RSS

Tag Archives: Islam

(184) બહલૂલ દાના, ચીંથરે વીંટેલું એક રત્ન

Click here to read in English

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , ,

ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

Click here to read in English
આજે આપ સૌ સમક્ષ હું મારા ઉપરના શીર્ષકે દર્શાવેલ “જવલ્લે જ આવા લેખ” હેઠળ ત્રીજા આર્ટિકલ સાથે ઉપસ્થિત છું. અહીં આ વિભાગમાં તમે ખાસ પ્રકારના વિષયોને જોઈ શકશો, જે અંગે હું માનું છું કે મારા વાંચકો તેમના તરફ કંઈક વિશેષ ધ્યાન આપે. મારા નિયમિત વાંચકો તો સારી રીતે જાણે છે કે બ્લોગના મારા આ ફલક ઉપર હું જે કંઈ આપું છું, તે બધું હંમેશાં વાંચવા લાયક જ હોય છે અને તેમાં કંઈ ખાસ કે સામાન્ય એવું અલગ હોતું નથી; પરંતુ કોઈ ખાસ આર્ટિકલ ઉપર ભાર મૂકવાનો હોય, તેમને જ આ શ્રેણીમાં વર્ગીકૃત કરું છું.

મારા વિષયપ્રવેશ પહેલાં, હું ઈસ્લામના પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.) પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેવા એક પ્રસંગને વર્ણવીશ. એક વાર આપ હજરત સાઉદી અરેબીયાની એ વખતની રાજધાની મદીનાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ભરચક બજારની જગ્યાએ કેટલાક માણસોનું એક ટોળું એકત્ર થએલું હતું. ટોળાની વચ્ચે એક દીવાનો માણસ ચેનચાળા કરી રહ્યો હતો. લોકો એ દૃશ્યથી આકર્ષાઈને ટોળે વળ્યા હતા અને પેલા માણસની મજાકમશ્કરી કરતા હસી રહ્યા હતા. પયગંબર સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમે ખરેખર દીવાનો માણસ કોણ છે એ જાણવા માગો છો?’ બધા એકદમ શાંત થઈ ગયા અને ધ્યાનથી અને માનપૂર્વક આપને સાંભળવા માંડ્યા. આપે ફરમાવ્યું, ‘કોઈ માણસ એવો હોય કે જે અભિમાનપૂર્વક ચાલતો હોય અને સતત પોતાના તરફ જ ધ્યાન આપતો હોય! તે એવો હોય કે પોતાના બંને ખભા તરફ પોતાના બદનને હલાવ્યે જતો હોય! તે પોતાની જાતને જ પ્રદર્શિત કરતો હોય અને બીજાને જોતો સુદ્ધાં ન હોય; તદુપરાંત પોતાના સિવાય અન્ય કોઈ વિષે વિચારતો પણ ન હોય!. તે એવો માણસ હોય કે જેનાથી લોકો ભલાઈની કોઈ અપેક્ષા ન રાખતા હોય અને ઊલટાના લોકો તેની હરકતોથી સલામત ન હોય! આવો માણસ જ ખરેખર દીવાનો છે. તમે હમણાં જેને જોયો તે માણસ દર્દી છે, માનસિક રોગનો દર્દી છે.’

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

Whether just weight and measurement is limited to trades?

Here is a verse from The Holy Qur’an related to ‘Weight and Measurement’ and which is one of the important ethics in the Fair Trading. It is as this: “Woe to the defrauders who when they take a measure from people, take it in full; but when they give by measure or weight to men, they cause loss (give less than what is due). Do they not think that they shall be raised (to life again) for a Great Day, the Day when (all) mankind shall stand before the Lord of the Worlds?”(83:1-6). The concept of ‘Weight and Measurement’ is expected to be understood in shortchanging in numerical method of trading also where the items are sold counting one by one.

No any trader, manufacturer or even a hawker has any right to tread on the rights of the people. Customers have the natural right to have the goods exactly both in quality and quantity and service after sale also for what they pay. In other words, we may say that the justice must be maintained or observed to make a deal fair. I shall recommend you to read a fitting quote of Mahatma Gandhi to understand well the trader-customer relation which was mentioned in my earlier Post “As if Mr. Jeff is alive!”.

