RSS

Category Archives: વિવેચન

(383) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: ‘રાણીની હરીફ’ (The Queen’s Rival) – સરોજિની નાયડુ (અંગ્રેજી કાવ્ય)

ઉપોદ્‍ઘાત :

ઘણા લાંબા સમય પછી હું એક અંગ્રેજી કાવ્ય ‘રાણીની હરીફ’નું રસવિવરણ રજૂ કરું છું. કાવ્યનાં સર્જક સરોજિની નાયડુ છે. તેઓ પોતાના સમયનાં સાહિત્યસર્જનમાં બહુ જ અગ્રિમ સ્થાન શોભાવતાં વિખ્યાત કવયિત્રી હતાં અને જે ‘હિંદુસ્તાનની બુલબુલ’ ના હુલામણા બિરૂદથી પણ ઓળખાતાં હતાં. કાવ્યનું વિષયવસ્તુ‘અરેબીયન નાઈટ્સ’ માંની વાર્તા ઉપર આધારિત છે. આ પુસ્તકના મૂળ લેખક કોણ છે તેની કોઈને ખબર નથી, પણ વિશ્વની ઘણી ભાષાઓમાં તેના અનુવાદો થઈ ચૂક્યા છે. રોબર્ટ લુઈસ સ્ટીવન્સને  (Robert Louis Stevenson) ‘ન્યુ અરેબીયન નાઈટ્સ’ શીર્ષકે અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ જ શીર્ષકવાળું એક અન્ય પુસ્તક એન્ડ્ર્યુ લેગે (Andrew Lang) પણ લખ્યું છે. આ પુસ્તક ગુજરાતીમાં‘અરબસ્તાનની વાતો’  શીર્ષકે ઉપલબ્ધ છે. સદીઓથી ‘અરેબીયન નાઈટ્સ’ની અસંખ્ય આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

મૂળ અંગ્રેજીમાં લખાએલું ત્રણ ભાગમાંનું આ કાવ્ય અને તેનો ગુજરાતી અનુવાદ નીચે આપ્યો છે. આ કાવ્ય સરોજિની નાયડુના ૧૯૦૫માં પ્રકાશિત થએલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘The Golden Threshold’ (સોનાનો ઉંબરો)માંથી લીધું છે.

“The Queen’s Rival”

I

QUEEN GULNAAR sat on her ivory bed,
Around her countless treasures were spread;
Her chamber walls were richly inlaid
With agate, porphyry, onyx and jade;

The tissues that veiled her delicate breast,
Glowed with the hues of a lapwing’s crest;
But still she gazed in her mirror and sighed
“O King, my heart is unsatisfied.”

King Feroz bent from his ebony seat:
“Is thy least desire unfulfilled, O Sweet?
“Let thy mouth speak and my life be spent
To clear the sky of thy discontent.”

“I tire of my beauty, I tire of this
Empty splendour and shadow-less bliss;
“With none to envy and none gainsay,
No savour or salt hath my dream or day.

” Queen Gulnaar sighed like a murmuring rose:
“Give me a rival, O King Feroz.”

                         II

King Feroz spoke to his Chief Vizier:
“Lo! ere to-morrow’s dawn be here,
“Send forth my messengers over the sea,
To seek seven beautiful brides for me;

“Radiant of feature and regal of mien,
Seven handmaids meet for the Persian Queen.”
Seven new moon tides at the Vesper call,
King Feroz led to Queen Gulnaar’s hall

A young queen eyed like the morning star:
“I bring thee a rival, O Queen Gulnaar.”
But still she gazed in her mirror and sighed:
“O King, my heart is unsatisfied.”

Seven queens shone round her ivory bed,
Like seven soft gems on a silken thread,
Like seven fair lamps in a royal tower,
Like seven bright petals of Beauty’s flower

Queen Gulnaar sighed like a murmuring rose
“Where is my rival, O King Feroz?”

                          III

When spring winds wakened the mountain floods,
And kindled the flame of the tulip buds,
When bees grew loud and the days grew long,
And the peach groves thrilled to the oriole’s song,

Queen Gulnaar sat on her ivory bed,
Decking with jewels her exquisite head;
And still she gazed in her mirror and sighed:
“O King, my heart is unsatisfied.”

Queen Gulnsar’s daughter two spring times old,
In blue robes bordered with tassels of gold,
Ran to her knee like a wildwood fay,
And plucked from her hand the mirror away.

Quickly she set on her own light curls
Her mother’s fillet with fringes of pearls;
Quickly she turned with a child’s caprice
And pressed on the mirror a swift, glad kiss.

Queen Gulnaar laughed like a tremulous rose:
“Here is my rival, O King Feroz.”

-Sarojini Naidu

            રાણીની હરીફ

I

બેગમ ગુલનાર એના હાથીદાંતના પલંગ પર બિરાજમાન છે,
તેની આસપાસ વેરાયેલાં પડ્યાં છે અમૂલ્ય અસંખ્ય રત્નો;
અકીક, માણેક, ગોમેદ અને હરિત રત્નો થકી
જડેલ હતી શયનકક્ષની દિવાલો;

તેનાં વક્ષસ્થળને આવરતું જાળીદાર વસ્ત્ર,,
ટીંટોડીની કલગીતણી રંગછટાશું ઝગમગતું,
છતાંય, આયનાની સામે નજર કરી તેણી નિસાસો નાખી વદતી,
“ઓહ જહાંપનાહ, મારું દિલ બેકરાર છે !”

જહાંપનાહ ફીરોઝ ઝૂક્યા તેમના અબનૂસના સિંહાસન પરથી:
“મીઠડી, તારી નાનીશી ખ્વાહીશ પણકોઈ અધૂરી છે ?
તો હુકમ કર અને મારી જાન હાઝિર છે,
તારા અસંતોષના ધૂંધળા આસમાનને સ્પષ્ટ કરવા !”

“મારા સૌંદર્યથી હું કંટાળી ગઈ છું અને,
જૂઠી જાહોજલાલી અને છાયાહીન સ્વર્ગીય સુખથી પણ;
ન કોઇ અદેખાઈથી જલવાવાળું, ન કોઈ પડકારનો હુંકાર,
ખ્વાબોમાં કે જાગૃતિમાં ન તો મીઠાશ કે ખારાશ !”

ગણગણતા ગુલાબની જેમ, બેગમ ગુલનારે નિઃસાસો નાંખ્યો:
“હે મારા બાદશાહ ફીરોઝ, મને લાવી આપો મારી હરીફ.”

                               II

જહાંપનાહ ફીરોઝે મુખ્ય વજીરને કર્યું ફરમાન,
“સુણો, કાલની પરોઢ થતાં પહેલાં,
આપણા કાસદોને સાત સમંદર પાર મોકલો,
મારા સારુ સાત સુંદર કન્યા શોધી કરો હાજર.”

દીપ્તિમાન મુખાકૃતિ, અને શાહી સંસ્કારો ધરાવતી,
પર્શિયાની બેગમની તહેનાતમાં સાત સુંદરીઓ,
સંધ્યા સમયે એકમના ચાંદની ભરતી સમી સાત
સુંદરીઓને બાદશાહે બેગમને નજરાણે ધરી.

શુક્રના તારાસમ દેખાતી એવી સુંદરી બતાવતાં બાદશાહ વદે,
“બેગમ ગુલનાર, તારા સારુ લાવ્યો છું તારી આ હરીફ.”
પણ, તેણી તો આયના સામે મીટ માંડી નિસાસાસહ વદે:
“મારા બાદશાહ, હૃદયે મારે હજુય અસંતોષ છે !”

હાથીદાંતના પલંગ ફરતે  સાત રાણીઓ ઝગમગે,,
જાણે રેશમની દોર પર પરોવેલાં સાત નમણાં રત્નો,
જાણે શાહી મિનાર પર ટમકતા સાત દીવડા,
જાણે સુંદરતમ ફૂલની સાત ચમક્તી પાંખડીઓ !

બેગમ ગુલનાર તો કણસતા ગુલાબની જેમ હજુય નિ:શ્વસે છે,
“મારા બાદશાહ ફીરોઝ,  ક્યાં છે મારી હરીફ ?”

                           III

વસંતના વાયરાએ જ્યારે પહાડોમાં ઝરણાંનાં પૂર જગવ્યાં,
ટ્યૂલીપની કળીઓના અંકુરને પ્રજ્વલિત કરી દીધા,
મધમાખીઓનું ગુંજન ગુંજી ઊઠ્યું અને દિવસ જ્યારે લંબાયો,,
વળી ઑરિયલ પક્ષીનાં ગીતોથી જ્યારે પીચફળછેદ કંપી ઊઠ્યા;

ત્યારે બેગમ ગુલનાર તેના હાથીદાંતના પલંગ પર બેઠી,
તેનાં મનોહર મસ્તિષ્કને  ઘરેણાથી સજાવે છે;
મીટ તેની મંડાઈ છે આયના પર અને,હોઠ પર છે નિઃશ્વાસ :
“મારા બાદશાહ સલામત, દિલ હજુય છે મારું અસંતુષ્ટ !”

સોનેરી ફૂમતાંથી ભરેલ વાદળી જામામાં શોભતી,
ગુલનાર બેગમની બે વર્ષની કળીશી બાળકી,
વનની નટખટ પરીશી દોડતી જઇ ચડે તેણીની ગોદમાં,
ઝૂંટવી લે આયનો નિજ માતાના કર મહીંથી.

અમ્મીજાનની મોતીઓ ભરી કેશગુંફન સેરને
પોતાનાં નાજુક ઝુલ્ફમાં લગાવી ત્વરિત,
બાળસહજ મિજાજે ચક્કર ચક્કર  ફરતી,
અધીર ખુશખુશાલ ચુમી જડે આયનાને,

ઝૂમતા ગુલાબસમ બેગમ ગુલનાર હસી પડી,
‘ઓ બાદશાહ ફીરોઝ, જૂઓ જૂઓ, આ જ છે મારી હરીફ !’

