RSS

Category Archives: આધ્યાત્મિકતા

(563) સ્વસ્થતા (WELLBEING)

[મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા: ‘Thank you very much for supporting my views on Yoga.’  ત્યાર પછી તેમના બ્લોગ ઉપર તેમનો ‘યોગ’ વિષેનો તેમના જાતનુભવ ઉપર આધારિત ઉપરોક્ત લેખ મારા વાંચવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવા અને મારા બ્લોગ ઉપર મૂકવા માટે તેમણે ઉદાર સંમતિ આ શબ્દોમાં આપી છે : Please feel free to translate my article – you’ll be doing me a great service and honor.

આશા રાખું છું કે ‘યોગ’ ઉપરનો ભાવાનુવાદિત આ લેખ સૌ વાચકો અને ખાસ કરીને મુસ્લીમોને માત્ર  ગમશે જ નહિ, પરંતુ અનુકરણીય પણ બની રહેશે. મુસ્લીમો યોગ અને ધ્યાન કરતા થશે; તો આ એકદમ શુદ્ધ, વૈજ્ઞાનિક અને આખા જગતમાં બહુ જ ઝડપથી પ્રચલિત થઈ રહેલી પ્રક્રિયાનો લાભ મેળવતા થઈ શકશે. ધ્યાન વખતે નમસ્કાર કરવાનું કંઈ જરૂરી નથી. ધ્યાનની આ મુદ્રા સાવ ધર્મનિરપેક્ષ છે. 

(courtesy – Internet & Mr. Suresh Jani, USA)

Open and upwards  palm is  the best, as our fingers are at the end of nervous system. Through them cosmic energy can enter the nervous system in maximum amount.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)] 

 * * *

સ્વસ્થતા (WELLBEING)

એક મુસ્લીમ તરીકે ‘યોગ’ મને મદદરૂપ થાય છે. (YOGA HELPS ME AS A MUSLIM)

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મારું મન અને મારું શરીર સતત કાર્યશીલ રહે છે, કેમ કે તેના અટકાવ માટે કોઈ ઓફ બટન છે જ નહિ. માનસિક રાહત કે શાંતિ માટે મને વિચાર આવે છે કે હું કંઈક એવી પ્રવૃત્તિમાં લાગી જાઉં કે જેનાથી મારી બુદ્ધિમત્તા કે શરીર કે પછી એ બંને રસતરબોળ બની જાય.

મારી આ અપેક્ષા મને યોગક્રિયામાં સિદ્ધ થતી લાગે છે. યૌગિક વિવિધ પ્રક્રિયાઓ થકી મારી સર્વગ્રાહી તંદુરસ્તી, આંતરિક અને બાહ્ય શારીરિક સુયોગ્યતા ઉપરાંત માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક કલ્યાણ અંગેની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. 

શરીર

યોગથી થતા શારીરિક ફાયદાઓ અગણ્ય છે. મારા વ્હાલા વાચકો, એ ફાયદાઓને જાત અનુભવ કર્યા વગર નહિ સમજી શકાય. મારા અનુભવે એ ફાયદાઓ છે : માનસિક અને શારીરિક સ્વસ્થતા, શરીરના અવયવોની સંવાહનતા, શરીરની આંતરિક પ્રક્રિયામાં સુધારો, ચયાપચય (પાચનક્રિયા)માં વધારો, પીઠના મણકાઓની સુગ્રથિતતા, શરીરના સ્નાયુઓની મજબૂતી અને ઇંદ્રિયોની દૃઢતા, વજન ઘટવું, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્ફૂર્તિ તથા ચપળતામાં વધારો થવો.     

યોગમાં જરૂરી હોય છે, નાક દ્વારા શ્વાસ લેવો અને છોડવો અને આ ક્રિયા તંદુરસ્ત મન અને તનને જાળવવા માટે અતિ આવશ્યક છે. 

નાક દ્વારા શ્વાસ લેવાનો મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સરળ અને અગત્યના મહાવરાથી ફેફસાં વૃદ્ધિ પામે છે અને આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પ્રસરે છે અને તેથી કીટાણુજન્ય વિષ નાશ પામે છે અને આવા તો ઘણા બધા ફાયદા થાય છે. 

યોગથી હું સાચી રીતે શ્વાસ લેવાનો આનંદ લઈ શકી અને તેનાથી તેનું મૂલ્ય સમજાયું. વળી એટલું જ નહિ, મને મારા શરીર અને તેની અદ્ભુતતા પરત્વે પ્રેમ ઉભરાયો અને તેના પરત્વે મારો સન્માનીય દૃષ્ટિકોણ વિકાસ પામ્યો.   

