RSS

Tag Archives: Honor-killing

(370) My quoted Quotes in my Posts (7)

(370) My quoted Quotes in my Posts (7)

(92) “A nation is not lost as long as the women’s hearts are still high. Only when the women’s hearts are on the ground then all is finished, and the nation dies”. (An old Native American proverb)

(93) “In most of the countries of the world, ‘Honor killing’ is the burning issue. It is true that we may not be able to stop honor killings overnight, but it must be tried at all levels and we are sure to have the results to reduce them at least. People who are sincere, religious minded and believing in humanity may be good for them, but it is not enough. They should also think for others and not to turn blind eyes to such cruel practices in the society.” (Valibhai Musa)

(94) “Killing one person is the same as killing all humanity and saving one person is the same as saving all humanity.” (The Holy Qur’an)

# No honor in Honor-killing!

(95) “Torture is banned; but in two-thirds of the world’s countries, it is still being committed in secret. Too many Governments still allow wrongful imprisonment, murderunder the title of encounter or ‘disappearance” to be carried out by their officials with impunity”. (Peter Beneson)

(96) No doubt, everybody has to face the Day of Judgment as per most of the religions; but there will be punished only those confirmed sinners who might have committed unforgivable sins which may also be out of the God’s discretion for the sake of His promises for reward for good deeds and warning of punishment for evil deeds though He is Kind and Merciful.(Valibhai Musa)

(97) “What is in name?’ (A dialogue of Shakespeare’s Play)

(98) “The degree of civilization in a society can be judged by entering its prisons.” (Fyodor Dostoyevsky)

(99) “Open your newspaper – any of the week – and you will find a reportfrom somewhere in the world of someone imprisoned, tortured or executed because his opinions are unacceptable to his government.” (Peter Beneson)

(100) “You canchain me, you can torture me, you can even destroy this body; but you will never imprison my mind” (Mahatma Gandhi)

(101) “Nobody in the history of the human kind has seen such atrocities as tragedy of Kerbala, the Martyrdom of Imam Hussein (a.s.) and post Ashura sufferings of women and children. (The renowned historian al-Biruni)

(102) “May God prevent our hands from committing oppressions; May He bestow on people with dignity and peace of mind; May He confer on prisoners throughout the world with repentance, understanding of turning away from sins, freedom and peace; May He bestow upon those who are ruling with justice and kindness; and May He favor those who are ruled with just treatment and good character. (A supplication that has been reported from The Twelfth Imam, Al-Qa’im Al-Mahdi -peace be upon him-, the renowned descendent of the Ahl al-bayt (a.s.), The Just Leader of Humanity, The Alive but Hidden – The Imam of the Age, according to the faith of the Shi’ite Muslims.)

# The Square World – I – II – III – IV

(103) “Our life is a long and strenuous quest of truth.” (Mahatma Gandhi)

# Mercy Killing or Merciful Death – A Debate

-Valibhai Musa

 

Tags: , , , , , , , , , , , , ,

(356) Best of 5 years ago this month/Dec-2007 (8)

(356) Best of 5 years ago this month/Dec-2007 (8)

Click on …

No honor in Honor-killing!

My Haikus (Humorous) – IV [મારાં હાઈકુ (રમુજી)- ૪]

The Square World – I

The Square World – II

– Valibhai Musa

 

Tags: , , , , ,

ગુમાવી દો અને જિંદગીભર ઝંખ્યા કરો!

