My Dearest Netter, Blogger, FB, Twitter, Linked-In, Quora (Social Media) friends & those friends who are not on any Social Media Platform.
Hope you all are fine in all aspects of your valued life.
Today (5th May) is the special day for me as on this day in 2007, I had entered the Blogging world with my Blog “William’s Tales”. My 1st Post was titled as ‘A Free Home’. Total number of my Articles is 598 till now. My journey of 13 years in this new world has gifted me numerous friends from India and abroad, taking all together we may form a new village.
Subsequently to my parent Blog, I had started two more Blogs namely “Valda-no-Vaarta Vaibhav” on Dt.060313 (BD of my g.son Aabis) and “Manav-dharm’ on Dt.190315 (BD of my g.son Dr. Rameez Musa, M.S.- Ortho.). “Valda-no-Vaarta Vaibhav” is exclusive blog of my Short stories where I have posted my own 103 stories. “Manav-dharm’ is a common Blog with 83 Posts, where I have sought co-operation of other authors whose Articles were in line with the motive of the Blog.
Total number of all viewers of all the three blogs is 259250 and total visitors are 43353. Moreover, I have shared some Articles of mine on other sites such as ‘Matrubharti’, ‘Story Mirror’ and ‘Pratilipi’ etc. where I have been satisfactory enough with thousands of admirers and readers of my Literary work there.
Just to honor requests of some friends, I have published e-books with the Articles of my above blogs in number of 15 as follows and still some material is unpublished with which some three or more books can be published.
My published e-books :
૦૧. હળવા મિજાજે (નિબંધ-લેખ) : Pages-132 INR 300/- USD – 6.00 GBP – 5.00
02. In Changing Moods (Essay-Article) : Pages- 98 INR 200/- USD 5.00 GBP 4.00
03. In Light Mood (Essay-Article) : Pages-78 INR 150/- USD 4.00 GBP 3.00
04. In Thoughtful Mood (Essay-Article) : Pages-105 INR 250/- USD 6.00 GBP 5.00
૦૫. જળસમાધિ (વાર્તાસંગ્રહ-૧) : Pages-129 INR 350/- USD 8.00 GBP 7.00
૦૬. મારી કાન્તા (વાર્તાસંગ્રહ-૨) : Pages-136 INR 350/- USD 8.00 GBP 7.00
૦૭. મમ કવિતડાં (કાવ્ય –હાઈકુ) : Pages-173 INR 400/- USD 10.00 GBP 8.00
૦૮. પરિવર્તિત મિજાજે (નિબંધ-લેખ) : Pages-96 INR 200/- USD 5.00 GBP 4.00
૦૯. પ્રસન્ન મિજાજે (નિબંધ-લેખ) : Pages-75 INR 150/- USD 3.00 GBP 2.50
૧૦. સમભાવી મિજાજે (નિબંધ-લેખ) : Pages-113 INR 250/- USD 6.00 GBP 5.00
૧૧. વિચારશીલ મિજાજે (નિબંધ-લેખ) : Pages-132 INR 300/- USD 6.00 GBP 5.00
૧૨ વલદાનો વાર્તાવૈભવ (વાર્તાસંગ્રહ-૩) : Pages-164 INR 400/- USD 8.00 GBP 7.00
૧૩. વલદાની વાસરિકા (નિબંધ-લેખ) : Pages-98 INR 250/- USD 5.00 GBP 4.00
૧૪. કાવ્યાનુવાદન – રસાસ્વાદન (અનુવાદ-રસદર્શન) : Pages – 141 F.O.C.
૧૫. ગાલિબનું સર્જન-અર્થઘટન-રસદર્શન ભાગ-૧ : Pages–133 INR 500/- USD 10.00 GBP 8.00
(Note : Page Size of ebook is A-4 and it can almost be doubled in paperback form)
Total Cost of entire Set : Rs.4050/-
: CONTACT :
Valibhai Musa, 105, Nasir Road, KANODAR- 385 520 (Dist. B.K.)