યોગ એ જીવનપદ્ધતિ છે અને તે સમગ્ર જીવન દરમિયાનની એવી સફર છે કે જેમાં નવું જાણવાનું મળવા ઉપરાંત અલ્લાહ દ્વારા અપાયેલા આ શરીર, ચિત્ત અને આત્મા સાથેનું અનુસંધાન સધાય છે.     

ચિત્ત અને આત્મા

ઇચ્છાશક્તિ, ધીરજ, એકાગ્રતા, પ્રતિબદ્ધતા અને સમતુલા એ આસન પ્રયોગનાં ચાવીરૂપ તત્ત્વો છે, જે મને માનસિક અંધાધૂંધીમાંથી બહાર લાવે છે; મારી રોજિંદી કાર્યશૈલીને ચેતનવંતી બનાવે છે અને મારી દિશાશૂન્યતાને અટકાવી દે છે.    

હું જ્યારે કોઈ આસનને લાંબા સમય સુધી જાળવી રાખું છું, ત્યારે અલ્લાહના નામનો જાપ જપવામાં મારી જીભમાં એક પ્રકારની મીઠાશનો અનુભવ કરું છું. મેં નોંધ્યું છે કે આમ આસન દ્વારા મને એવી ઊર્જા પ્રાપ્ત થાય છે કે જે થકી હું મારા આસનકાળને લંબાવી શકું છું અને તેનાથી મારા શરીરમાં શક્તિનો સંચાર થાય છે; વળી એટલું જ નહિ, પણ મારી અલ્લાહ પરત્વેની મારી આસ્થામાં ઈજાફો થાય છે.   

મારી અન્ય આસનોની પ્રક્રિયાના અંતે હું જ્યારે સુખાસન અવસ્થામાં બેઠેલી હોઉં કે પછી શવાસન અવસ્થામાં સુતેલી હોઉં ત્યારે એક પ્રકારની વિશ્રામની અનુભૂતિ સાથે હું ધ્યાન ધરતી હોઉં છું. હું મારી આંખોને બંધ કરીને મારી શ્વાસોચ્છવાસની ક્રિયાને ધીમી પાડું છું, જેનાથી મારા હૃદયના ધબકારાઓને અનુભવી શકું છું, શાંતિને ધારણ કરી શકું છું અને માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકું છું. આ બધું મારી શ્વાસોચ્છવાસની ક્રિયા સાથેના મારા અલ્લાહના જિક્ર (સ્તવન) દરમિયાન અનુભવી શકું છું.         

મને નથી લાગતું કે યોગ સિવાયનો બીજો કોઈ ઉત્તમ માર્ગ હોય કે જેના થકી આપણે ક્ષણભંગુર એવાં વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ અનુભવી શકીએ અને પોતાની જાતને તનાવમુક્ત કરી શકીએ. યોગની આ પ્રક્રિયા દરમિયાન મારા શરીર અને ચિત્તને કેન્દ્રિત કરીને હું અલ્લાહ આગળ મારા હૃદયને ખોલી શકું છું.      

ઉપચારાત્મક જીવનરાહ

શરીઆ એ મારો જીવનરાહ છે અને તેની સાથે સાથે જો હું મારી જાતની પણ કાળજી રાખું તો તે મને અલ્લાહની નજદીકી તરફ અવશ્ય લઈ જઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગ એટલે પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.)નો માર્ગ. 

મારા અંતરાત્માના દૃષ્ટિબિંદુ પ્રમાણે મારી સંપૂર્ણ સ્વસ્થતા એ યોગને આભારી છે. હું મારી બૌદ્ધિક અને શારીરિક સ્વસ્થતા અને સુયોગ્યતા માટે જાગૃત છું અને હું જાણું છું કે તન અને મનને કેળવવામાં આવશે, તો તેનું પરિણામ બહાર દેખાઈ જ આવશે.    

આ માટે મેં મારી જાત સાથે વાયદો કર્યો છે કે હું ગમે તે રીતે સમય કાઢીને પણ વ્યાયામ કરીશ અને યોગને પ્રાથમિકતા આપીશ; કેમ કે તે જ મારા ચિત્ત અને શરીરને જોડશે અને તેનાથી જ મારામાંની નકારાત્મકતા દૂર થઈને મારું મન શુદ્ધ થશે.   

આમ હું એવી જિંદગી જીવવા માટે શક્તિમાન બની છું કે જેનાથી મારી સંપૂર્ણ તંદુરસ્તી સાથે હું અલ્લાહની સક્ષમતાપૂર્વક ઈબાદત કરી શકું છું અને મારી જાતને મુસ્લીમ તરીકે ઉમદા બનાવવાની દિશામાં આગળ વધી રહી છું જેનો ફાયદો મને થયો છે અને અન્યોને પણ થઈ શકે છે.    