Click here to read in English

મારો આજનો આર્ટિકલ મારા અગાઉના ‘No honor in honor killing!’ (ગૌરવ હત્યામાં કોઈ ગૌરવ નથી!)સાથે સંપૂર્ણપણે નહિ, પણ મારી આ પ્રસ્તાવના ભાગ સાથે અમુક અંશે સંકળાએલ છે. મોટા ભાગના ગુજરાતી વાંચકોએ ઝવેરચંદ કાલીદાસ મેઘાણીને વાંચ્યા હશે કે જેમને મહાત્મા ગાંધીએ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકેનું બિરૂદ આપ્યું હતું. તેમનાં વિખ્યાત સર્જનો તો અનેક છે, પણ અહીં હું લોકોમાં કદાચ ખૂબ જ ઓછું જાણીતું પણ મને અત્યંત સ્પર્શી ગએલું એક કાવ્ય રજૂ કરવા માગું છું. તે એક કરૂણ લોકગીત છે અને અંગ્રેજી કાવ્ય ‘Fair flowers in the valley’ (ખીણમાંનાં મોહક ફૂલો) ઉપર આધારિત છે. તે ભાવવાહી અને લાગણીમય ઢબે ગાઈ શકાય તેવું ગેય કાવ્ય છે. તે કાવ્યનું શીર્ષક અને ધ્રૂવ પંક્તિ છે ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’.

તો ચાલો આપણે મારા આર્ટિકલના શીર્ષકને ન્યાય આપવાના તથા વિષયપ્રવેશના હેતુસર સંક્ષિપ્તમાં આ લોકગીતનો સાર સમજી લઈએ. આ એક પરીણિત પણ માતૃત્વ ધારણ કરવા અસમર્થ એવી સ્ત્રી ઉપરનું ગીત છે. તે એકાદશીનો ઉપવાસ કરીને પોતાના ખોળે બાળક હોવાના આશીર્વાદ યાચવા અર્થે દેવમંદિરે પૂજાઅર્ચના કરવા જાય છે. વગડામાંના પોતાના માર્ગમાં ચોતરફ હરિયાળી વચ્ચે બેસુમાર લાલ રંગનાં ખીલેલાં ફૂલ દેખાય છે. આ ફૂલોની વચ્ચે સંપૂર્ણ વિકસિત, નવજાત અને જાણે કે જીવિત જ હોય તેવું એક આભાસી બાળક પેલી સ્ત્રીની નજરે ચઢે છે.

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , , , ,

ગૌરવ હત્યા

Click here to read in English
પ્રતિવર્ષ ૮મી માર્ચે ‘આંતરરષ્ટ્રીય મહિલા વર્ષ’ ઉજવાય છે. ઘણીબધી બહુરાષ્ટ્રીય કંપનીઓ, વિશ્વના દેશોની સરકારો, બિનસરકારી સંસ્થાઓ અને બંને પ્રકારનાં મુદ્રિત અને ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમો દ્વારા સ્ત્રીઓની જીવનનાં જુદાંજુદાં ક્ષેત્રોમાંની સિદ્ધિઓને બિરદાવવામાં આવે છે અને તેમનું બહુમાન પણ કરવામાં આવતું હોય છે. સ્ત્રીઓનું પ્રમાણ વિશ્વભરમાં કુલ વસ્તીના અડધા ભાગ જેટલું છે. એક જૂનો સ્થાનિક અમેરિકન મુહાવરો છે કે ‘જ્યાં સ્ત્રીઓનું ગૌરવ જળવાતું હોય તે રાષ્ટ્ર કદીય ગુમનામ થતું નથી હોતું; પરંતુ જ્યારે તેમનું ગૌરવ જમીનદોસ્ત થાય છે, ત્યારે બધું જ ખતમ થઈ જાય છે અને તે રાષ્ટ્ર મરી પરવારે છે.’

