RSS

Tag Archives: હાઈકુ

(577) Best of the year 2017 (7)

You may click on the following titles for the Best of my Articles in the year 2017.

(૫૨૭) જેનો અંત સારો, તેનું સઘળું સારું – અનુવાદ (All’s well that ends well)

(૫૨૮) બધા જ ડોક્ટર નાણાંભૂખ્યા નથી હોતા -અનુવાદ (Not All Doctors Money Hungry)

(૫૨૯) મરહૂમ ડો. મુસા, એક તબીબ કે જે કદીય નહિ ભુલાય – અનુવાદ (Dr. Musa, a Physician will be missed)

(૫૩૦) એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું ! – અનુવાદ (A full circle swallowed 22 years)

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

(૫૩૫) હાહાહા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન – (૧ થી ૩)

(536) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૪)

(૫૩૭) પછી તો આપણું રહ્યું ક્યાં સુખ! (વ્યંગ્યકવન / અછાંદસ)

(૫૩૮) ‘પ્રતિલિપિ’ સાથેનો મારો પરિચય વાર્તાલાપ

(539) નર્મમર્મ વ્યથાકથા

(540) ગ઼ઝલસર્જનનો પ્રથમ અનુભવ – અનેરો આનંદ, અનેરી પરિતૃપ્તિ! (ગ઼ઝલ) – ૧

(544) પુરપાટ ઝડપે (ગ઼ઝલ) – ૫

(545) ક્યાંક ખીલે (ગ઼ઝલ) -૬

(547) ભલે બૂરું અમારું છે (ગ઼ઝલ) – ૮

(548) ભૂલો કરે તું માનવ (ગ઼ઝલ) – ૯

(549) રડે જો આપ્તજન (ગ઼ઝલ) – ૧૦

(550) ગોરી રાધે (ગ઼ઝલ) – ૧૧

(551) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૫)

(553) વ્યંગ્ય કવન – હા-હા-હા…હાસ્ય-હાઈકુનાં હાસ્યદર્શન (૬)

(555) ભલે હું નકામો (ગ઼ઝલ) – ૧૪

(556) ભેટ માંહે તલવાર બદલે (હઝલ-૧) – ૧૫

Thanks

-Valibhai

 

 

 

 

 
Leave a comment

Posted by on August 20, 2018 in લેખ, Best of the year

 

Tags: , , , , , ,

(518) Best of the year 2014 (4)

You may click on :

(૪૦૮) એક અદના માણસની પ્રેરણાદાયી અદની નિષ્ઠાઓ !

(૪૨૧) મારાં હાઈકુ (પ્રકીર્ણ) ભાગ -૧૨ (ક્રમાંક -૧૭૭ થી ૧૮૮)

(૪૨૩) એક ધ્રુવપંક્તિ ઉપરનો મારો પ્રતિભાવ

(૪૨૬) તાંહળેતાંહળે પીજો ! (હાસ્યકાવ્ય)

(૪૩૫) મારો જન્મદિવસ – નવી નજરે

(૪૩૯) હળવાં વૅલન્ટાઇન હાઈકુ (૧૮૯ થી ૧૯૯)

(૪૪૦) “લ્યો, હું તો જીવતો રહ્યો, મરી ન ગયો !!!”

(૪૪૧) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૦૦થી ૨૧૦)

(૪૪૨) અવિસ્મરણીય અને સ્તુત્ય એક કાર્યક્રમની ઝલક

(૪૪૭) પ્રકીર્ણ હાઈકુ : (ક્રમાંક ૨૧૧થી ૨૨૦)

(૪૪૮) ગૌરવર્ણો ભિક્ષુક (ભાવાનુવાદિત કાવ્ય) [1]

(૪૫૦) મુજ ભાર્યા પણ જાણે આ લગ્નેતર લફરું !!! (ભાવાનુદિત કાવ્ય) [2]

(૪૫૧) ભેદી જળ … (ભાવાનુદિત કાવ્ય) [3]

(૪૫૨) જ્યમ અસ્ખલિત મેઘ વરસે…(ભાવાનુદિત કાવ્ય) [4]

(૪૫૩) મલાલાને (નોબલ પુરસ્કાર સ્વીકારતાં) – (ભાવાનુવાદિત કાવ્ય) [5]

(૪૫૪) વિખૂટા પડ્યાનો વલવલાટ (ભાવાનુવાદિત કાવ્ય) [6]

 

-Valibhai Musa 

 

 
Leave a comment

Posted by on April 1, 2016 in લેખ, Best of the year

 

Tags: , , , , , , , , ,

(510) Best of the year 2012 (2)

You may click on

(311) છેલ્લો એક પાસો!

