RSS

Category Archives: FB

(563) સ્વસ્થતા (WELLBEING)

[મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા: ‘Thank you very much for supporting my views on Yoga.’  ત્યાર પછી તેમના બ્લોગ ઉપર તેમનો ‘યોગ’ વિષેનો તેમના જાતનુભવ ઉપર આધારિત ઉપરોક્ત લેખ મારા વાંચવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવા અને મારા બ્લોગ ઉપર મૂકવા માટે તેમણે ઉદાર સંમતિ આ શબ્દોમાં આપી છે : Please feel free to translate my article – you’ll be doing me a great service and honor.

આશા રાખું છું કે ‘યોગ’ ઉપરનો ભાવાનુવાદિત આ લેખ સૌ વાચકો અને ખાસ કરીને મુસ્લીમોને માત્ર  ગમશે જ નહિ, પરંતુ અનુકરણીય પણ બની રહેશે. મુસ્લીમો યોગ અને ધ્યાન કરતા થશે; તો આ એકદમ શુદ્ધ, વૈજ્ઞાનિક અને આખા જગતમાં બહુ જ ઝડપથી પ્રચલિત થઈ રહેલી પ્રક્રિયાનો લાભ મેળવતા થઈ શકશે. ધ્યાન વખતે નમસ્કાર કરવાનું કંઈ જરૂરી નથી. ધ્યાનની આ મુદ્રા સાવ ધર્મનિરપેક્ષ છે. 

(courtesy – Internet & Mr. Suresh Jani, USA)

Open and upwards  palm is  the best, as our fingers are at the end of nervous system. Through them cosmic energy can enter the nervous system in maximum amount.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)] 

 * * *

સ્વસ્થતા (WELLBEING)

એક મુસ્લીમ તરીકે ‘યોગ’ મને મદદરૂપ થાય છે. (YOGA HELPS ME AS A MUSLIM)

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મારું મન અને મારું શરીર સતત કાર્યશીલ રહે છે, કેમ કે તેના અટકાવ માટે કોઈ ઓફ બટન છે જ નહિ. માનસિક રાહત કે શાંતિ માટે મને વિચાર આવે છે કે હું કંઈક એવી પ્રવૃત્તિમાં લાગી જાઉં કે જેનાથી મારી બુદ્ધિમત્તા કે શરીર કે પછી એ બંને રસતરબોળ બની જાય.

મારી આ અપેક્ષા મને યોગક્રિયામાં સિદ્ધ થતી લાગે છે. યૌગિક વિવિધ પ્રક્રિયાઓ થકી મારી સર્વગ્રાહી તંદુરસ્તી, આંતરિક અને બાહ્ય શારીરિક સુયોગ્યતા ઉપરાંત માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક કલ્યાણ અંગેની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. 

શરીર

યોગથી થતા શારીરિક ફાયદાઓ અગણ્ય છે. મારા વ્હાલા વાચકો, એ ફાયદાઓને જાત અનુભવ કર્યા વગર નહિ સમજી શકાય. મારા અનુભવે એ ફાયદાઓ છે : માનસિક અને શારીરિક સ્વસ્થતા, શરીરના અવયવોની સંવાહનતા, શરીરની આંતરિક પ્રક્રિયામાં સુધારો, ચયાપચય (પાચનક્રિયા)માં વધારો, પીઠના મણકાઓની સુગ્રથિતતા, શરીરના સ્નાયુઓની મજબૂતી અને ઇંદ્રિયોની દૃઢતા, વજન ઘટવું, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્ફૂર્તિ તથા ચપળતામાં વધારો થવો.     

યોગમાં જરૂરી હોય છે, નાક દ્વારા શ્વાસ લેવો અને છોડવો અને આ ક્રિયા તંદુરસ્ત મન અને તનને જાળવવા માટે અતિ આવશ્યક છે. 

નાક દ્વારા શ્વાસ લેવાનો મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સરળ અને અગત્યના મહાવરાથી ફેફસાં વૃદ્ધિ પામે છે અને આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પ્રસરે છે અને તેથી કીટાણુજન્ય વિષ નાશ પામે છે અને આવા તો ઘણા બધા ફાયદા થાય છે. 