* * *

આપણે આપણા જીવનમાં આપણાં લક્ષ્યોનાં પ્રમાણપત્રો, ઉપાધિઓ (Degrees) અને નાણાં કમાવા માટે સમય કાઢી શકીએ છીએ. આપણે  નેટવર્ક, સોશિયલ મિડિયા અને એવાં માધ્યમોમાં કાર્યરત રહીએ છીએ; તો પછી આપણે આપણો સમય આપણા જ હિત માટેની આ યોગક્રિયા માટે પણ ફાળવવો જોઈએ અને આ નિર્ણાયક ક્રિયા બીજા કોઈએ નહિ, પણ આપણે જ આપણી અને અલ્લાહની ખુશી માટે કરવી જ રહી. 

આપણે આપણા માટેની જ આ જવાબદારી ઉઠાવવી પડશે અને આજની વ્યસ્તતાપૂર્ણ દુનિયાદારીના બહાના હેઠળ આ જવાબદારીમાંથી આપણે છટકી નહિ શકીએ. 

આપણા પ્રિય એવા હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘…તમારા શરીરનો તમારા ઉપર એક અધિકાર છે..’

નોંધ :-

મારા એવા વાચકો માટેના મારા ઉપરોક્ત લેખમાંના ચાર મહત્ત્વના મુદ્દાઓને મારે સ્પષ્ટ કરવા જોઈશે કે જેઓ અને એમાંય ખાસ તો મુસ્લીમો એમ માનતા હોય કે યોગ એ તેમની માની લીધેલી ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી  અને આધ્યાત્મવિદ્યા માટેની મહત્ત્વની આ યોગક્રિયાને તેઓ અપનાવવા ન ઇચ્છતા હોય!      

નીચેની ચાર સામાન્ય યૌગિક ક્રિયાઓ કે જે ઈસ્લામિક માન્યતા સામે  દેખીતી રીતે જ વિરોધાભાસી લાગતી હોય તો તેને અવગણી શકાય.  

(૧) નમસ્કાર મુદ્રા અને નમન;

(૨) એવી કોઈ મુદ્રા કે જેમાં હાથ જોડવાના હોય કે હિંદુ અથવા બુદ્ધ ધર્મના કોઈ મંત્રોનું રટણ કરવામાં આવતું હોય;

(૩) નમસ્કાર કે નમસ્તે જેવા સંસ્કૃત કે સમાનાર્થી અંગ્રેજી શબ્દો હોય;

(૪) યૌગિક ક્રિયામાં ત્રીજી આંખ જાગૃત કરવાની માન્યતા કે જેનું કાર્ય માનવસ્વભાવમાં ભલે મહત્ત્વનું હોય, પણ તે માટે આભારદર્શન કરવું જરૂરી નથી, કેમ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ નથી.       

છેલ્લે,

જો તમે ઈટાલિયન ખોરાક ખાઓ છે, તો શું તમે ઈટાલિયન બની જાઓ છો? ધ્યાન અને યોગ એ છે કે જે તમારા માટે લાભદાયક છે. તમે જે કોઈ ખ્યાલ બાંધો છો કે ધ્યાન ધરો છો તે તમારી જાત માટે અનુરૂપ છે. આસનો કે તટસ્થ સ્થિતિઓ કાલાતીત છે અને તે સિદ્ધ થયેલાં છે. – ડો. પિટર જે. ડી’આદમો. 

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મૂળ લેખ ‘YOGA HELPS ME AS A MUSLIM’ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

      

 

 

Tags: , , , , , , , , , , , , ,

(૪૮૪) “તાત્ત્વિક સ્વગતોક્તિ”- શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૨)

Soliloquy of Essence

 

While descending

into my personal universe

scattered along the way I found

unfinished dreams

faded memories

mistaken identities

broken promises

un-confessed sins

deflated egos.

Continuing my descent

into innermost recesses

of my nascent space,

At last I reached

the end of all multiplicities

dawn of my singularity.

There I heard hum

of my existence

very essence of

my being.

-Vijay Joshi

 

* * * * *

 

તાત્ત્વિક સ્વગતોક્તિ (ભાવાનુવાદ)   

(અછાંદસ)

 

નિજિ દુનિયામાં

જ્યારે હું અવરોહણ કરું છું,

ત્યારે મુજ માર્ગે જોવા પામું હું,

વેરાયેલાં અત્ર, તત્ર સર્વત્ર

કંઈ કેટલાંય સપનાં અધૂરાં,

ધૂંધળી વળી યાદદાસ્તો

ને ભૂલભરી પહેચાનો,

તોડેલાં વચનો

ને વણકબૂલ્યાં પાપો

અને વળી જામી ગયેલો અહમ્ પણ ખરો !

