RSS

Category Archives: Criticism

(373) Best of 5 years ago this month May – 2008 (13)

(373) Best of 5 years ago this month May – 2008 (13)

Click on …

Lady with the lantern !

Lose and long on life long

Life and Literature

1st Anniversary of “William’s Tales”

– Valibhai Musa

 

Tags: , , , ,

(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

સાહિત્યજગતમાંના કદાચ નવતર એવા એક પ્રયોગ રૂપે મારી વિવેચનકૃતિઓના લેખ/નિબંધના ‘સમભાવી મિજાજે’ આ સંગ્રહની અત્રે મારી જ કલમે હું દુષ્કર એવી વિવેચનાત્મક પ્રસ્તાવના લખવાનું દુ:સાહસ ખેડવા જઈ રહ્યો છું. મને પોતાને તો મારા પ્રયત્નની ફલશ્રુતિની કોઈ ખબર નથી; પણ હા, એટલું તો ચોક્કસ છે જ કે મારા આ કાર્યમાં હું સંપૂર્ણ નહિ તો અંશત: પણ સફળ પુરવાર થઈશ. સર્વપ્રથમ તો હું આ નવતર પ્રયોગ કરવા કેમ લલચાયો છું તેની પૂર્વભૂમિકા આપીને પછી જ મારા લેખનમાર્ગે આગળ પ્રયાણ કરીશ.

મેં મારા બ્લોગ ઉપર “Needing voluntary, neutral and stranger critics for my P-Books” શીર્ષકે હળવું હાસ્ય ઉત્પન્ન કરે તેવી થોડા સમય માટે એક પોસ્ટ મૂકી રાખી હતી, જેનો મતલબ એમ થતો હતો કે જાણે કે હું મારાં મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ થનારાં આગામી પુસ્તકો માટે વિવેચકો મેળવવા માટેની જાહેરાત આપી રહ્યો છું! મારા અનેક જાણીતા સાહિત્યિક મિત્રોને મારાં પુસ્તકો માટેનું વિવેચનકાર્ય બજાવવા માટેની એક વિનંતી માત્ર કરતાં સઘળા મિત્રભાવે આગળ ધસી આવે તેમ હોવા છતાં મેં એવા ત્રાહિતોને જ જાહેર નિમંત્રણે નિમંત્ર્યા હતા કે જેઓ મારા માટે અને હું તેમના માટે સાવ અજાણ્યા હોઈએ કે જેથી હું મારાં પુસ્તકો માટેનું તટસ્થ વિવેચન પ્રાપ્ત કરી શકું. મારી આ મુર્ખાઈ હતી, કેમ કે કોઈપણ સ્વમાની વિવેચક આમ આવી જાહેરાત માત્રથી સામા પગે વિવેચનો લખવા આગળ આવે નહિ; અને આમ થયું પણ એવું જ કે છેવટે બેએકમાસના અંતે મારે મારી એ પોસ્ટને પાછી ખેંચી લેવી પડી હતી. આમ આજે હું ‘સ્વયંપાકી’ની જેમ‘સ્વયંવિવેચકી(!)’ બનવાનો નમ્ર પ્રયત્ન કરી રહ્યો છું.

હું મારી કૃતિઓના કર્તૃત્વ વિષયે આગળ વધવા પહેલાં સાહિત્યપ્રકાર ‘વિવેચન’ અંગે થોડોક પ્રકાશ નાખવા માગું છું. એન્ડી વોરહોલ (Andy Warhol) લખે છે ‘કોઈ પણ કલા કે સાહિત્યને માત્ર સર્જવા ખાતર સર્જી નાખો નહિ; પણ અન્યોને એ નક્કી કરી લેવા દો કે તે સર્જન સારું છે કે ખરાબ છે, તેઓ તેને પસંદ કરે છે કે ધિક્કારે છે.” આમ, હું પણ ઈચ્છું છું કે મારા સર્જનને કઠોર રીતે વિવેચવામાં આવે. હું એ પણ ઈચ્છું છું કે હું મારા લખાણમાં ક્યાંક ખોટો હોઉં તો એવો વિવેચક મારો કાન પણ ખેંચે. માત્ર હાજી હા કહેનાર કે લેખકના લખાણને માત્ર બિરદાવનાર વિવેચક લેખકના માટે લાંબા ગાળે નુકસાનકારક પુરવાર થતો હોય છે. મારી ઉપરોક્ત કહેવાતી જાહેરાતમાંનો ‘Neutral’ શબ્દ પણ સહેતુક હતો, કેમ કે વિવેચક એ લેખકનો માત્ર મિત્ર કે દુશ્મન ન બની રહેતાં તે તટસ્થ રહેવો જોઈએ. તેણે સર્જનના સાચા ન્યાયાધીશ બની રહીને તેના ગુણાવગુણને સ્પષ્ટ રીતે નિર્દેશવાથી અચકાવું ન જોઈએ. તો વળી સાથે સાથે વિવેચક લેખક કે તેના લેખન માટે કોઈ પૂર્વગ્રહ પણ ધરાવતો ન હોવો જોઈએ. અહીં વિવેચકનો જે વિવેચનધર્મ સમજાવવામાં આવી રહ્યો છે, તેની પાછળ પણ એક આશય છુપાએલો છે કે મારા આ પ્રકરણના અંતે મારા સુજ્ઞ વાચકો એ તારણ કાઢી શકે કે મેં સાચે જ મારો વિવેચનધર્મ નિભાવ્યો છે કે કેમ! મેં અગાઉ જણાવ્યું છે તેમ આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અગાઉ જણાવ્યું તેમ ‘સમભાવી મિજાજે’ નો લેખક અને વિવેચક એમ બંને હું હોઈ જરૂર લાગે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહ્યા!

સાવ નવીન એવા સ્વયં-વિવેચનના પ્રયોગ અન્વયે અગાઉ કહ્યું તેમ આ એક અશક્ય નહિ તો મુશ્કેલ કાર્ય જરૂર છે. અહીં માનવ મનોવિજ્ઞાનના સંદર્ભે કહીએ તો સ્વયં-વિવેચકે આંતરનિરીક્ષણ પદ્ધતિએ પોતાનું વિવેચનકાર્ય પાર પાડવાનું હોય છે. કોઈક પ્રતિભાશાળી લેખકો જ પોતાના સર્જનનું સક્ષમ વિવેચન કરી શકતા હોય છે. આ કામ તેઓ એવી રીતે પાર પાડી શકતા હોય છે જાણે કે તેઓ અન્ય કોઈ ત્રાહિત સાહિત્યકાર કે તેના સાહિત્યસર્જનનું વિવેચનકાર્ય ન કરતા હોય! આ કાર્ય એવું કઠોર હોય છે કે જેને પોલાદ કે હીરાની કઠોરતાની ઉપમા આપવી પડે. અહીં આવા વિશિષ્ઠ વિવેચકે સર્જક અને વિવેચકની એવી બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. આ પ્રક્રિયામાં એક અનુકૂળતા હોય છે કે બંને ભૂમિકાઓને એક પછી જ બીજી એમ ભજવવાની હોય છે. અન્ય શબ્દોમાં કહેતાં મૂળ કાર્ય પૂરું થયા પછી જ તેને આનુષંગિક દ્વિતીય કાર્ય શરૂ થતું હોય છે. સ્વયંવિવેચન એટલે પોતાના જ લેખનકાર્યને ઓળખાવવું, તેનું મૂલ્યાંકન કરવું, તેનાં વિવિધ પાસાંને નાણી જોવાં અને તેની ખામીઓ તથા ખૂબીઓને તટસ્થભાવે નિરુપવી. લખાણના પૃથક્કરણનું સાતત્ય સર્જકને ક્રમિક રીતે પૂર્ણતા તરફ દોરી જતું હોય છે.

મારા સુજ્ઞ વાચકો મને માફ કરશે કેમ કે હું તો વિવેચન લખવાના બદલે વિવેચનના પાઠ શીખવવા લાગી ગયો હતો. ‘સમભાવી મિજાજે’ એ લેખકનું ઉત્તરાર્ધે ‘મિજાજે’ શબ્દધારી છઠ્ઠું પુસ્તક છે. વિવિધ વિષયો ઉપરના લેખો કે નિબંધોના સંગ્રહો પૈકીના એક એવા આ સંગ્રહના પહેલા ભાગમાં તેમના માત્ર વિવેચનલેખોને સંકલિત કરવામાં આવ્યા છે. તેમણે બ્લોગજગતના નામી કે અનામી સર્જકોના વિવિધ સાહિત્યપ્રકારો જેવા કે લેખો, કાવ્યો, લઘુનવલ, ગઝલ વગેરે ઉપર પોતાના વિવેચનલેખો લખ્યા છે. તો વળી સાહિત્યસર્જકના પરિચયલેખ ઉપરાંત તેમણે મુદ્રિત સ્વરૂપે કે ઈ-બુક સ્વરૂપે લખાએલી નવલકથા કે કાવ્યસંગ્રહ ઉપર પોતાના વિદ્વતાસભર વિવેચનલેખો આપીને તેમણે પોતાની એ પ્રકારની કાર્યક્ષમતા પણ દેખાડી છે. ફ્રેન્ક ક્લાર્ક (Frank Clark) વિવેચન સબબે પોતાનું મંતવ્ય આપતાં લખે છે કે વિવેચન એ ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવું હોવું જોઈએ કે જે થકી સર્જકનું સર્જનકાર્ય તેનાં મૂળિયાંને હાનિ થયા વગર પોતાના ઉત્તરોત્તર વિકાસ માટેનું પોષણ મેળવતું રહે. લેખકે પોતાના આ વિવેચન સંગ્રહમાં કોઈક નવોદિતોને સદરહુ વિધાન મુજબ પોતાના પ્રોત્સાહક શબ્દો થકી એવું બળ પૂરું પાડ્યું છે કે જે થકી તેમના લખાણમાં પરિપક્વતા આવતી રહે અને પૂર્ણતા તરફ તેમની ગતિ થતી રહે. આના ઉદાહરણમાં તેમના લેખ “મુનીરા અમી કૃત ‘નીરવનું વર્ણન’ નું રસદર્શન”ને ગણાવી શકાય. તેમના પ્રોત્સાહક શબ્દો વાંચો : ‘નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો.’

