly so boy understands.

uttered three words, “We love You”
little boy replied with joy, “I love you all, too!”

– Vijay Joshi

* * *

: રસદર્શન :

આ અગાઉ ભાષાના શબ્દોને વિષય બનાવીને ‘વણલખ્યું’ કાવ્ય આપી ચુકેલા કવિશ્રી વિજય જોશી આપણી સમક્ષ બસ એ જ રીતે વળી પાછા ‘શબ્દો’ને જ કેન્દ્રમાં રાખીને ‘અમર્યાદ આનંદ’ એવા નવીન કાવ્ય સાથે આપણી સમક્ષ ફરી એક વાર આવે છે. આ કાવ્યમાં કવિએ ભવ્યાતિભવ્ય ઢબે ભાષાના શબ્દોને નિષ્પ્રાણ દર્શાવીને એમનુંય કબ્રસ્તાન હોવાની એક અનોખી કલ્પના કરી છે. જીવતાજાગતા માનવીઓ એક નિશ્ચિત કાળે અવસાન પામતાં કબ્રસ્તાનભેળા થઈ જાય, બસ તેમ જ અહીં શબ્દોનું પણ એમ જ થતું બતાવાયું છે; આમ છતાંય એટલો ફરક તો ખરો જ કે એ શબ્દો કબરોમાં દફન થઈ જતા નથી, પણ કબ્રસ્તાનની જમીન ઉપર એમને વેરવિખેર હાલતમાં પડેલા સમજવાના છે. ગદ્ય અને પદ્યમાં નોંધપાત્ર ફરક એ હોય છે કે ગદ્યમાં કથન સ્પષ્ટ હોય તો પદ્યમાં એ ઇંગિત હોય છે. જો શબ્દો કફન સાથે દફન થઈને ધરતીમાં ધરબાયેલા હોય તો પછી કવિ તેમની સાથે સંવાદ સાધી શકે નહિ ને!

કાવ્યની પ્રારંભની બે પંક્તિઓ વિષયપ્રવેશ બની રહ્યા પછી કવિએ એ સઘળા નિષ્પ્રાણ શબ્દોને વિભિન્ન વિશેષણો લાગુ પાડીને સજીવારોપણ અલંકાર વડે મઢિત એવી બાનીમાં નિર્જીવ રૂપે છતાંય અસ્તિત્વ ધરાવતા બતાવ્યા છે. હવે કાવ્યમાં એ વિશેષણો સ્વયંસ્પષ્ટ હોઈ આપણે તેની યાદીને અહીં પુનરાવર્તિત ન કરતાં એ સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈપણ ભાષામાં શબ્દો એ તો એના અંગભૂત એકમ તરીકે હોય છે અને એમના વગર ભાષા સંભવી શકે નહિ. આમ શબ્દો એ ભાષાનો પ્રાણ હોય તો કવિ એમને અહીં નિષ્પ્રાણ શબ્દો તરીકે કેમ ઓળખાવે છે? આનો સીધો અને સરળ જવાબ વ્યાકરણની પરિભાષામાં એ જ હોઈ શકે કે એ શબ્દો યોગ્ય રીતે યોગ્ય અર્થભાવ આપતા વાક્યમાં ગોઠવાય તો જ એ જીવંત બની શકે. શબ્દકોશોમાં પણ શબ્દો હોય છે, એના અર્થો પણ શબ્દોમાં જ આપવામાં આવતા હોય છે; છતાંય એ શબ્દો વ્યક્તિગત રીતે પોતાનું અસ્તિત્વ અને કોઈક અર્થ ધરાવતા હોવા છતાં એ વાક્યોમાં ન પ્રયોજાય, ત્યાં સુધી તેમને પણ નિષ્પ્રાણ જ સમજવા રહ્યા. આમ કવિ કલ્પનાએ આપણે શબ્દકોશને પણ શબ્દોના કોફિન તરીકે ઓળખાવીએ તો જરાય અજુગતું નથી.