યોગથી હું સાચી રીતે શ્વાસ લેવાનો આનંદ લઈ શકી અને તેનાથી તેનું મૂલ્ય સમજાયું. વળી એટલું જ નહિ, મને મારા શરીર અને તેની અદ્ભુતતા પરત્વે પ્રેમ ઉભરાયો અને તેના પરત્વે મારો સન્માનીય દૃષ્ટિકોણ વિકાસ પામ્યો.   

યોગ એ જીવનપદ્ધતિ છે અને તે સમગ્ર જીવન દરમિયાનની એવી સફર છે કે જેમાં નવું જાણવાનું મળવા ઉપરાંત અલ્લાહ દ્વારા અપાયેલા આ શરીર, ચિત્ત અને આત્મા સાથેનું અનુસંધાન સધાય છે.     

ચિત્ત અને આત્મા

ઇચ્છાશક્તિ, ધીરજ, એકાગ્રતા, પ્રતિબદ્ધતા અને સમતુલા એ આસન પ્રયોગનાં ચાવીરૂપ તત્ત્વો છે, જે મને માનસિક અંધાધૂંધીમાંથી બહાર લાવે છે; મારી રોજિંદી કાર્યશૈલીને ચેતનવંતી બનાવે છે અને મારી દિશાશૂન્યતાને અટકાવી દે છે.    

હું જ્યારે કોઈ આસનને લાંબા સમય સુધી જાળવી રાખું છું, ત્યારે અલ્લાહના નામનો જાપ જપવામાં મારી જીભમાં એક પ્રકારની મીઠાશનો અનુભવ કરું છું. મેં નોંધ્યું છે કે આમ આસન દ્વારા મને એવી ઊર્જા પ્રાપ્ત થાય છે કે જે થકી હું મારા આસનકાળને લંબાવી શકું છું અને તેનાથી મારા શરીરમાં શક્તિનો સંચાર થાય છે; વળી એટલું જ નહિ, પણ મારી અલ્લાહ પરત્વેની મારી આસ્થામાં ઈજાફો થાય છે.   

મારી અન્ય આસનોની પ્રક્રિયાના અંતે હું જ્યારે સુખાસન અવસ્થામાં બેઠેલી હોઉં કે પછી શવાસન અવસ્થામાં સુતેલી હોઉં ત્યારે એક પ્રકારની વિશ્રામની અનુભૂતિ સાથે હું ધ્યાન ધરતી હોઉં છું. હું મારી આંખોને બંધ કરીને મારી શ્વાસોચ્છવાસની ક્રિયાને ધીમી પાડું છું, જેનાથી મારા હૃદયના ધબકારાઓને અનુભવી શકું છું, શાંતિને ધારણ કરી શકું છું અને માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકું છું. આ બધું મારી શ્વાસોચ્છવાસની ક્રિયા સાથેના મારા અલ્લાહના જિક્ર (સ્તવન) દરમિયાન અનુભવી શકું છું.         

મને નથી લાગતું કે યોગ સિવાયનો બીજો કોઈ ઉત્તમ માર્ગ હોય કે જેના થકી આપણે ક્ષણભંગુર એવાં વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ અનુભવી શકીએ અને પોતાની જાતને તનાવમુક્ત કરી શકીએ. યોગની આ પ્રક્રિયા દરમિયાન મારા શરીર અને ચિત્તને કેન્દ્રિત કરીને હું અલ્લાહ આગળ મારા હૃદયને ખોલી શકું છું.      

ઉપચારાત્મક જીવનરાહ

શરીઆ એ મારો જીવનરાહ છે અને તેની સાથે સાથે જો હું મારી જાતની પણ કાળજી રાખું તો તે મને અલ્લાહની નજદીકી તરફ અવશ્ય લઈ જઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગ એટલે પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.)નો માર્ગ. 

મારા અંતરાત્માના દૃષ્ટિબિંદુ પ્રમાણે મારી સંપૂર્ણ સ્વસ્થતા એ યોગને આભારી છે. હું મારી બૌદ્ધિક અને શારીરિક સ્વસ્થતા અને સુયોગ્યતા માટે જાગૃત છું અને હું જાણું છું કે તન અને મનને કેળવવામાં આવશે, તો તેનું પરિણામ બહાર દેખાઈ જ આવશે.    

