RSS

Tag Archives: ગર્ભ

(568) દોરો પરોવેલી સુઈ (ગ઼ઝલ) – ૨૫

તકતી – ગાગાલગા *3 (રજઝ સાલિમ ષડવર્ગી)

દોરો પરોવી સોઈ તો ખોવાય ના
નારી સુહાગણ એમ કૈૈં નિંદાય ના

મિત્રો ઘણા મળતા રહેતા આ જગે
વિપદા વચાળે ખુદગરજ ડોકાય ના

પાણી કદી ધોકેય નોખાં થાય ના
લોહીસગે જોડાયલાં વેરાય ના

કુદરત તણી લીલા સમજવી દોહ્યલી
આકાશમાં ભમતા ગ્રહો અથડાય ના

લજ્જાહયા ચારિત્ર્યનું છે ઢાંકણું
લૂપહાજરીએ ગર્ભ ધારણ થાય ના

ધૂંવો કદીયે ઊઠતો ના જાણવો
જ્યાં ચીજ કોઈ ક્યાંય સળગાવાય ના

જીવન મહીં નાતા ઘણા નાજુક છતાં
જતને ‘વલી’ અમથા જ એ કરમાય ના

-વલીભાઈ મુસા (‘વલી’ કાણોદરી)

(તા.૨૨૦૧૧૮)

(ફેસબુક – ‘ગ઼ઝલ તો લખું હું’ ગ્રુપ તા.૨૨૦૧૧૮)

 

 
Leave a comment

Posted by on February 8, 2018 in ગ઼ઝલ

 

Tags: , ,

(૫૦૯) “એકાકી કારાવાસ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૭) -વલીભાઈ મુસા

એકાકી કારાવાસ

(ભાવાનુવાદ)

મુજ મહદંશ સૂધબૂધથી વંચિત
એવા મેં વીતાવ્યું મુજ સમગ્ર અસ્તિત્વ સાવ એકલવાયું
ઘોર તિમિરભર્યા ગર્ભકોચલા મહીં.

હળવા ને વળી લયબદ્ધ મારા ખુદના જ શ્વાસોચ્છ્વાસ તણી
મોજૂદગી અનુભવી અને સાવ ઝાંખુંઝાંખુ ને અસ્પષ્ટ ધૂંધળું
જોવા માંડ્યું હું પહેલવહેલું ગર્ભ મહીં ધીમે ધીમે.

અને પછી તો એકદા સાવ અચાનક સરી પડ્યું હું
ગર્ભ માંહેથી બાહિર અને અંજાઈ ગયું બાહ્ય ઝળહળતા તીવ્રતમ પ્રકાશ થકી
અને ડઘાયું હું વિવિધ કર્કશ અવાજો સુણી
ને વળી ઝીણી નજરે મુજને અવલોકતાં સૌ જન થકી.

શમનકારી શાંતિ છવાઈ ગઈ મુજ પરે તુર્ત જ,
ક્યમ કે જાણ્યું મેં કે નવ માસ તણા એકાકી કારાવાસ પછી
ઝૂલી રહ્યો છું હું તો મુજ જનની તણા સલામત અને માવજતભર્યા બાહુઓ મહીં.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Solitary Confinement

Deprived of most of my senses,
I spent my entire existence alone,
in complete darkness in that cell.

I felt gentle rhythmic presence
of my own breathe and blurry and fuzzy
at first, gradually I began to see.
Then one day, quite unexpectedly, as I was ushered
out of the cell, I was blinded by the sharp stinging lights,
a cacophony of noises and probing eyes.

Soon a soothing calm came over me. I knew –
after 9 months of solitary confinement –
I was in the comforting caring arms of my mother.

– Vijay Joshi

* * * * *

સંક્ષેપ :

આ કાવ્ય માનવમાદાના ગર્ભમાંના ભૃણ, તેનો વિકાસ અને છેલ્લે માનવબાળ તરીકેના તેના જન્મની સમગ્ર પ્રક્રિયાને ઉજાગર કરે છે. ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ની ઉક્તિ અનુસાર કવિએ આત્મકથાનક રૂપે ગર્ભસ્થ શિશુના મુખે કથની મૂકીને ઉમદા કવિકર્મ પાર પાડ્યું છે. માનવમાદાના ગર્ભને કારાવાસનું રૂપક આપીને તેમાં વિકસતા ભૃણને કેદી તરીકે ઓળખાવ્યું છે. નવ માસની જાણે કે સજા પામ્યું હોય એવું એ ભૃણ અંધકારભરી કાળકોટડીમાં એકલવાયું જીવન વિતાવે છે. ગર્ભાધાન પછીનાં કેટલાંક અઠવાડિયાં પછી જ્યારે એ ભૃણમાં જીવસંચાર થાય છે ત્યારથી માંડીને તેના જન્મ સુધીના એ સમયગાળા દરમિયાન તેણે વેઠેલી યાતનાઓ હિંદુ મત પ્રમાણે કર્મફળ હોવાની કવિની ધારણા છે. છેવટે પરિપક્વ સમયે એ ભૃણ પૂર્ણ વિકસિત બનીને શિશુ રૂપે જન્મ ધારણ કરે છે. નવજાત શિશુ જન્મ્યા પછી ક્ષણભર શાંત પડી રહે છે એ બાબત વિષેની કવિની ભવ્યતમ કલ્પના વાચક માટે હૃદયસ્પર્શી બની રહે છે. નવ માસના કારાવાસ પછી મુક્તિનો શ્વાસ લેતા એ શિશુને માતાના સલામત અને માવજતભર્યા હાથોમાં ઝૂલતું બતાવીને કવિ કાવ્યનું સમાપન કરે છે.