(૩૧૩) સો સો સલામ!

(૩૧૫) મારી હંગામી જહાંગીરી ફકીરી!

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

(૩૧૭) રંગલો ન થવું હોય તો! (હાસ્યકાવ્ય)

(૩૨૦) નિજ ચક્ષુ તણી ભીની પાંપણે! (વ્યંગ કાવ્ય)

(૩૨૫) સુરેશભાઈ જાની કૃત ‘અવલોકન’ ઉપરનું મારું અવલોકન

( ૩૨૭) વિલિયમનાં હાસ્ય હાઈકુ (પ્રસ્તાવના) – પ્રજ્ઞાબેન વ્યાસ (૧)

(૩૨૮) મારાં હાઈકુ ભાગ – ૭ (ક્રમાંક ૯૦ થી ૧૦૯)

(329) In Light Mood (Introduction) – Prof. Mukesh Raval (2)

(૩૩૦) હળવા મિજાજે (પ્રસ્તાવના) – જુગલકિશોર વ્યાસ (૩)

(૩૩૧) મારાં હાઈકુ ભાગ – ૮ (ક્રમાંક ૧૧૦ થી ૧૨૯)

(૩૩૨) મારાં હાઈકુ ભાગ – ૯ (ક્રમાંક ૧૩૦ થી ૧૪૯)

(૩૩૩) મારાં હાઈકુ ભાગ – ૧૦ (ક્રમાંક ૧૫૦ થી ૧૬૯)

(૩૩૫) મારી કલમે હું

(૩૩૬) ડો. ચન્દ્રવદન મિસ્ત્રી- એક વિશિષ્ટ વ્યક્તિત્વ

(૩૩૮) વ્યંગ્ય કવન (અવલોકન) – શરદ શાહ

(૩૪૨) કૌન ગીરા? (વ્યંગ કાવ્ય)

(348) An Exposition of a Poem: ‘A Publicity Whore’ by Rabab Maher, a talented Muslim poetess

(૩૫૧) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

(૩૯૯) બાળનજરે સાહિત્યકાર !

(૩૫૮) હાસ્યદરબારની અસાધારણ સાધારણ સભાના અસાધારણ ઠરાવો (પ્રહસન – ૪)

– Valibhai Musa

 

Tags: , , , , , , ,

(૪૯૬-અ) ખંડકાવ્યનું સ્વરૂપ અને ‘હાઈકુ-ખંડકાવ્ય’ના ખુદના પ્રયોગ ઉપરનું સ્વવિવેચન

ગુજરાતી ભાષાનું માતૃકૂળ જેમ સંસ્કૃત મનાય છે, બસ તેમ જ ખંડકાવ્યનો પ્રાદુર્ભાવ પણ સંસ્કૃતમાંથી થયો હોવાનો કેટલાક વિદ્વાનોનો મત છે. મહાકવિ કાલિદાસની સદાબહાર કૃતિ ‘મેઘદૂત’ને જુદાજુદા વિદ્વાનો મહાકાવ્ય, ક્રિડાકાવ્ય કે કેલિકાવ્ય એવા સાહિત્યપ્રકાર તરીકે ઓળખાવે છે, પણ એકમાત્ર વિશ્વનાથ જ એને ખંડકાવ્ય ગણાવે છે અને પશ્ચિમના મીમાંસકો એને સમર્થન પણ આપે છે. વિશ્વનાથના મતે ‘મેઘદૂત’માં મહાકાવ્યનાં ગણાવાતાં લક્ષણો પૈકી અમુક જ વિદ્યમાન છે. આપણા બ. ક. ઠાકોર વળી તેને સુસંકલિત મુક્તકોના કાવ્ય તરીકે ઓળખાવે છે. ‘મેઘદૂત’ને ગમે તે સાહિત્યપ્રકારે વિદ્વાનો ઓળખે, પણ તેમાં કથાતત્ત્વ પ્રમુખ સ્થાને હોઈ તેને હાલના ખંડકાવ્યની વ્યાખ્યા હેઠળ ગણતાં વિશ્વનાથ જ સાચા ઠરે.