આ માટે મેં મારી જાત સાથે વાયદો કર્યો છે કે હું ગમે તે રીતે સમય કાઢીને પણ વ્યાયામ કરીશ અને યોગને પ્રાથમિકતા આપીશ; કેમ કે તે જ મારા ચિત્ત અને શરીરને જોડશે અને તેનાથી જ મારામાંની નકારાત્મકતા દૂર થઈને મારું મન શુદ્ધ થશે.   

આમ હું એવી જિંદગી જીવવા માટે શક્તિમાન બની છું કે જેનાથી મારી સંપૂર્ણ તંદુરસ્તી સાથે હું અલ્લાહની સક્ષમતાપૂર્વક ઈબાદત કરી શકું છું અને મારી જાતને મુસ્લીમ તરીકે ઉમદા બનાવવાની દિશામાં આગળ વધી રહી છું જેનો ફાયદો મને થયો છે અને અન્યોને પણ થઈ શકે છે.    

* * *

આપણે આપણા જીવનમાં આપણાં લક્ષ્યોનાં પ્રમાણપત્રો, ઉપાધિઓ (Degrees) અને નાણાં કમાવા માટે સમય કાઢી શકીએ છીએ. આપણે  નેટવર્ક, સોશિયલ મિડિયા અને એવાં માધ્યમોમાં કાર્યરત રહીએ છીએ; તો પછી આપણે આપણો સમય આપણા જ હિત માટેની આ યોગક્રિયા માટે પણ ફાળવવો જોઈએ અને આ નિર્ણાયક ક્રિયા બીજા કોઈએ નહિ, પણ આપણે જ આપણી અને અલ્લાહની ખુશી માટે કરવી જ રહી. 

આપણે આપણા માટેની જ આ જવાબદારી ઉઠાવવી પડશે અને આજની વ્યસ્તતાપૂર્ણ દુનિયાદારીના બહાના હેઠળ આ જવાબદારીમાંથી આપણે છટકી નહિ શકીએ. 

આપણા પ્રિય એવા હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘…તમારા શરીરનો તમારા ઉપર એક અધિકાર છે..’

નોંધ :-

મારા એવા વાચકો માટેના મારા ઉપરોક્ત લેખમાંના ચાર મહત્ત્વના મુદ્દાઓને મારે સ્પષ્ટ કરવા જોઈશે કે જેઓ અને એમાંય ખાસ તો મુસ્લીમો એમ માનતા હોય કે યોગ એ તેમની માની લીધેલી ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી  અને આધ્યાત્મવિદ્યા માટેની મહત્ત્વની આ યોગક્રિયાને તેઓ અપનાવવા ન ઇચ્છતા હોય!      

નીચેની ચાર સામાન્ય યૌગિક ક્રિયાઓ કે જે ઈસ્લામિક માન્યતા સામે  દેખીતી રીતે જ વિરોધાભાસી લાગતી હોય તો તેને અવગણી શકાય.  

(૧) નમસ્કાર મુદ્રા અને નમન;

(૨) એવી કોઈ મુદ્રા કે જેમાં હાથ જોડવાના હોય કે હિંદુ અથવા બુદ્ધ ધર્મના કોઈ મંત્રોનું રટણ કરવામાં આવતું હોય;

(૩) નમસ્કાર કે નમસ્તે જેવા સંસ્કૃત કે સમાનાર્થી અંગ્રેજી શબ્દો હોય;

(૪) યૌગિક ક્રિયામાં ત્રીજી આંખ જાગૃત કરવાની માન્યતા કે જેનું કાર્ય માનવસ્વભાવમાં ભલે મહત્ત્વનું હોય, પણ તે માટે આભારદર્શન કરવું જરૂરી નથી, કેમ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ નથી.       