– સરોજિની નાયડુ

કાવ્યસાર :

ફીરોઝ પર્શિયાનો બાદશાહ છે. તેની જિંદગી ઝાકમઝાળ છે. ગુલનાર તેની બેગમ છે. પરંતુ બેગમ દિલથી ખુશ નથી. તેણી બેનમૂન છે, નખશિખ સુંદર પણ છે; પરંતુ તેણી કણસતા ગુલાબની જેમ નિ:સાસો નાખતી પોતાની કોઈ હરીફ ઝંખે છે. બાદશાહ સાત અતિ સુંદર કન્યાઓને પરણીને તેમને ગુલનારની બાંદીઓ તરીકે રાખે છે. આ સાત નવી બેગમોને ગુલનારની હરીફો તરીકે લાવવામાં આવી હતી. આમ છતાંય ગુલનાર તો આયનામાં મીટ માંડી રહીને પોતાની હરીફ માટેનો બળાપો વ્યક્ત કરતી જ રહે છે.

થોડાં વર્ષો પછી બેગમ ગુલનાર પુત્રીને જન્મ આપે છે. બે વર્ષની શાહજાદી ગોઠણિયાં ભરતીભરતી બેગમની ગોદમાં ચઢી જાય છે. અમ્મીની કેશગુંફનમાંની સેરને પોતાનાં નાજુક જુલ્ફમાં લગાવતી તેણી માતાની પાસેથી આયનો છીનવી લે છે. ગોળગોળ ફરતી તેણી આયનાને તીવ્ર ચૂમી ભરી દે છે. કુંવરીની આ માસુમ અદા ઉપર વારી જતી બેગમ ગુલનારના ચહેરા ઉપર મંદ પવનની લહેરથી ઝૂમી ઊઠતા ગુલાબ જેવું સ્મિત કરતાં તેણી સાનંદાશ્ચર્ય બોલી ઊઠે છે : “બાદશાહ સલામત, જૂઓ જૂઓ, મને મળી ગઈ મારી હરીફ !”

રસવિવરણ :

જેમ જેમ આપણે આ કાવ્યને વાંચતાં જઇએ છીએ તેમ તેમ સરોજિની નાયડુ આપણી નજરોમાં તેમના સમયનાં એક સ્વાભાવિક, નિપુણ અને જન્મજાત કવયિત્રી તરીકે વધારે ને વધારે આરૂઢ થતાં જાય છે.  તેમણે ગુલનારનો પલંગ, તેનો શયનકક્ષ,તેનું ઝીણું જાળીદાર અંગવસ્ત્ર વગેરેને સરસ એવી આલંકારિક ભાષામાં અલંકારો વર્ણવ્યાં છે. વિવિધ પ્રકારનાં રત્નો માટે ભારે શબ્દો પ્રયોજવામાં આવ્યા હોવા છતાં તે આપણને જરાય કઠતા નથી અને આપણે તેમને વારંવાર વાંચતાં  રહીએ છીએ. તેના વક્ષસ્થળને ઢાંકતાં મલમલને તેમણે બુલબુલની કલગીની ઉપમા આપી છે. આટઆટલી ખુશીઓ અને વૈભવ હોવા છતાં બેગમ તો આયના સામે મીટ માંડીને ઝુરાપો કરતી બબડ્યા જ કરે છે કે “હે મારા બાદશાહ સલામત, હું દિલથી જરાય ખુશ નથી.”

આગળ જતાં બેગમ અને બાદશાહ વચ્ચેના પ્રેમઝરતા ભાવુક સંવાદો પણ આપણને માણવા મળે છે. બાદશાહનો બેગમ પરત્વેનો અનહદ પ્રેમ આ શબ્દોમાં વ્યક્ત થાય છે : ‘મારી મીઠડી, તારી નાનીશી પણ કોઈ ખ્વાહિશ અધૂરી છે ?  તો હૂકમ કર અને તારા અસંતોષના ધૂંધળા આકાશને ચોખ્ખું કરવા હું મારી જિંદગી પણ ન્યોછાવર કરવા તૈયાર છું.’

એ જ રીતે બેગમની તડપનો અહેસાસ થાય છે આ સંવાદમાં કે‘મારા આ સૌંદર્યથી હું કંટાળી ગઈ છું. મને મારી આ જૂઠી જાહોજલાલી અને વિષાદરૂપી છાયાવિહીન સ્વર્ગીય આનંદ જરાય ગમતો નથી. મારી ઇર્ષા કરનાર કે મારું કોઈ પ્રતિસ્પર્ધી ન હોઈ મારાં ખ્વાબો કે જાગૃતિમાં કોઈ મીઠાશ કે ખારાશનો અભાવ મને અકારો લાગે છે. આમ બેગમ ગુલનાર નિરાશ થઇને કહે છે, ‘મારા બાદશાહ, મને મારી કોઈ હરીફ લાવી આપો.”

બાદશાહ તેમના વજીરને સાત સમુંદર ખૂંદી વળીને સ્વરૂપવાન સાત ક્ન્યાઓને હાજર કરવા કાસદોને તાત્કાલિક મોકલવાનો હૂકમ ફરમાવે છે. આમ બાદશાહ દીપ્તિમાન ચહેરા ધરાવતી ગુણિયલ એવી સાત સુંદરીઓને નજરાણા તરીકે બેગમ ગુલનાર સમક્ષ હાજર કરે છે.

ચકાચૌંધ થઈ જવાય તેવી રેશમના તાંતણે પરોવાએલાં સાત રંગનાં રત્નોના હારસમી સૌંદર્યવાન એ સાત રાણીઓ બેગમ ગુલનારની સામે ઊભી રહે છે. બીજા શબ્દોમાં કહેતાં, આ સાત રાણીઓ શાહી મિનારામાં ઝગમગતા સાત દીવડાઓ કે પછી મનોહર ફૂલની આંખે ઊડીને વળગે તેવી પાંખડીઓ સમાન સ્વરૂપવાન હતી. આમ છતાંય  નિસાસા નાખ્યે જતી અને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યે જતી બેગમ ગુલનારે પોતાનું એનું એ જ રટણ ચાલુ જ રાખ્યું કે ‘હે મારા બાદશાહ સલામત, મારી હરીફ ક્યાં છે ?’  આ પશ્ચાદ્‍ભૂમિકામાં  બેગમ ગુલનાર પોતાના હાથીદાંતના પલંગ પર બેસીને પોતના મુલાયમ વાળને અમૂલ્ય રત્નોથી શણગારતી અરીસા સામે જોતી રહીને નિસાસા નાખતી બસ એ જ ફરિયાદ કરતી રહે છે કે ‘મારા બાદશાહ, હું તો હજુ પણ અસંતુષ્ટ જ છું.’

કાવ્યના સમાપન પહેલાં કવયિત્રી એક અતિ નાજુક મનોવૈજ્ઞાનિક મુદ્દો ઉજાગર કરતાં દર્શાવે છે કે કોઈ એક જ વ્યક્તિમાં જો સત્તા,સમૃધ્ધિ કે સૌંદર્ય કેન્દ્રિત થઇ જાય તો લાંબે ગાળે તે સઘળાં અસંતોષની જડ બની રહેતાં હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં કે જીવનની કોઇ પણ બાબતમાં હરીફાઇ એ માનસિક ખુશી અને સંતોષ માટેનું મહત્વનું પરિબળ બની રહે છે. સમયાંતરે એકાધિકાર કાંટાળો પેદા કરતો હોય છે. મનુષ્યમનને હંમેશાં સ્પર્ધાની ઇચ્છા રહ્યા જ કરતી હોય છે. કાર્યદક્ષતા, શ્રીમંતાઈ, શક્તિ, સામર્થ્ય કે સૌંદર્યને કોઇક ને કોઇક પડકારે એવું ઇચ્છવું એ મનુષ્યનો સ્વભાવ છે. પોતાની યોગ્યતા કે  ગુણવત્તાની માત્રા ચકાસાવવાનો દરેકને મોકો મળવો જોઇએ. અહીં, બેગમ ગુલનારને તેના સૌંદર્યનું કોઇ હરીફ ન હોઈ તેણીને નાખુશી રહ્યા કરે છે.  તેણીને પેલી સાત રાણીઓ સાથેની હરીફાઇથી પણ સંતોષ નથી. પરંતુ, કાવ્ય જેવું અંત તરફ આગળ વધે છે, ત્યાં તો તે અણધાર્યો વળાંક લે છે. નસીબજોગે  બીજું કોઇ નહીં, પણ બેગમ ગુલનારને તેની બે વર્ષની પુત્રી જ પોતાના પ્રબળ હરીફ  તરીકે તેણીને મળી રહે છે.

એક દિવસે બેગમ ગુલનારની મુલ્યવાન પોષાક પહેરેલી વનપરી જેવી લાગતી બે વર્ષની રાજકુમારી અચાનક જ  બેગમ ગુલનાર તરફ ધસી જઇને તેના હાથમાંથી આયનો છીનવી લે છે. એક ઝાપટમાં કુંવરી તેની અમ્મીનો ચૂડામણિ પહેરી લે છે અને બાળસહજ ચેષ્ટા થકી આયનાને ચૂમી ભરી દે છે. મંદમંદ લહેરમાં ડોલતા ગુલાબ જેવું હાસ્ય બેગમ ગુલનારના ચહેરા ઉપર તરવરી ઊઠે છે અને તેણી સહસા બોલી ઊઠે છે, ‘બાદશાહ સલામત,જૂઓ જૂઓ, આ જ છે મારી હરીફ !’