-વલીભાઈ મુસા (સંક્ષેપકાર)

* * * * *

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

 

Tags: , ,

(૪૮૩) “સર્જન અને વિસર્જન” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૧)

Boom and Bust

At the core of the sun
a solitary photon wandered around taking
countless random walks.

Meandering erratically for thousands of years
in the sun’s fiery gaseous world
it arrived at sun’s surface.

Now in the freedom of space it travelled
65 million miles at lightning speed to reach
planet earth in just 8 minutes and 20 seconds.

A nanosecond too late to resuscitate
a sole surviving leaf on a late autumn morning
as it fell down from a naked deciduous maple.

-Vijay Joshi

* * * * *

સર્જન-વિસર્જન (ભાવાનુવાદ)

              (અછાંદસ)

ભાસ્કર તણા ઊંડેરા ગર્ભ માંહે
એકાકી કો’ વિદ્યુત ચુંબકીય વિકિરણ શક્તિ તણો અણુ
ચક્રાકારે અહીંતહીં આથડતો અસ્તવ્યસ્ત કંઈ કેટલાંય અંતર સમેટતો

હજારો વર્ષોથી વાંકીચૂંકી નિજ સ્વૈર ગતિએ
નિજ માર્ગે અગ્રે ધપ્યે જતો
ભાસ્કરના પ્રજ્વલિત વાયુરૂપી જગ મહીં
અને આવી પૂગે એ જ ભાસ્કર તણી બાહ્ય સપાટી ઉપરે.

હવે તો ભાસ્કરગર્ભ તણો એ જ અણુ પ્રકાશકિરણ બની
આરંભે નિજ સફર મુક્ત અવકાશ મહીં વીજગતિએ
કાપવા દૂરી સાડા છ કરોડ માઈલ તણી
પૃથ્વીગ્રહે પૂગવા આઠ મિનિટ અને વીસ સેકંડ તણી સમયાવધિ મહીં.

અરે, કિંતુ એ ઢળતી પાનખ૨ પ્રભાતે
અબજાંશ સેકંડ તણા નહિવત્ વિલંબ થકી
એ કિરણ રહે અસમર્થ નવીન પ્રાણ પૂરવા
ખરવા જતા એ નગ્ન મેપલ તરુ તણા પર્ણને !

            – વિજય જોશી (મૂળ કવિ)

       – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

સર્જન અને વિસર્જન – સંક્ષેપ

કાવ્યનું શીર્ષક ‘સર્જન-વિસર્જન’ એ ક્ષણભંગુર, ગતિશીલ અને પરિક્રમિત જગત કે જેમાં ઋતુઓના બદલાવ, વૈયક્તિક લાગણીઓની ચઢાવ-ઉતાર, શાશ્વત એવું જીવન-મૃત્યુનું ચક્ર, સંસ્કૃતિઓની ઉત્ક્રાંતિ-અવક્રાંતિ અને અર્થતંત્રીય બજારોની ચડતી-પડતીની પ્રક્રિયાઓને ઉજાગર કરે છે.

સૂર્યમાંથી ઉદ્ભવતું પ્રકાશકિરણ (અણુ) અને તેનું પૃથ્વી ઉપર થતું આગમન એ પ્રકૃતિની અનિશ્ચિતતા અને અણધાર્યાપણાને દર્શાવે છે. ખરતું પાંદડું અને સૂર્યકિરણ (અણુ)ની સમયસર આવી પહોંચવાની નિષ્ફળતા એ સત્યને સમજાવે છે કે માનવી પેલા પ્રકાશકિરણની જેમ ભલે નિષ્ફળ પુરવાર થાય, પણ તેણે પોતાના સાતત્યપૂર્ણ સંઘર્ષને અટકાવવો જોઈએ નહિ અને પોતાનું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ.

વળી ખરતા પાંદડાને ઉત્કાંતિની પ્રક્રિયાના એક રૂપક તરીકે પણ સમજી શકાય કે કેવી રીતે સજીવો બદલાતા વાતાવરણને અપનાવી લઈને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની તીવ્ર ઇચ્છા ધરાવતાં હોય છે.

નગ્ન વૃક્ષ એ વૃક્ષની ભેદ્યતા દર્શાવે છે; પછી ભલે ને એ પર્ણવિહીન હોય, પણ પ્રાણહીન નથી હોતું.

          – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

 

Tags: , , , , , , , , , ,