My good Readers will not misunderstand me that I am targeting only particular group of people in society. Tendency of double standards can stand for any person, from a laborer to an industrialist and even a Rickshaw driver. In broader sense, all of us might come under the said category, little or more. All expect honesty and good behavior from others, but the most of us are not prepared to behave so as we wish for ourselves. For example to say, we can boldly deny accepting the slightly doubtful soil currency note from others; but we will, contrarily, never miss to try to easily pass on even the fully damaged currency note to others smartly.

Let me speak more to cover some fields in the range of our discussion like mutual relationships between Governments and their citizens. The principle of ‘Give and Take’ also works here. If any of the two gets more and gives little, there occurs the breach of the law of justification. We see that the most of the Governments of the world do collect tremendous backbreaking taxes and do not utilize the funds properly for the welfare of the citizens. Similarly, the citizens agitate for their rights, but they do not fulfill their national duties. All these fall under the category in question.

In the beginning of my post, I have already said that the proper justice must be maintained in all types of mutual affairs or transactions in routine human life. If children don’t take care of their parents, it is unjust and liable to be condemned under the rules of conduct (આચારસંહિતા). Under weighing traders of commodities are some far better than those who travel by bus or train without tickets and also the thieves, pickpockets and likes of them. I don’t take side of the former compared to the latter ones as both pound or penny defrauders are equally sinners or offenders. In the cases of those fully dishonest people, there is no any excuse as their gaining is completely unlawful.

As usual, I’ll represent here a quote of Harold S. Geneen with some changes in certain words of him as “It is an unchangeable law in business or human behaviors that words are words, explanations are explanations, promises are promises; but only performance is the reality.” The false scales and measuring equipments used in trades, either intentionally or lazily, can cheat thousands of the customers and such unfair practice equates with those thieves proving a proverb true that the thief and his brother thief. Both cannot be on par because the disparity in numbers of the people being cheated is much more than those affected with individual thefts. .

Hope my little endeavor for justification of the title of the post would have satisfied my Readers as it is very difficult to make enough room for considerate topics in a single chapter rather than the openness in a volume.

– Valibhai Musa

Note:

Please find a humorous bonus quote of George Bernard Shaw, not fitting fully to the post but appealing to ‘measurement’, as this: “The only man I know who behaves sensibly is my tailor, he takes my measurements anew each time he sees me. The rest go on with their old measurements and expect me to fit them.”

 
1 Comment

Posted by on March 19, 2010 in Article, લેખ, Human behavior

 

Tags: , , , , , , , , ,

A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)

My Valued Readers,

Find below the Gujarati translation of a Story ‘The Dangerous Game” with its Preamble also in Gujarati. Hope you will find it interesting as it appeals to the married life of a Muslim couple. Difference of opinion or indifference in attitude of either of the spouse might be the cause for failure of marriage. Here, in this story, there is the contradiction of Religious values. In many other cases, the causes might be different. What it may be, but this is the life and those are their realities. Okay, now proceed on:

લેખિકાનો પરિચય અને પ્રસ્તાવના

શહીદ અમિનાહ હૈદર અલ-સદ્ર (૧૯૩૭-૧૯૮૦:કાઝમૈન,બગદાદ)જે બિન્ત અલ-હુદાના નામથી ઈરાક અને મુસ્લીમ દેશોમાં જાણીતાં હતાં.બે વર્ષની વયે ખ્યાતનામ ધાર્મિક વડા એવા પોતાના પિતાની છત્રછાયા ગુમાવી. તેઓ માતા અને બે વિદ્વાન ભાઈઓના હાથ નીચે ઉછેર પામ્યાં, જે પૈકી મોહમ્મદ બાકિર અલ-સદ્ર શીઆ ઈસ્નઆશરી મુસ્લીમોના આયતુલ્લાહ હતા. એપ્રિલ,૧૯૮૦માં સદ્દામના શાસનકાળ દરમિયાન તેમની બન્ને ભાઈઓ સાથે ધરપકડ કરી લેવામાં આવી અને ત્રણ દિવસ પછી એ ત્રણેયની ઠંડે કલેજે નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મુસ્લીમ જગતે અકાળે શહીદ થએલી આ યુવાન લેખિકાની ન ભૂલી શકાય તેવી ખોટ અનુભવી.