સમાપને કહેતાં, બેગમ ગુલનારને પોતાની વ્હાલસોયી કુંવરી જ પોતાની સાચી હરીફ હોવાની પ્રતીતિ થતી હોય છે. છેવટે કાવ્ય નાટ્યાત્મક રૂપે અંત પામે છે અને જીવનની વાસ્ત્વિકતાને એ રીતે સમજાવે છે કે માબાપ પોતાની આસપાસ ગેલ કરતાં અને નિર્દોષ ચેષ્ટાઓ સાથે રમતાં બાળકોને જોઈને હંમેશાં ખુશ રહેતાં હોય છે. કવયિત્રી માતૃત્વ અને બાળઉછેરના મનોવૈજ્ઞાનિક મુદાઓને સોનેટ જેવા લાગતા ત્રિવિભાગીય એવા આ દીર્ઘ કાવ્યમાં સફળતાપૂર્વક અભિવ્યક્ત કરે છે.

– વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008

(vaishnav_ashok@rocketmail.com) બ્લોગ : અશોક વૈષણવના ભાવાનુવાદો

[મૂળ લેખ, અંગેજીમાં “An Exposition of a poem by Sarojini Naidu” શીર્ષક હેઠળ, ૨૧મી ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ – William’s Tales (Bilingual Multi Topic Reads)ઉપર પ્રકાશિત થએલ હતો.]

 


 

Tags: , , , , , , , , , , , , , , ,

(382) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન : ‘ઝેરી વૃક્ષ’ (A Poison Tree) – વિલિયમ બ્લેક (William Blake)નું અંગ્રેજી કાવ્ય

ઈન્ટરનેટ ઉપર શોધ ચલાવતાં મારી નજરે William Blake (વિલિયમ બ્લેક)નું અગ્રેજી કાવ્ય, “A Poison Tree” (ઝેરી વૃક્ષ) ચઢી ગયું.

પહેલાં મૂળ અંગ્રેજી કાવ્ય વાંચીએઃ

A Poison Tree by William Blake

I was angry with my friend;
I told my wrath, my wrath did end.
I was angry with my foe:
I told it not, my wrath did grow.

And I watered it in fears,
Night & morning with my tears:
And I sunned it with smiles,
And with soft deceitful wiles.

And it grew both day and night,
Till it bore an apple bright.
And my foe beheld it shine,
And he knew that it was mine.

And into my garden stole.
When the night had veiled the pole;
In the morning glad I see,
My foe outstretched beneath the tree.

જેના પર અંકુશ મેળવવાથી માનવજીવનના અડધા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બની શકે છે, તેવી મનુષ્યના વર્તનની એક નબળી કડી ક્રોધ એ પ્રસ્તુત કાવ્યનો કેન્દ્રવર્તી વિષય છે. ક્રોધ અને દારૂ એ બન્ને મનુષ્ય પર એક સરખી જ અસર કરે છે. એ બન્નેની અસર હેઠળ માનવીનું ડહાપણ ભૂલાઇ જતું હોય છે.

કોઇક કારણસર કવિ તેમના મિત્ર પર રોષે ભરાય છે. તે પોતાના ક્રોધ પાસે જ ફરિયાદ કરે છે અને  તેની પાસે જ હવે શું કરવું તેની સલાહ માગે છે, પણ નવાઇની વાત એ બને છે કે કવિનો ક્રોધ આપોઆપ શમી જાય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે એ ગુસ્સો પોતાના મિત્ર ઉપર આવ્યો હોય છે; અને એ મિત્ર કોઈ પરાયો  નહિ, પણ પોતીકો જ માણસ હોય છે. આમ ગુસ્સો વધવાના બદલે  તે આપોઆપ શમી જાય છે કારણ કે કવિ અને તેમનો મિત્ર કોઈ ભિન્ન વ્યક્તિઓ નથી, પણ આત્મભાવે જોડાએલા તેઓ બેમાં એક હોય છે.

પરંતુ, આપણું આ કાવ્ય તો  શત્રુ પરત્વેના ક્રોધ વિષેનું છે. કવિનો ગુસ્સો તો પેલા મિત્ર પરત્વે જેવો હતો, તેવો જ શત્રુ પરત્વે પણ છે. આમ ગુસ્સો તો એક જ જેવો હોવા છતાં કવિની સામેનાં વિરોધી પાત્રો ભિન્નભિન્ન છે.  મિત્રના કિસ્સામાં તો  ક્રોધ શમી જાય છે, પરંતુ અહીં સામે પક્ષે શત્રુ હોઈ ક્રોધની માત્રા ઉત્તરોત્તર વધતી જ જાય છે. આમ થવાનું કારણ એ છે કે કવિ કાળજીપૂર્વક પોતાના ક્રોધને પોષણ આપ્યે જ જાય છે અને આમ ક્રોધની વૃદ્ધિ થયા જ કરે છે. કવિ પોતાના ચહેરા ઉપર કૃત્રિમ સ્મિત જાળવી રાખીને છળકપટરૂપી સૂર્યપ્રકાશ પૂરો પાડતા રહીને એ ક્રોધને દિનપ્રતિદિન પાંગરાવતા જાય છે.

હવે આમ ક્રોધનું જતન કરતા રહેવાનું બહુ જ રસપ્રદ પરિણામ આવે છે. સફરજનના વૃક્ષની જેમ જ કવિનો શત્રુ પરત્વેનો ક્રોધ પણ પાંગરતો જાય છે. એ ચળકાટભર્યાં સફરજનને જોઇને શત્રુ પણ મનોમન નક્કી કરી લે છે કે  ફૂલેલફળેલ  એ વૃક્ષ બીજા કોઈનું નહીં, પણ કવિનું પોતાનું જ છે. સંક્ષિપ્તમાં કહેતાં પેલા શત્રુને ખાત્રી થઈ જાય છે કે તે વૃક્ષ કવિની જ માલિકીનું  છે.

હવે નવાઇની ઘટના તો એ બને છે કે એક રાત્રે જ્યાં પેલું ક્રોધરૂપી વૃક્ષ ઊગ્યું હોય છે તે બગીચામાં પેલો શત્રુ આવી ચઢે છે. કવિ તો તેના શત્રુ માટેની દુશ્મનાવટને વધારતા રહેવા દિવસ રાત એક કરી રહ્યા છે, પણ સામા પક્ષે શત્રુ તો સાવ ઉદાસીન જ બની રહે  છે. કવિ પોતાના આશ્ચર્ય વચ્ચે એક સવારે જૂએ છે તો શત્રુ તો એ જ વૃક્ષની નીચે આરામથી સૂઈ ગએલો હોય છે.

કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણે આપણા શત્રુ પર ક્રોધે ભરાઇએ,  એ ક્રોધને વધારવા માટે તેનું  લાડપ્યારથી ખાસ્સું એવું જતન કરતા રહીએ; પરંતુ આપણી ધારણાથી વિરૂધ્ધ સામા પક્ષનો પ્રતિસાદ સાવ મોળો જ પ્રાપ્ત થતો હોય છે. સારાંશરૂપે એમ કહી શકાય કે  ગુસ્સો અભિવ્યક્ત કરનાર પોતાના ગુસ્સાની આગમાં સતત પ્રજળતો જ રહેતો હોય છે, પણ સામેવાળો આપણા ગુસ્સાનો ભોગ બનનાર તો શાંત અને સ્વસ્થ રહીને વિષમ પરિસ્થિતિનો આનંદ લૂંટતો જ રહેતો હોય છે. આમ દુશ્મનાવટભાવે આપણા દ્વારા ઊગાડવામાં આવેલું ઝેરી વૃક્ષ દુશ્મન માટે આશ્રય અને આરામદાયક  શીતળ છાંયડો  આપનારું જ બની રહેતું હોય છે.

આશા રાખું છું કે જો કોઇ વાચકને આ કાવ્યનું અર્થઘટન હું સમજ્યો છું તેના કરતાં ભિન્ન લાગે તો મને માફ કરવામાં આવશે.

– વલીભાઇ મુસા (લેખક)

ભાવાનુવાદક : અશોકભાઈ વૈષ્ણવ

Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષણવના ભાવાનુવાદો

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 1 (A Poison Tree)” શીર્ષક હેઠળ, ૨૭મી ઓક્ટોબર, ૨૦૦૯ ના  રોજ લેખકની વેબસાઇટ – William’s Tales (Bilingual Multi Topic Reads ઉપર પ્રકાશિત થએલ  હતો.

 

Tags: , , , ,

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

(૩૭૬) ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન: વાંસળી વેચનારો – ઉમાશંકર જોશી – ગુજરાતી કાવ્ય

Click here to read in English

મારા મિત્ર શરદ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ – વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય ‘We Are Seven’ (અમે સાત) ઉપર ટિપ્પ્ણી કરી હતી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઇ પણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારું કહેવું હતું કે કોઇ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારું સાહિત્ય થતું જ હોય છે, તેવું સર્વસામાન્ય તારણ કાઢી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્ય અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે તેમાં અનુવાદિત થાય તે  સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે અને તેમ થવું એ સ્વાભાવિક પણ છે.

અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શિર્ષક હેઠળ થયો છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)નાં મૂળ ગુજરાતી કાવ્ય “વાંસળી વેચનારો’નું રસદર્શન કરાવવાનું મેં આજે નક્કી કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ભાષા અને તેના સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થતી હશે , ત્યારે ત્યારે  શ્રી ઉમાશંકર જોશીના નામનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઇ કેટલાંય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.

એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં  બીજું સ્થાન પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું હતું. અજાણ વિષયની ચિઠ્ઠીવાળા પરબીડિયામાં તે દિવસે મારે ભાગે “આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો…’ એ વિષય ઉપર બોલવાનું થયું હતું.

આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઇએ તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઇએ. આમ પહેલાં મૂળ ગુજરાતીમાં અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે એ કાવ્યને અહીં નીચે પ્રસ્તુત કરું છું.

વાંસળી વેચનારો

’ચચ્ચાર આને !

હેલી અમીની વરસાવો કાને !

ચચ્ચાર આને !

હૈયાં રૂંધાયાં વહવો ન શાને !’

મીઠી જબાને લલચાવી હૈયાં,

રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,

શ્રમીણકોને અમથું રિબાવતો,

બરાડતો જોરથી બંસીવાળો.

ઘરાક સાચા સુણવા ના પામે

વેગે જતી ગાડી મહીં લપાઈ જે

બંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.

‘ચચ્ચાર આને !’

ના કોઈ માને

અને ખભે વાંસળી-જૂથ એનું

થયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં !

‘ચચ્ચાર આને!’

લો, ને રમો રાતદી સ્વર્ગ તાને !

‘ચચ્ચાર આને?’

‘દે એક આને !’

‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,

છો ના ખપી ! ઈંધણથી જશે નહીં.

ચચ્ચાર આને ! બસ ચાર આને !!

પાછા વળંતાં, પછી જૂથમાંથી

ખેંચી મજાની બસ એક બંસી,

અષાઢની સાંજની ઝરમરોમાં

સૂરો તણાં રંગધનુ ઉડાવતી,

એણેય છેડી ઉરમાંથી ઝરમરો !.

જીવંત આવી સુણી જાહિરાત, કો

બાર મહીંથી જરી બ્હાર ઝૂકતી

બોલાવતી તાલી સ્વરેથી બાલા.

હવે પરંતુ લયલીન કાન,

ઘરાકનું લેશ રહ્યું ન ભાન !

– ઉમાશંકર જોશી

A Flute Vendor

“Four annas1 a piece!
Have a shower of nectar
deluge your ears!
Four annas a piece!
Why not let
your suffocated hearts gush?”

Cried loudly the flute vendor
enticing with a sweet tongue
the bosoms
of those relishing melody
but with empty pockets,
unfairly tormenting the toilers!

The genuine customers
were bereft of music.
Cozily listening to the flute
of amorous words
were those
speeding in cars.

“Four annas a piece!”
And despite wandering
no one bought
and the burden of the bunch
on his shoulders
diminished not.

“Four annas only!
Buy and revel
day and night
in heavenly melody!”
“Four annas each?”
“Sell for an anna.”

“No sir, no.
Will return to my village
though they remain unsold.
This is no firewood stock.
Four annas each.
Only at four annas a piece.”

Turning back, he picked
a nice one from the bunch of flutes.
In the drizzle of Ashadh2
he too began to spray from his heart
a fount of rainbow notes!

Hearing this live display
a maid from a window peeped
beckoned him with a clap.

Ears immersed in lilt the vendor
remained oblivious of the customer.

– Umashankar Joshi

1. An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
2. The first month of monsoon

કોઇ એક ઘટનાને વર્ણવતું આ મુક્તછંદ – કોઇ પણ માત્રા વિનાનું/ મુક્તપ્રાસ શૈલીમાં લખાયેલું – કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર અને મૌખિક જાહેરાતસમી  ભાષામાં તે પોતાના ખભા ઉપરના વાંસળીજૂથમાંની વાંસળીઓને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તે સફળ થતો નથી, કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઇ મૂલ્ય જ નથી હોતું.  તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંના કોઇક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઇકને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂંક મારો એવી, સામાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઇ જ નથી.  મજૂર જેવા કોઇ સામાન્ય વર્ગના કેટલાંક લોકોને વાંસળીની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ તેને એક આનામાં ખરીદવા માટે રકઝક કરે છે.

આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, “છો ના ખપી! ઈંધણથી જશે નહીં” નો એ અર્થ અભિપ્રેત છે કે  વાંસળીને એક આનામાં વેચવાને બદલે,  ન વેચાએલી વાંસળીઓનો ઈંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની  તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા ઉપરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તે તેના વાંસળીઓના જથ્થામાંથી સરસ મજાની એક વાંસળીને ખેંચીને હોઠે લગાડીને  તેના સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ  આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાને બોલાવવા મથે છે. પરંતુ, હવે વાંસળીવાળો તો પોતાના તાનમાં એવો મશગૂલ છે કે તેના આ સંભવિત ગ્રાહક તરફ  તેનું ધ્યાન જ જતું નથી. તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છ !

આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના  સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન !’

વલીભાઇ મુસા (લેખક)

અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક) : Cell # 9825237008 (vaishnav_ashok@rocketmail.com)

બ્લોગ : અશોક વૈષ્ણવના ભાવાનુવાદો 

[મૂળ લેખ, અંગેજીમાં “Expositions of Chosen Poems – 3 (The Flute Vendor) – A Gujarati Poem” શીર્ષક હેઠળ, ૯મી મે, ૨૦૧૧ના રોજ લેખકની વેબસાઇટ William’s Tales (Bilingual Multi Topic Reads) ઉપર પ્રકાશિત થએલ હતો.]

 

Tags: , , , , , , , , , , ,

(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

સાહિત્યજગતમાંના કદાચ નવતર એવા એક પ્રયોગ રૂપે મારી વિવેચનકૃતિઓના લેખ/નિબંધના ‘સમભાવી મિજાજે’ આ સંગ્રહની અત્રે મારી જ કલમે હું દુષ્કર એવી વિવેચનાત્મક પ્રસ્તાવના લખવાનું દુ:સાહસ ખેડવા જઈ રહ્યો છું. મને પોતાને તો મારા પ્રયત્નની ફલશ્રુતિની કોઈ ખબર નથી; પણ હા, એટલું તો ચોક્કસ છે જ કે મારા આ કાર્યમાં હું સંપૂર્ણ નહિ તો અંશત: પણ સફળ પુરવાર થઈશ. સર્વપ્રથમ તો હું આ નવતર પ્રયોગ કરવા કેમ લલચાયો છું તેની પૂર્વભૂમિકા આપીને પછી જ મારા લેખનમાર્ગે આગળ પ્રયાણ કરીશ.

મેં મારા બ્લોગ ઉપર “Needing voluntary, neutral and stranger critics for my P-Books” શીર્ષકે હળવું હાસ્ય ઉત્પન્ન કરે તેવી થોડા સમય માટે એક પોસ્ટ મૂકી રાખી હતી, જેનો મતલબ એમ થતો હતો કે જાણે કે હું મારાં મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ થનારાં આગામી પુસ્તકો માટે વિવેચકો મેળવવા માટેની જાહેરાત આપી રહ્યો છું! મારા અનેક જાણીતા સાહિત્યિક મિત્રોને મારાં પુસ્તકો માટેનું વિવેચનકાર્ય બજાવવા માટેની એક વિનંતી માત્ર કરતાં સઘળા મિત્રભાવે આગળ ધસી આવે તેમ હોવા છતાં મેં એવા ત્રાહિતોને જ જાહેર નિમંત્રણે નિમંત્ર્યા હતા કે જેઓ મારા માટે અને હું તેમના માટે સાવ અજાણ્યા હોઈએ કે જેથી હું મારાં પુસ્તકો માટેનું તટસ્થ વિવેચન પ્રાપ્ત કરી શકું. મારી આ મુર્ખાઈ હતી, કેમ કે કોઈપણ સ્વમાની વિવેચક આમ આવી જાહેરાત માત્રથી સામા પગે વિવેચનો લખવા આગળ આવે નહિ; અને આમ થયું પણ એવું જ કે છેવટે બેએકમાસના અંતે મારે મારી એ પોસ્ટને પાછી ખેંચી લેવી પડી હતી. આમ આજે હું ‘સ્વયંપાકી’ની જેમ‘સ્વયંવિવેચકી(!)’ બનવાનો નમ્ર પ્રયત્ન કરી રહ્યો છું.

હું મારી કૃતિઓના કર્તૃત્વ વિષયે આગળ વધવા પહેલાં સાહિત્યપ્રકાર ‘વિવેચન’ અંગે થોડોક પ્રકાશ નાખવા માગું છું. એન્ડી વોરહોલ (Andy Warhol) લખે છે ‘કોઈ પણ કલા કે સાહિત્યને માત્ર સર્જવા ખાતર સર્જી નાખો નહિ; પણ અન્યોને એ નક્કી કરી લેવા દો કે તે સર્જન સારું છે કે ખરાબ છે, તેઓ તેને પસંદ કરે છે કે ધિક્કારે છે.” આમ, હું પણ ઈચ્છું છું કે મારા સર્જનને કઠોર રીતે વિવેચવામાં આવે. હું એ પણ ઈચ્છું છું કે હું મારા લખાણમાં ક્યાંક ખોટો હોઉં તો એવો વિવેચક મારો કાન પણ ખેંચે. માત્ર હાજી હા કહેનાર કે લેખકના લખાણને માત્ર બિરદાવનાર વિવેચક લેખકના માટે લાંબા ગાળે નુકસાનકારક પુરવાર થતો હોય છે. મારી ઉપરોક્ત કહેવાતી જાહેરાતમાંનો ‘Neutral’ શબ્દ પણ સહેતુક હતો, કેમ કે વિવેચક એ લેખકનો માત્ર મિત્ર કે દુશ્મન ન બની રહેતાં તે તટસ્થ રહેવો જોઈએ. તેણે સર્જનના સાચા ન્યાયાધીશ બની રહીને તેના ગુણાવગુણને સ્પષ્ટ રીતે નિર્દેશવાથી અચકાવું ન જોઈએ. તો વળી સાથે સાથે વિવેચક લેખક કે તેના લેખન માટે કોઈ પૂર્વગ્રહ પણ ધરાવતો ન હોવો જોઈએ. અહીં વિવેચકનો જે વિવેચનધર્મ સમજાવવામાં આવી રહ્યો છે, તેની પાછળ પણ એક આશય છુપાએલો છે કે મારા આ પ્રકરણના અંતે મારા સુજ્ઞ વાચકો એ તારણ કાઢી શકે કે મેં સાચે જ મારો વિવેચનધર્મ નિભાવ્યો છે કે કેમ! મેં અગાઉ જણાવ્યું છે તેમ આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અગાઉ જણાવ્યું તેમ ‘સમભાવી મિજાજે’ નો લેખક અને વિવેચક એમ બંને હું હોઈ જરૂર લાગે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહ્યા!