છેલ્લે,

જો તમે ઈટાલિયન ખોરાક ખાઓ છે, તો શું તમે ઈટાલિયન બની જાઓ છો? ધ્યાન અને યોગ એ છે કે જે તમારા માટે લાભદાયક છે. તમે જે કોઈ ખ્યાલ બાંધો છો કે ધ્યાન ધરો છો તે તમારી જાત માટે અનુરૂપ છે. આસનો કે તટસ્થ સ્થિતિઓ કાલાતીત છે અને તે સિદ્ધ થયેલાં છે. – ડો. પિટર જે. ડી’આદમો. 

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મૂળ લેખ ‘YOGA HELPS ME AS A MUSLIM’ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

      

 

 

Tags: , , , , , , , , , , , , ,

(562) પરિશ્રમ વણ નથી (હઝલ-૩) – ૨૧

તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા (હઝજ)

પરિશ્રમ વણ નથી કોઈ જ બીજો માર્ગ તુજ પાસે
વગર જોરે જ શૌચાલય જઈ બેકી કરી તો જો

રતુમડી ને મદીલી આંખવાળો આખલો ભટકે
અટકચાળું જ કરવા કાજ પૂંછડું આમળી તો જો

પ્રદૂષણ વાતના અટકાવ કાજે કાયદાઓ છે
છડેચોકે વ જાહેરે અધોવાયુ તજી તો જો

કશુંયે ના કઠિન એવીય ગુલબાંગો નરી પોકળ
દબાવી પેસ્ટને પાછી ટ્યુબે દાખલ કરી તો જો

કદી ગુસ્સે ન થાવું એ ડહાપણ ડોળવું મિથ્યા
ભલા તું કો’કનો તુજ નાક પર મુક્કો ખમી તો જો

સમયના મૂલ્યની વાતો કહેતો તું ફરે જ્યાંત્યાં
ગપાટા ગામના મારે જરા હાથે ઘડી તો જો

નગારાં ઢોલ પોકળ છે વગાડી જાણતાં સૌએ
મુશળને હાથમાં લઇને ભલા પીટી જરી તો જો

વીતી પળ નહિ મળે પાછી, ‘વલી’ની વાતમાં દમ છે
સમયની રેત સરકે છે, પળોને સાચવી તો જો  

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)  

તા.૧૭૧૨૧૭ 

(ફેસબુક – ‘ગ઼ઝલ  તો લખું હું’ ગ્રુપ તા.૧૭ ૧૨૧૭)

 

 

 

 

 

 

 
2 Comments

Posted by on January 19, 2018 in હઝલ, FB

 

Tags: , , , ,

(558) પિયર ગઈ, ગઈ ભલે (હઝલ-૨) – ૧૭

તકતી – લગાલગા લગાલગા લગાલગા લગાલગા

પિયર ગઈ, ગઈ ભલે, તરત જ આવ તું પ્રિયે
નહાવું મુલતવી અરે, તરત જ આવ તું પ્રિયે

બિઅર્ડ તો જટા થતી, ફકીર શો હું દીસતો
વિલંબ ના હવે ખપે, તરત જ આવ તું પ્રિયે

ઉદાસ કીર પિંજરે, તરત જ આવ તું પ્રિયે
વળી ઉદાસ છું હુંયે, તરત જ આવ તું પ્રિયે

દિવસ થયા ભલે જ કમ, થયા યુગો સમા પ્રિયે
તડપ ખમીશ ના હવે, તરત જ આવ તું પ્રિયે

સવારસાંજનાં અજીઠ વાસણો ભર્યાં ભર્યાં
મલિન સરવ, રફેદફે, તરત જ આવ તું પ્રિયે

સમજું હવે હું મૂલ્ય તવ, ગઈ તું જ્યારની ડિયર
તું મેઘ સમ વરસ ઘરે, તરત જ આવ તું પ્રિયે

વિરહ ન તું ખમી શકે, ‘વલી’ જરાય આટલો
મરણ સમે કહીશ કે, તરત જ આવ તું પ્રિયે?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૦૭૧૨૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા. ૦૬૧૨૧૭)

 

 

 

 

 

 

 

 

 
Leave a comment

Posted by on January 7, 2018 in હઝલ, FB

 

Tags: , , ,

(556) ભેટ માંહે તલવાર બદલે (હઝલ-૧) – ૧૫

માત્રામેળ છંદ – હરિગીત (દરેક ચરણમાં ૨૮ માત્રા, યતિ ૧૪ અને ૧૬ માત્રાએ)