હવે આપણે સંસ્કૃતના એ સમયકાળથી આગળ વધીને ગુજરાતી તરફ આવીએ તો ખંડકાવ્ય એ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એમ ત્રણેય કાળનાં સાહિત્યમાંનું નાજુક ને નમણું સાહિત્યસ્વરૂપ રહ્યું છે. પ્રાચીન સાહિત્યમાં તેનાં મૂળ મળે છે, તો મધ્યકાલીનમાં કંઈક જુદા સ્વરૂપે તે વહે છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રફુલ્લિત કાવ્યપ્રકારરૂપે ખીલે છે. કાળક્રમે તે મહાકાવ્ય અને આખ્યાનકાવ્યના તબક્કા વટાવીને અર્વાચીન સમયના શુદ્ધ ખંડકાવ્યનું રૂપ ધારણ કરે છે. આ કાવ્યપ્રકાર આપણને હિંદીમાં અને આપણી ભગિનીભાષા મરાઠીમાં પણ જોવા મળશે. એ ભાષાઓમાં વળી તેના બદલાતા સ્વરૂપે વિભિન્ન પ્રકારો ગણાવાયા છે.

કેટલાક ગુજરાતી મીમાંસકો ખંડકાવ્યના મૂળને પ્રેમાનંદનાં આખ્યાનોમાં જુએ છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આ કવિને ખંડકાવ્યના જનક તરીકે ઓળખાવે છે. એ આખ્યાનો અતિદીર્ઘ હતાં અને ‘કડવાં’ એવા વિભાગોમાં વહેંચાયેલાં હતાં. ગુજરાતી વિવેચનસાહિત્યમાં નવલરામ પંડ્યા દ્વારા ખંડકાવ્યની ઓળખનો પહેલો ઉલ્લેખ થયો છે. સૌથી પહેલાં બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ને નવલરામે અને પછીથી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેને ખંડકાવ્ય તરીકે ઓળખાવ્યું છે. આગળ જતાં ‘કાન્ત’ અને ‘કલાપી’ કે જે ખંડકાવ્યોના પ્રખર ઘડવૈયા મનાય છે, એમનાં એ કાવ્યો વાર્તાતત્ત્વના લક્ષણે અને કદમર્યાદાએ આખ્યાનની લઘુ આવૃત્તિ બને છે. વળી એ આખ્યાનોનું ‘કડવાં’માંનું વિભાજન આપણા હાલના પ્રચલિત ખંડકાવ્યમાં છંદ વિભાજનમાં વર્તાય છે.

