Click here to read in English
પ્રાચીન સંસ્કૃતિના આધારલેખો પગરખાં વિષેના ઘણા સંદર્ભો દર્શાવે છે. અસંખ્ય પુરાવાઓ એ સાબિત કરી આપે છે કે શા માટે અને કેવી રીતે આપણા પૂર્વકાલીન પૂર્વજોએ હાલમાં વપરાતાં પગરખાં જેવા વૈકલ્પિક ઉપાયો જેવા કે જાડાં અને મોટાં પાંદડાં અથવા મરેલાં પ્રાણીઓનાં ચામડાં પગતળિયે લપેટવાં કે પછી લાકડાની પાદુકાઓ (ચાખડીઓ)પહેરવી વગેરે પ્રયોજ્યા હતા. આ ઉપાયો માટેનાં કારણો આજના જેવાં એ જ હતાં કે આશ્રય અને ખોરાક માટે ભટકતું જીવન ગાળતા આપણા આદિ માનવો પોતાનાં પગનાં તળિયાંનું અણીદાર પથ્થરો, કાંટાઓ, કાદવકીચડ કે બળબળતી રેતીથી રક્ષણ કરી શકે.
તાજેતરમાં પગરખાંના ઉપભોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને તેનો અસ્ત્ર (મિસાઈલ)તરીકે તથા વિરોધ પ્રદર્શિત કરવાના પ્રતીક તરીકે ઉપયોગ થવા માંડ્યો છે! અમેરિકી પ્રમુખ મિ. જ્યોર્જ બુશ જ્યારે ઈરાકના વડા પ્રધાન મિ. નૂરી અલ-માલિકી સાથે ડિસેમ્બર ૦૮, ૨૦૦૮ ના દિવસે બગદાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા,ત્યારે અચાનક મુન્તઝર અલ-ઝૈદી નામના પત્રકારે તેમના તરફ તેના જોડા ફેંક્યા હતા. વળી એ જ ઘટના પછી, ફેબ્રુઆરી ૦૩, ૨૦૦૯ના રોજ એક વિરોધ પ્રદર્શનકારી (નામ જાણવા મળ્યું નથી)એ ચીનના વડાપ્રધાન મિ. વેન જિઆબો (Wen Jiabao)ને કેમ્બ્રીજ યુનિવર્સિટી (યુ..કે.)માં ગાળો ભાંડી હતી અને તેમના તરફ પગરખું પણ ફેંક્યું હતું.
[…] Click here to read in English […]