શ્રી વલીભાઈ એક તરફ મુનીરા અમી જેવી નવોદિત કવયિત્રીને પ્રોત્સાહન પૂરું પાડે છે, તો વળી બીજી તરફ બ્રિટીશ-પેલેસ્ટિઅન એવી સિદ્ધહસ્ત કવયિત્રી રબાબ મહેરને તેમના સમજવા માટે દુષ્કર અને પ્રથમ નજરે સાવ નીરસ લાગતા એવા નવીન જ વિષય ઉપરના અંગ્રેજી કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’ – (A Publicity Whore)ને બબ્બે મોંઢે વખાણે છે. પ્રસાર માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રથમ નજરે આકર્ષક લાગતા પોકળ પ્રચારને વિવેચક સરસ એવા ડાકણના ઉદાહરણથી સમજાવે છે કે ડાકણ સામા મોંઢે તો રૂપાળી લાગતી હૌય છે; પણ જેવી તેણી પોતાની પીઠ ફેરવતી હોય છે, ત્યારે તેણીના આંતરિક ખુલ્લા માંસ અને હાડકાંના કમકમાટી ઉપજાવે તેવા દૃશ્યથી તેણી ભયાનક ભાસતી હોય છે. આમ આ પ્રસારમાધ્યમો તેમના બાહ્ય આકર્ષક મહોરા પાછળની આંતરિક કુરૂપતાને સંતાડી રાખીને ‘સમૂહગત છેતરપિંડીનાં હથિયારો’ પ્રયોજીને પ્રજાને ગુમરાહ કરતાં હોય છે. વિવેચકે આ કાવ્યનું રસદર્શન અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં પોતાના બ્લોગ ઉપર આપ્યું છે, પરંતુ તેનું અંગ્રેજી વર્ઝન વધુ અસરકારક માલૂમ પડે છે; કેમ કે હકીકતે કાવ્ય પણ મૂળ અંગ્રેજીમાં જ લખાએલું છે. સામાન્ય રીતે અનુવાદન મૂળ ભાષામાંના લખાણની અસરકારકતાને વધતાઓછા અંશે અવશ્ય ગુમાવે તેવું બનતું હોય છે.

હરનિશ જાનીના ‘પ્યાર-તકરાર’ હાસ્યલેખ ઉપરનું વલીભાઈનું અવલોકન પ્રશંસનીય રહ્યું છે. લેખકના નર્મમર્મયુક્ત આ લેખના વિવેચનમાં વલીભાઈએ પોતાના તરફની એક પ્રાસંગિક રમૂજી વાતને મૂકી છે કે જેમાં ટ્રેઈનના ડબ્બામાં બે જણ લડતા ઝગડતા વારાફરતી કાચની બારી ખોલબંધ કર્યે  જ  જાય છે,  પણ  તેમને ખબર હોતી  નથી કે  બારીને કાચ  છે જ નહિ અને તેઓ માત્ર ફ્રેમને  જ  ઊંચીનીચી કરતા હોય છે!  નવોદિતોનાં સર્જનો ઉપર પ્રોત્સાહક પ્રતિભાવો આપતા જતા આ સમભાવી વિવેચક શ્રી વલીભાઈ ગુજરાતી હાસ્યસાહિત્યમાં જેમનું નામ ગાજે છે અને જેમનાં બબ્બે હાસ્યપુસ્તકોને પુરકૃત કરવામાં આવ્યા હોય તેવા ધુરંધર અને પ્રતિભાશળી સાહિત્યસર્જક શ્રી હરનિશભાઈ જાનીના સર્જનને પણ વિવેચે છે અને તેમના આ લેખના શીર્ષક વિષે પણ આ શબ્દોમાં તેમને બિરદાવે છે કે ‘પ્યાર તકરાર’ સરસ શીર્ષક લાવી જાણ્યા છો.’

શ્રી વલીભાઈએ ‘સમભાવી મિજાજે’ ના પ્રથમ ભાગમાં મામા અને ભાણેજ એવા અનુક્રમે સુરેશભાઈ જાની અને પંચમ શુક્લ તથા તે જ રીતે શ્રી વિજયભાઈ શાહની એકાધિક કૃતિઓને સમાવવાના બદલે કેટલાક અન્ય સર્જકોની કૃતિઓના વિવેચનને સ્થાન આપ્યું હોત તો વિવેચનના આ પુસ્તકમાં વિશેષ પ્રમાણમાં કર્તાઓ અને કૃતિઓનું વૈવિધ્ય આપી શકાયું હોત! સુરેશભાઈના ‘કેલેન્ડર’ ઉપરના અવલોકનના લેખ ઉપરના પ્રતિભાવમાં શ્રી વલીભાઈએ ‘ખોવાએલું ઊંટ અને વટેમાર્ગુની અવલોકનશક્તિ’વાળી પ્રચલિત વાતને સરસ રીતે સાંકળી લીધી છે. તો વળી, સુરેશભાઈની ‘અવલોકનો’ શીર્ષકવાળી ઈ-બુકની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈ સરસ મજાની જૂના જમાનાના પગીઓની વાત લાવી દે છે. તેમની ‘ઈશ્વરનો જન્મ’ વાર્તા તેમના બ્લોગ ઉપર પ્રસિદ્ધ થવા ઉપરાંત તાજેતરમાં એ જ વાર્તા મધુ રાય સંપાદિત હમણાં નવીન જ શરૂ થએલા વાર્તામાસિક ‘મમતા’માં પ્રસિદ્ધ થઈ ચુકી છે. શ્રી વલીભાઈએ આ વાર્તાના વિવેચનમાં ખાસ કરીને તેના શીર્ષક પરત્વે વિભિન્ન ધર્મોમાંથી અવતરણો કે વિચારો ટાંકીને ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે કેટલાંક વૈકલ્પિક શીર્ષકો ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ સૂચવ્યાં છે. સુરેશભાઈની ‘વર્તમાનમાં જીવન’ શીર્ષકે અનુવાદલેખ શ્રેણીના વિવેચનમાં શ્રી વલીભાઈ સરસ મજાનો આ શબ્દોમાં પ્રારંભ કરે છે : ‘એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે.’ જો કે તેમને પાછળથી ‘The Power of Now’ નો કોઈકે ગુજરાતીમાં અનુવાદ કરી દીધો છે તેવું જાણવા મળતાં આ લેખશ્રેણીને તેમણે અટકાવી દીધી હતી.

શ્રી વલીભાઈ ક્યાંક કબૂલે છે કે જીવનની ઉત્તરાવસ્થાએ શ્રી સુરેશભાઈ જાની એક ભાઈ સમા મિત્ર તરીકે સાંપડ્યા છે અને આમ તેમના ભાણા એ વલીભાઈના પણ ભાણા થાય અને તે ન્યાયે તેમણે પંચમ શુક્લની ‘એક બ્લોગ્મંડૂકને’, ‘એ એ જ રીતે હીંચી છે!’, ‘ખેચરી’ અને ‘What a wonderful world!’ નો ભાવાનુવાદ એમ ચારચાર રચનાઓના અવલોકન થકી તેમણે કવિ પ્રત્યેના પોતાના મોસાળપ્રેમને અભિવ્યક્ત કર્યો છે. અહીં કોઈએ ‘વલીભાઈએ સગાવાદ નિભાવ્યો છે!’ એવું ન વિચારતાં એ ચારેય કૃતિઓને અવલોકવી પડશે. પોતાના બ્લોગ ઉપર મુકાતી તેમની સઘળી રચનાઓ ઉપર પ્રતિભાવોનો ખડક્લો રચાઈ જાય તે જ તેમનાં કાવ્યોની ગુણવત્તાનું પ્રમાણ છે. ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ એ તો એવો સરસ મજાનો મૂળ અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ છે કે જે ઝવેરચંદ મેઘાણી જેવા ભાવાનુદિત કાવ્યોના સમર્થ સર્જકોની હરોળમાં બેસી શકે તેવો છે. તેમના એક બ્લોગ્મંડૂકને’ કટાક્ષકાવ્યે તો તેમના બ્લોગ ઉપર તરખાટ મચાવી દીધો હતો.

શ્રી વલીભાઈ મુસાએ પોતાના હ્યુસ્ટન(અમેરિકા) ખાતે રહેતા મિત્ર શ્રી વિજયભાઈ શાહનાં બે પુસ્તકો અને તેમના ‘મારા પિતાજી’ કાવ્ય ઉપર પણ પોતાની પ્રમાણભૂત આલોચના લખી છે. તેમની ‘ટહુકો એકાંતના ઓરડેથી’ પત્રશ્રેણી રૂપે તેમના બ્લોગ ઉપર લખાએલી નવલકથા મુદ્રિત સ્વરૂપે બહાર પડી ચૂકી છે, જેમાં શ્રી વલીભાઈના પ્રતિભાવને સ્થાન આપવામાં આવ્યું છે. ‘નિવૃત્તિની પ્રવૃત્તિ’ કે જે શ્રી વિજય શાહ અને ‘હરિપ્રેમી’શ્રી દ્વારા સંયુક્ત રીતે લખાએલું મનનીય પુસ્તક છે તેના મુદ્રિત સ્વરૂપમાં પણ શ્રી વલીભાઈનો પ્રતિભાવ સ્થાન પામ્યો છે. પોતાના અમેરિકાના પ્રવાસ વખતે જેમની સાથે શ્રી વલીભાઈને પરિચય થયો હતો તે દેવિકાબેન ધ્રુવની ગઝલ ‘વાત લાવી છું’ ઉપરના તેમના પ્રતિભાવ વિષે મૂળ લેખ નીચેના હ્યુસ્ટનસ્થિત ગુજરાતી સાહિત્યપ્રેમીઓ પૈકીના એક ભાઈશ્રી નવીન બેન્કરના તેમને ચણાના ઝાડ ઉપર ચઢાવી દેતા તેમના પ્રશંસાત્મક પ્રતિભાવ અને લઘુતાગ્રંથિ તરફ સરકી જાય તેવા તેમના મનોભાવને ત્યજી દેવાની ચાનકરૂપ તેમની સલાહ તેમના પ્રત્યુત્તરીય પ્રતિભાવમાં જોવા મળે છે. બ્લોગીંગ પ્રક્રિયામાં પ્રતિભાવોનું એક આગવું સ્થાન હોય છે, જે બ્લોગરને ઉત્સાહિત કરે છે અને તેના લખાણની ગુણવત્તાની બાબતમાં તેને સદા જાગૃત રાખે છે.

