RSS

Tag Archives: વિસર્જન

(519) Best of the year 2015 (5)

You may click on

(૪૫૬) પ્રિયતમાની જીવંત કબર ! (ભાવાનુદિત કાવ્ય) [7]

(૪૫૭) ભવ્યતમ ભારતીય ગ્રીષ્મ (ભાવાનુવાદ) [8]

(૪૫૮) માધુરી દીક્ષિત (સિનેતારિકા) – ભાવાનુવાદ [9]

(૪૬૦) હું અને મારો ઘોડો : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧)

(૪૬૧) ચકલીઓ : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૨)

(૪૬૩) ચાલો ને, આપણે … – ભાવાનુવાદ [10]

(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

(૪૬૫) “માધુરી દીક્ષિત (સિનેતારિકા)” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૩)

(૪૬૭) “ગૌરવર્ણો ભિક્ષુક” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૪)

(૪૬૯) “મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૫)

(472) Comprehension of  a Poem ‘Colossal Mistake’ (by Rabab Maher) – Valibhai Musa

(474) The Demise of a Gentle Giant

(૪૭૫) “પિયુ પરણ્યાની રાતડી પહેલી” :પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૬)

(૪૮૦) મારો જન્મદિવસ – તિર્યક (તિરછી) નજરે

(૪૮૩) “સર્જન અને વિસર્જન” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૧)

(૪૮૪) “તાત્ત્વિક સ્વગતોક્તિ”- શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૨)

(૪૮૫) પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન : ૭ : “ચાલો ને, આપણે …”

(૪૮૬) પ્રિયતમાની જીવંત કબર : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૮) – વલીભાઈ મુસા

(૪૮૯) હું મરવા કરતાં, બેશક, ચૂમી ભરવાનું વધારે પસંદ કરીશ! -વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(૪૯૧) “ચતુર્થ પરિમાણની પેલે પાર” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૩)

(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)

(૪૯૩) “કોરો કાગળ” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૪) -વલીભાઈ મુસા

(૪૯૪) “જ્યમ અસ્ખલિત મેઘ વરસે…” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૦)

(૪૯૭) આમવૃક્ષ (મૂળ વાર્તાકાર : મધુલિકા લિડલ || ભાવાનુવાદક : વલીભાઈ મુસા

(૫૦૦) “વિખૂટા પડ્યાનો વલવલાટ” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૧)

 –વલીભાઈ મુસા 

 

 

 

 

 

Tags: , , , , , , , , , , , ,

(૪૮૩) “સર્જન અને વિસર્જન” – શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૧)

Boom and Bust

At the core of the sun
a solitary photon wandered around taking
countless random walks.

Meandering erratically for thousands of years
in the sun’s fiery gaseous world
it arrived at sun’s surface.

Now in the freedom of space it travelled
65 million miles at lightning speed to reach
planet earth in just 8 minutes and 20 seconds.

A nanosecond too late to resuscitate
a sole surviving leaf on a late autumn morning
as it fell down from a naked deciduous maple.

-Vijay Joshi

* * * * *

સર્જન-વિસર્જન (ભાવાનુવાદ)

              (અછાંદસ)

ભાસ્કર તણા ઊંડેરા ગર્ભ માંહે
એકાકી કો’ વિદ્યુત ચુંબકીય વિકિરણ શક્તિ તણો અણુ
ચક્રાકારે અહીંતહીં આથડતો અસ્તવ્યસ્ત કંઈ કેટલાંય અંતર સમેટતો

હજારો વર્ષોથી વાંકીચૂંકી નિજ સ્વૈર ગતિએ
નિજ માર્ગે અગ્રે ધપ્યે જતો
ભાસ્કરના પ્રજ્વલિત વાયુરૂપી જગ મહીં
અને આવી પૂગે એ જ ભાસ્કર તણી બાહ્ય સપાટી ઉપરે.

હવે તો ભાસ્કરગર્ભ તણો એ જ અણુ પ્રકાશકિરણ બની
આરંભે નિજ સફર મુક્ત અવકાશ મહીં વીજગતિએ
કાપવા દૂરી સાડા છ કરોડ માઈલ તણી
પૃથ્વીગ્રહે પૂગવા આઠ મિનિટ અને વીસ સેકંડ તણી સમયાવધિ મહીં.

અરે, કિંતુ એ ઢળતી પાનખ૨ પ્રભાતે
અબજાંશ સેકંડ તણા નહિવત્ વિલંબ થકી
એ કિરણ રહે અસમર્થ નવીન પ્રાણ પૂરવા
ખરવા જતા એ નગ્ન મેપલ તરુ તણા પર્ણને !

            – વિજય જોશી (મૂળ કવિ)

       – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

સર્જન અને વિસર્જન – સંક્ષેપ

કાવ્યનું શીર્ષક ‘સર્જન-વિસર્જન’ એ ક્ષણભંગુર, ગતિશીલ અને પરિક્રમિત જગત કે જેમાં ઋતુઓના બદલાવ, વૈયક્તિક લાગણીઓની ચઢાવ-ઉતાર, શાશ્વત એવું જીવન-મૃત્યુનું ચક્ર, સંસ્કૃતિઓની ઉત્ક્રાંતિ-અવક્રાંતિ અને અર્થતંત્રીય બજારોની ચડતી-પડતીની પ્રક્રિયાઓને ઉજાગર કરે છે.

સૂર્યમાંથી ઉદ્ભવતું પ્રકાશકિરણ (અણુ) અને તેનું પૃથ્વી ઉપર થતું આગમન એ પ્રકૃતિની અનિશ્ચિતતા અને અણધાર્યાપણાને દર્શાવે છે. ખરતું પાંદડું અને સૂર્યકિરણ (અણુ)ની સમયસર આવી પહોંચવાની નિષ્ફળતા એ સત્યને સમજાવે છે કે માનવી પેલા પ્રકાશકિરણની જેમ ભલે નિષ્ફળ પુરવાર થાય, પણ તેણે પોતાના સાતત્યપૂર્ણ સંઘર્ષને અટકાવવો જોઈએ નહિ અને પોતાનું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ.

વળી ખરતા પાંદડાને ઉત્કાંતિની પ્રક્રિયાના એક રૂપક તરીકે પણ સમજી શકાય કે કેવી રીતે સજીવો બદલાતા વાતાવરણને અપનાવી લઈને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની તીવ્ર ઇચ્છા ધરાવતાં હોય છે.

નગ્ન વૃક્ષ એ વૃક્ષની ભેદ્યતા દર્શાવે છે; પછી ભલે ને એ પર્ણવિહીન હોય, પણ પ્રાણહીન નથી હોતું.

          – વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

 

Tags: , , , , , , , , , ,