મારા અગાઉના આ શીર્ષકે લખાએલા લેખ પછી કેટલાક મિત્રોનાં સૂચનોથી મને એવું પ્રોત્સાહન સાંપડ્યું છે કે મારે મારા જીવનમાં અનુભવાએલી આવી ભેદભરમને ઉજાગર કરતી અન્ય કોઈ વાતોને લેખશ્રેણી રૂપે રજૂ કરવી. આમેય મારા બ્લોગનું શીર્ષક પણ છે, “William’s Tales” (વિલિયમની વાતો) અને તેથી જ હું છેલ્લાં ત્રણેક વર્ષથી વિવિધ વિષયો ઉપર વાતો જ કરતો આવ્યો છું. આમ હું આપ સૌને સંબોધીને જ લખતો હોઉં તેવી મારી કથનશૈલી પણ અનાયાસે આવી જાય છે.
મેં એક બહુ જ સંવેદનશીલ વિષય પસંદ કર્યો હોઈ મારે ખૂબ જ સાવધાની વર્તવી પડશે અને તે મારા માટે જરાય મુશ્કેલ નહિ બને. મને અંગત રીતે પ્રત્યક્ષ જાણતા અને પરોક્ષ રીતે મારા લેખો દ્વારા મને સમજનારાઓને ખબર હશે જ કે હું સર્વધર્મને સન્માન આપવાની ભાવનાને વરેલો છું. વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિનું ઉમદા લક્ષણ છે. ભારતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ગણાતા એવા બે મોટા મુખ્ય સમુદાયોને એ જ ક્રમે ઓળખાવવા મારા શીર્ષકમાં મેં ‘આસ્થા’ અને ‘ઈમાન’ એવા બે શબ્દો મૂક્યા છે. હું મારા જે અનુભવને આ લેખમાં દર્શાવવા જઈ રહ્યો છું તેમાં કોઈ ધર્મ કે ધર્મગ્રંથને ઉલ્લેખવાથી દૂર રહીશ. પ્રત્યેક ધર્મના અનુસરનારાઓની મૂળભૂત ભાવના તેમની આસ્થા કે ઈમાન (Faith) ના પાયા ઉપર મંડાએલી હોય છે. ખેર, હવે આપણે ઘટનાના નાયક (Hero)ના સ્વાનુભવની વાત ઉપર આવીએ.
અહીં અપાતી ઘટનાના નાયક તરીકે મને કે અન્ય કોઈને ઓળખાવવું જરૂરી નથી. મારા વાંચકો પોતે પણ આ કે આવી ઘટનાઓના નાયક તરીકે પોતાને ગોઠવી શકે. આમ હું આપણા નાયકને ‘અ’ તરીકે જ દર્શાવીને આગળ વધું છું. હવે આપણે તેના જ શબ્દોમાં તેના સ્વાનુભવને ભેદભરમની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે તેને જ સાંભળીએ.
* * * * * Read the rest of this entry »
[…] Click here to read in English […]