આમ સમગ્ર ચર્ચાના અંતે વ્યવહારુ એવા નિષ્કર્ષ ઉપર આવી શકાય કે જે કાવ્યમાં કથા હોય, એ કથા જુદાજુદા ઘટનાક્રમમાં આગળ વધતી હોય અને જે તે ઘટનાના સાહિત્યરસને અનુરૂપ છંદવૈવિધ્ય આવતું જતું હોય તેને ખંડકાવ્ય કહેવાય. આ ખંડકાવ્યને બીજી સરળ રીતે સમજવું હોય તો કહી શકાય કે તે એક છંદોબદ્ધ પદ્યનવલિકા જ છે. આમાં ઊર્મિકાવ્ય અને નાટ્યકાવ્યનાં તત્ત્વોનું સંમિશ્રણ થયેલું હોય છે. નવલિકા કે એકાંકી નાટકની જેમ ખંડકાવ્યમાં માનવજીવનનું કોઈ એકાદ પાસું જ પ્રગટ થાય છે અને પાત્રના જીવનના કોઈ મહત્ત્વના સંઘર્ષને નિરૂપવામાં આવે છે. મહાકાવ્ય કે આખ્યાનમાં આપણી નવલકથાની જેમ કથાવિસ્તાર કે ઘટનાઓનું ઊંડાણ જોવા મળે છે અને તેમાં માનવજીવનનાં અનેક પાસાંઓ અને પ્રસંગોને આવરી લેવાતા હોય છે. વળી જેમ ઊર્મિકાવ્યમાં કોઈ એક જ ભાવનું પ્રાધાન્ય હોય છે, તેમ ખંડકાવ્યમાં પ્રસંગોને અનુરૂપ અનેક ભાવોનું સંમિશ્રણ હોય છે. મહાકાવ્યોમાં સર્ગો દ્વારા, આખ્યાનકાવ્યોમાં કડવાંઓ દ્વારા તેમ ખંડકાવ્યમાં છંદોના વૈવિધ્ય દ્વારા ભાવવિભાજનો થતાં રહે છે.

‘ખંડકાવ્ય’ને કાવ્યપ્રકારે સમજી લીધા પછી હવે આપણે ગુજરાતી સાહિત્યમાં થયેલા તેના ખેડાણ ઉપર એક નજર નાખીએ. તો ‘કાન્ત’ અને ‘કલાપી’એ આના વિકાસમાં ગુણાત્મક યોગદાન આપ્યું છે. કાન્ત’ તો ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાયા છે. કવિશ્રી ‘કાન્ત’ અને ‘કલાપી’ સમકાલીન, સમવયસ્ક અને સમભાવી મિત્રો હતા. આમ એ બેઉ મિત્રોનાં કાવ્યો એકબીજાંની અસર ઝીલ્યાં છે. ‘કાન્ત’નાં ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ ખંડકાવ્યોમાંનું તેમનું કવિત્વ એવું સંગીન અને સનાતન બની રહ્યું છે કે એને આજે પણ માપદંડ તરીકે જોવાય છે. તો વળી ‘કલાપી’નાં ખંડકાવ્યોમાં પ્રણયની અતૃપ્તિની વેદના પરોક્ષ રીતે અનુભવાય છે. તેમનાં ‘ગ્રામમાતા’, ‘ભરત’ આદિ ખંડકાવ્યોની મોહિની એવી તો રહી છે કે વાચક તેમને પુન: પુન: માણ્યા કરે છતાંય તૃપ્તિનો અહેસાસ કરી શકે નહિ.

લેખની કદમર્યાદાના કારણે વર્તમાનકાળ સુધીનાં ઉત્કૃષ્ટ ખંડકાવ્યનાં સર્જનોને અવલોકવાનું સ્થગિત કરીને આપણે ખંડકાવ્યને સંબંધિત તેનાં લક્ષણોમાં કરવામાં આવતી બાંધછોડ દ્વારા થતી પ્રયોગશીલતાને થોડીક સમજી લઈએ. ગુજરાતી સાક્ષરયુગના સર્જકો કાવ્યમાં છંદબદ્ધતાને અનિવાર્ય સમજતા હતા. છંદ વગરના કાવ્યને કાવ્ય ગણી જ શકાય નહિ તેવી તેમની ચુસ્ત માન્યતા હતી. એ જ સાક્ષરયુગના કવિ નાનાલાલે નાટ્યકવિતા ‘જયા અને જયંત’ને મુક્ત કે ડોલન શૈલીએ લખીને છીંડું પાડ્યું અને અગેય કે અછાંદસ રચનાઓ લખાવા માંડી. હાલમાં તો આનો મહિમા ખૂબ જ વધી ગયો છે અને અપરિપક્વ અછાંદસ સર્જનોએ કવિતાના સ્તરને સાવ નીચું લાવી દીધું છે. અધૂરામાં પૂરું બ્લૉગસુવિધાએ તો માત્ર પદ્યને જ નહિ, પણ તમામ સાહિત્યપ્રકારોને વિકસવા કરતાં વધારે વિકૃત થવા માટેનું વધારે બળ પૂરું પાડ્યું છે. આ તો જરા આડવાત થઈ.

