RSS

Tag Archives: ઈશ્વર

(550) ગોરી રાધે (ગ઼ઝલ) – ૧૧

(ગાગાગાગા ગાગાગાગા)

ગોરી રાધે, ભેદ જ શાને?
કાળા કાને, ભેદ જ શાને?

રાધે કાનો, ઊલટ વાને
વાન વચાળે, ભેદ જ શાને?

દૈવી વાણી, સઘળા ધર્મે
ધર્મો મધ્યે, ભેદ જ શાને?

ડાબેજમણે, લિપિકા હોયે
ભાષા માંહે, ભેદ જ શાને?

લોહી રાતું, સૌનું તોયે
જાતો અંગે, ભેદ જ શાને?

નરનારીની કાયા સરખી
લૈંગિક સબબે, ભેદ જ શાને?

જીવવું મરવું, સરખેસરખું
જીવન અર્થે, ભેદ જ શાને?

ઈશ્વર અલ્લા સરખા તોયે
ભજવા આડે, ભેદ જ શાને?

આમ ‘વલી’ સમજે, સમરસ સહુ
પાછા એને, ભેદ જ શાને?

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

તા.૨૨૧૧૧૭

(ફેસબુક – ‘ગ઼ઝલ ગઝલ તો લખું હું’ ગ્રુપ તા.  તા.૨૪૧૧૧૭)

 

 

 

 

 

 

 

 

 

 

 
8 Comments

Posted by on December 5, 2017 in ગ઼ઝલ

 

Tags: , , ,

(502) Best of 5 years ago this month Dec. ’10 (44)

You may click on : 

(237) ઈશ્વર વિષે ચિંતન

(240) ભેદભરમની ભીતરમાં – અનીતિના ધંધામાં પણ નીતિમત્તા! (5)

(241) આપણાં સંતાનો એ જ આપણું ભવિષ્ય

-Valibhai Musa 

 
Leave a comment

Posted by on December 1, 2015 in 5 years ago, લેખ

 

Tags: , , , , , ,

(473) Best of 5 years ago this month June, 2010 (38)

Click on

(193) એક સજ્જનનું મૃત્યુ

(194) જાણે કે તેઓ અમારાં ખરાં મા ન હોય!

(197) ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ

(198) ભેદભરમની ભીતરમાં – એક વિચાર (૧)

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

(202) એકવીસમી સદીના બાપબેટાની ઘોડેસ્વારી!

 -Valibhai Musa 

 

Tags: , , , ,

(237) ઈશ્વર વિષે ચિંતન

અમેરિકા સ્થિત મારા મિત્ર અને મુરબ્બીશ્રી સુરેશભાઈ જાનીએ પોતાના બ્લોગ ઉપર ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકે સૃષ્ટિ ઉપર આદિ માનવની ઉત્પત્તિ થઈ તે સમયને સાંકળતી એક મનનીય વાર્તા આપી હતી. એ વાર્તા ઉપરના અનેક વિચારશીલ પ્રતિભાવો પૈકી મારો પોતાનો પણ એક પ્રતિભાવ હતો, જેને મેં મારા પોતાના બ્લોગ ઉપર “ ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ” શીર્ષકે મારા સુજ્ઞ વાંચકો માટે પ્રસિદ્ધ કર્યો હતો. એ વાર્તાના નાયક ‘મનુ’ ને પ્રથમવાર ઈશ્વરનો આવિર્ભાવ થયો. કોઈક દિવ્ય શક્તિએ તેને બચાવી લીધો અને ત્યાં તેને ઈશ્વરની અનુભૂતિ ‘ભય’માંથી થઈ સમજવી પડે. તો વળી આપણા ગુફાવાસી પૂર્વજોને ઈશ્વરની છએ દિશાઓમાં ભૂમિગત અને બાહ્ય તેની સર્વત્ર વેરાએલી ભાતીગળ નયામતો (બક્ષિસો)ના અવલોકનોથી અભિભૂત થવાના કારણે એ પરમ શક્તિની આભારવશતામાંથી પણ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર થયો હોઈ શકે. જે હોય તે, પણ નમ્રભાવે હું કહું તો આ વાર્તાએ મને ‘ઈશ્વર’ વિષેનું મારું અલ્પ જ્ઞાન અહીં પ્રદર્શિત કરવાની પ્રેરણા આપી છે, બાકી હું કોઈ દાર્શનિક તો નથી, નથી જ. અહીં જે કંઈ વિષયસામગ્રી અપાશે તેને મારા આધ્યાત્મિક વાંચન, મનન અને ચિંતનના પરિપારક તરીકે આપ સૌ વાંચકોએ સમજવાની છે, કોઈ વિચારધારા તરીકે નહિ. Read the rest of this entry »

 
12 Comments

Posted by on December 13, 2010 in લેખ

 

Tags: , , , , , , , ,