ભેટ માંહે તલવાર બદલે ભેટવાનું રાખ તું 
અહંભાવ ને ફાંદ ત્યાગી ભેટવાનું રાખ તું

અવરોધતી તવ ફાંદ ભૂંડી ચસોચસ તુજ ભેટણું 
એ પેરે તુજ હૈડેથી અભિમાન છેટું રાખ તું

ફાંદ તો આમેય લજવે કદીયે ન લાગે રૂડું 
હુંપણુંય સાવ ભૂંડું ગાંઠે આ વાતું રાખ તું

પાદરક્ષકો વોહોરતાં તવ પગ પડે ખોખા મહીં 
લોકો મહીં ફાંદ કાજેય નીચાજોણું રાખ તું

લંકાપતિ રાવણ તણુંય ગુમાન ધૂળધાણી થયું 
તું તો ભલા ખેતમૂળી એ સોચવાનું રાખ તું

‘અભી મોંન મારા કહ્યા, અભિમોંન તો હે સોડના’ 
બાવા વેણ સાંભળીને સમજી જ જાવું રાખ તું

બથ ભરવા જ તું ચહે તો મદનેય રહ્યો ગાળવો 
કાજે ફાંદનિયમન ‘વલી’ ન ઉદર ભુખાળું રાખ તું

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૦૪૧૨૧૭

Post-face :

पेट और Ego कम हो तो…
आदमी किसी से भी 
गले मिल सकता है…!!!

(એક વોટ્સએપ મિત્રના અજાણ્યા સ્રોતના Quote ઉપરથી પ્રેરિત)

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૮૧૧૧૭)

 

 

 

 

 

 

 

 
1 Comment

Posted by on December 31, 2017 in હઝલ, FB

 

Tags: , ,

(૫૩૨) આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ – International Non-violence Day (અનુવાદ)

Click here to read in English.

આજે ૨જી ઓક્ટોબર છે જે સાંપ્રત યુગના મહામાનવ મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મજયંતી છે. તેઓ ૧૮૬૯માં આ દિવસે જન્મ્યા હતા. તેમની શહાદતના છ દસકા પછી જગતને હવે ગાંધીઅન ફિલોસોફીની અને એમાંય ખાસ કરીને તેમના અહિંસા અંગેના વિચારોની પ્રતીતિ થઈ રહી છે, જ્યારે કે આજકાલ આખુંય જગત આતંકવાદ અને એવા ઘણા બધા વાદની ધમકીઓ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. યુનોએ સાચી રીતે જ આજના દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે અને ખરેખર એ જ તેમના માટેની મોટી શ્રદ્ધાંજલિ છે.

ચાલો, આપણે તેમના એ શબ્દોને યાદ કરીએ કે જે આ પ્રમાણે છે : “સાચે જ જગત નફરતથી થાકી ગયું છે. આપણને આ થાક પશ્ચિમનાં રાષ્ટ્રોમાં વધારે છવાયેલો દેખાઈ રહ્યો છે. આપણે જોઈએ છીએ કે નફરતના આ ગાનથી માનવતાને કોઈ લાભ પહોંચ્યો નથી. ચાલો, ભારતને ઇતિહાસનું એક પાનું ફેરવવાનો અને જગતને બોધપાઠ શિખવવાનો જશ ખાટવા દો.” જગતની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંજોગોમાં તેમના આ શબ્દો કેવા બંધબેસતા  છે! તેમણે જગતને એક માનવ શરીર સાથે સરખાવ્યું હતું. શરીરના કોઈપણ અવયવની વેદના આખા શરીર દ્વારા અનુભવાતી હોય છે. તેમના શબ્દો દૈવી લાગતા હતા પણ તેઓ એટલા નમ્ર અને પ્રમાણિક હતા કે તેમણે કદીય કોઈ તત્ત્વજ્ઞાની કે દેવદૂત હોવાનો દાવો કર્યો ન હતો.