હવે આપણે ખંડકાવ્ય અંગે વિચારીએ તો તેમાં છંદવિધાનને વેગળું મૂકી શકાય ખરું? આનો એક જ જવાબ હોઈ શકે કે પ્રયોગશીલતામાં તો જૂનું કંઈક તજો અને નવું કંઈક અપનાવો તો જ એને પ્રયોગશીલતા કહેવાય ને! છંદવિહિન ખંડકાવ્યો ભાવવાહી વાંચન કરી શકવાની ક્ષમતા ધરાવે તો એ પણ ઉત્તમતાને પામી શકે છે. જો કે આમાં પેલો બદલાતા જતા છંદો જેવો આરોહવરોહ ન આવવાના કારણે માણવા મળતી મધુરતાની લિજ્જતને ગુમાવવી પડે છે. આમ છતાંય પરિપક્વ સર્જક પેલી છંદની ગેરહાજરીને સાલવા દે નહિ અને એવા અછાંદસ ખંડકાવ્યને પણ રસપ્રદ બનાવી શકે. અહીં એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે આવા સર્જનમાં ખંડકાવ્યમાં આવશ્યક એવું કથાતત્ત્વ તો હોવું જ જોઈશે, નહિ તો એને કોઈ ખંડકાવ્ય તરીકે સ્વીકારશે જ નહિ. આવા પ્રયોગશીલ ખંડકાવ્યમાં છંદને એકમાત્ર અવગણવા સિવાય તેનાં અન્ય આવશ્યક લક્ષણો તો જળવાવાં જ જોઈશે. આવું અછાંદસ ખંડકાવ્ય જો ટૂંકું લખવામાં આવે તો એનું ‘લઘુ ખંડકાવ્ય’નું નામાભિધાન પણ કરી શકાય.

લેખસમાપન પૂર્વે કહેતાં ખંડકાવ્યમાં પ્રયોગશીલતાની જ્યારે અહીં વાત થઈ છે, ત્યારે હું ‘વલદા’ આત્મશ્લાઘા ન ગણી લેવાની વિનંતી સાથે પોતાના એક પ્રયોગની વાત મૂકવા માગું છું. આ પ્રયોગ એટલે હાઈકુમાં લખાયેલું મારું હાઈકુ-ખંડકાવ્ય – ‘મદિરાદૈત્યે બન્યો અંધ’. વળી આ રચના સુખાંત પામતી, પણ કરૂણરસ નિષ્પન્ન કરતી હોઈ તેને સંભવત: ‘કરૂણ પ્રશસ્તિ’ પણ ગણી શકાય. ખંડકાવ્યની જેમ અહીં હાઈકુઓના કારણે છંદવૈવિધ્ય શક્ય ન હોઈ ખંડકાવ્યના એ લક્ષણને અવગણતાં માત્ર કથાતત્ત્વના આધારે આને ‘હાઈકુ-ખંડકાવ્ય’ કે ‘ખંડ-હાઈકુ-કાવ્ય’ ગણી-ગણાવી શકાય.