પરંતુ કોઈ દિવસને કોઈ નામ આપવું તેનો શો મતલબ? આજકાલ જુદા જુદા દિવસોની ઉજવણી એ વ્યવહાર અને દેખાવ માત્ર પૂરતી જ રહી છે. જે તે દિશામાં કોઈ ચોક્કસ કાર્ય જ અર્થપૂર્ણ સાબિત થાય, નહિ તો તે નાટક માત્ર જ બની રહે. મારો આજનો લેખ શીર્ષકના શબ્દો પરત્વેની વાસ્તવિકતાઓને ખુલ્લી પાડવાના પ્રયત્નના એક ભાગરૂપ છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં ‘ગૌરવ હત્યા’ એ સળગતો પ્રશ્ન છે. એ એટલું જ સાચું પણ છે કે આ સમસ્યાને એક જ રાતમાં હલ કરી શકાય નહિ; પરંતુ બધી દિશાએથી કોશીશ કરવામાં આવે તો ઓછામાં ઓછું તેનું પ્રમાણ ઘટાડવામાં જરૂર સફળતા મળી શકે. કેટલાક લોકો સહૃદયી, ધાર્મિક અને માનવતામાં શ્રદ્ધા ધરાવનારા હોય છે ખરા; અને આમ તેઓ પોતાની જાત પૂરતા ભલે ભલા હોય, પણ એવા માત્ર હોવું એ પર્યાપ્ત નથી. તેમણે અન્યો વિષે પણ વિચારવું જોઈએ અને સમાજમાં પ્રવર્તતી આવી ઘાતકી પ્રથા કે માન્યતા પરત્વે આંખમીંચામણાં કરવાં જોઈએ નહિ. લોકજાગૃતિ જરૂરી છે કે આવી ગૃહહિંસાને અપરાધ તરીકે સમજવામાં આવે. શિક્ષણ સંસ્થાઓએ તેમનાં પાઠ્યપુસ્તકોમાં ‘માનવ અધિકાર’ના મુદ્દાને સમાવિષ્ટ કરવો જોઈએ. જો સમાજમાં મોટા પાયે આવી લોકજાગૃતિ લાવવામાં આવે તો, આવા ગંભીર અપરાધને કાયદા અને ન્યાયની પ્રક્રિયાથી પણ વધારે સારી રીતે નિયંત્રિત કરી શકાય.

Read the rest of this entry »

 
 

Tags: , , , , , , , ,

માણસનાંકૌટુંબિક દુશ્મનો!

Click here to read in English

અહીં સઘળી દિશાઓમાં સ્વજનનાં સ્વાંગમાં આજે, ઊછરતું જાય છે લશ્કર, હવે તું સાબદો રહેજે, (અંકિત ત્રિવેદી)

આજે આ લેખ દ્વારા આપ સૌ વાચકો સમક્ષ હું ઉપસ્થિત થાઉં છું. લેખનું શીર્ષક નવાઈ પમાડનાર તથા આપણાં કૌટુંબિક દુશ્મનો વિષે જાણવા માટેની જિજ્ઞાસા જગાડનાર લાગશે. હું આગળ વધું તે પહેલાં, આપ સૌ વાચકોને વિનંતી કરીશ કે આપ સૌ હળવા મને આરામથી બેસીને આગળ વાંચવાનું શરૂ કરશો. અહીં જે દુશ્મનોની વાત કરવામાં આવનાર છે તેઓ બહારનાં નથી, પણ આપણાં જ સ્વજન કે જે એક જ છાપરા નીચે આપણી સાથે જ રહેતાં આપણાં જ કુટુંબીજન છે. આ શબ્દો મારા પોતાના નથી, પણ કોઈકે નોંધ્યું છે કે ” જ્યારે કોઈ પુત્ર પિતાને માન ન આપે, પુત્રી માતા સામે પોતાનું માથું ઊંચકે, પુત્રવધૂ પોતાની સાસુ સામે જીભાજોડી કરે, ત્યારે એ બધાં આપણાં કૌટુંબિક દુશ્મનો બને છે.” અહીં હું એક વાત સ્પષ્ટ કરીશ કે માત્ર પુત્રવધૂઓ જ કૌટુંબિક અશાંતિ માટે હંમેશાં જવાબદાર નથી હોતી, સાસુ પણ તેટલી જ જવાબદાર હોય છે. સાસુ પણ વારંવાર ભૂલી જતી હોય છે કે કોઈક સમયે તે પોતે પણ કોઈકની પુત્રવધૂ હતી. એ જ પ્રમાણે પુત્રવધૂએ પણ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પોતે પણ ભવિષ્યે સાસુ બનવાની છે.