આ પ્રસ્તાવનાના અતિવિસ્તારને મર્યાદિત કરવાના પ્રયત્ન રૂપે હું મારા હવે પછીના લખાણને ટૂંકમાં પતાવીશ. આ લેખસંગ્રહના પ્રથમ ભાગમાં આ પ્રસ્તાવનામાં બાકી રહી જતા બે ખાસ લેખોની ખાસ નોંધ લેવી પડે તેમ હોઈ તેને અવગણી શકું તેમ નથી. એ બંને લેખો છે : (૧) મારી કલમે હું (મારા ૭૨મા જન્મદિવસે) (૨) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના. હાઈકુ કાવ્યપ્રકારમાં વિવિધ પ્રયોગો કરી ચુકેલા આ લેખક મહાશય પોતાની જ કલમે પોતાનો પરિચય રસમય રીતે એવી રીતે આપે છે કે જેમાં તેમની આત્મશ્લાઘાનો અંશ માત્ર પણ દેખાય નહિ. ‘કાવ્યસરવરના ઝીલણે’ની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈએ ઘણા વિવેચકોને ટાંકીને લેખને રસપ્રદ બનાવ્યો છે, તેમ છતાંય તેમની પોતાની કબુલાત મુજબ ત્રણેક દસકાના સાહિત્યજગતથી દૂર રહેવાના તેમના સંજોગોના કારણે સાંપ્રત સાહિત્યની ગતિવિધિને તેમાં સ્થાન આપી શક્યા નથી, જે તેમની એક મોટી મર્યાદા બની રહે છે.

‘સમભાવી મિજાજે’ નો બીજો ભાગ પ્રથમ ભાગથી વિષયે અને સાહિત્યપ્રકારે સાવ જુદો પડે છે. આનું ‘ભેદભરમની ભીતરમાં’ લેખશ્રેણી એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ વિભાગના છએ લેખ સ્વાનુભવ ઉપર આધારિત છે. તેના લખાણમાં લેખકથી આત્મપ્રશંસા ન થઈ જાય તેની ખાસ કાળજી લેવાઈ છે. આ લેખોમાં વિષયોની વિવિધતા પણ છે. ‘એક વિચારયાત્રા’માં વાચકને સર્જનહારની અકળ એવી માનવજીવનમાંની વ્યવસ્થા અને ઘટનાક્રમની અનુભૂતિ થયા વગર રહેશે નહિ. વળી આ જ લેખના અંત ભાગે આપણને વિચારયાત્રાઓની ફલશ્રુતિઓ જાણવા મળે છે. ‘આસ્થા કે ઈમાન!’ માં એક અજીબોગરીબ ઘટનાની આપણને જકડી રાખે તેવી લેખકની સ્વાનુભવની વાત છે. ‘ભૂતપ્રેત!’ માં પણ આપણને વિચારતા કરી મૂકે તેવી છણાવટ સાથેના બેએક પ્રસંગો આપવામાં આવ્યા છે. લેખકે આ લેખમાં ‘ભૂતપ્રેત’ની માન્યતાને સમર્થન કે તેનો વિરોધ એમ એવા બંને છેડાથી પોતાની જાતને અલિપ્ત રાખી છે. ‘એક અનોખો દુ:ખદ સ્વાનુભવ’ એ લેખકના પશુપાલનના વ્યવસાય સાથે સંકળાએલી ભેંસના ગર્ભાધાન વિષેની આપણામાં રહેલી જીવદયાની લાગણીને ઢંઢોળતી સત્ય કથા છે. ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ એ વરલી મટકા પ્રકારના જુગાર સાથે સંકળાએલી માહિતીપ્રધાન કથાતત્વ ધરાવતી સત્ય ઘટના છે તો વળી ‘સાચું કોણ?’ શીર્ષકધારી છેલ્લો લેખ રસમય રીતે એમ અંત પામે છે કે બંને પક્ષ છેવટે સાચા પુરવાર થાય છે.

આ લેખના શીર્ષક ‘હું જ મારા વિવેચનસંગ્રહનો વિવેચક!’ ઉપરથી કોઈ વાચકને એમ લાગ્યા વિના નહિ રહે કે મેં ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી?’વાળી કોઈ હાસ્યાસ્પદ ચેષ્ટા અહીં કરી છે! પ્રારંભના ફકરામાં દર્શાવ્યા મુજબ મારા આ પ્રયાસ કે ચેષ્ટાની ફલશ્રુતિ નક્કી કરવાની જવાબદરી આપ સૌ વાચકોના શિરે નાખીને હળવો ફૂલ જેવો થતાં મારી પ્રસ્તાવનાના અતિવિસ્તાર બદલ આપ સૌ વાચકોની ક્ષમા યાચીને વિદાય લઉં છું.

ધન્યવાદ

વલીભાઈ મુસા.

 

Tags: , , , , , , , , ,

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

(૩૫૪) એક પ્રતિભાશાળી મુસ્લીમ કવયિત્રી ‘રબાબ મહેર’ ના કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’નું રસદર્શન

Click here to read in English

“મારા ‘યોગ’ વિષેના દૃષ્ટિકોણને પુષ્ટિ આપવા બદલ આપનો આભાર. કેવી રીતે તે મને યાદ આવતું નથી, પણ ગમે તેમ તોય સરસ મજાના એવા આપના બ્લોગના સંપર્કમાં હું આવ્યો તો ખરો જ. સરળતા, સ્પષ્ટતા અને સાંવેગિક અભિગમ એ સઘળાં આપની કવિતાનાં આકર્ષક તત્વો છે.” મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા. તેણીના બ્લોગ ‘BoBi’z Breathings…’ માંના ‘A Publicity Whore’ (પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી) શીર્ષકે સરસ મજાના એક કટાક્ષકાવ્યનું મારા બ્લોગવાચકોને અહીં રસદર્શન કરાવતાં હું આનંદની લાગણી અનુભવું છું.

હું આગળ વધું તે પહેલાં, રસદર્શન કરાવવામાં આવતા આ કાવ્યને અહીં મૂકવું હું જરૂરી માનું છું. આમ ન  કરવું તે અંધારામાં ગોળીબાર કરવા જેવું સાબિત થશે. આ લેખ ઓનલાઈન હોઈ કદને નિયંત્રિત કરવાના હેતુસર કવયિત્રીની પૂર્વમંજૂરીથી અહીં કાવ્ય ‘A Publicity Whore’નો માત્ર લિંક આપું છું. વળી એ સાવ દેખીતું જ છે કે જ્યારે આ ઈ-બુક કે જેમાં આ લેખને સમાવિષ્ટ કરવામાં આવ્યો હશે તેને મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે, ત્યારે તો આખેઆખા મૂળ કાવ્યને રજૂ કરવું જ પડશે. આમ હાલ જ એવી સ્થિતિ સર્જાતાં નીચે એ કાવ્યને તેના અંગ્રેજી વર્ઝનમાં જ અભિવ્યક્ત કરી દઉં છું.

 A Publicity Whore

 Weapons of Mass Deception

*       *       *

I am the one that uses and abuses unseeing

A leech that sucks the essence out of one’s being

*       *       *

Exploitation is my one and only valid name

And exclusivity and fame is my main game

*       *       *

I show you the world from my point of view

But the facts I keep securely obscured from you

*       *       *

I fiercely claim I fight and speak up for the truth

Whilst my treatment of my workers is rather uncouth

*       *       *

I do not bother about loyalty or human respect

The existence of my servants I contentedly neglect

*       *       *

Their lives I willingly sacrifice and their blood I shed

After they are gone I bury their name with the dead

*       *       *

I label the gone souls with “martyrs” to fool you

To deter you away from seeking what is true

*       *       *

I cunningly name my studios after the deceased

Although their lives for me have long ceased

*       *       *

I may remember those ‘no more’ during anniversaries

But I only do so to win favour and shun adversaries

*       *       *

You all fall for it with your eyes widely sealed

Your ears not hearing the words I mutely revealed

*       *       *

I easily dispense with those who are for justice

Before they betray my character: my cowardice

*       *       *

  I dismiss the moral for they may tarnish my veneer

Expose what I really am and my name they smear

*

Because . . .