આમ છતાંય હું નિખાલસ ભાવે એ પણ સ્વીકારું છું કે ‘એક સાંધો અને તેર તૂટે’ પ્રમાણે ‘હાઈકુ-ખંડકાવ્ય’નો પ્રયોગ કરવા જતાં ‘હાઈકુ’ના લક્ષણનો અહીં ભોગ લેવાય છે. હાઈકુ માટેની આવશ્યક શરત એ છે કે એ એક સ્વતંત્ર કૃતિ બની રહેવી હોઈએ. પરંતુ અહીં ખંડકાવ્યના આવશ્યક લક્ષણ ‘કથાતત્ત્વ’ને ન્યાય આપવા જતાં એ તમામ હાઈકુ એકબીજાં ઉપર આધારિત બની જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્રત્યેક હાઈકુ સ્વતંત્રપણે ઊભાં રહીને કોઈ સ્વતંત્ર અર્થ કે વિચાર આપવા અસમર્થ નીવડે છે. આમ આ હાઈકુઓ ગણ કે માત્રા વગરનાં માત્ર ૧૭ અક્ષરીય છંદ સમાન બની રહ્યાં, પછી ભલે ને તે ૫-૭-૫ અક્ષરોની ત્રણ લીટીઓમાં વિભાજિત થઈને હાઈકુનો આભાસ કરાવતાં હોય! વળી એ પણ સાચું કે આખાય ખંડકાવ્યમાં હાઈકુની એક જ પેટર્ન હોઈ છંદવૈવિધ્યને જાળવી ન શકાય અને આમ તે અગેય જ રહે છે. આમ મારા સ્વવિવેચનની ફલશ્રુતિ એ આવીને ઊભી રહે છે કે મારા પ્રયોગમાં અપવાદરૂપ કેટલાંક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવાં હાઈકુને બાદ કરતાં મોટાભાગનાં હાઈકુ પરાવલંબી બની રહે છે. આમ તટસ્થ ભાવે હું કહું તો આ પ્રયોગને હાઈકુના સ્વરૂપના મુદ્દે સંપૂર્ણ સફળ ન ગણતાં તેને અર્ધસફળ અને અર્ધસ્વીકાર્ય જ ગણવો રહ્યો.

આશા રાખું છું કે વાચકો મારા ઉપરોક્ત ‘મદિરાદૈત્યે બન્યો અંધ’ પ્રયોગશીલ કાવ્યને અલગથી વાંચીને તેના ઉપરના પોતાના વિવેચનાત્મક પ્રતિભાવો આપશે, તો મારા સમેત સઘળા પ્રયોગકર્તાઓ માટે ભવિષ્યે તે દિશાસૂચક બની રહેશે.

 

Tags: , , , , ,

(૪૬૧) ચકલીઓ : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૨)

Sparrows

In childhood
when we played gilli-danda
Sparrows played beside us
the games that we had not yet learnt
now when my son asks me
Papa “Where can I find a sparrow ?”

Shall I say
they tweet now in alarm clocks and
reside in encyclopedias…

they have lost the game …

–  Mukesh Raval

(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

* * * * *

clip_image003

ચકલીઓ

(ભાવાનુવાદ)

અવ એ બાલ્યકાળે;
ગિલ્લીદંડો જ્યારે અમે સૌ રમતા,
ત્યારે ચકલીઓ પણ સૌ રમતી અમ પાસ
એવી રમતો કે જે અમે કદીય નહોતા શીખ્યા !

હવે જ્યારે મારો દીકરો પૂછે,
“પાપા, મને ચકલીઓ ક્યાં મળી રહે ?”

ત્યારે મારે કહેવું પડે,
“તેઓ એલાર્મ ઘડિયાળમાં ચીંચીં કરતી, અને
જ્ઞાનકોશમાં વસતી મળી રહે !

એ પોતાની રમત હારી ગઈ છે !”

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(સાભાર : ‘Pots of Urthona’ – A Collection of Poems – Mukesh Raval)

* * * * *

ચકલીઓરસદર્શન

પર્યાવરણ અને પક્ષીપ્રેમીઓની લાગણીઓને વાચા આપતું આ એક વિશિષ્ટ કાવ્ય છે. સૌ કોઈ જાણે છે કે બાલ્યવયમાં માતાપિતા પાસેથી આપણે સાંભળેલી ચકીચકાની વાર્તાનાં એ કાલ્પનિક છતાંય વાસ્તવિક લાગતાં પાત્રો વાસ્તવમાં આજે તો નામશેષ થઈ ગયાં છે. નિર્દોષ, નાજુક અને નમણાં આ પક્ષીઓ હજુ તો ગઈ કાલ સુધી આપણાં ઘરોમાં જે માળા બાંધતાં હતાં તે આજે આપણી નજરથી ઓઝલ થઈ ગયાં છે. કહેવાય છે કે ઠેરઠેર ઊભાં થએલાં મોબાઈલ ફોન માટેનાં ટાવરોનાં જંગલો આ ચકલીઓના વિનાશનું કારણ બન્યાં છે. હજુસુધી તો ક્યાંકક્યાંક આ પક્ષી જોવા મળે છે, પણ આપણે માનવીઓ સજાગ નહિ રહીએ તો તે આવનારા સમયમાં સંપૂર્ણપણે નામશેષ બની જશે.