માનવીય સંબંધો અને જીવનનાં મૂલ્યો બદલાતા વિશ્વ સાથે બદલાતાં રહેતાં હોય છે, કશું જ સ્થિર રહેતું નથી હોતું. કૌટુંબિક બાબતો અંગે બધી જગ્યાએ અને બધા જ સમુદાયોમાં ‘જનરેશન ગેપ‘ અર્થાત્ ‘પેઢી અંતર‘ની સમસ્યા સર્વસામાન્ય હોય છે. માતાપિતા એવી અપેક્ષાઓ રાખતાં હોય છે કે તેમનાં સંતાનોએ તેમના જેવાં જ થવું જોઈએ. વળી એ જ પ્રમાણે સંતાનો ઇચ્છતાં હોય છે કે તેમનાં માબાપે તેઓ જે કંઈ કરવા માગતાં હોય તેમ તેમણે કરવા દેવું જોઈએ. ખલિલ જિબ્રાન માતાપિતાને આ શબ્દોમાં શિખામણ આપે છે કે “તમે તેમના જેવાં થવાનો પ્રયત્ન કરજો, પણ તેમને તમારા જેવાં બનાવવાનું તો માંડી જ વાળજો.” તેઓ આગળ ઉમેરે છે કે “જિંદગી કદીય પીછેહઠ નથી કરી શકતી કે ગઈ કાલમાં રોકાઈ નથી રહેતી.” આ બધા મહાન પુરુષોના મહાન વિચારો છે ખરા, પણ કુટુંબોના વાતાવરણની વાસ્તવિક પરિસ્થિતિઓ તો સાવ જૂદી જ હોય છે. અહીં નીચે હું મોટાભાગનાં કુટુંબોમાં સામાન્ય રીતે સાંભળવા મળતા કેટલાક સંવાદો રજૂ કરીશ કે જેથી જાણી શકાશે કે કુટુંબનાં સભ્યો આપસઆપસમાં એકબીજા સાથે કેવી રીતે વર્તતાં હોય છે અને કેવો વ્યવહાર કરતાં હોય છે. હું માનું છું કે આ સંવાદો વાચકો માટે રસપ્રદ થઈ પડશે.

એક પ્રેમાળ માતા તેના જુવાન પુત્ર કે પુત્રીને ચેતવણી આપતાં આમ કહે છે કે ” હું તારા આવા વર્તનને લાંબા સમય સુધી સહન નહિ કરી લઉં અને તારાં જૂઠાણાં પણ નહિ સાંભળું ! વળી તું જ્યારે ખોટો કે ખોટી હોય ત્યારે બીજાંઓ આગળ તારો બચાવ પણ નહિ કરું !” કોઈ ઉધ્ધત છોકરો તેના વડીલોનું આ શબ્દોમાં અપમાન કરે છે, “મને તમારી ભાષણબાજી સાંભળવામાં કોઈ જ રસ નથી.” એક બહેન તેના ભાઈ આગળ હૈયાવરાળ કાઢતાં કહે છે, “મેં તારા આવા વર્તનની સ્વપ્નમાં પણ કલ્પના કરી ન હતી !” એક પત્ની પોતાના પતિની લાગણી આ રીતે દુભાવે છે કે, “તમારે એવું કયું મોટું કામ આવી પડ્યું છે કે જે તમારી રાહ જોઈ નહિ શકે !” તો વળી કોઈ માતા આક્રોશ વ્યક્ત કરતાં કહે છે કે “તારા જેવાને ઉછેરવા બદલ દુનિયા મને શું કહેશે !” એક દાદા બરાડા પાડતા સાંભળવા મળે છે કે “તેં મારું માથું શરમથી ઝુકાવી દીધું છે!” કોઈ પતિ પત્ની સાથે ઝઘડી બેસે છે અને કહે છે કે “તું તારા મનમાં સમજે છે શું ?” માતાપિતા કોલેજમાં જતા છોકરા કે છોકરીને ચેતવણીપૂર્ણ ઠપકો આપતાં સંભળાવી દે છે કે, “તારાં મિત્રવર્તુળ કે સોબતને અમે જરાય પસંદ કરતાં નથી.” પોતાની અવગણના અનુભવતું બાળક તેનાં વડીલો આગળ ફરિયાદ કરે છે કે “તમારે લોકોને બધાય માટે સમય છે, એક મારા માટે જ નહિ !” દાદીમા પોતાના જ આધેડ પુત્રનો ઉધડો લેતાં કહે છે કે, “તું સંબંધોને અને કૌટુંબિક મૂલ્યોને સમજતો જ નથી.” એક માતા તેના જુવાન દીકરા કે દીકરીને રડતાંરડતાં અંતિમ શબ્દોમાં સંભળાવે છે કે, “મારા માન્યામાં નથી આવતું કે તમે લોકો મારા પેટે આવાં કેમ પાક્યાં!” વળી સંયુક્ત કુટુંબના કોઈક કાકા જુવાનિયાને ઠપકો આપે છે કે “કુટુંબની શિસ્તનો ભંગ કરવો અને દરેક વાતની ના પાડવી એ તારી કાયમી આદત બની ગઈ છે.” અને ક્યાંક વળી પત્ની તેના પતિને ગર્ભિત ધમકી આપે છે કે, “કુટુંબની શાંતિને જાળવી રાખવા ખાતર હું લાંબો સમય સુધી મારા મોંઢાને બંધ નહિ રાખું !”

