તારીખ 07 ડિસેમ્બર, 2010 ના ‘ગુજરાત સમાચાર’ દૈનિક અખબારમાં “મટકાના ધંધામાં મુંબઈના બૂકીઓ સામે પડેલા ગુજરાતના બૂકીઓ” શીર્ષક હેઠળ એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે આગેવાન બૂકીઓની મુંબઈમાં યોજાએલી એક બેઠકમાં કલ્યાણ મટકા (પ્રાયોજક – સુરેશ ભગત) સામે સમાંતર કલ્યાણ રાશિ મટકા (પ્રાયોજક – વિનોદ ભગત)ની શરૂઆત કરવામાં આવશે. સુરેશ ભગતની હત્યાના આરોપ હેઠળ કારાવાસ ભોગવતી તેની પત્ની જયા ભગત કે જે જે. જે. હોસ્પિટલ, મુંબઈમાં સારવાર હેઠળ હતી તે ત્યાં ખાતેથી જ છેલ્લા 450 દિવસથી પોતાના પતિના જ શરૂ કરાએલા કલ્યાણ મટકાનું સંચાલન કરતી હતી.
મારા સુજ્ઞ વાંચકોને થશે કે જીવનલક્ષી ચારિત્ર્ય ઘડતરના લેખો લખનાર આ બ્લોગર અનીતિના વરલી (પ્રાયોજક – રતન ખત્રી)/કલ્યાણ/કલ્યાણ રાશિ મટકા નામે ચાલતા જુગાર અંગેનો આ લેખ શા માટે લખી રહ્યા હશે? આના જવાબમાં હું મહાભારતના દુર્યોધનનું એક અવતરણ ટાંકીશ. ‘ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેનું આચરણ નથી કર્રી શકતો; અને અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ તેનાથી દૂર નથી રહી શકતો.’ આમ વ્યક્તિએ પોતાના ચારિત્ર્ય ઘડતર માટે કોઈપણ બાબતનાં સારાં કે નરસાં એમ બંને પાસાં વિષેની જાણકારી મેળવવી જોઈએ કે જેથી ઉભયના લાભાલાભ સમજી શકાય અને તે પ્રમાણે અનુસરણ કે આચરણ કરી શકાય. Read the rest of this entry »
[…] Click here to read in English […]