હજુય મારું અવરોહણ ધપે ભીતરે

આવિર્ભાવ પામતા અવકાશ મહીં

ઊંડેરી આંતરિક વિશ્રાંતિ ભણી.

છેવટે હું પહોંચ્યો

બહુવિધતાઓનીય પેલે પાર

મુજ એકલતાના નૈકટ્યે.

અહો ! ત્યાં તો ગુંજન શ્રવ્યું મેં –

મુજ અસ્તિત્વનું,

મુજ હોવાપણાના તત્ત્વનું !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

સંક્ષેપ :

આ એક સ્વગતોક્તિ છે કે જ્યાં માણસ પોતે જ પોતાના વિચારોને મોટેથી પોતાને જ ઉદ્દેશીને બોલી સંભળાવતો હોય છે.

આ એક અંતરયાત્રા છે, આત્મનિરીક્ષણ છે, નવજીવન છે.  અહીં પોતાની જાતને, પોતાના આત્માને, પોતાના ચૈતન્યને, પોતાનામાં રહેલા નિર્દોષ શૈશવને કે જે આપણા સૌમાં વસે છે તેની શોધ આદરીને તેને પામવાનો પ્રયત્ન છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા આત્મતત્ત્વને જાગૃત કરવાનું છે, આપણા ચૈતન્યને દેદીપ્યમાન બનાવવાનું છે.

આપણી આ આંતરિક શોધ થકી આપણી ભૂતકાલીન એવી કેટલીય બાબતો કે જે ભુલાઈ ગઈ હોય, અણદેખી થઈ  હોય કે અવગણાઈ હોય એ સઘળી પુન: પ્રત્યક્ષ થઈ જતી હોય છે. આ શોધ થકી વીતી ગયેલી જીવનપળોની યાદદાસ્ત તાજી થતી હોય છે, અહંનો ક્ષય થતો હોય છે, ખોટું સાચામાં પરિણમતું હોય છે, વગેરે…વગેરે.

જાતમાં ઊંડા ઊતરવાની આ સફર ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે કે જ્યાં સુધી આપણે એ તત્ત્વના હાર્દ સુધી પહોંચીએ, એને જાણી લઈએ અને એનું પ્રગટીકરણ કરી લઈએ. આ કક્ષાએ પહોંચ્યા પછી માનવી પરમ શાંતિનો અનુભવ કરી શકે છે.

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

# # # # #

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

* * * * *

 

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

 

 

Tags: , , , , ,

(૩૯૪) વેગુ ઉપરના વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના “સમય-૨ : સમય શું છે ?” લેખ ઉપરનો મારો પ્રતિભાવ

“જીવન કે જીવ નાશ પામે છે પણ શરીરના પરમાણુઓ નાશ નથી પામતા. મ્રુત શરીરની રાખમાથી બધું પાછુ મળી શકે સિવાય કે એવા પરમાણુઓ જે બાશ્પશીલ હોય અને ઊડી ગયા હોય.”

બાઈબલ અને કુરઆનમાં ન્યાય (કયામત)ના દિવસે સઘળા જીવોની પુનર્જીવિત થવાની વાતને આ વિધાનથી સમર્થન મળે છે. જો કે આ બધો જે તે ધર્મોમાંની શ્રદ્ધાનો વિષય છે અને તેનું સામાન્યીકરણ થઈ શકે નહિ, થવું જોઈએ પણ નહિ. ઈશ્વરને સર્વશક્તિમાન અને સર્જનહાર તરીકે સ્વીકારવામાં આવતો હોય તો તેના માટે બધું જ શક્ય છે. આદમ કે મનુને પ્રથમ માનવ માનવામાં આવતા હોય તો તેમનાં માતાપિતા હોવા વિષેની વાત ઉપર આપણે અટકી જવું પડે અથવા માનવું પડે કે તેઓ વગર માતાપિતાએ ઈશ્વરેચ્છાએ અસ્તિત્વમાં આવ્યા. આમ વગર માતાપિતાએ તેઓ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવ્યા ગણાય. આપ પ્રજોત્પત્તિનો એક પ્રકાર બન્યો કહેવાય. બીજા પ્રકારમાં ઈસુ ખ્રિસ્ત અને કર્ણને લઈ શકાય કે જેઓ માત્ર માતા થકી અસ્તિત્વમાં આવ્યા. ત્રીજા પ્રકારમાં બહુમતીમાં એવા બાકીના સઘળા એ જીવો આવે કે જેમની ઉત્પત્તિ નરમાદાની રતિક્રિડા થકી થઈ.