મારા ૧૯૭૦ ના પોસ્ટ ગ્રેજ્યુએશન સમયગાળાના અભ્યાસકાળમાં મેં વાંચેલી આલ્ફ્રેડ લોર્ડ ટેનિસનની એક કવિતાની યાદ મને તાજી થાય છે. પ્રથમ તો હું તેનો સંક્ષિપ્ત સાર આપીશ અને તે સંદર્ભમાં મારા વિષયમાં આગળ વધીશ. કાવ્યના કવિની પુત્રીની જીવનસાથીની પસંદગીએ તેમના હૃદયની લાગણીને ઠેસ પહોંચાડી છે. પરિણામે તેઓ પોતાના કાવ્યમાં આ શબ્દોમાં તિરસ્કાર વ્યક્ત કરે છે: “હું જ્યારે અવસાન પામું, ત્યારે મારી કબર ઉપર તારાં મૂર્ખાઈભર્યાં આંસુ સારવા આવીશ નહિ.” કાવ્યની અંતિમ કડીના શબ્દો છે: “તું જેને ઇચ્છતી હોય તેને પરણી લેજે; પણ હું તો સમયનો ભોગ બનેલો દુ:ખી જીવ છું, અને હવે તો બસ હું આરામ જ કરવા ચાહું છું. હે કમજોર દિલની છોકરી ! તું મારી કબર પાસેથી ચાલી જજે અને જ્યાં હું સૂતેલો છું, ત્યાં મને એકલો જ શાંતિથી રહેવા દેજે; બસ તું ચાલી જજે, ચાલી જ જજે!”

મારા ભલા વાચકોને, જો તેઓ વાંચવાનું ચૂકી ગયા હોય તો, મારા અગાઉના બે આર્ટિકલ “No honor in honor-killing! (પ્રતિષ્ઠા-હત્યા કરવામાં કોઈ માન નથી)” અને “Life Partner (જીવનસાથી)” વાંચી જવાની ભલામણ કરું છું. આ બંને લેખો વાંચી જવાથી આલ્ફ્રેડની કવિતામાં ચર્ચાયેલા કુટુંબજીવનના સળગતા પ્રશ્નનું અનુસંધાન થઈ શકશે. જગતભરના મોટાભાગના જ્ઞાતિસમુદાયોનાં કુટુંબોને પોતાનાં સંતાનોના લગ્નના પ્રશ્ને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમાં કાં તો માબાપ તેમનાં સંતાનોનાં દુશ્મન બની જતાં હોય છે અથવા સંતાનો તેમને દુશ્મન માની બેસતાં હોય છે. આમ થવા પાછળનાં પરિબળોમાં બે પેઢી વચ્ચેનાં મતાંતરો અથવા તો જીવનને નિહાળવાના ઉભયના વિરોધાભાસી દૃષ્ટિકોણ જવાબદાર હોય છે.