અમિનાહ સરકારી નિશાળમાં શિક્ષણ નહોતાં પામ્યાં, પણ તેમના ભાઈઓએ જ તેમને ઘરે જ શિક્ષણ આપ્યું હતું. ૨૦ વર્ષની વયે તેમણે લેખો લખવાનું શરૂ કર્યું, જે અગ્રણી સામયિકોમાં પ્રસિદ્ધ થતા રહ્યા. તેમનું લખાણ મુખ્યત્વે મુસ્લીમ સ્ત્રીઓના જીવનને અનુલક્ષીને રહેતું જે તેમના માટે દીવાદાંડી સમાન પ્રેરણાદાયી બની રહ્યું. સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાનાધિકારના પશ્ચિમી વિચારોના ઓછાયા હેઠળ સામાજિક અને ધાર્મિક જીવન પ્રભાવિત થઈ રહ્યું હતું જે સમકાલીન શાસકોના આંખ આડા કાનને આભારી હતું.

ખેર, અહીં હું અર્થાત્ અનુવાદક એક નિશ્ચિત સમાજની સ્ત્રીઓના સંદર્ભમાં જ મારું અનુવાદિત લખાણ મૂકી નથી રહ્યો, પણ એ વાત સર્વ ધર્મ, સમાજ અને જ્ઞાતિઓને એટલી જ લાગુ પડે છે. સામાન્ય રીતે સર્વત્ર સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ ધાર્મિક માલૂમ પડતી હોય છે અને તેનું કારણ માત્ર તેનાં પોતાનાં સંતાનોના સુયોગ્ય ઉછેરની તેને ચિંતા હોય છે. હવે જો આવા ધર્મમય કૌટુંબિક વાતાવરણને સર્જવામાં પતિનો સાથસહકાર ન મળી રહે તો સ્ત્રી કેવી અકળામણ અનુભવતી હોય છે તે મનોવ્યથા લેખિકાએ સરળ શૈલીમાં અહીં આ વાર્તામાં સમજાવી છે. પત્નીની સકારાત્મક વિચારશરણીને પતિ કદાચ સહાયરૂપ ન થાય તો ભલે, પણ ઓછામાં ઓછું તેને વિઘ્નરૂપ તો ન જ બને તેવો પરોક્ષ સંદેશો આ કથા દ્વારા પુરુષ વર્ગને આપવામાં આવ્યો છે, જે મારાં સુજ્ઞ વાંચક ભાઈબહેનો વાર્તા વાંચ્યા પછી જાતે જ નક્કી કરી શકશે.

હવે, વધુ સમય ન લેતાં આપ સૌને નિમંત્રણ આપું છું કે નીચેની વાર્તા મુકત મનથી અવશ્ય વાંચશો. હમણાં સમયનો અભાવ હોય તો favorite માં save કરી રાખીને અનુકૂળતાએ વાંચી લેશો તેવી આશા રાખું છું. ધન્યવાદ.

– વલીભાઈ મુસા

ખતરનાક ખેલ

આસિયા તેને મળવા આવતી પોતાની બહેનપણી બઈદાની રાહ જોઈ રહી હતી. પોતાની અંગત મુલાકાતની તેની માગણીનું આસિયાને આશ્ચર્ય હતું. તેણે વિચાર્યું કે બઈદાને કોઈક ગંભીર સમસ્યા હોવી જોઈએ. તે આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહી હતી. બઈદા થોડીક મોડી પડી. આસિયા વાત શરૂ કરવા આતુર હતી, જ્યારે બઈદા થોડીક સંકોચાતી હતી.

પછી બઈદાએ કહ્યું, ‘તને એક પ્રશ્ન પૂછી શકું?’

‘હા,ખુશીથી!’ આસિયાએ જવાબ આપ્યો.

બઈદાએ કહ્યું,’હું ઈચ્છું છું કે તું નિખાલસ જવાબ આપીશ.’

‘તું તો જાણે જ છે કે હું હંમેશાં નિખાલસ જ હોઉં છું.’ આશિયાએ ખાત્રી આપી.

બઈદા બોલી ઊઠી,’ ફહદની લગ્નની દરખાસ્તને તેં કેમ અવગણી દીધી?’

આસિયા પ્રશ્ન સાંભળીને થોડીક ચમકી. થોડીક વાર શાંત રહ્યા પછી તે બોલી, ‘હું પણ તને પ્રશ્ન પૂછી શકું?’