*

Beneath my infamous façade, I am a publicity whore

I only please you with frivolity and nothing more

*       *       *

When I am in the spotlight, I smile to gain that publicity

And behind the shadow of that light, I just care about me

                         –   Rabab Maher

આ કાવ્યને આત્મકથાનક રૂપે લખવામાં આવ્યું હોઈ તેમાં વૈયાકરણીય પરિભાષાએ કહેતાં કવયિત્રીએ પહેલો પુરૂષ એકવચનનું સર્વનામ ‘હું’ પ્રયોજ્યું છે. આ કાવ્ય ‘વીજાણુ પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું હોઈ તેણીએ તેના શીર્ષક નીચે ટીવી ઉપકરણનું ચિત્ર આપ્યું છે અને સાથે ‘સમૂહ છેતરપિંડીનાં સાધનો’ શબ્દો દ્વારા તેની કટાક્ષમય ઓળખ પણ આપવામાં આવી છે. વળી કવયિત્રીએ પોતાના કાવ્ય ઉપરની કોઈક કોમેન્ટના પ્રત્યુત્તર રૂપે એ પણ ખુલાસો કર્યો છે કે તે કાવ્ય ‘નાનકડા કતારના પ્રસાર માધ્યમ’ ઉપર લખાયું છે.

‘વીજાણુ પ્રસાર માધ્યમના માળખા’ને અહીં આલંકારિક ભાષામાં ‘ખરાબ ચારિત્ર્ય ધરાવતી સ્ત્રી’ સાથે સરખાવવામાં આવ્યું છે. પોકળ પ્રસિદ્ધિ એ કાલ્પનિક એવી ડાકણ જેવી હોય છે કે જે આપણી સામે તેનો ચહેરો ધરી રાખે તો સુંદર દેખાતી હોય છે, પણ તેણી જેવી પોતાની પીઠ ફેરેવે કે તરત જ તેણી આપણને પોતાનાં આંતરિક ખુલ્લાં અને ભયાનક હાડકાં અને માંસના લોચાઓ થકી બિહામણી લાગતી હોય છે. ટેલિવિઝન અને વેબજગત સામુહિક છેતરપિંડીનાં એવાં ખૂબ જ અસરકારક ઉપકરણો છે કે જે કહેવાતાં સત્યોના અંચળા હેઠળ ભ્રામક પ્રચારના ભાગ તરીકે બિનઅધિકૃત પ્રસારણો દ્વારા શ્રોતાઓ કે દર્શકોનાં દિમાગોને ભરમાવી નાખતાં હોય છે. મુદ્રિત અને વીજાણુ પ્રસાર માધ્યમો આજકાલ એવાં શક્તિશાળી પુરવાર થયાં છે કે જે જૂઠ્ઠાણાં ફેલાવીને અને મનઘડત વાતોને ગૂંથીને પ્રજાને પોતાની ઈચ્છા મુજબનાં બિબાંઓમાં ઢાળી શકે છે. આવાં પ્રસારમાળખાં પોતાનાં શક્તિશાળી કેમેરા અને ઉપગ્રહો જેવાં માધ્યમો કે સાધનો અને પત્રકારો તથા તેમનાં ભ્રામક પ્રચાર કૌશલ્યોની મદદ વડે પોતે ધારે તે કરી શકવા સમર્થ હોય છે. આ પ્રસારમાધ્યમો  ગમે તેવા ખેરખાં માણસની મહાનાયક તરીકેની તેની પ્રતિભાને ઝાંખી પાડીને અથવા તેને શુન્યવત્ કરી નાખીને તેને કોડીની કિંમતની કરી દઈ શકે છે.

આ પ્રસાર માધ્યમોની ભૂમિકાઓ મોટાભાગે નકારાત્મક હોય છે અને તેથી જ તો કવયિત્રીએ કાવ્યના અંત સુધી માનવજાતને બધી જ રીતે નુકસાનકારક એવા દુષ્ટ સાધન તરીકે તેને ચીતર્યું છે. સદરહુ કાવ્ય પ્રસાર માધ્યમની એ કબુલાતથી શરૂ થાય છે કે તે પોતે પાણીમાંની લોહી ચૂસતી જળો જેવું છે કે જે લોકોની પ્રતિષ્ઠા અને તેમની જિંદગીના ભોગે પોતાના અસ્તિત્વને સ્થિર અને મજબુત રાખવા માગે છે. આ માધ્યમ અણદેખી વસ્તુઓને એવી રીતે રજૂ અને પુન: રજૂ કરી શકે છે કે જાણે કે વાસ્તવમાં તેઓ અસ્તિત્વ ધરાવતી હોય! તે હંમેશાં પોતાની પ્રસિદ્ધિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહેતું હોય છે અને પોતાના એ હેતુને બર લાવવા તે લોકોનું અને અન્યોનું શોષણ કરતાં પણ અચકાશે નહિ. મુદ્રિત કે વીજાણુ પ્રસાર માધ્યમો નીતિમત્તાથી વેગળાં હોય છે અને તેમનું પીળું પત્રકારત્વ સંશોધન કર્યા વગરના ઊડીને આંખે વળગે તેવાં મુખ્ય શીર્ષકો સાથેના સમાચારો કે જે તેમના વ્યવસાયને શોભે નહિ તે રીતે કામ કરતું હોય છે. આ બંને પૈકી મુદ્રિત સ્વરૂપના પ્રસાર માધ્યમને પોતાના સમાચારપત્રની વધુ ને વધુ પ્રતો વેચાય તેમાં રસ હોય છે; તો વળી, વીજાણુ માધ્યમોને પોતાના ટેલિવિઝન કે ચેનલના કાર્યક્રમને બહોળા પ્રમાણમાં દર્શકો મળી રહે તે જ તેમનું લક્ષ હોય છે, કે જેથી તેમનો ટીઆરપી જળવાઈ રહે અને તેના પરિણામે તેમને મોટા પ્રમાણમાં ધંધાકીય જાહેરાતો મળી રહે. આમ આ માધ્યમો પેલી કુલટા સ્ત્રીની જેમ બધા જ પ્રકારનાં નખરાં અજમાવીને, પોતાની ગરિમાના ભોગે પણ વાચકો કે દર્શકોને લલચાવતાં હોય છે. અહીં કવયિત્રી પ્રસારમાધ્યમોના આવા નકારાત્મક વલણને નોંધે છે કાવ્યની આ પંક્તિ પ્રમાણે કે ‘પણ, હું હકીકતોને તમારાથી છુપાવતું હોઉં છું.’

કાવ્યનો મધ્ય ભાગ કટાક્ષમય કે વક્રોક્તિપૂર્ણ છે. અહીં આપણે સમાચારમાધ્યમો કે વીજાણુ માળખાનાં બેવડાં ધોરણોને જોઈ શકીએ છીએ. ચાલો, આપણે કાવ્યની આ કડીને તપાસીએ : “હું જુસ્સાપૂર્વક દાવો કરું છું કે  હું સત્ય તરફે જ બોલું છું અને તેને માટે લડું પણ છું. / જ્યારે મારા માટે કામ કરતા મારા હાથ નીચેના કાર્યકરો પરત્વેનો મારો વ્યવહાર અભદ્ર હોય છે.” એક તરફ આ સમાચારમાધ્યમ ભારપૂર્વક એવો દાવો કરતું હોય છે કે તે સત્ય માટે ઝઝૂમે છે, તો બીજી તરફ એ જ સમાચારમાધ્યમ પોતાના જ કર્મચારીઓ પરત્વે પોતાનું રુક્ષ અને અસંસ્કારી વર્તન દાખવે છે. આપણને એ જાણીને આઘાત લાગે છે કે જ્યારે આ માધ્યમોના કર્મચારીઓ સમાજ અને માનવતા વિરુદ્ધ કામ કરતાં ગુંડાતત્વોને ઊઘાડા પાડતા સમાચારો લાવતાં ઘણીવાર પોતાની જિંદગી ગુમાવી બેસે છે, ત્યારે આ માધ્યમોના ધણીધોરીઓ પોતાનો જાન ન્યોછાવર કરતા તેમના પેલા સહાયકોને યોગ્ય માનસન્માન આપતા નથી હોતા. ખરેખર તો એ બિચારાઓની પ્રશંસા થવી જોઈએ, પણ અફસોસ કે તેઓનાં નામો ટૂંક સમયમાં જ ભુલાઈ જતાં હોય છે અને અવસાન પામેલા સામાન્ય માનવીઓની જેમ તેમની યાદ દટાઈ જતી હોય છે એવી રીતે જાણે કે તેઓ આ દુનિયામાં અવતર્યા જ ન હોય! આ માધ્યમોના સ્વામીઓ આમ પ્રજાને મૂર્ખ બનાવવા આડંબરભર્યા અને સુફિયાણા જીભકવાયત જેવા શબ્દો થકી પેલા બિચારાઓને (જો કે હકીકતમાં તેઓ શહીદ તરીકેના માનસન્માનને લાયક હોવા છતાં) માત્ર દંભી શિષ્ટાચાર બતાવતાં શહીદ તરીકે બિરદાવતા હોય છે. સમાચારમાધ્યમોના આ દંભી સ્વામીઓને પેલા સાચા શહીદો  પ્રત્યે કોઈ દિલી સદભાવના નથી હોતી, પણ તેઓ પોતાની બાહ્ય અને દંભી સહાનુભૂતિ બતાવવા કોઈકવાર પોતાના સમાચાર પ્રસારિત કરવાના સ્ટુડીઓને તેમનાં નામ આપી દેતા હોય છે. આ બિચારા શહીદોને તેમની મૃત્યુતિથિએ માત્ર વ્યવહર ખાતર યાદ કરવામાં આવતા હોય છે કે જેથી આમ પ્રજાની સહાનુભૂતિ મેળવી શકાય તથા તેમના વિરોધીઓને ચૂપ રાખી શકાય.