મેં મારા અગાઉના કોઈક લેખમાં લખ્યું છે કે દેશ ઉપર શાસન કરવું અને કુટુંબનું સંચાલન કરવું એ બન્ને સરખાં જ મુશ્કેલ છે. કુટુંબની મુખ્ય વ્યક્તિ કે જે પુરુષ હોય કે સ્ત્રી અને ભલે તે જીવનની બાહ્ય બાબતોનું સંચાલન સફળતાપૂર્વક કરી શકવા સક્ષમ હોય; પણ જ્યારે તેમને કુટુંબની આંતરિક કટોકટીપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવાનું બનતું હોય છે, ત્યારે તેમને કાં તો ઘૂંટણ ટેકવી દઈને શરણાગતિ સ્વીકારી લેવી પડતી હોય છે અથવા સમસ્યાનો પ્રતિકાર કરવો પડતો હોય છે. પરંતુ આ બન્ને અંતિમ છેડા જોખમી પુરવાર થાય છે કેમ કે પહેલા વિકલ્પમાં કૌટુંબિક શિસ્ત કમજોર બને છે અને બીજામાં કુટુંબના સુખદ વાતાવરણને ડહોળી નાખવા માટે જવાબદાર વ્યક્તિ પ્રત્યે જીવનભર ધિક્કારની લાગણી જન્મે છે. કોઈક મધ્યમ માર્ગ વિચારી કાઢીને સમસ્યાનું નિરાકરણ વિના વિલંબે લાવી દેવું જોઈએ અને તે માટે બંને પક્ષે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમણે એકબીજાંને પોતપોતાની રજૂઆત કરવાની તક અપાવી જોઈએ અને એકબીજાંને ધીરજપૂર્વક સાંભળવાં જોઈએ. શુધ્ધ ઈરાદો અને નિખાલસ પ્રયત્ન કુટુંબના કોઈ પણ વિવાદનો સરળ ઉકેલ જરૂર લાવી શકે છે .

હવે આપણે કુટુંબના વિસંવાદી વાતાવરણ માટે જવાબદાર કેટલાંક પાયાનાં કારણો ઉપર નજર નાખીએ. સર્વ પ્રથમ તો ઘરનાં વડીલોએ બધાંને પક્ષપાત વગર સરખો પ્રેમ આપવો જોઈએ અને બીજાંઓને પોતાની સારી વર્તણુંક અને રીતભાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. જેમ્સ એ. બોલ્ડવિનનું કથન છે કે, “કુટુંબમાં બાળકો વડીલોની વાત સાંભળવામાં કદાચ ઉદાસીનતા બતાવી શકે, પણ તેમનું અનુકરણ કરવામાં તો તેઓ હંમેશાં સક્રિય રહેતાં હોય છે.” આના સમર્થનમાં એક ઉદાહરણ આપી શકાય કે શું કોઈ દારૂડિયો પિતા અથવા તેવી લત ધરાવતી માતા પોતાના સંતાનને સર્વ રીતે હાનિકારક એવા આ વ્યસન તરફ જતું અટકાવી શકે ? બીજી ખાસ અગત્યની બાબત એ છે કે મોટેરાંઓએ નાનાંઓને હંમેશાં ચૂપ જ રાખવાની ભૂલ ન કરવી જોઈએ. હકીકતમાં તો તેમને મોકળાશ આપવી જોઈએ કે જેથી તેઓ પોતાના મનની વાત નિર્ભયતાપૂર્વક રજૂ કરી શકે. માતાપિતાએ પોતાના અહમ્ અને પ્રભાવ વડે ભારેખમ રહેવાના બદલે દરેકની સાથે મિત્રભાવે પેશ આવવું જોઈએ. એમાંય વળી વધારે તો બાળકો માટે પોતાના ગમે તેવા પ્રવૃત્તિમય કાર્યકાળ વચ્ચે પણ ખાસ સમય ફાળવીને તેમની સાથે હળતામળતાં રહેવું જોઈએ. કુટુંબનાં તમામ સભ્યોએ દિવસમાં એક ટંક, બપોરે શક્ય ન હોય તો સાંજે પણ, સાથે ભોજન લેવું જોઈએ. આ પ્રથા કુટુંબનાં સભ્યોને એકબીજાની નજીક રાખવા માટે મોટો ભાગ ભજવી શકે તેમ છે. કોઈપણ કુટુંબના સંસ્કારોનું સાચું પરીક્ષણ તેના ડાઈનીંગ ટેબલ ઉપર લેવાતા સમૂહભોજન ઉપરથી કરી શકાય છે.