Email – Valibhai Musa <musawilliam@gmail.com Mob. 93279 55577 // 94261 84977
Clarification :
Above list of books with price is not meant for any commercial purpose. I have linked above books with charity. Any person throughout world donates minimum 10% of Book Price to any Charitable Institution engaged in health and educational activities or Individually any needy person with no any discrimination will get whatever the book/s asked for. Just to send Link of the book/s, I’ll need his/her email Id. Such receiver of book/s may pass on the said book/s directly to anybody else with same condition of charity. Now, it is obvious that any such donor would not like to do so to degrade charity made for cause of humanity. But my intention behind my proposal is that I wish to create a chain of donors and make particular persons to be the part of this movement.
Guideline :
(1) No proof of charity done by anybody is required under good faith.
(2) Receiving email Id and order of book/s themselves are enough.
(3) Any person under chain can forward book/s directly from him/her to anybody else under conditions guided.
(4) If anybody has not any book/s available with him/her, he/she may ask for the same to me and I’ll manage for it.
Concluding, I hope that my good friends will be my co-sharer as suggested above for the cause of humanity.
With warm regards,
Valibhai Musa
P.S. : If anybody already possesses any book/s from above, he is allowed to circulate further under condition of charity.
Tags: Blogversary, charity
Tags: આમવૃક્ષ, કબર, કોરો કાગળ, ગ્રીષ્મ, પિયુ, ભિક્ષુક, માધુરી દીક્ષિત, મેઘ, વિસર્જન, સર્જન, સ્વગતોક્તિ, Colossal mistake, gentle giant
Dear Readers,
Here is worth-reading Article on this the gloomiest day of martyrdom of Hajarat Imam Ali (a.s.), the spiritual leader of the Twelvers i.e. Shia Ithnashari Sect.
With great sorrow,
-Valibhai Musa
Tags: Imam Ali, Martyrdom
મારા આગલા જન્મદિવસ નિમિત્તે લખાયેલા લેખ “મારો જન્મદિવસ – નવી નજરે” ઉપર એક નજર નાખી આવીને આજે મારા આજના ૭૪મા જન્મદિવસે ‘કંઈક’ લખવા જઈ રહ્યો છું, ત્યારે આ લેખનું શીર્ષક તો ઉપર મુજબ સહજ રીતે પહેલું જ લખાઈ જાય છે અને ‘કંઈક’ જે લખવાનું છે તે તો હવે આવી રહ્યું છે. તિર્યક, તિરછી, ત્રાંસી કે બાડી આંખ (Crossed eye) એ આંગિક ક્ષતિ ગણાય છે, પણ અહીં તિર્યક (તિરછી) નજરે જોવાની વાત છે. હું મારા ૭૩મા જન્મદિવસને અવલોકવા માટેની મારી એ ‘નવી નજર’ને અહીં સહેજ તિરછી કરીને મારા આજના જન્મદિવસને અવલોકીશ. આપ્તજનોને, સ્નેહીજનોને, મિત્રવૃંદને અને બ્લૉગવાચકોને વળી લાગશે કે આ તે વળી કેવી તિરછી નજર હશે અને એ તિરછી નજરે શું અવલોકાશે. તો મિત્રો, એ જાણવા માટે આપ સોએ આગળ વાંચવું જ રહ્યું.
વેદકાલીન ઋષિમુનિઓ આશ્રમનિવાસી છાત્રોને ‘દીર્ઘાયુષ્યમાન ભવ:’ કે ‘શતં જીવેમ શરદ:’ જેવા શબ્દોએ આશીર્વાદ આપતા, જેમાં ‘દીર્ઘ’ શબ્દ તો મોઘમ ગણાય અને તેથી તેમાં નિશ્ચિત વર્ષોનું આયુષ્ય ન સમજાય; પરંતુ ‘શતં જીવેમ શરદ:’માં તો નિશ્ચિત સો શરદ ઋતુઓ સુધીનો જીવિતકાલ અભિપ્રેત છે જ. આમ આનો મતલબ એમ સમજવો રહ્યો કે એ કાળે વધુમાં વધુ સો વર્ષનું આયુષ્ય પર્યાપત ગણાતું હશે અને એનાથી વધારે લાંબું આયુષ્ય જીવનાર અને જીવનારને સંલગ્ન લોકો માટે એ મોજ ન રહેતાં બોજ બની જતું હશે. એવું દીર્ઘ આયુષ્ય ભલે સંખ્યાત્મ્ક (Quantitative) રીતે આકર્ષક અને નવાઈ પમાડનાર લાગે, પણ તેને ગુણાત્મક (Qualitative) રીતે જોતાં નાપસંદ જ કરવું ઘટે.