આ દિવસે વિશ્વભરનાં પ્રસાર માધ્યમોએ મહાત્મા ગાંધી વિષે ઘણું બધું કહ્યું છે. આજના ખૂબ જ ભારેખમ વિષયને સ્પર્શવાનો મારો પ્રયત્ન મારા સુજ્ઞ વાચકોને સાવ ક્ષુલ્લક લાગશે અને તે હું સારી રીતે જાણું પણ છું, કેમ કે હું લેખના માફકસરના કદને જાળવી રાખવા માટે બંધાયેલો છું. મારી આ મર્યાદા છતાંય હું માત્ર અહિંસાના આ વિષયને તેના સમર્થનમાંનાં અન્ય અવતરણોની સહાયથી સારી રીતે ચર્ચવાનું પસંદ કરીશ.

ઈસ્લામના પયગંબર (સ.અ.વ. = સલામ હજો તેઉના ઉપર)ની એક હદીસ (કથનની સ્મૃતિ)માં કહેવાયું છે કે ‘માનવ રક્ત પવિત્ર છે અને તેને કોઈપણ સંજોગોમાં અકારણ વહાવી શકાય નહિ. જો કોઈ ઈસમ માનવ રક્તની આ પવિત્રતાને અવગણીને કોઈપણ એક જીવને હણશે, તો પવિત્ર કુરઆન એ કૃત્યને સમગ્ર માનવજાતની હિંસા કર્યા બરાબર ગણે છે.” હિંસાનાં ઘણાં સ્વરૂપો છે, પણ તેમને મુખ્યત્વે બે શ્રેણીમાં વિભાજિત કરી શકાય; શારીરિક અને માનસિક હિંસા. હિંસા જીભ દ્વારા પણ થઈ શકે. જો તમારા કથન દ્વારા કોઈની લાગણી દુભાય તો તેને પણ હિંસા તરીકે ઓળખાવી શકાય. પીર મશાયખ રહમતુલ્લાહ પોતાના એક બયાનમાં ફરમાવે છે કે ‘ખરો આસ્તિક પોતાના હાથ અને  જીભનો ઉપયોગ કરીને કોઈને ઈજા કે દુ:ખ પહોંચાડી શકે નહિ.’ તેઓ આગળ સમજાવે છે કે ‘કોઈને તેની લાગણી દુભાય તેવો ભૂંડો કાગળ લખવો એ તો બેવડી હિંસા છે.’ આ વાત તેઓ એ રીતે સમજાવે છે કે ભૂંડા કાગળના આ હથિયાર થકી સામેવાળાને દુ:ખ પહોંચાડનાર માણસ પોતાના હાથ અને તેની સાથેસાથે જીભનો પણ ઉપયોગ કરતો હોય છે. જીભનો મતલબ એ કે ભૂંડા કાગળનો વાચક જ્યારે એ કાગળ વાંચતો હોય છે ત્યારે તેને એવો ભાસ થતો હોય છે કે જાણે તે લખનારને સાંભળી રહ્યો છે.

ઈલેક્ટ્રોનિક કે મુદ્રિત વાંચન સામગ્રી એ પ્રવચન સમાન છે અને વક્તા કે લેખક તરફથી થતું જરા પણ અસમતુલન જગત માટે માનવીય હોનારત સર્જી શકે છે. અહિંસા દિવસની માત્ર ઉજવણી જગતને શાંતિમય બનાવી શકે નહિ. પરિણામલક્ષી શાંતિસ્થાપન માટે ઘણી બધી સાવધાનીઓ અને સ્વયંશિસ્ત પણ એટલાં જ જરૂરી છે. જ્યારે જ્યારે દુનિયામાં કોઈ સંવેદનશીલ ઘટના બને ત્યારે પ્રસાર માધ્યમની પવિત્ર ફરજ બની જાય છે કે તેઓ લોકોને હિંસા આચરવા માટે ન ઉશ્કેરે. તે એક પ્રસ્થાપિત નૈતિક સત્ય છે કે ધર્માંધતા અને નફરત એ અમાનવીય અને અપ્રમાણિત છે.