કાવ્યના સમાપન વિભાગે, કવયિત્રીએ લુચ્ચાઈ અને ધૂર્તતા વડે ખરડાએલા  પ્રસારમાધ્યમના અસલી ચહેરાને સફળતાપૂર્વક ખુલ્લો પાડ્યો છે. આ પ્રસારતંત્ર  પોતાની ચાલાકી વડે પ્રજા સાથે પોતાનું કામ પાર પાડવામાં હંમેશાં સફળ રહ્યું છે. પ્રજાના કાન અને આંખો આ માધ્યમના અંકુશ હેઠળ હોય છે. તે કોઈપણ ભોગે પોતાના અસલી ચારિત્ર્ય અને નમાલાપણાને હોશિયારીપૂર્વક છુપાવી રાખી શકે છે. તે ધુરંધર વ્યક્તિત્વોના જુસ્સાને પણ તેમની પ્રતિષ્ઠા ખંડિત કરવાનો ભય આપીને તોડી શકે છે. આ પ્રસારમાધ્યમના નકારાત્મક પાસાને કવયિત્રી પોતાના ખુલ્લંખુલ્લા આવા શબ્દો વડે અભિવ્યક્ત કરે છે : “હું પ્રસારમાધ્યમરૂપી કુલટા સ્ત્રી છું. હું તમને બાલિશ ચેનચાળાઓથી વિશેષ કંઈ નહિ તે રીતે માત્ર ખુશ જ કરું છું.”

હું શેક્સપિઅરના નાટક ‘As you like it’ માંના એક કાવ્યની પંક્તિમાંના શબ્દો “આખી દુનિયા એક રંગભૂમિ છે’  ને કવયિત્રીના કાવ્યની આખરી કડીના વિચારો સાથે અનુસંધાન સાધવા માટે  અહીં ટાંક્યા વગર મારી જાતને રોકી નથી શકતો. કવયિત્રી પોતાના કાવ્યની આખરી કડીમાં પ્રસારમાધ્યમના મુખે આ શબ્દો મૂકે છે કે ‘જ્યારે હું નાટ્યતખ્તા (રંગભૂમિ) ઉપર ફેંકવામાં આવતા પ્રકાશ (Spot Light) હેઠળ હોઉં, ત્યારે  ખ્યાતિ મેળવવા બદલ હું સ્મિત કરું છું અને જ્યારે હું એ ઝળહળતા પ્રકાશની બહાર થઈ ફેંકાઈ જાઉં ત્યારે હું ફક્ત મારી જ ચિંતા કરતું હોઉં છું.” અહીં કવયિત્રી આ પ્રસારમાધ્યમના મૂળ રંગને  અને તેના આંતરિક સ્વરૂપને ઊઘાડા પાડવાના પોતાના હેતુને સિદ્ધ કરવામાં કામયાબ પુરવાર થાય છે. નાટકના રંગમંચ ઉપરના વર્તુળાકાર પ્રકાશ હેઠળ કોઈ પાત્ર કે દૃશ્ય હોય તેમ આ પ્રસારમાધ્યમ પણ લોકોમાં ધ્યાનાકર્ષક હોય ત્યાં સુધી અત્યંત ખુશમિજાજ રહેતું હોય છે. પરંતુ એ જ પ્રસારમાધ્યમ જ્યારે પેલા પ્રકાશ વિરુદ્ધના પડછાયા પાછળ ધકેલાઈ જતું હોય છે, ત્યારે તે સજાગ બની જાય છે અને પોતાની પ્રતિષ્ઠાને પુન: પાછી મેળવવા માટે ચિંતાતુર બની જાય છે.

સમાપને, મારે કહેવું પડશે કે રસદર્શન હેઠળના આ કાવ્યને મારે વારંવાર વાંચવું પડ્યું છે એટલા માટે કે જેથી હું કવયિત્રીએ પોતાના આ કાવ્યસર્જન વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણીઓ અનુભવી શકું. સાહિત્યપ્રકાર ‘વિવેચન’ નો એક મુખ્ય સિદ્ધાંત હોય છે કે કોઈપણ સાહિત્યિક રચનાના વિવેચકે તે કૃતિના મૂળભૂત ખ્યાલની એકંદર છાપને પોતાના માનસપટ ઉપર ઝીલવી પડે અને પછી સર્જકે જે લાગણીઓ અનુભવી હોય તેની સાથે તાદાત્મ્ય સાધીને પછી જ પોતાના શબ્દોમાં વિવરણ લખવું પડે  આ કાવ્યનું રસદર્શન લખવા પહેલાં મેં કાવ્યને સમજવાનો મારાથી શક્ય તેટલો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે મારા કાવ્યના અર્થઘટનમાં વાચકો કે ખુદ કવયિત્રીના મતે કોઈ વિરોધાભાસ કે કોઈ ભિન્ન મંતવ્ય હોય તો મને દરગુજર કરવામાં આવશે..

-વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

(Translated from English Version titled as “An Exposition of a Poem: “A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess” published on September 12, 2012) 

 

Tags: , , , , , , , , , , , , , , , , ,

(૩૫૧) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યજગતને પોતાના ‘સ્પંદન’, ‘ઉપાસના’ અને ‘ત્રિપથગા’ એવા ત્રણ કાવ્યસંગ્રહોના તેજપુંજ થકી અજવાળનાર ‘આકાશદીપ’ ઉપનામધારી, નિવૃત્ત વીજેજનેર, એવા માન્યવરશ્રી રમેશભાઈ પટેલ હવે પોતાની પ્રથમ ઈ-બુક ‘કાવ્યસરવરના ઝીલણે’ દ્વારા ગુજરાતી નેટજગતમાં પદાર્પણ કરી રહ્યા છે. ‘ત્રિપથગા’ના વિમોચનટાણે સાહિત્યધુરંધરોએ તેમને જે શબ્દોમાં નવાજ્યા છે તેના તોલે તો કદાચ નહિ જ આવી શકે તેવી અવઢવ સાથે હું તેમના માટે અને તેમની કવિતાઓ માટે એકમાત્ર ‘પોલાદી’ વિશેષણ વાપરવા માગું છું. રમેશભાઈના ચાહકો આ ‘વિવેચક’ને એટલે કે મને મનમાં કદાચ ‘બબુચક’ તરીકે સંબોધશે, એટલા માટે કે કવિ અને તેની કવિતા તો ઋજુ  હોય, તો પછી અહીં ઉભય માટે ‘પોલાદી’ વિશેષણ પ્રયોજાય શાને! આ વાતનો સંક્ષિપ્તમાં ખુલાસો એ જ કે રમેશભાઈનાં કાવ્યો અને તેઓ પોતે તકલાદી નથી. બ. ક. ઠાકોરનાં કાવ્યો માટે એક કાળે વિવેચકોએ ‘કઠોર’ શબ્દ પ્રયોજ્યો હતો અને તેમનાં કાવ્યોની અર્થ-રસ-ગ્રહણની પ્રક્રિયાને ‘નારિકેલપાક’’ની ઉપમા આપી હતી. અહીં રમેશભાઈનાં કાવ્યો માટે ‘પોલાદી’ શબ્દ ‘સમજવા માટે દુષ્કર’ એ અર્થમાં મેં નથી પ્રયોજ્યો, પણ તેમનાં કાવ્યો નક્કર છે, ‘આકાશ’ના એક અન્ય અર્થ ‘પોલાણ’ની જેમ નહિ! તેમનાં કાવ્યો, કાવ્યોની પંક્તિઓ અને પંક્તિઓમાંના શબ્દો સઘળાં અર્થસભર, ચિંતનશીલ, લયબદ્ધ, એકબીજાનાં પુરક અને એકબીજાને ઉપકારક બની રહે છે.

હું કોઈ પૂર્ણકાલીન કે અંશકાલીન સાહિત્યનો કોઈ વિવેચક નથી.  મારા બ્લોગ ઉપર મારા કેટલાક બ્લોગર મિત્રોનાં કાવ્યો કે લેખો ઉપરના મારા પ્રતિભાવો, કેટલાંકનાં ચરિત્રચિત્રણો અને હ્યુસ્ટનસ્થિત મારા મિત્ર શ્રી વિજયકુમાર શાહનાં બેએક પુસ્તકો ઉપરનાં મારાં અવલોકનો એવી કેટલીક સામગ્રી થકી હું મારી તેરમી અને હાલ પૂરતી આખરી ઈ-બુક ‘સમભાવી મિજાજે’ ને આજકાલમાં પ્રસિદ્ધ કરવામાં હતો. મારી આ પ્રસ્તાવના કદાચ મારા એ પુસ્તકનું એક પ્રકરણ બની રહે, કેમ કે રમેશભાઈએ મને આની આગોતરી સંમતિ આપી જ દીધી છે. આવાં અવલોકનો, પ્રતિભાવો, પ્રસ્તાવનાઓ કે સમીક્ષાઓ એવા લેખક્ની જ સ્વઉપાર્જિત મૂડી ગણાતી હોય છે, પણ મારી પ્રણાલિકા એ રહી છે કે મારાં આ પ્રકારનાં લખાણોના આધારરૂપ કૃતિઓના કર્તાઓની સંમતિ હું મેળવતો જ હોઉં છું, કારણકે આને હું સાહિત્યજગતનો શિષ્ટાચાર ગણું છું અને તેવી કૃતિઓને મારા સર્જનના બીજરૂપ સમજતો હોઉં છું. મારા જીવનના બ્લોગીંગ શરૂ કરવા પહેલાંના છેલ્લા ત્રણેક  દશકાઓ દરમિયાન મારી ધંધાકીય વ્યસ્તતાના કારણે હું સાહિત્યવાંચનથી અલિપ્ત થઈ ગયો હતો અને તેથી જ મારા વિવેચનની એક મર્યાદા રહેતી હોય છે કે હું વર્તમાન સાહિત્ય કે તેવા સાહિત્યકારોને તેમના ઉલ્લેખો થકી ઉચિત ન્યાય આપી શકતો નથી. જો કે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીના મંતવ્ય મુજબ વિવેચકે તો જે તે કૃતિ સાથે જ જોડાએલા રહીને તેની રમણીયતાને સમજવાની અને સમજાવવાની હોય છે. તેણે પર્યવસાયી (અંતિમવાદી) બનીને કૃતિ વિષેના કોઈ ચુકાદાઓ સંભળાવવાના નથી હોતા, પણ સર્જકે અનુભવેલી તેના સર્જન વખતની આનંદ- સમાધિના સ્વરૂપને તપાસવાનું હોય છે. આ પ્રસ્તાવનાના વાચકો અને આ કાવ્યસંગ્રહના કવિએ પણ છેલ્લે એ જ તપાસવાનું રહેશે છે કે મારા આ વિવેચનલેખમાં હું કેટલા અંશે સફળ કે નિષ્ફળ રહ્યો છું.