ભારતીય મુખ્ય ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસુ; એમ વળી પ્રત્યેકની બે પેટા ઋતુઓ અનુક્રમે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ તરીકે ઓળખાય છે. હેમંત એ ગુલાબી ઠંડીની ઋતુ ગણાય, વસંતને ઋતુરાજનું બિરૂદ અપાય તો વર્ષાને વળી જીવનદાયિની તરીકે ઓળખવામાં આવે. આમ આ ત્રણેય પેટાઋતુઓને તેમની અનુગામી ઋતુ કરતાં ચઢિયાતી ગણવામાં આવે છે અને તેની પાછળનો તર્ક આ પ્રમાણે હોઈ શકે. હેમંતની ઠંડી સહ્ય હોય, જ્યારે શિશિરની ઠંડી હાડકાંને પણ ધ્રૂજાવી નાખે; વસંત ફૂલોની ઋતુના કારણે અહ્લાદક લાગે, જ્યારે ગ્રીષમમાં માથું ફોડી નાખતી ગરમી હોય; અને, વર્ષામાં અમૃતશો વરસાદ વરસતો હોય, જ્યારે શરદ તો આયુર્વેદની દૃષ્ટિએ રોગોની માતા ગણાય. હવે આપણે પેલા ઋષિમુનિઓની સો શરદ સુધી જીવવાના આશીર્વાદની વાતના રહસ્યને એ અર્થમાં પામી શકીએ કે શરદ ઋતુના રોગોમાંથી માણસ બચી જઈને એ ઋતુને હેમખેમ પાર પાડે તો ભયો ભયો ! આમ ભારતીય ઋતુચક્ર પ્રમાણે શરદ ઋતુનો છેલ્લો દિવસ એ જોખમી તબક્કાનો અંતિમ દિવસ ગણાય અને જે જણ જીવી ગયો તેણે જાણે કે નવજીવન પ્રાપ્ત કરી લીધું. અહીં એક તર્ક લડાવી શકાય કે આ નવજીવનની ખુશીમાં જ કદાચ દિવાળીના તહેવારો ઊજવવામાં આવતા હશે અને દિવાળીની રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવતા હશે !
ભૂમિતિના વિષયમાં જે તે પ્રમેય સિદ્ધ થવાના અંતે ‘ઇતિ સિદ્ધમ’ લખવામાં આવે તેમ અહીં એ વાત સિદ્ધ થાય છે કે દિવાળી પછીના નૂતન વર્ષનો હેમંતનો પહેલો દિવસ એ પ્રત્યેક જીવિત ભારતીયનો જન્મદિવસ ગણાવો જોઈએ ! આ હેમંત ઋતુ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી શરૂ થાય છે અને ધન રાશિની સમાપ્તિએ અંત પામે છે કે જે સામાન્યત: નવેમ્બરના મધ્યભાગથી જાન્યુઆરીના મધ્ય ભાગ સુધીની ગણાય. હેમંતની આહ્લાદકતાને કલાપીના ‘ગ્રામમાતા’ ખંડકાવ્યના પ્રારંભની આ પંક્તિઓથી માણી લઈએ.
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં !
સાંપ્રતકાલીન ચિંતનાત્મક લલિત નિબંધોમાં રેવ. ફાધર વાલિસના જેવો દબદબો જેમનાં લખાણોમાં વર્તાય છે એવા શ્રી કૃષ્ણકાંત ઉનડકટના “ચાલો, આપણે આપણો એક ‘ડે’ ઊજવીએ” નિબંધમાં તો એમણે દરેક વ્યક્તિને વર્ષના કોઈપણ એક દિવસને ‘માય ડે’ તરીકે ઊજવવાની સલાહ આપી છે, કે જે દિવસ પોતાની મરજી મુજબ જીવવાનો હોય; પરંતુ અહીં તો હું ‘બર્થ ડે’ને જ ‘માય ડે’ તરીકે ઊજવવાની વાત કરી રહ્યો છું અને એ ‘બર્થ ડે’ પણ આપણો વ્યક્તિગત નહિ, પરંતુ આપણા સૌ ભારતીયોનો સહિયારો એ એક જ દિવસ યાને કે નવીન વર્ષની હેમંત ઋતુનો પહેલો દિવસ. બેંકો, વીમા કંપનીઓ અને એવાં કેટલાંય ખાનગી સાહસોનું જેમ રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે, એમ ભારતના પ્રત્યેક નાગરિકના જન્મદિવસોનું પણ રાષ્ટ્રીયકરણ અર્થાત્ સામાન્યીકરણ કરી નાખીને હેમંતના પહેલા દિવસને ‘અવર ડે’ તરીકે ઊજવવામાં આવે તો જન્મદિવસોની ઉજવણીઓનું બિન ઉત્પાદક એવું કેટલું બધું ખર્ચ બચી જાય ! જો કે ‘દિલકો બહલાનેકે લિયે ગ઼ાલિબી ખયાલ અચ્છે હૈ’વાળી આ તો એક વાત થાય છે, આમ છતાંય પોતપોતાનાં પરિવારોના તમામ સભ્યો પૂરતો આ પ્રયોગ અમલમાં મુકાય તો જરાય ખોટું નથી. વળી કોલેજોમાં ઉજવાતા ‘Fishpond Day’ની જેમ આબાલવૃદ્ધ સૌ કુટુંબીજનો આ ‘અવર ડે’ પૂરતાં મોકળા મને એકબીજાં સાથે હળેમળે અને આમોદપ્રમોદ કરી લે તો આખુંય વર્ષ તનાવમુક્ત પસાર થાય અને ઘણી કૌટુંબિક સમસ્યાઓ હલ પણ થઈ શકે.
અમારા બહોળા પરિવારમાં ‘પાશેરામાં પહેલી પૂણી’ના ન્યાયે જે તે મહિનામાં આવતા તમામ સભ્યોના જન્મદિવસો એક સાથે અને કોઈ એક દિવસની નજીકના રવિવારે ઊજવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. કહેવાય છે ને કે કોઈ શુભ વિચારને અમલમાં મૂકવાનું કાર્ય પોતાનાથી જ શરૂ થવું જોઈએ.
આશાવાદી છું કે ‘જન્મદિવસોની ઊજવણીઓ’નો આ નવતર ખ્યાલ મારા સુજ્ઞ વાચકો સુધી પહોંચ્યા સિવાય રહેશે નહિ.
ધન્યવાદ.
-વલીભાઈ મુસા
(નોંધ :- ‘Face Book’ ઉપર શુભચિંતકોના શુભ સંદેશાઓના મારા પ્રત્યુત્તરમાં આ લેખની જાહેરાત થઈ ગઈ હોઈ સમયના અભાવે હું આને વિસ્તારી શકતો નથી અને યથાવત્ મૂકવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું. જન્મદિવસોની ઊજવણીઓ પાછળની ફિલસુફીને જાણવા માટે મારા ગયા વર્ષના લેખ “મારો જન્મદિવસ – નવી નજરે”ને નીચે આપેલા લિંકે વાંચવાની ખાસ ભલામણ કરવાનાં આવે છે.)
જન્મદિવસને અનુલક્ષીને આનુષંગિક મારા લેખો :
Tags: કલાપી, કૃષ્ણકાંત ઉનડકટ, ગીષ્મ, જન્મદિવસ, તિર્યક, પ્રમેય, ભૂમિતિ, વર્ષા, વસંત, શરદ, શિશિર, હેમંત, Fishpond day
[…] Click here to read in English […]