સાવ નવીન એવા સ્વયં-વિવેચનના પ્રયોગ અન્વયે અગાઉ કહ્યું તેમ આ એક અશક્ય નહિ તો મુશ્કેલ કાર્ય જરૂર છે. અહીં માનવ મનોવિજ્ઞાનના સંદર્ભે કહીએ તો સ્વયં-વિવેચકે આંતરનિરીક્ષણ પદ્ધતિએ પોતાનું વિવેચનકાર્ય પાર પાડવાનું હોય છે. કોઈક પ્રતિભાશાળી લેખકો જ પોતાના સર્જનનું સક્ષમ વિવેચન કરી શકતા હોય છે. આ કામ તેઓ એવી રીતે પાર પાડી શકતા હોય છે જાણે કે તેઓ અન્ય કોઈ ત્રાહિત સાહિત્યકાર કે તેના સાહિત્યસર્જનનું વિવેચનકાર્ય ન કરતા હોય! આ કાર્ય એવું કઠોર હોય છે કે જેને પોલાદ કે હીરાની કઠોરતાની ઉપમા આપવી પડે. અહીં આવા વિશિષ્ઠ વિવેચકે સર્જક અને વિવેચકની એવી બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. આ પ્રક્રિયામાં એક અનુકૂળતા હોય છે કે બંને ભૂમિકાઓને એક પછી જ બીજી એમ ભજવવાની હોય છે. અન્ય શબ્દોમાં કહેતાં મૂળ કાર્ય પૂરું થયા પછી જ તેને આનુષંગિક દ્વિતીય કાર્ય શરૂ થતું હોય છે. સ્વયંવિવેચન એટલે પોતાના જ લેખનકાર્યને ઓળખાવવું, તેનું મૂલ્યાંકન કરવું, તેનાં વિવિધ પાસાંને નાણી જોવાં અને તેની ખામીઓ તથા ખૂબીઓને તટસ્થભાવે નિરુપવી. લખાણના પૃથક્કરણનું સાતત્ય સર્જકને ક્રમિક રીતે પૂર્ણતા તરફ દોરી જતું હોય છે.

મારા સુજ્ઞ વાચકો મને માફ કરશે કેમ કે હું તો વિવેચન લખવાના બદલે વિવેચનના પાઠ શીખવવા લાગી ગયો હતો. ‘સમભાવી મિજાજે’ એ લેખકનું ઉત્તરાર્ધે ‘મિજાજે’ શબ્દધારી છઠ્ઠું પુસ્તક છે. વિવિધ વિષયો ઉપરના લેખો કે નિબંધોના સંગ્રહો પૈકીના એક એવા આ સંગ્રહના પહેલા ભાગમાં તેમના માત્ર વિવેચનલેખોને સંકલિત કરવામાં આવ્યા છે. તેમણે બ્લોગજગતના નામી કે અનામી સર્જકોના વિવિધ સાહિત્યપ્રકારો જેવા કે લેખો, કાવ્યો, લઘુનવલ, ગઝલ વગેરે ઉપર પોતાના વિવેચનલેખો લખ્યા છે. તો વળી સાહિત્યસર્જકના પરિચયલેખ ઉપરાંત તેમણે મુદ્રિત સ્વરૂપે કે ઈ-બુક સ્વરૂપે લખાએલી નવલકથા કે કાવ્યસંગ્રહ ઉપર પોતાના વિદ્વતાસભર વિવેચનલેખો આપીને તેમણે પોતાની એ પ્રકારની કાર્યક્ષમતા પણ દેખાડી છે. ફ્રેન્ક ક્લાર્ક (Frank Clark) વિવેચન સબબે પોતાનું મંતવ્ય આપતાં લખે છે કે વિવેચન એ ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવું હોવું જોઈએ કે જે થકી સર્જકનું સર્જનકાર્ય તેનાં મૂળિયાંને હાનિ થયા વગર પોતાના ઉત્તરોત્તર વિકાસ માટેનું પોષણ મેળવતું રહે. લેખકે પોતાના આ વિવેચન સંગ્રહમાં કોઈક નવોદિતોને સદરહુ વિધાન મુજબ પોતાના પ્રોત્સાહક શબ્દો થકી એવું બળ પૂરું પાડ્યું છે કે જે થકી તેમના લખાણમાં પરિપક્વતા આવતી રહે અને પૂર્ણતા તરફ તેમની ગતિ થતી રહે. આના ઉદાહરણમાં તેમના લેખ “મુનીરા અમી કૃત ‘નીરવનું વર્ણન’ નું રસદર્શન”ને ગણાવી શકાય. તેમના પ્રોત્સાહક શબ્દો વાંચો : ‘નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો.’

શ્રી વલીભાઈ એક તરફ મુનીરા અમી જેવી નવોદિત કવયિત્રીને પ્રોત્સાહન પૂરું પાડે છે, તો વળી બીજી તરફ બ્રિટીશ-પેલેસ્ટિઅન એવી સિદ્ધહસ્ત કવયિત્રી રબાબ મહેરને તેમના સમજવા માટે દુષ્કર અને પ્રથમ નજરે સાવ નીરસ લાગતા એવા નવીન જ વિષય ઉપરના અંગ્રેજી કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’ – (A Publicity Whore)ને બબ્બે મોંઢે વખાણે છે. પ્રસાર માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રથમ નજરે આકર્ષક લાગતા પોકળ પ્રચારને વિવેચક સરસ એવા ડાકણના ઉદાહરણથી સમજાવે છે કે ડાકણ સામા મોંઢે તો રૂપાળી લાગતી હૌય છે; પણ જેવી તેણી પોતાની પીઠ ફેરવતી હોય છે, ત્યારે તેણીના આંતરિક ખુલ્લા માંસ અને હાડકાંના કમકમાટી ઉપજાવે તેવા દૃશ્યથી તેણી ભયાનક ભાસતી હોય છે. આમ આ પ્રસારમાધ્યમો તેમના બાહ્ય આકર્ષક મહોરા પાછળની આંતરિક કુરૂપતાને સંતાડી રાખીને ‘સમૂહગત છેતરપિંડીનાં હથિયારો’ પ્રયોજીને પ્રજાને ગુમરાહ કરતાં હોય છે. વિવેચકે આ કાવ્યનું રસદર્શન અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં પોતાના બ્લોગ ઉપર આપ્યું છે, પરંતુ તેનું અંગ્રેજી વર્ઝન વધુ અસરકારક માલૂમ પડે છે; કેમ કે હકીકતે કાવ્ય પણ મૂળ અંગ્રેજીમાં જ લખાએલું છે. સામાન્ય રીતે અનુવાદન મૂળ ભાષામાંના લખાણની અસરકારકતાને વધતાઓછા અંશે અવશ્ય ગુમાવે તેવું બનતું હોય છે.

હરનિશ જાનીના ‘પ્યાર-તકરાર’ હાસ્યલેખ ઉપરનું વલીભાઈનું અવલોકન પ્રશંસનીય રહ્યું છે. લેખકના નર્મમર્મયુક્ત આ લેખના વિવેચનમાં વલીભાઈએ પોતાના તરફની એક પ્રાસંગિક રમૂજી વાતને મૂકી છે કે જેમાં ટ્રેઈનના ડબ્બામાં બે જણ લડતા ઝગડતા વારાફરતી કાચની બારી ખોલબંધ કર્યે  જ  જાય છે,  પણ  તેમને ખબર હોતી  નથી કે  બારીને કાચ  છે જ નહિ અને તેઓ માત્ર ફ્રેમને  જ  ઊંચીનીચી કરતા હોય છે!  નવોદિતોનાં સર્જનો ઉપર પ્રોત્સાહક પ્રતિભાવો આપતા જતા આ સમભાવી વિવેચક શ્રી વલીભાઈ ગુજરાતી હાસ્યસાહિત્યમાં જેમનું નામ ગાજે છે અને જેમનાં બબ્બે હાસ્યપુસ્તકોને પુરકૃત કરવામાં આવ્યા હોય તેવા ધુરંધર અને પ્રતિભાશળી સાહિત્યસર્જક શ્રી હરનિશભાઈ જાનીના સર્જનને પણ વિવેચે છે અને તેમના આ લેખના શીર્ષક વિષે પણ આ શબ્દોમાં તેમને બિરદાવે છે કે ‘પ્યાર તકરાર’ સરસ શીર્ષક લાવી જાણ્યા છો.’