ભાઈશ્રી ‘આકાશદીપ’ના આ કાવ્યસંગ્રહમાં કાવ્યપ્રકારો અને વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. મારી ધારણા મુજબ તેમણે લગભગ બધા જ કાવ્યપ્રકારો ઉપર પોતાનો કાવ્યકસબ અજમાવ્યો છે. તેમનાં કેટલાંક ઊર્મિકાવ્યો વિષે કંઈક લખવા પહેલાં મારા પોતાના બ્લોગ ઉપરનાં ‘મારાં ઊર્મિકાવ્યો’ લેખની પ્રસ્તાવનામાં મેં એક જ લીટીમાં તેની જે વ્યાખ્યા આપી હતી તેને રજૂ કરીશ. એ શબ્દો હતા : ‘Lyric is a poem that expresses the personal feelings of the lyricist’. આ વ્યાખ્યા મારી પોતાની મૌલિક હોવાનો મારો કોઈ દાવો નથી, કેમ કે અનુસ્નાતક સુધીના મારા અંગ્રેજી અને ગુજરાતીના વિશાળ વાંચનના પરિપાકરૂપે આ કે આવી કોઈ વ્યાખ્યાઓ મારા કે કોઈનાય મનમાં આકાર લઈ શકે છે. મારા કથનના મૂળ રાહે હું આવું તો મારે કહેવું પડશે કે રમેશભાઈએ ઊર્મિકાવ્યની ઉપરોક્ત વ્યાખ્યાને પોતાનાં અનેક કાવ્યોમાં સાર્થક કરી બતાવી છે. ‘આટલું વ્હાલ કેમ ઢોળે?’ કાવ્યમાંની આ કડી કવિના હૃદયોલ્લાસને વ્યક્ત કરે છે:‘ઝૂમી ઝૂમી ફૂલડે એ શું ખોળે/ સખી, વાયરા આટલું વ્હાલ કેમ ઢોળે?’. મારા સમગ્ર કાવ્યસંગ્રહના ઝીણવટભર્યા અવલોકનમાં મને દેખાયું છે કે તેમણે તેમનાં ઊર્મિકાવ્યોમાં ક્યાંક વિષાદને તો ક્યાંક ઉલ્લાસને અભિવ્યક્ત કર્યો છે. સાહિત્યજગતમાંની સનાતન એક વ્યાખ્યા ‘શીલ તેવી શૈલી’ મુજબ અતિ સંવેદનશીલ જીવ એવા રમેશભાઈએ પોતાની રચનાઓમાં પોતાના હૃદયની સઘળી સંવેદનાઓને  નીચોવી દઈને તેમણે આ કાવ્યસંગ્રહ દ્વારા આપણા સુધી પહોંચાડી છે.

ગુજરાતી બ્લોગજગતના અન્ય એક મહાનુભાવ જુગલકિશોર વ્યાસશ્રી ક્યાંક કવિતા વિષે લખે છે,‘… અને ચિત્તને કોઈ અગમ્ય તરફ લઈ જાય તેવું કૌશલ્ય બતાવે તે પણ કાવ્યની જ એક અનન્યતા છે’. રમેશભાઈ પોતાનાં માત્ર ઊર્મિકાવ્યો જ નહિ, પણ તમામ કાવ્યપ્રકારોમાં આ વિધાન મુજબનું પોતાનું અનન્ય કૌશલ્ય બતાવે છે. એ જ જુગલકિશોરભાઈએ સાવ દેશી શબ્દોમાં ‘કાવ્ય’ને એમ સમજાવતાં આગળ લખ્યું છે કે ‘… મહત્વની વાત જ એ છે કે ભાવ કે વિચાર આપણને સ્પર્શી જાય, ઝણઝણાવી મૂકે તોય આપણને એનો ભાર ન રહે કે એનાથી ધરવ ન થાય અને વારંવાર એને માણવા મન રહે, ત્યારે આપણી કાવ્યમીમાંસાના પંડિતો (વિવેચકો) તેને ‘કાવ્ય’ કહે છે.’ રમેશભાઈનાં ‘અમારા હાલ’, ‘તરુ આપણું સહિયારું’, ‘હું માનવને ખોળું’ વગેરે  જેવાં કાવ્યો જુગલકિશોરભાઈની આ વાતની સાક્ષી પૂરે છે. “રટે રાધા” માંની પંક્તિઓ ‘કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી / વૃન્દાવનની વાટે ભૂલીને ભાન હું ભોળી ભરમાણી / રટે રાધા!  કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી./’ વગેરે આપણને કવિ દયારામની યાદ અપાવી જાય છે; યાદ કરો “દયારામ રસસુધા” ની રચનાઓ ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ કે પછી ‘રાતલડી કોની સંગે જાગ્યા ઘાયલ છોજી, કેઈનાં નેનબાણા વાગ્યાં!’.

રમેશભાઈનાં પ્રકૃતિકાવ્યોમાંની તેમની નિરૂપણકલા એટલી સહજ અને રમણીય હોય છે કે તેવી કૃતિઓને વાંચતાં  આપણે જે તે ઋતુ કે પ્રાકૃતિક વાતવરણનો અનુભવ કરતા હોઈએ તેવું જ આપણને લાગે. આમ આવાં કાવ્યો આપણા માટે ‘સ્પંદન’ સમાન બની રહે છે. કવિએ પોતે રચેલા જે તે કાવ્ય વખતે તેણે અનુભવેલાં સ્પંદનો (waves)ને એ કાવ્યના માધ્યમ  દ્વારા વાચકમાં અનુકંપિત કરાવી શકે તો અને માત્ર તો જ એ કાવ્યને અને તેના કવિને સફળ ગણાવી શકાય. આખા કાવ્યસંગ્રહમાં આપણને મોટી સંખ્યામાં આવાં પ્રાકૃતિક વર્ણનનાં કાવ્યો મળી રહેશે. કવિ ન્હાનાલાલના આવા એક કાવ્યની પંક્તિઓ ‘ઝીણા વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી’ વાંચતાં જેમ કાવ્યનાયિકાની સાથે આપણે પણ ભીંજાઈ જઈએ; બસ, તે જ રીતે, રમેશભાઈ પોતાના ‘સિંધુના બિંદુથી’ કાવ્યની આ પંક્તિ ‘ધરતી મેહુલિયાના સુભગ મિલને, મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ’ થકી પહેલા વરસાદથી ભીની માટીની સોડમનો આપણે અનુભવ કરી શકીએ છીએ. ‘ગ્રીષ્મ’ કાવ્ય આપણને શરીરે દઝાડે છે તો ‘ગાજ્યાં ગગન’, ‘ગગન શરદનું’  અને ‘હેલે ચઢી તમારી યાદ’ વગેરે કાવ્યો પ્રાચીન કાલીન ઋતુકાવ્યો બનીને આપણને  માનસિક અને આત્મિક એવી વિરહની આગમાં તરફડાવે છે.

કવિ પોતાનાં કેટલાંક કાવ્યોમાં આધ્યાત્મજ્ઞાનના વિષયને પણ સ્પર્શ્યા સિવાય રહી શક્યા નથી, જેની મિસાલ તરીકે  ‘અમારા હાલ’ કાવ્યને દર્શાવી શકાય. આની છેલ્લી કંડિકા જૂઓ:’જાણ્યા જાણ્યા તોય રહ્યા સદા અજાણ, હરિ એવા દીઠા અમે અમારા હાલ’. મારા “આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ’ લેખમાંના કોઈક અજ્ઞાતના ઈશ્વરના નૈકટ્યની પ્રાપ્તિ વિષેના  અવતરણને કવિના આ વિચારના સમર્થનમાં અહીં દર્શાવું છું કે ‘જ્યાં મારી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ તો વળી નિરંજન ભગતની યાદ આપતું આ કાવ્ય ‘અવિનાશી અજવાળું’ પણ માણવા જેવું ખરું! તેની સરસ મજાની પંક્તિ છે: ‘નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારુ/મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી  અજવાળું’ આ સંદર્ભે કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના આ કથન ‘ઈશના સૌંદર્યને માણે અને જાણે એનું નામ કવિ’ થી યાદ કરીએ. ‘ગીતા છે મમ હૃદય’ કાવ્ય તો જેમ ગીતા જીવનનો સાર સમજાવે છે, બસ તેવી જ રીતે આ લઘુ કાવ્ય એ પણ જાણે કે ગીતાનો જ સાર હોય તેવી રીતે કવિ લાઘવ્યમાંઆપણને ઘણું ઘણું કહી જાય છે. આ કડી ‘શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય/ સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ’ તો સાચે જ આપણને ગુજરાતી સાહિત્યના પંડિત યુગની કવિતાઓની યાદ અપાવી જાય છે.