આ સઘળી વાતનું તાત્પર્ય એ છે કે માનવીના મૃતદેહને બાળવામાં આવે, દાટવામાં આવે, જલસમાધિ આપવામાં આવે કે કોઈપણ રીતે દેહનું વિસર્જન કરવામાં આવે તો પણ તે સર્વથા નાશ પામે નહિ. (સોકેટીસે તેમના આખરી સમયે શિષ્યો દ્વારા તેમની અંતિમક્રિયા કેવી રીતે કરવામાં આવે તેના જવાબમાં તેમણે પણ આ મતલબનું જણાવ્યું હતું.) એવું પણ બને કે નવીન દેહ માટી (ખાક) કે પંચમહાભુતમાં પુન: સર્જાવાના બદલે જ્યોતિ (નૂર) ના બાંધામાં બંધાય અને તેમાં બિનનાશવંત એવા આત્મા (રૂહ)ને ફૂંકવામાં આવે. મૃત્યુ પછી પાપ અને પુણ્યનાં લેખાંજોખાં થયા પછી સ્વર્ગ કે નર્કમાં સુખ કે સજા ભોગવવા માટે એ જીવો સદેહી હોવા તો જોઈએ ને !

વેગુમિત્રો, મારા પ્રતિભાવમાં વિજ્ઞાનના વિષયનું વિષયાંતર થવા બદલ ખેદ અનુભવું છું. આ તો જીવનભરનાના વાંચનના પરિણામે જેમજેમ વિચારો આવતા ગયા તેમ લખાતું ગયું. અહીં મારો ‘આવો કે તેવો’ કોઈ મત હોવાની કોઈ ગેરસમજ ન થવી જોઈએ. વળી મારા આ પ્રતિભાવના સમર્થન કે ખંડનની પણ મારી કોઈ અપેક્ષા નથી, કેમ કે મારું તારણ એવું કોઈ અંતિમ પણ નથી. “Say not, ‘I have found the truth’; but rather, ‘I have found a truth’.”(Khalil Gibran). (અહીં અંગ્રેજી આર્ટિકલ a અને the ધ્યાને લેવાવા જોઈએ.)

– વલીભાઈ મુસા

નોંધ :- વિદ્વાન શ્રી મુરજીભાઈ ગડાના વેગુ ઉપરના લેખ : “સમય – ૨ : સમય શું છે ?” ને વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો. 

 

Tags: , ,

(339) Best of 5 years ago this month/Aug-2007) (4)

(339) Best of 5 years ago this month/Aug-2007) (4)

Click on …

As if Mr. Jeff is alive!

Soul – A Brief Study

Soul – Its nourishment

 

Tags: , ,

(298) સુકર્મોનો સથવારો (સોનેટ)

(298) સુકર્મોનો સથવારો (સોનેટ)

(અછાંદસ)

નવોઢાતણા જીવન મહીં,

પિતૃગૃહેથી સાસરિયે સ્થળાંતર થાયે અચાનક,

અને હવામાનપલટાસમ, બદલાઈ જાય સઘળું,

અને એ બિચારી માનસિક સંઘર્ષ કરે એ અનુકૂલન કાજે! (1)


સુખમય જીવન જીવતો કો’ ગૃહસ્થ,

માનવસર્જિત આફતે ઘેરાય અને જાય કારાવાસે,

આસપાસનો માનવસહવાસ સાવ બદલાઈ જાતાં,

એ બિચારો અકથ્ય અકળામણ અનુભવે ત્યાં ટેવાવા કાજે! (2)


કિલ્લોલ કરતું શેરીમિત્રો સંગ રમતું,

ગભરુ કો’ શિશુ પાઠશાળાએ થતું બંદીવાન,

પ્રથમ દિન એ કપરી મનોવ્યથાએ ગાળે અને મુંઝાયે,

આમ એ બિચારું ચકળવકળ નયને કો’ મૈત્રી ચહે હૂંફ કાજે! (3)


જ્યારે મૃત્યુશય્યાએથી વિદેહી ‘હું’ છૂટો પડશે મુજ સદેહી ‘હું’ થકીથી ત્યારે એ પણ,

ચહશે સુકર્મોનો સથવારો. હંગામી ગૃહ તજી, જતાં અનંત ગૃહ ભણી, શાશ્વત હૂંફ કાજે!.(4)


-વલીભાઈ મુસા