કવિ પોતાના આ લઘુકાવ્યની શરૂઆત પોતાના જ બાલ્યકાળના સંસ્મરણથી શરૂ કરે છે જ્યારે કે તેઓ પોતાના બાલમિત્રો સાથે ગિલ્લીદંડાની રમત રમતા હતા. એ લોકોની રમતની સાથેસાથે જ એ વખતે ચકલીઓ પણ પોતાની આગવી અને અકળ એવી રમતો રમતી હતી.

હવે કવિ પુખ્તવયે પહોંચતાં પિતા બને છે, ત્યારે બીજી પેઢીમાં પરિસ્થિતિ સાવ જ બદલાઈ જાય છે અને ચકલીઓ જોવા મળતી નથી. કવિને પુત્રના આઘાતજનક પ્રશ્નનો સામનો કરવાની નોબત આવે છે કે, ‘પાપા, ચકલીઓ ક્યાં જોવા મળે ?’. વાચકના હૃદયતલને હચમચાવી નાખતો કવિપિતાનો કટાક્ષપૂર્ણ જવાબ એ છે કે ‘હવે એ ચકલીઓનો મધુર ચીંચીં અવાજ માત્ર એલાર્મ ઘડિયાળમાં જ સાંભળવા મળશે અને તેમને સાકાર સ્વરૂપે જોવી હશે તો જ્ઞાનકોશ (Encyclopedia)નાં પાનાં ઊથલાવવાં પડશે !’ આનો મતલબ એ થાય કે હવે ચકલીઓ ચિત્રસ્વરૂપે જ જોવા મળી શકશે.

કાવ્યાન્તે કવિનો ઘેરો વિષાદ આ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે કે, ‘એ ચકલીઓ પોતાની રમત હારી ગઈ !’; અર્થાત્ માનવજાત અને ચકલીઓ વચ્ચેની રમતમાં બિચારી ચકલીઓ પરાજિત થઈ ગઈ. આ રમત બરાબરિયાઓ વચ્ચેની ન હતી, પણ નિર્બળ અને સબળ વચ્ચેની હતી.

અહીં કવિની કલમની તાકાતનો પરચો એ રીતે જોવા મળી રહે છે કે તે સામાન્ય વાતને અસામાન્ય બનાવી દઈ શકે છે અને એ પણ મર્યાદિત શબ્દોના લઘુકાવ્યમાં ! આ કાવ્ય વાંચતાં પ્રિયકાન્ત મણિયારના ગાંધીજી વિષેના એક લઘુકાવ્યની યાદ આવી જાય છે. એ કાવ્યમાં ફરક માત્ર એટલો જ છે કે ત્યાં નાના ભાઈએ મોટાભાઈને પ્રશ્ન પૂછ્યો હોય છે. એ કાવ્યની પ્રારંભની પંક્તિઓ આ પ્રમાણે હતી :

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
તમે ગાંધીજીને જોયા હતા?’

આ કાવ્યના રસદર્શનના સમાપને હું આવી પહોંચ્યો છું, પણ છેલ્લે છેલ્લે મારા સ્વરચિત આ જ વિષય ઉપરના તાજેતરના એક હાઈકુને અહીં આપ્યા સિવાય હું મારી જાતને રોકી નથી શકતો.

ચકીપ્રજાતિ
સમૂહ ધૂળસ્નાને,
ડૂબી મરી શું ?

ગાગરમાં સાગર સમાવતી કવિની આ લઘુકાવ્યરચના બદલ તેમને ધન્યવાદ.

વલીભાઈ મુસા (રસદર્શનકાર)

 

Tags: , , , , , , ,