કવીશ્વર દલપતરામની શૈલીની યાદ અપાવતી ‘સિંહ રાજા જ બોલ્યા’ એક રચના છે. તો વળી પોતે ‘પટેલ’ અટકધારી હોઈ કદાચ કિસાનપુત્ર હોવાના નાતે જગતના તાત  એવા કિસાનને યથાયોગ્ય સમજી શક્યાની પ્રતીતિ આપણને તેમની કૃતિ ‘સવાયો તાત’માં થયા વગર રહેશે નહિ. વર્તમાન સમયની ‘જગતના તાત’ની અવદશાને દુનિયા ભલે નજરઅંદાજ કરતી હોય, પણ ‘હરિ’ને મન તો એવા કિસાનનો મરતબો અદકેરો જ છે. આ વાતની ગવાહી આપે છે, કવિના આ શબ્દો: ‘નથી સવાયો કોઈ તાતથી, ભોળી એની ભક્તિ / આંખે ઉભરે વહાલનાં વારિ, હૈયે ધરણીધરની મરજી’.

કવિએ ગુજરાત અને  ભારત દેશ ઉપરનાં વતનપ્રેમ અને દેશભક્તિને લગતાં ‘મહેંકતું ગુજરાત’, ‘આઝાદી’ અને ‘જયહિંદ જયઘોષ ત્રિરંગા’ જેવાં કાવ્યો, ‘આદ્યાશક્તિ’ જેવાં ભક્તિકાવ્યો, ‘અમે રે ઉંદર’ જેવાં વ્યંગકાવ્યો વગેરે જેવી કાવ્યોની વિવિધતાઓ આપવામાં કવિએ કોઈ કસર છોડી નથી. જૂના જમાનાના શ્યામ-શ્વેત બોલપોટના જમાનાનું જે કાળે લોકજીભે ખૂબ રમતું એવું ગુજરાતી ફિલ્મીગીત  ‘ભાભી, તમે થોડાં થોડાં થાજો વરણાગી’ ને વર્તમાન સમયના સંદર્ભમાં ‘ઓ ભાભી તમે’ શીર્ષકે રમેશભાઈએ સરસ મજાનું પેરડી કાવ્ય રચીને કમાલ કરી બતાવી છે.  કવિનું એક બીજું રસમય બાળકાવ્ય ‘આવ ને ચકલી આવ’ પણ મનભાવન બની રહે છે. ‘આવી જ દીપાવલી’ તહેવાર ઉપરનું ઉમળકાસભર કાવ્ય છતાં ‘વર્ષાન્તે સરવૈયું હાથ ધરજો, લાભ્યા તમે શું જગે?’ પંક્તિ થકી કવિ માનવજીવનના સાર્થક્ય અને સિદ્ધિપ્રમાણને ઉજાગર કરે છે. સંસ્કૃત કાવ્યમીમાંસક મમ્મટનું કવિતા કલા વિષેનું વિખ્યાત વિધાન છે કે કવિતા કાન્તા (પત્ની)ની જેમ મિષ્ટ વાણીમાં ઉપદેશને ઘોળીને પાઈ દેનારી હોય; બસ, આ જ રીતે રમેશભાઈ પણ પોતાના આખા કાવ્યસંગ્રહમાં ઠેરઠેર આવી પ્રયુક્તિઓ થકી માનવ જીવન વિષેના અનેક સંદેશાઓ અને ફલશ્રુતિઓ  બતાવી જાણે છે. ‘ઉછાળો હર હૈયે તોફાન’ કાવ્ય ભ્રષ્ટાચાર અને પ્રદુષિત લોકશાહી સામે જંગનું એલાન કરતું અને વાચકના દિલમાં ઉત્તેજના જગાડતું સુંદરતમ કાવ્ય છે.

વાંચન દરમિયાન સ્મિતને ચહેરાથી જરાય વેગળું ન થવા દેનાર  કેટલાંક રમુજી કાવ્યો પૈકી  મુખ્ય તો એક છે ‘હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં!’. ગુજરાતી બ્લોગ જગતમાં ધૂમ મચાવનાર ‘હાસ્ય દરબાર’ બ્લોગના ધણીધોરીઓ ભેગા મને પોતાને પણ સાંકળી દેતા આ કાવ્યની થોડીક પંક્તિઓ આ પ્રમાણે છે: ‘વલીભાઈએ બાંધ્યાં હાઈકાં રે, શબ્દોની તીખી કટાર / ઉંઘમાં મરકે મોટડા, વ્યંગની વાગે શરણાઈ / હાલો હાલોને ઘેલાભાઈની જાનમાં’. ‘ઓ મારા વરસાદ અને વહુ’ કાવ્યમાં તો વરસાદ અને વહુની સરખામણી કરીને કવિએ ‘કેમ કરી દઈએ રે જશ’ જેવી પંક્તિઓ દ્વારા વક્રોક્તિનો સહારો લઈને માર્મિક હાસ્ય નિરૂપ્યું છે. ‘ચાની રંગત’ કાવ્યમાં ચાને ભારતીય જીવનનો ભાગ બની ગએલી બતાવતાં કવિએ તેને ‘રૂપલી રાજરાણી’ની ઉપમા આપીને વ્યંગ્ય કવન દ્વારા ઘણાં લક્ષ સાધ્યાં છે. કવિની હાઈકુકાર તરીકેની ક્ષમતાને પણ નજર અંદાઝ નહિ કરી શકાય. પ્રથમ દૃષ્ટિએ સરળ લાગતું આ જાપાની હાઈકુ રચવું એ પણ પ્રખર કવિત્વશક્તિ માગી લે છે. કવિએ ‘તાંડવલીલા’ શીર્ષકે આપેલાં કેટલાંક હાઈકુઓ પૈકીનું એક હાઈકુ  ભગવાન શંકરના તાંડવ નૃત્યને  અનોખી રીતે અભિવ્યક્ત કરે છે, જે આ પ્રમાણે છે: ‘તાંડવલીલા / ત્સુનામી ને ભડકા / સ્તબ્ધ દુનિયા’!

હવે જ્યારે મારી આ પ્રસ્તાવનાનું સમાપન નજીક આવતું જાય છે, ત્યારે મને કહેવા દો કે મારા   વિવેચનધર્મ અનુસાર મારે આ કાવ્યસંગ્રહમાંની કવિની ખૂબીઓની સાથે સાથે તેમની  ખામીઓને પણ તટસ્થ ભાવે દર્શાવવી જરૂરી બની જાય છે. મારા આ કર્તુત્વને ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં વાખવા’ જેવું ન સમજતાં સર્જક આને એ અર્થમાં સમજશે કે આવું દોષનિવારણ પોતાનાં આગામી સર્જનોમાં કરીને પોતાનાં સર્જનોને ઉત્તમોત્તમ બનાવી શકાશે.

બીજી એ સ્પષ્ટતા કરવી અહીં જરૂરી બની જાય છે કે અહીં સર્જનના ઈ કે પી પ્રકાશનપૂર્વે મને મળેલા ડ્રાફ્ટના આધારે જ્યારે હું આ લખી રહ્યો હોઉં, ત્યારે મારા આ લખાણને  વિવેચન ન કહેતાં એને પ્રસ્તાવના જ કહેવી પડે. વિવેચન તો જે તે પુસ્તકની બહાર કોઈ સામયિક, સમાચારપત્ર કે કોઈ વિવેચકના પોતાના અંગત પુસ્તકમાં હોય છે, જ્યારે પ્રસ્તાવનાનું સ્થાન એ પુસ્તકની અંદર હોય છે. હવે બને એવું કે પ્રસ્તાવનાલેખક તરફથી સર્જકની કોઈ ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો હોય અને પોતાના સર્જનને આખરી રૂપ આપવા પહેલાં એવી ક્ષતિઓને પ્રસ્તાવનાલેખકની સંમતિથી સર્જક દ્વારા સુધારી લેવામાં આવે તો પ્રસ્તાવનામાંનો એવો ક્ષતિનિર્દેશ કે ટીકાટિપ્પણી અર્થહીન બની જાય. આમ પ્રસ્તાવનાને પણ મઠારી લેવી પડે અને તો જ ઉભય વચ્ચે એકસૂત્રતા જાળવી શકાય. અહીં વળી નવો પ્રશ્ન એ ઉદભવે કે આ પ્રકારના સુધારાવધારા થકી છેવટે સર્જન ખામીરહિત બની જતાં પ્રસ્તાવના માત્ર પ્રશંસાત્મક જ બની રહે. આમ વાચકને એમ જ લાગે કે વિવેચકે ન્યાયી વિવેચન કર્યું નથી. આ ખુલાસો એટલા માટે જરૂરી બની જાય છે કે આવી પરિસ્થિતિમાં વાચકોને  વિવેચકના તાટસ્થ્ય વિષે કોઈ શંકાકુશંકા રહે નહિ.

અહીં રમેશભાઈ મને આપેલી ડ્રાફ્ટ કોપીને યથાવત્ જાળવી રાખીને કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરશે તેમ માનીને હું કેટલાંક સૂચનો કરું તો તે અસ્થાને નહિ લેખાય. પ્રથમ તો તેમણે ‘ત્રિપથગા’માં અંગ્રેજી, ગુજરાતી અને હિંદી એમ ત્રણેય ભાષામાં પોતાની રચનાઓ રજૂ કરી હતી, તેની પાછળ ‘ત્રિપથગા’ને અનુલક્ષીને કવિના વિવિધ (જુદાજુદા) ત્રિવિધ આશયો પૈકીનો ત્રણ ભાષાનો આશય હશે; પણ અહીં આ કાવ્ય સંગ્રહને દ્વિભાષી (Bilingual) ન રાખતાં હિંદીમાં લખાએલી થોડીક જ રચનાઓને આ સંગ્રહમાંથી બાકાત રાખવી જોઈતી હતી.