શ્રી વલીભાઈએ ‘સમભાવી મિજાજે’ ના પ્રથમ ભાગમાં મામા અને ભાણેજ એવા અનુક્રમે સુરેશભાઈ જાની અને પંચમ શુક્લ તથા તે જ રીતે શ્રી વિજયભાઈ શાહની એકાધિક કૃતિઓને સમાવવાના બદલે કેટલાક અન્ય સર્જકોની કૃતિઓના વિવેચનને સ્થાન આપ્યું હોત તો વિવેચનના આ પુસ્તકમાં વિશેષ પ્રમાણમાં કર્તાઓ અને કૃતિઓનું વૈવિધ્ય આપી શકાયું હોત! સુરેશભાઈના ‘કેલેન્ડર’ ઉપરના અવલોકનના લેખ ઉપરના પ્રતિભાવમાં શ્રી વલીભાઈએ ‘ખોવાએલું ઊંટ અને વટેમાર્ગુની અવલોકનશક્તિ’વાળી પ્રચલિત વાતને સરસ રીતે સાંકળી લીધી છે. તો વળી, સુરેશભાઈની ‘અવલોકનો’ શીર્ષકવાળી ઈ-બુકની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈ સરસ મજાની જૂના જમાનાના પગીઓની વાત લાવી દે છે. તેમની ‘ઈશ્વરનો જન્મ’ વાર્તા તેમના બ્લોગ ઉપર પ્રસિદ્ધ થવા ઉપરાંત તાજેતરમાં એ જ વાર્તા મધુ રાય સંપાદિત હમણાં નવીન જ શરૂ થએલા વાર્તામાસિક ‘મમતા’માં પ્રસિદ્ધ થઈ ચુકી છે. શ્રી વલીભાઈએ આ વાર્તાના વિવેચનમાં ખાસ કરીને તેના શીર્ષક પરત્વે વિભિન્ન ધર્મોમાંથી અવતરણો કે વિચારો ટાંકીને ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે કેટલાંક વૈકલ્પિક શીર્ષકો ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ સૂચવ્યાં છે. સુરેશભાઈની ‘વર્તમાનમાં જીવન’ શીર્ષકે અનુવાદલેખ શ્રેણીના વિવેચનમાં શ્રી વલીભાઈ સરસ મજાનો આ શબ્દોમાં પ્રારંભ કરે છે : ‘એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે.’ જો કે તેમને પાછળથી ‘The Power of Now’ નો કોઈકે ગુજરાતીમાં અનુવાદ કરી દીધો છે તેવું જાણવા મળતાં આ લેખશ્રેણીને તેમણે અટકાવી દીધી હતી.

શ્રી વલીભાઈ ક્યાંક કબૂલે છે કે જીવનની ઉત્તરાવસ્થાએ શ્રી સુરેશભાઈ જાની એક ભાઈ સમા મિત્ર તરીકે સાંપડ્યા છે અને આમ તેમના ભાણા એ વલીભાઈના પણ ભાણા થાય અને તે ન્યાયે તેમણે પંચમ શુક્લની ‘એક બ્લોગ્મંડૂકને’, ‘એ એ જ રીતે હીંચી છે!’, ‘ખેચરી’ અને ‘What a wonderful world!’ નો ભાવાનુવાદ એમ ચારચાર રચનાઓના અવલોકન થકી તેમણે કવિ પ્રત્યેના પોતાના મોસાળપ્રેમને અભિવ્યક્ત કર્યો છે. અહીં કોઈએ ‘વલીભાઈએ સગાવાદ નિભાવ્યો છે!’ એવું ન વિચારતાં એ ચારેય કૃતિઓને અવલોકવી પડશે. પોતાના બ્લોગ ઉપર મુકાતી તેમની સઘળી રચનાઓ ઉપર પ્રતિભાવોનો ખડક્લો રચાઈ જાય તે જ તેમનાં કાવ્યોની ગુણવત્તાનું પ્રમાણ છે. ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ એ તો એવો સરસ મજાનો મૂળ અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ છે કે જે ઝવેરચંદ મેઘાણી જેવા ભાવાનુદિત કાવ્યોના સમર્થ સર્જકોની હરોળમાં બેસી શકે તેવો છે. તેમના એક બ્લોગ્મંડૂકને’ કટાક્ષકાવ્યે તો તેમના બ્લોગ ઉપર તરખાટ મચાવી દીધો હતો.

શ્રી વલીભાઈ મુસાએ પોતાના હ્યુસ્ટન(અમેરિકા) ખાતે રહેતા મિત્ર શ્રી વિજયભાઈ શાહનાં બે પુસ્તકો અને તેમના ‘મારા પિતાજી’ કાવ્ય ઉપર પણ પોતાની પ્રમાણભૂત આલોચના લખી છે. તેમની ‘ટહુકો એકાંતના ઓરડેથી’ પત્રશ્રેણી રૂપે તેમના બ્લોગ ઉપર લખાએલી નવલકથા મુદ્રિત સ્વરૂપે બહાર પડી ચૂકી છે, જેમાં શ્રી વલીભાઈના પ્રતિભાવને સ્થાન આપવામાં આવ્યું છે. ‘નિવૃત્તિની પ્રવૃત્તિ’ કે જે શ્રી વિજય શાહ અને ‘હરિપ્રેમી’શ્રી દ્વારા સંયુક્ત રીતે લખાએલું મનનીય પુસ્તક છે તેના મુદ્રિત સ્વરૂપમાં પણ શ્રી વલીભાઈનો પ્રતિભાવ સ્થાન પામ્યો છે. પોતાના અમેરિકાના પ્રવાસ વખતે જેમની સાથે શ્રી વલીભાઈને પરિચય થયો હતો તે દેવિકાબેન ધ્રુવની ગઝલ ‘વાત લાવી છું’ ઉપરના તેમના પ્રતિભાવ વિષે મૂળ લેખ નીચેના હ્યુસ્ટનસ્થિત ગુજરાતી સાહિત્યપ્રેમીઓ પૈકીના એક ભાઈશ્રી નવીન બેન્કરના તેમને ચણાના ઝાડ ઉપર ચઢાવી દેતા તેમના પ્રશંસાત્મક પ્રતિભાવ અને લઘુતાગ્રંથિ તરફ સરકી જાય તેવા તેમના મનોભાવને ત્યજી દેવાની ચાનકરૂપ તેમની સલાહ તેમના પ્રત્યુત્તરીય પ્રતિભાવમાં જોવા મળે છે. બ્લોગીંગ પ્રક્રિયામાં પ્રતિભાવોનું એક આગવું સ્થાન હોય છે, જે બ્લોગરને ઉત્સાહિત કરે છે અને તેના લખાણની ગુણવત્તાની બાબતમાં તેને સદા જાગૃત રાખે છે.

આ પ્રસ્તાવનાના અતિવિસ્તારને મર્યાદિત કરવાના પ્રયત્ન રૂપે હું મારા હવે પછીના લખાણને ટૂંકમાં પતાવીશ. આ લેખસંગ્રહના પ્રથમ ભાગમાં આ પ્રસ્તાવનામાં બાકી રહી જતા બે ખાસ લેખોની ખાસ નોંધ લેવી પડે તેમ હોઈ તેને અવગણી શકું તેમ નથી. એ બંને લેખો છે : (૧) મારી કલમે હું (મારા ૭૨મા જન્મદિવસે) (૨) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના. હાઈકુ કાવ્યપ્રકારમાં વિવિધ પ્રયોગો કરી ચુકેલા આ લેખક મહાશય પોતાની જ કલમે પોતાનો પરિચય રસમય રીતે એવી રીતે આપે છે કે જેમાં તેમની આત્મશ્લાઘાનો અંશ માત્ર પણ દેખાય નહિ. ‘કાવ્યસરવરના ઝીલણે’ની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈએ ઘણા વિવેચકોને ટાંકીને લેખને રસપ્રદ બનાવ્યો છે, તેમ છતાંય તેમની પોતાની કબુલાત મુજબ ત્રણેક દસકાના સાહિત્યજગતથી દૂર રહેવાના તેમના સંજોગોના કારણે સાંપ્રત સાહિત્યની ગતિવિધિને તેમાં સ્થાન આપી શક્યા નથી, જે તેમની એક મોટી મર્યાદા બની રહે છે.

‘સમભાવી મિજાજે’ નો બીજો ભાગ પ્રથમ ભાગથી વિષયે અને સાહિત્યપ્રકારે સાવ જુદો પડે છે. આનું ‘ભેદભરમની ભીતરમાં’ લેખશ્રેણી એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ વિભાગના છએ લેખ સ્વાનુભવ ઉપર આધારિત છે. તેના લખાણમાં લેખકથી આત્મપ્રશંસા ન થઈ જાય તેની ખાસ કાળજી લેવાઈ છે. આ લેખોમાં વિષયોની વિવિધતા પણ છે. ‘એક વિચારયાત્રા’માં વાચકને સર્જનહારની અકળ એવી માનવજીવનમાંની વ્યવસ્થા અને ઘટનાક્રમની અનુભૂતિ થયા વગર રહેશે નહિ. વળી આ જ લેખના અંત ભાગે આપણને વિચારયાત્રાઓની ફલશ્રુતિઓ જાણવા મળે છે. ‘આસ્થા કે ઈમાન!’ માં એક અજીબોગરીબ ઘટનાની આપણને જકડી રાખે તેવી લેખકની સ્વાનુભવની વાત છે. ‘ભૂતપ્રેત!’ માં પણ આપણને વિચારતા કરી મૂકે તેવી છણાવટ સાથેના બેએક પ્રસંગો આપવામાં આવ્યા છે. લેખકે આ લેખમાં ‘ભૂતપ્રેત’ની માન્યતાને સમર્થન કે તેનો વિરોધ એમ એવા બંને છેડાથી પોતાની જાતને અલિપ્ત રાખી છે. ‘એક અનોખો દુ:ખદ સ્વાનુભવ’ એ લેખકના પશુપાલનના વ્યવસાય સાથે સંકળાએલી ભેંસના ગર્ભાધાન વિષેની આપણામાં રહેલી જીવદયાની લાગણીને ઢંઢોળતી સત્ય કથા છે. ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ એ વરલી મટકા પ્રકારના જુગાર સાથે સંકળાએલી માહિતીપ્રધાન કથાતત્વ ધરાવતી સત્ય ઘટના છે તો વળી ‘સાચું કોણ?’ શીર્ષકધારી છેલ્લો લેખ રસમય રીતે એમ અંત પામે છે કે બંને પક્ષ છેવટે સાચા પુરવાર થાય છે.