મને ક્યાંક લખ્યાનું સ્મરણ છે કે સાહિત્યના ઉત્તમ પ્રકારના સર્જન માટે અને પ્રભાવી વાણીવિનિમયમાં ‘શબ્દપ્રયોજના’નું અનેરું મહત્ત્વ હોય છે. ભાષાનો એકલોઅટૂલો શબ્દ શુષ્ક કે મૃત જ ભાસે, પણ એ જ્યારે યથાસ્થાને, યથાભાવે અને યથાહેતુએ પ્રયોજાય; ત્યારે જ એ જીવંત અને મૂલ્યવાન બની રહે. આપણા કવિએ અત્રતત્ર વેરાયેલા એ નિષ્પ્રાણ શબ્દોના સમૂહમાંથી ત્રણ શબ્દો ઉપર પોતાની પસંદગી ઢોળીને એમને રખડતારઝળતા એક નાના બાળક પાસે હાથવગા કરાવ્યા અને આપણા આશ્ચર્ય વચ્ચે એ બાળકના હાથનો સ્પર્શ થતાં જ એ શબ્દો જીવંત બની ગયા. વળી એટલું જ નહિ એ શબ્દો હળવા અવાજે અને એ બાળકને સમજવામાં સુગમ પડે તે રીતે બોલી પણ ઊઠ્યા કે ‘અમે ચાહીએ તને!’ (‘We love you!’).

ભાષાના શબ્દો બિચારા કહ્યાગરા હોય છે અને એમને પ્રયોજનારા ઉપર નિર્ભર હોય છે કે તેણે એ શબ્દો પાસેથી કેવું કામ લેવું. આપણા કવિ એ ત્રણેય શબ્દો પાસે એ બાળકને ઉદ્દેશીને બોલાવડાવે છે કે તેઓ સાચે જ તેને ચાહે છે. અહીં બાળકની માસૂમિયત પેલા શબ્દોને એવી સ્પર્શી જાય છે કે સહજભાવે તેમનાથી એ પ્રેમાળ શબ્દો બોલી જવાય છે. ‘પ્રેમ’ એ માનવીય એવો સંવેગ છે કે જે પડઘાયા સિવાય રહી શકે નહિ. પેલા શબ્દોએ જ્યારે એ બાળકને ‘અમે ચાહીએ તને!’ એમ કહ્યું, ત્યારે એ બાળક પણ ‘પેલા શબ્દો’ના એ જ શબ્દોમાં હસીખુશીથી ‘હું પણ ચાહું, તમને બધાંને!’થી પ્રત્યુત્તર વાળે છે.

પ્રેમ એ ઈશ્વરનું સ્વરૂપ છે અને તેથી જ ‘Love is God’ અર્થાત ‘પ્રેમ એ જ ઈશ્વર’ એમ કહેવાય પણ છે. નાનાં બાળકોને પ્રભુનાં પયગંબરો કે બાળગોપાળ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી બાળકોને ‘પ્રેમનાં પ્રતીકો’ તરીકે સમજવાં રહ્યાં; અને તેથી જ તો કવિએ એક નિર્દોષ બાળકને આ કાવ્યમાં પાત્ર તરીકે વણી લીધું છે કે જે પ્રેમ પામવાને પાત્ર તો છે જ, પણ સાથેસાથે એ પ્રેમનો પ્રત્યુત્તર પ્રેમથી જ આપે છે. આમ કવિએ આ લઘુકાવ્યમાંય વળી એવા જ લાઘવ્ય વડે ‘ઢાઈ અક્ષર એવા પ્રેમ’ને ઉજાગર કરી બતાવ્યો છે.

આમ આ કાવ્ય મનનીય બની રહે છે, માત્ર એના એ જ સામર્થ્યના કારણ કે એના સમર્થ કવિએ કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો પાસેથી ધાર્યું કામ કઢાવી જાણ્યું છે.

સરસ મજાના આ કાવ્ય બદલ કવિશ્રીને અભિનંદન.

– વિજય જોશી (મૂળ કવિ)

– વલીભાઈ મુસા(રસદર્શનકાર)

(આ શ્રેણીનાં કાવ્યો ઉપરનું અનુવાદન અને સંક્ષેપનું કામ કરતાં મેં અકથ્ય આનંદ અનુભવ્યો છે. મારું આ કામ ‘વેગુ’વાચકોને ગમ્યું હોય તો તેના યશના સાચા અધિકારી કવિશ્રી વિજયભાઈ છે, કેમ કે જે મૂળ કાવ્યમાં હતું એ જ હું મારા ભાવાનુવાદમાં લાવ્યો છું. અહીં શ્રી વિજયભાઈ જોશીનાં અંગ્રેજી કાવ્યોના (3 in 1) આઠ હપ્તા પૂરા થાય છે. ધન્યવાદ.– વલીભાઈ મુસા)

* * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

Tags: , , , , , , , , , , , ,

(૫૦૯) “એકાકી કારાવાસ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૭) -વલીભાઈ મુસા

એકાકી કારાવાસ

(ભાવાનુવાદ)

મુજ મહદંશ સૂધબૂધથી વંચિત
એવા મેં વીતાવ્યું મુજ સમગ્ર અસ્તિત્વ સાવ એકલવાયું
ઘોર તિમિરભર્યા ગર્ભકોચલા મહીં.