એક સાચું ઘર કે આદર્શ કુટુંબ સફળ પુરવાર થયેલું ત્યારે જ ગણાય કે જ્યાં બાળકો ભલાં, પ્રામાણિક અને વિવેકી ઉછરતાં હોય. બાળકો એવા છોડવાઓ જેવાં છે કે થોડાંક વર્ષો સુધી યોગ્ય જતન કરીને તેમને ઉછેરવામાં આવે તો તેમનાં મૂળ એવાં ઊંડાં જાય છે કે ભવિષ્યે ગમે તેવા વિષમ સંજોગોમાં પણ તે કદીય ન ઊખડે. વળી તેમની જિંદગી એટલી બધી સરળ અને વૈભવી ન બનાવી દેવી જોઈએ કે જેથી ભવિષ્યે તેઓ પાંગળાં પુરવાર થાય. તેમની જરૂરિયાત કરતાં વધુ આળપંપાળ એ તેમના યોગ્ય રીતે થવાપાત્ર ઉછેરની એક મર્યાદા બની જાય છે. બેટ્ટ ડેવિસે લખ્યું છે કે, “જો તમે તમારાં બાળકોને જમીન ઉપર મજબૂત કદમ રાખીને અડીખમ ઊભાં રહેતાં જોવા માગતાં હો તો તેમના ખભા ઉપર જવાબદારીઓ નાખો.” ગાગરમાં સાગરની જેમ હું કહું તો માબાપે તેમનાં બાળકોને અમુક મર્યાદાઓ શીખવવી જોઈએ. તેમને ભલે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે, પણ એવા ઠાઠમાઠ તો નહિ જ કે જે ખૂબ જ ખર્ચાળ અને કુટુંબની આર્થિક સ્થિતિથી અધિક માત્રામાં હોય.

સદરહુ લેખનું સમાપન કરતાં પહેલાં હું ટૂંકમાં કહીશ કે કુટુંબનાં તમામ સભ્યોએ સહૃદયતાપૂર્વક એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી બધાયનો એકબીજા સાથે એવો દૃઢ વિશ્વાસ બંધાય કે કુટુંબમાં કોઈ કોઈને પોતાનું દુશ્મન ન સમજે. કોઈને કંઈક કઠોર શબ્દોમાં કહેવામાં આવતું હોય તો તેણે સમજી લેવું જોઈએ કે તે પોતાના ભલા માટે જ કહેવામાં આવી રહ્યું છે. ઘરને સ્વર્ગ બનાવવાનું કામ માત્ર માતાના જ હાથમાં છે કે જેને રસોડાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક રમૂજી સૂત્ર છે કે “A Happy Mom equals a Happy Home.” અર્થાત્ સુખી માતા=સુખી ઘર. પિતા પણ નાનકડા કુટુંબરૂપી રાજ્યનો રાજા છે. બધા જાણે છે કે “યથા રાજા, તથા પ્રજા”. પ્રેમ, વિશ્વાસ, સ્વયંમ્ શિસ્ત અને જવાબદારી એ બધી સુખી કે મુક્ત ઘર માટેની ચાવીરૂપ બાબતો છે.

આશા રાખું છું કે મારા ઉપરોક્ત વિચારો મારા વાચકોનાં પરિવારોને બાહ્ય અને આંતરિક હૂમલાઓથી બચાવવામાં મદદરૂપ થશે અને તેમનાં કુટુંબોમાં શાંતિ અને સુમેળની પ્રસ્થાપના થશે.

ભલા વાચકો, આપ સૌના સુખી પરિવારની શુભ કામનાઓ સહ,

– વલીભાઈ મુસા (લેખક અને ભાવાનુવાદક)

Translated from English Version titled as “ A man’s household foes!” published on March 16, 2008

 

Tags: , , , ,