‘ઓગષ્ટ ક્રાન્તિના ઓ યશભાગી’ કાવ્ય તેના નાયકોના ‘Flop Show’ ના કારણે હવે અપ્રસ્તુત થઈ જતું હોઈ તેને પણ અહીં બાકાત રાખ્યું હોત તો વાચકોને અન્ના હજારે આણિ કંપનીની નિષ્ફળતાની વ્યગ્રતામાંથી બચાવી શકાયા હોત. કેટલાંક કાવ્યોનાં શીર્ષકોમાં યોગ્ય વિરામચિહ્નોનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો જે તે કાવ્યમાંનો કવિનો ભાવ શીર્ષકના વાંચન માત્રથી વાચકોને સમજાયો હોત! આ બાબતના ઉદાહરણમાં કેટલાંક શીર્ષકો આ પ્રમાણે છે : – ‘ગાંધી આવી મળે !’, ‘ગબ્બર ગોખ ઝગમગે, રે લોલ !’ તો વળી, ઘણાં કાવ્યોમાં પણ પંક્તિઓના અંતે કે વચ્ચે પણ જ્યાં જરૂરી હોય ત્યાં વિરામચિહ્નો સમૂળગાં છે જ નહિ, જેને મોટી મર્યાદા સમજવી પડે! ‘વિરાટ તારી શાન !’ કાવ્ય જો સર્વસામાન્ય કોઈ પણ ક્રિકેટરના સંદર્ભે હોય તો બરાબર છે, પણ જો તે  વ્યક્તિલક્ષી હોય; દા.ત. સચિન તેદુંલકર, તો કાવ્યમાં તેનો નામોલ્લેખ થવો જોઈતો હતો!

મેં રમેશભાઈને મારી એક મર્યાદાની વાત જણાવી દીધી હતી કે હું કાવ્યપ્રકાર ‘ગઝલ’ ના બંધારણ આદિથી પૂરો અવગત ન  હોઈ એવી કોઈ રચનાના વિષયવસ્તુમાત્રની ચર્ચાથી વિશેષ કશાયથી મને પરહેજ (સીમિત) રાખીશ. પરંતુ બ્લોગજગતનાં વિદુષી પ્રજ્ઞાબેન વ્યાસના કવિની ગઝલ ‘એકાંત’માં ઉપરના સૂચનને ટપકાવીશ કે ‘આ સુંદર ગઝલમાં મત્લા બરાબર નથી, આમ છતાંય ભાવવાહી રચના છે.’ ગઝલમાં ભલે મારી ચાંચ ન ડૂબતી હોવા છતાં હું તેને જાણી અને માણી શકું તો ખરો જ અને તેથી જ મને ખૂબ પસંદ પડેલી ‘છે કિનારા બે જુદા’ ગઝલનો એક શેર આપ વાચકો સાથે Share  કરું છું, મુશાયરાઓમાં થતા પઠનની અદાથી કે ‘ધર્મ મારો ધર્મ તારો, છે કિનારા બે જુદા (૨)/જલ વહાવે એક બંને (શુક્રિયા), જલ વહાવે એક બંને, સત્ય એ સાચું બધે’.

“ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ” શીર્ષકે કવિ દ્વારા લખાએલી રૂડી લઘુરચનાના પ્રતિભાવ રૂપે અન્ય એક મહાનુભાવ કે જેમને મેં Think Tank’ નું બિરૂદ આપ્યું છે તેવા શ્રી શરદભાઈ શાહે તે બ્લોગના Comment Box માં પોતાનો જે પ્રતિભાવ સ્વર્ગસ્થ આર્મસ્ટ્રોંગને અંજલિ આપતી તેમની આ શીઘ્રરચના થકી આપ્યો હતો, તેને અહીં વ્યક્ત કર્યા વિના હું નહિ રહી શકું.

“વિરાટ બ્રહ્માંડમાં  દીઠી ધરા મારી સલુણી,
રમે નભે  દૃષ્ટિ તો  હૈયે  રમે કોટિ કહાણી,
હશે  જ કેવો  રૂડો આ ચાંદ પૂંછું હું મનને,
દઉં સલામી જ,  આર્મસ્ટ્રોંગ ચૂમ્યા ચંદ્રભૂમિ!”
– (રમેશ પટેલ( ‘આકાશદીપ’

“ચાંદ પર કદમ રખા નીલને પહલી બાર,
ચાંદને કહા હોગા, આના યહાં બારબાર!
મગર આજ નીલ હુઆ જબ તારતાર,
સચ કહું, ચાંદભી રોયા હોગા ઝારઝાર!”
– (શરદ શાહ)

મારી પ્રસ્તાવનાના અતિવિસ્તારથી હું વાકેફ છું જ, કેમકે રમેશભાઈએ પોતાના કાવ્યસંગ્રહને બૃહદ બનાવ્યો હોઈ મારે પણ તેમની સાથે ખેંચાવું પડ્યું છે. આમ છતાંય સાહિત્યજગતના શિષ્ટાચારના ભાગરૂપે હું વાચકોની ક્ષમા યાચું છું. મેં પ્રારંભે જ રમેશભાઈની નિવૃત્ત વીજ ઈજનેર તરીકેની ઓળખ આપી દીધી છે, તેની પાછળ પણ મારો ઈશારો છે કે જોખમી એવા વીજળીના તાર સાથે આસાનીથી રમત રમતાં રમતાં નોકરી પૂરી કરનાર એવા ભાઈશ્રી ‘આકાશદીપ’ કેવી આસાનીથી  શબ્દોના તાર જોડી બતાવીને આપણને કાવ્યરમતમાં કેવા રમમાણ કરી દે છે! રમેશભાઈને તેમની કવિ તરીકેની સફળતા બદલ આપ સૌ વાચકો વતી અને મારી વતી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્યને તેમના તરફથી વધુ ને વધુ નવીન સર્જનો મળતાં રહે તેવી અભ્યર્થના સાથે અત્રેથી વિરમું છું.  જય હો!

-વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , , , , ,

(343) Needing voluntary, neutral and stranger critics for my P-Books

(343) Needing voluntary, neutral and stranger critics for my P-Books

As my valued Readers know me very well that I am a WordPress Bilingual Blogger for the last about five years. During the first two years of my Blogging, the most of my posts were in English save some pdf Attachments of my stories in Gujarati, the Indian Regional Language being spoken by about ten billion Gujaratis worldwide. For the last three years and some months, I have been publishing my Articles both in Gujarati and English, some directly written in respective language and some mutually translated. Till now, I have published some 350 Articles on my Blog written by myself with an exception of a very few Articles both translated and written by anybody else as the preface or the review of my books.

For the last some months, I was engaged in classifying my posts in various categories and preparing E-Books. A renowned E-Book publisher known as ‘MyVishwa Technologies Pvt. Ltd.  (BookGanga), Pune has published all my E-Books in number of 13 as follows:

English : –

(1)  In Light Mood – Essay/Article

(2)  In Thoughtful Mood – Essay/Article

(3) In Changing Moods – Essay/Article

Gujarati : –

(4)  Halva Mijaje (હળવા મિજાજે) – નિબંધ/લેખ

(5)  Vicharshil Mijaje (વિચારશીલ મિજાજે) – નિબંધ/લેખ

(6)  Jalsamadhi (જલસમાધિ) – વાર્તા

(7)  Maari Kanta (મારી કાન્તા) – વાર્તા

(8)  Muj KavitadaN (મુજ કવિતડાં) – કાવ્ય

(9) Parivartit Mijaje (પરિવર્તિત મિજાજે) – નિબંધ/લેખ

(10)  Vyangya Kavan (વ્યંગ્ય કવન) – કાવ્ય

(11)  Wiliamana Hasya Hayaku  (વિલિયમનાં હાસ્ય હાઈકુ) – કાવ્ય/હાઈકુ

(12) Sambhavi Mijaje (સમભાવી મિજાજે) – નિબંધ/લેખ/વિવેચન

 (13) Prasanna Mijaje (પ્રસન્ન મિજાજે) –નિબંધ/લેખ

The word ‘Needing’ in the title of this post might seem surprising to my Readers as it sounds like an advertisement for having services of the critics, but it is not so. Hundreds of my Blogger friends and many men of literature known to me might be helpful to me with a single request of mine to them and some of them have already extended their co-operation to me in this regard, but here I wish that my remaining E-Books be reviewed or criticized by some unknown critics.

Andy Warhol has said, “Don’t think about making art or literature, just get it done. Let everyone else decide if it’s good or bad, whether they love it or hate it.” Accordingly, I wish my creation be strongly criticized. I wish that the critic of my creation might pull my ears if I am wrong anywhere in any way in my writing. ‘Yes-man-ship’ of a critic or simply a critic be only admirer is harmful to the author at long run. The critic is like the judicial authority for an author. My word ‘neutral’ also in my title is purposeful. The critic should neither behave as a friend nor a foe of the author. He has to be a true judge of the author’s creation. The critic should highlight both good and bad qualities of the writing frankly. He should be far from any bias of the author and content, and must write what is right while evaluating any book or article.

I am in need of Gujarati and English critics for all my published E-Books which are intended to be published in Print Form. If I get willingness of anybody for being my critic/s, I’ll accept their co-operation for some those E-Books which have been already published without any criticism. On receiving the preparedness of being the critic/s of my Books, I’ll forward them my E-Books in PDF format for their review.

Summing up, I have to say with pleasure that I myself am an author and a critic also. Sambhavi Mijaje (સમભાવી મિજાજે) is a book of my criticism on Articles and/or Books of my some Blogger friends. In humorous mood, I may say that any barber cannot cut his own hair, but he has to go to the other barber for the same. In this way, it is obvious that it would be against protocol of the literary world if I criticize my books myself. Thus, I am prepared to have criticism against criticism; that is, in other words to say, exchange of co-operation for criticism.

Awaiting for favorable responses from other than my Blogger-Netter friends in this regard,

With warm regards,

– Valibhai Musa [musawilliam(at)gmail(dot)com] ((My E-Books on BookGanga))

Note :- My Blogger-Netter friends may play a role of a middle person between my likely being critic/s and me.

 
 

Tags: , , , ,