આ લેખના શીર્ષક ‘હું જ મારા વિવેચનસંગ્રહનો વિવેચક!’ ઉપરથી કોઈ વાચકને એમ લાગ્યા વિના નહિ રહે કે મેં ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી?’વાળી કોઈ હાસ્યાસ્પદ ચેષ્ટા અહીં કરી છે! પ્રારંભના ફકરામાં દર્શાવ્યા મુજબ મારા આ પ્રયાસ કે ચેષ્ટાની ફલશ્રુતિ નક્કી કરવાની જવાબદરી આપ સૌ વાચકોના શિરે નાખીને હળવો ફૂલ જેવો થતાં મારી પ્રસ્તાવનાના અતિવિસ્તાર બદલ આપ સૌ વાચકોની ક્ષમા યાચીને વિદાય લઉં છું.

ધન્યવાદ

વલીભાઈ મુસા.

 

Tags: , , , , , , , , ,

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

Click here to read in English

“મારા ‘યોગ’ વિષેના દૃષ્ટિકોણને પુષ્ટિ આપવા બદલ આપનો આભાર. કેવી રીતે તે મને યાદ આવતું નથી, પણ ગમે તેમ તોય સરસ મજાના એવા આપના બ્લોગના સંપર્કમાં હું આવ્યો તો ખરો જ. સરળતા, સ્પષ્ટતા અને સાંવેગિક અભિગમ એ સઘળાં આપની કવિતાનાં આકર્ષક તત્વો છે.” મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા. તેણીના બ્લોગ ‘BoBi’z Breathings…’ માંના ‘A Publicity Whore’ (પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી) શીર્ષકે સરસ મજાના એક કટાક્ષકાવ્યનું મારા બ્લોગવાચકોને અહીં રસદર્શન કરાવતાં હું આનંદની લાગણી અનુભવું છું.

હું આગળ વધું તે પહેલાં, રસદર્શન કરાવવામાં આવતા આ કાવ્યને અહીં મૂકવું હું જરૂરી માનું છું. આમ ન  કરવું તે અંધારામાં ગોળીબાર કરવા જેવું સાબિત થશે. આ લેખ ઓનલાઈન હોઈ કદને નિયંત્રિત કરવાના હેતુસર કવયિત્રીની પૂર્વમંજૂરીથી અહીં કાવ્ય ‘A Publicity Whore’નો માત્ર લિંક આપું છું. વળી એ સાવ દેખીતું જ છે કે જ્યારે આ ઈ-બુક કે જેમાં આ લેખને સમાવિષ્ટ કરવામાં આવ્યો હશે તેને મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે તો આખેઆખા મૂળ કાવ્યને રજૂ કરવું જ પડશે. આમ હાલ જ એવી સ્થિતિ સર્જાતાં નીચે એ કાવ્યને તેના અંગ્રેજી વર્ઝનમાં જ અભિવ્યક્ત કરી દઉં છું.

 A Publicity Whore

 Weapons of Mass Deception

*       *       *

I am the one that uses and abuses unseeing

A leech that sucks the essence out of one’s being

*       *       *

Exploitation is my one and only valid name

And exclusivity and fame is my main game

*       *       *

I show you the world from my point of view

But the facts I keep securely obscured from you

*       *       *

I fiercely claim I fight and speak up for the truth

Whilst my treatment of my workers is rather uncouth

*       *       *

I do not bother about loyalty or human respect

The existence of my servants I contentedly neglect

*       *       *

Their lives I willingly sacrifice and their blood I shed

After they are gone I bury their name with the dead

*       *       *

I label the gone souls with “martyrs” to fool you

To deter you away from seeking what is true

*       *       *

I cunningly name my studios after the deceased

Although their lives for me have long ceased

*       *       *

I may remember those ‘no more’ during anniversaries

But I only do so to win favour and shun adversaries

*       *       *

You all fall for it with your eyes widely sealed

Your ears not hearing the words I mutely revealed

*       *       *

I easily dispense with those who are for justice

Before they betray my character: my cowardice

*       *       *

  I dismiss the moral for they may tarnish my veneer

Expose what I really am and my name they smear

*

Because . . .

*

Beneath my infamous façade, I am a publicity whore

I only please you with frivolity and nothing more

*       *       *

When I am in the spotlight, I smile to gain that publicity

And behind the shadow of that light, I just care about me

                         –   Rabab Maher

આ કાવ્યને આત્મકથાનક રૂપે લખવામાં આવ્યું હોઈ તેમાં વૈયાકરણીય પરિભાષાએ કહેતાં કવયિત્રીએ પહેલો પુરૂષ એકવચનનું સર્વનામ ‘હું’ પ્રયોજ્યું છે. આ કાવ્ય ‘વીજાણુ પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું હોઈ તેણીએ તેના શીર્ષક નીચે ટીવી ઉપકરણનું ચિત્ર આપ્યું છે અને સાથે ‘સમૂહ છેતરપિંડીનાં સાધનો’ શબ્દો દ્વારા તેની કટાક્ષમય ઓળખ પણ આપવામાં આવી છે. વળી કવયિત્રીએ પોતાના કાવ્ય ઉપરની કોઈક કોમેન્ટના પ્રત્યુત્તર રૂપે એ પણ ખુલાસો કર્યો છે કે તે કાવ્ય ‘નાનકડા કતારના પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું છે.

‘વીજાણુ પ્રસાર માધ્યમના માળખા’ને અહીં આલંકારિક ભાષામાં ‘ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી’ સાથે સરખાવવામાં આવ્યું છે. પોકળ પ્રસિદ્ધિ એ કાલ્પનિક એવી ડાકણ જેવી હોય છે કે જે આપણી સામે તેનો ચહેરો ધરી રાખે તો સુંદર દેખાતી હોય છે, પણ તેણી જેવી પોતાની પીઠ ફેરેવે કે તરત જ તેણી આપણને પોતાનાં આંતરિક ખુલ્લાં અને ભયાનક હાડકાં અને માંસના લોચાઓ થકી બિહામણી લાગતી હોય છે. ટેલિવિઝન અને વેબજગત સામુહિક છેતરપિંડીનાં એવાં ખૂબ જ અસરકારક ઉપકરણો છે કે જે કહેવાતાં સત્યોના અંચળા હેઠળ ભ્રામક પ્રચારના ભાગ તરીકે બિનઅધિકૃત પ્રસારણો દ્વારા શ્રોતાઓ કે દર્શકોનાં દિમાગોને ભરમાવી નાખતાં હોય છે. મુદ્રિત અને વીજાણુ પ્રસાર માધ્યમો આજકાલ એવાં શક્તિશાળી પુરવાર થયાં છે કે જે જૂઠ્ઠાણાં ફેલાવીને અને મનઘડત વાતોને ગૂંથીને પ્રજાને પોતાની ઈચ્છા મુજબનાં બિબાંઓમાં ઢાળી શકે છે. આવાં પ્રસારમાળખાં પોતાનાં શક્તિશાળી કેમેરા અને ઉપગ્રહો જેવાં માધ્યમો કે સાધનો અને પત્રકારો તથા તેમનાં ભ્રામક પ્રચાર કૌશલ્યોની મદદ વડે પોતે ધારે તે કરી શકવા સમર્થ હોય છે. આ પ્રસારમાધ્યમો  ગમે તેવા ખેરખાં માણસની મહાનાયક તરીકેની તેની પ્રતિભાને ઝાંખી પાડીને અથવા તેને શુન્યવત્ કરી નાખીને તેને કોડીની કિંમતની કરી દઈ શકે છે.

આ પ્રસાર માધ્યમોની ભૂમિકાઓ મોટાભાગે નકારાત્મક હોય છે અને તેથી જ તો કવયિત્રીએ કાવ્યના અંત સુધી માનવજાતને બધી જ રીતે નુકસાનકારક એવા દુષ્ટ સાધન તરીકે તેને ચીતર્યું છે. સદરહુ કાવ્ય પ્રસાર માધ્યમની એ કબુલાતથી શરૂ થાય છે કે તે પોતે પાણીમાંની લોહી ચૂસતી જળો જેવું છે કે જે લોકોની પ્રતિષ્ઠા અને તેમની જિંદગીના ભોગે પોતાના અસ્તિત્વને સ્થિર અને મજબુત રાખવા માગે છે. આ માધ્યમ અણદેખી વસ્તુઓને એવી રીતે રજૂ અને પુન: રજૂ કરી શકે છે કે જાણે કે વાસ્તવમાં તેઓ અસ્તિત્વ ધરાવતી હોય! તે હંમેશાં પોતાની પ્રસિદ્ધિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને પોતાના એ હેતુને બર લાવવા તે લોકોનું અને અન્યોનું શોષણ કરતાં પણ અચકાશે નહિ. મુદ્રિત કે વીજાણુ પ્રસાર માધ્યમો નીતિમત્તાથી વેગળાં હોય છે અને તેમનું પીળું પત્રકારત્વ સંશોધન કર્યા વગરના ઊડીને આંખે વળગે તેવાં મુખ્ય શીર્ષકો સાથેના સમાચારો કે જે તેમના વ્યવસાયને શોભે નહિ તે રીતે કામ કરતું હોય છે. આ બંને પૈકી મુદ્રિત સ્વરૂપના પ્રસાર માધ્યમને પોતાના સમાચારપત્રની વધુ ને વધુ પ્રતો વેચાય તેમાં રસ હોય છે; તો વળી, વીજાણુ માધ્યમોને પોતાના ટેલિવિઝન કે ચેનલના કાર્યક્રમને બહોળા પ્રમાણમાં દર્શકો મળી રહે તે જ તેમનું લક્ષ હોય છે, કે જેથી તેમનો ટીઆરપી જળવાઈ રહે અને તેના પરિણામે તેમને મોટા પ્રમાણમાં ધંધાકીય જાહેરાતો મળી રહે. આમ આ માધ્યમો પેલી કુલટા સ્ત્રીની જેમ બધા જ પ્રકારનાં નખરાં અજમાવીને, પોતાની ગરિમાના ભોગે પણ વાચકો કે દર્શકોને લલચાવતાં હોય છે. અહીં કવયિત્રી પ્રસારમાધ્યમોના આવા નકારાત્મક વલણને નોંધે છે કાવ્યની આ પંક્તિ પ્રમાણે કે ‘પણ, હું હકીકતોને તમારાથી છુપાવતું હોઉં છું.’