સામૂહિક હિંસાને અટકાવવા માટે એ બાબત ધ્યાનમાં લેવાવી જોઈએ કે કોઈ વ્યક્તિ કે નાના જૂથ દ્વારા કોઈ અનિચ્છનીય કાર્ય થયું હોય તો તે કોઈ ખાસ ધર્મની માન્યતાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો જે તે ધર્મ તેના માટે જવાબદાર છે તેવું ઠરાવી શકાય નહિ. સમાચાર માધ્યમો દ્વારા આવી હિંસાત્મક ઘટનાઓને ઈસ્લામિક, ક્રિશ્ચિયન, યહૂદી કે હિંદુ પ્રેરિત એવી ઓળખ અપાય તે વ્યાજબી નથી. પ્રસાર માધ્યમે હિંસાના માર્ગે જતા મોટા સમુદાયને અટકાવવો જોઈએ અને ઊલટાનો તેને એવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ કે તે સત્તાવાળાઓને શાંતિ અને સુલેહનું વાતવરણ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બની રહે. લોકોને એ વિચારધારા અપનાવવા માટે માર્ગદર્શન અપાવું જોઈએ કે બચાવ કે આક્રમણના હેતુસર નિર્દોષ લોકોના જાનમાલને હાનિ પહોંચાડવી તેમાં કોઈ બહાદુરી કે ત્યાગ રહેલાં નથી.

અહિંસાના માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ હોય છે અને ઘણીવાર તો તે નિરાશાજનક પણ નીવડે છે. ગાંધીજીએ આ મુદ્દાને આ રીતે સમજાવ્યો છે કે ‘અહિંસા વિષેની મારી શ્રદ્ધા હંમેશાં મજબૂત રહી છે. દુ:ખી જગતને શાંતિ અર્પવા માટે અહિંસાના ટૂંકા અને સરળ માર્ગ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. મારા જેવા લાખો લોકો અહિંસાના આ માર્ગ ઉપર ચાલતાં નિષ્ફળતાને પામી શકે, પણ એ નિષ્ફળતા એ વ્યક્તિઓની ગણાવી જોઈએ, નહિ કે અહિંસાના એ સનાતન નિયમની.’

ગાંધીજીએ માનવજીવનને સ્પર્શતા કોઈપણ મુદ્દાને જતો કર્યો નથી. આ વાતની પ્રતીતિ માટે સંશોધકો કે સામાન્ય માનવીઓ ‘ગાંધીજીનો અક્ષ્રરદેહ’ ગ્રંથશ્રેણી જોઈ શકે છે. આમાં તેમનું માત્ર સાહિત્યિક સર્જન જ નથી, પણ તેમનું સર્જનાત્મક અને પ્રવૃત્તિમય જીવન પથરાયેલું છે. વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે લોકોના સામાન્ય રીતે જીવાતા જીવન સાથે સંકળાયેલી અનેક બાબતોને સંલગ્ન માનવજાતની ભલાઈ માટે એમણે વિપુલ માત્રામાં કામ કર્યું છે. તેઓ ખુલ્લા મનના માનવી હતા અને સાથે સાથે તેઓ ક્રાંતિકારી કર્મશીલ એવા સત્ય અને અહિંસાના માધ્યમે સમાજમાંનાં અનિષ્ટો સામે લડતા લડવૈયા પણ હતા. તેમનું વિચારવું, તેમનું બોલવું અને તે પ્રમાણેનું જ કાર્ય કરવું એ ત્રણેયમાં હંમેશાં એકસૂત્રતા જ રહેતી.

સમાપને, મહાત્મા ગાંધીને આપણા દ્વારા સહેતુક અને સહૃદયતાપૂર્વકની અપાતી શ્રદ્ધાંજલિમાં આપ સૌને પણ મારી સાથે સામેલ કરું છું. ચાલો, આપણે માત્ર શાબ્દિક જ નહિ; પરંતુ ક્રિયાત્મક રીતે તેમણે જગતને ચીંધેલા માનવતાના માર્ગ ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ.

ઈશ્વર વૈશ્વિક માનવતાના વિકાસ માટે આપણાં દિલોને પ્રેમથી ભરી દે એવી પ્રાર્થનાસહ,

-વલીભાઈ મુસા

(તા. ૦૨-૧૦-૨૦૦૭)

(Translated from English version titled as “International Non-violence Day” published on October 02, 2007)

 

 

Tags: , , , ,