હળવા ને વળી લયબદ્ધ મારા ખુદના જ શ્વાસોચ્છ્વાસ તણી
મોજૂદગી અનુભવી અને સાવ ઝાંખુંઝાંખુ ને અસ્પષ્ટ ધૂંધળું
જોવા માંડ્યું હું પહેલવહેલું ગર્ભ મહીં ધીમે ધીમે.

અને પછી તો એકદા સાવ અચાનક સરી પડ્યું હું
ગર્ભ માંહેથી બાહિર અને અંજાઈ ગયું બાહ્ય ઝળહળતા તીવ્રતમ પ્રકાશ થકી
અને ડઘાયું હું વિવિધ કર્કશ અવાજો સુણી
ને વળી ઝીણી નજરે મુજને અવલોકતાં સૌ જન થકી.

શમનકારી શાંતિ છવાઈ ગઈ મુજ પરે તુર્ત જ,
ક્યમ કે જાણ્યું મેં કે નવ માસ તણા એકાકી કારાવાસ પછી
ઝૂલી રહ્યો છું હું તો મુજ જનની તણા સલામત અને માવજતભર્યા બાહુઓ મહીં.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Solitary Confinement

Deprived of most of my senses,
I spent my entire existence alone,
in complete darkness in that cell.

I felt gentle rhythmic presence
of my own breathe and blurry and fuzzy
at first, gradually I began to see.
Then one day, quite unexpectedly, as I was ushered
out of the cell, I was blinded by the sharp stinging lights,
a cacophony of noises and probing eyes.

Soon a soothing calm came over me. I knew –
after 9 months of solitary confinement –
I was in the comforting caring arms of my mother.

– Vijay Joshi

* * * * *

સંક્ષેપ :

આ કાવ્ય માનવમાદાના ગર્ભમાંના ભૃણ, તેનો વિકાસ અને છેલ્લે માનવબાળ તરીકેના તેના જન્મની સમગ્ર પ્રક્રિયાને ઉજાગર કરે છે. ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ની ઉક્તિ અનુસાર કવિએ આત્મકથાનક રૂપે ગર્ભસ્થ શિશુના મુખે કથની મૂકીને ઉમદા કવિકર્મ પાર પાડ્યું છે. માનવમાદાના ગર્ભને કારાવાસનું રૂપક આપીને તેમાં વિકસતા ભૃણને કેદી તરીકે ઓળખાવ્યું છે. નવ માસની જાણે કે સજા પામ્યું હોય એવું એ ભૃણ અંધકારભરી કાળકોટડીમાં એકલવાયું જીવન વિતાવે છે. ગર્ભાધાન પછીનાં કેટલાંક અઠવાડિયાં પછી જ્યારે એ ભૃણમાં જીવસંચાર થાય છે ત્યારથી માંડીને તેના જન્મ સુધીના એ સમયગાળા દરમિયાન તેણે વેઠેલી યાતનાઓ હિંદુ મત પ્રમાણે કર્મફળ હોવાની કવિની ધારણા છે. છેવટે પરિપક્વ સમયે એ ભૃણ પૂર્ણ વિકસિત બનીને શિશુ રૂપે જન્મ ધારણ કરે છે. નવજાત શિશુ જન્મ્યા પછી ક્ષણભર શાંત પડી રહે છે એ બાબત વિષેની કવિની ભવ્યતમ કલ્પના વાચક માટે હૃદયસ્પર્શી બની રહે છે. નવ માસના કારાવાસ પછી મુક્તિનો શ્વાસ લેતા એ શિશુને માતાના સલામત અને માવજતભર્યા હાથોમાં ઝૂલતું બતાવીને કવિ કાવ્યનું સમાપન કરે છે.

-વલીભાઈ મુસા (સંક્ષેપકાર)

* * * * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

Tags: , ,