કાવ્યનો મધ્ય ભાગ કટાક્ષમય કે વક્રોક્તિપૂર્ણ છે. અહીં આપણે સમાચારમાધ્યમો કે વીજાણુ માળખાનાં બેવડાં ધોરણોને જોઈ શકીએ છીએ. ચાલો, આપણે કાવ્યની આ કડીને તપાસીએ : “હું જુસ્સાપૂર્વક દાવો કરું છું કે  હું સત્ય તરફે જ બોલું છું અને તેને માટે લડું પણ છું. / જ્યારે મારા માટે કામ કરતા મારા હાથ નીચેના કાર્યકરો પરત્વેનો મારો વ્યવહાર અભદ્ર હોય છે.” એક તરફ આ સમાચારમાધ્યમ ભારપૂર્વક એવો દાવો કરતું હોય છે કે તે સત્ય માટે ઝઝૂમે છે, તો બીજી તરફ એ જ સમાચારમાધ્યમ પોતાના જ કર્મચારીઓ પરત્વે પોતાનું રુક્ષ અને અસંસ્કારી વર્તન દાખવે છે. આપણને એ જાણીને આઘાત લાગે છે કે જ્યારે આ માધ્યમોના કર્મચારીઓ સમાજ અને માનવતા વિરુદ્ધ કામ કરતાં ગુંડાતત્વોને ઊઘાડા પાડતા સમાચારો લાવતાં ઘણીવાર પોતાની જિંદગી ગુમાવી બેસે છે, ત્યારે આ માધ્યમોના ધણીધોરીઓ પોતાનો જાન ન્યોછાવર કરતા તેમના પેલા સહાયકોને યોગ્ય માનસન્માન આપતા નથી હોતા. ખરેખર તો એ બિચારાઓની પ્રશંસા થવી જોઈએ, પણ અફસોસ કે તેઓનાં નામો ટૂંક સમયમાં જ ભુલાઈ જતાં હોય છે અને અવસાન પામેલા સામાન્ય માનવીઓની જેમ તેમની યાદ દટાઈ જતી હોય છે એવી રીતે જાણે કે તેઓ આ દુનિયામાં અવતર્યા જ ન હોય! આ માધ્યમોના સ્વામીઓ આમ પ્રજાને મૂર્ખ બનાવવા આડંબરભર્યા અને સુફિયાણા જીભકવાયત જેવા શબ્દો થકી પેલા બિચારાઓને (જો કે હકીકતમાં તેઓ શહીદ તરીકેના માનસન્માનને લાયક હોવા છતાં) માત્ર દંભી શિષ્ટાચાર બતાવતાં શહીદ તરીકે બિરદાવતા હોય છે. સમાચારમાધ્યમોના આ દંભી સ્વામીઓને પેલા સાચા શહીદો  પ્રત્યે કોઈ દિલી સદભાવના નથી હોતી, પણ તેઓ પોતાની બાહ્ય અને દંભી સહાનુભૂતિ બતાવવા કોઈકવાર પોતાના સમાચાર પ્રસારિત કરવાના સ્ટુડીઓને તેમનાં નામ આપી દેતા હોય છે. આ બિચારા શહીદોને તેમની મૃત્યુતિથિએ માત્ર વ્યવહર ખાતર યાદ કરવામાં આવતા હોય છે કે જેથી આમ પ્રજાની સહાનુભૂતિ મેળવી શકાય તથા તેમના વિરોધીઓને ચૂપ રાખી શકાય.

કાવ્યના સમાપન વિભાગે, કવયિત્રીએ લુચ્ચાઈ અને ધૂર્તતા વડે ખરડાએલા  પ્રસારમાધ્યમના અસલી ચહેરાને સફળતાપૂર્વક ખુલ્લો પાડ્યો છે. આ પ્રસારતંત્ર  પોતાની ચાલાકી વડે પ્રજા સાથે પોતાનું કામ પાર પાડવામાં હંમેશાં સફળ રહ્યું છે. પ્રજાના કાન અને આંખો આ માધ્યમના અંકુશ હેઠળ હોય છે. તે કોઈપણ ભોગે પોતાના અસલી ચારિત્ર્ય અને નમાલાપણાને હોશિયારીપૂર્વક છુપાવી રાખી શકે છે. તે ધુરંધર વ્યક્તિત્વોના જુસ્સાને પણ તેમની પ્રતિષ્ઠા ખંડિત કરવાનો ભય આપીને તોડી શકે છે. આ પ્રસારમાધ્યમના નકારાત્મક પાસાને કવયિત્રી પોતાના ખુલ્લંખુલ્લા આવા શબ્દો વડે અભિવ્યક્ત કરે છે : “હું પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી છું. હું તમને બાલિશ ચેનચાળાઓથી વિશેષ કંઈ નહિ તે રીતે માત્ર ખુશ જ કરું છું.”

હું શેક્સપિઅરના નાટક ‘As you like it’ માંના એક કાવ્યની પંક્તિમાંના શબ્દો “આખી દુનિયા એક રંગભૂમિ છે’  ને કવયિત્રીના કાવ્યની આખરી કડીના વિચારો સાથે અનુસંધાન સાધવા માટે  અહીં ટાંક્યા વગર મારી જાતને રોકી નથી શકતો. કવયિત્રી પોતાના કાવ્યની આખરી કડીમાં પ્રસારમાધ્યમના મુખે આ શબ્દો મૂકે છે કે ‘જ્યારે હું નાટ્યતખ્તા (રંગભૂમિ) ઉપર ફેંકવામાં આવતા પ્રકાશ (Spot Light) હેઠળ હોઉં, ત્યારે  ખ્યાતિ મેળવવા બદલ હું સ્મિત કરું છું અને જ્યારે હું એ ઝળહળતા પ્રકાશની બહાર થઈ ફેંકાઈ જાઉં ત્યારે હું ફક્ત મારી જ ચિંતા કરતું હોઉં છું.” અહીં કવયિત્રી આ પ્રસારમાધ્યમના મૂળ રંગને  અને તેના આંતરિક સ્વરૂપને ઊઘાડા પાડવાના પોતાના હેતુને સિદ્ધ કરવામાં કામયાબ પુરવાર થાય છે. નાટકના રંગમંચ ઉપરના વર્તુળાકાર પ્રકાશ હેઠળ કોઈ પાત્ર કે દૃશ્ય હોય તેમ આ પ્રસારમાધ્યમ પણ લોકોમાં ધ્યાનાકર્ષક હોય ત્યાં સુધી અત્યંત ખુશમિજાજ રહેતું હોય છે. પરંતુ એ જ પ્રસારમાધ્યમ જ્યારે પેલા પ્રકાશ વિરુદ્ધના પડછાયા પાછળ ધકેલાઈ જતું હોય છે, ત્યારે તે સજાગ બની જાય છે અને પોતાની પ્રતિષ્ઠાને પુન: પાછી મેળવવા માટે ચિંતાતુર બની જાય છે.

સમાપને, મારે કહેવું પડશે કે રસદર્શન હેઠળના આ કાવ્યને મારે વારંવાર વાંચવું પડ્યું છે એટલા માટે કે જેથી હું કવયિત્રીએ પોતાના આ કાવ્યસર્જન વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણીઓ અનુભવી શકું. સાહિત્યપ્રકાર ‘વિવેચન’ નો એક મુખ્ય સિદ્ધાંત હોય છે કે કોઈપણ સાહિત્યિક રચનાના વિવેચકે તે કૃતિના મૂળભૂત ખ્યાલની એકંદર છાપને પોતાના માનસપટ ઉપર ઝીલવી પડે અને પછી સર્જકે જે લાગણીઓ અનુભવી હોય તેની સાથે તાદાત્મ્ય સાધીને પછી જ પોતાના શબ્દોમાં વિવરણ લખવું પડે  આ કાવ્યનું રસદર્શન લખવા પહેલાં મેં કાવ્યને સમજવાનો મારાથી શક્ય તેટલો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે મારા કાવ્યના અર્થઘટનમાં વાચકો કે ખુદ કવયિત્રીના મતે કોઈ વિરોધાભાસ કે કોઈ ભિન્ન મંતવ્ય હોય તો મને દરગુજર કરવામાં આવશે..

-વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

(Translated from English Version titled as “An Exposition of a Poem: “A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess” published on September 12, 2012) 

 

Tags: , , , , , , , , , , , , , , , , ,