‘અલબત્ત, તું પૂછી શકે છે.’

‘મને દ્વિધામાં નાખી દે તેવો પ્રશ્ન તું કેમ પૂછે છે? તું જાણે જ છે કે તે મારો સંબંધી છે અને કેટલાંક કારણોથી મેં તેની દરખાસ્તને નકારી છે.’

બઈદાએ થોડીક અચકાતાં કહ્યું, ‘કેમ કે તેણે મારી આગળ પણ દરખાસ્ત મૂકી છે અને તેથી જ હું જાણવા માગું છું કે તેં તેને કેમ ના પાડી?’

‘ઓહ! હું સમજી.’ એમ કહીને આસિયા ચૂપ થઈ ગઈ. બઈદાએ દલીલ કરતાં કહ્યું,’મારે આ જાણવું જરૂરી છે. વળી તું મારી બહેનપણી ખરી કે નહિ? તું મારી એટલી પણ ચિંતા નહિ કરે?’

‘હા, તું મારી દોસ્ત છે અને હું તારી ચિંતા કરું જ છું અને તેથી તને કારણ જણાવીશ. પણ, સૌથી પહેલાં તું કહીશ કે તેના વિષે તું શું શું જાણે છે?’ આસિયાએ બઈદાને પૂછ્યું.

‘હું જાણું છું કે તે સોહામણો, સજ્જન, શિક્ષિત અને સારા સામાજિક મોભા સાથે સારી રીતભાત ધરાવનારો છે.’

‘એ તો બરાબર’ આસિયાએ કહ્યું અને વળી ઉમેર્યું, ‘તે શ્રીમંત પણ છે. પણ, આ બધું પૂરતું ગણાય?’

બઈદા વીલા મોંઢે હળવેથી બોલી, ‘તે પાબંધ (પરહેજગાર) મુસ્લીમ નથી!’

‘તું આ જાણે છે અને છતાંય તેની દરખાસ્તને નકારી કાઢવાનું મને કારણ પૂછે છે?’

‘હું જાણું છું કે મજહબ બહુ જ અગત્યની બાબત છે, પણ તેનામાં પરિવર્તન આવી પણ શકે છે!’ બઈદા બોલી.

‘કેવી રીતે?’ આસિયાએ પૂછ્યું.

‘તેં કદી વિચાર્યું છે ખરું કે તેને સાચા રસ્તે વળવાનું માર્ગદર્શન પણ આપી શકાય!’ બઈદાએ આગળ દલીલ કરી.

‘તું ધારે છે એ આ જ છે?’ આસિયા બોલી.

બઈદાએ શરૂ કર્યું, ‘હું માનું છું કે ફહદના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દેવો તે કાયરતા છે. મારા મતે આપણે ફહદને આપણી રીતે મજહબ તરફ વાળી શકીએ અને તે માટે આપણે પ્રયત્ન પણ કરવો જોઇએ.’

‘બરાબર! પણ તું એ કેવી રીતે કરીશ?’

‘મારી પાસે રસ્તાઓ છે.’ બઈદાએ કહ્યું. ‘ગમે તેમ, પણ મારે તેનો શા માટે અસ્વીકાર કરવો જોઈએ જ્યારે કે તેનામાં આટલી બધી સારી લાયકાતો હોય! હું જો એને જતો કરું, તો તે બીજી કોઇકને પરણશે અને તે મજહબ પ્રત્યેના તેના અણગમાને વધારે બહેલાવશે. જો હું તેનો સ્વીકાર કરીશ તો તેને ઈમાન ઉપર પાછો લાવી શકીશ.’

‘એ તારો મત છે.’ આસિયાએ કહ્યું. ‘હું મારા મતને તારા ઉપર થોપીશ નહિ,પણ આ ખતરનાક ખેલ છે અને લગ્નજીવનનું જોખમ પણ!’

‘ઓહ! મહેરબાની કરીને અતિશયોક્તિ ના કર, આસિયા. લગ્ન એ સાહસ છે અને હું માનું છું કે હું મારા અનુભવને સહન કરી શકીશ.’

‘તારી ત્યાં ભૂલ થાય છે! અનુભવ મૂર્ખને ડાહ્યો ન જ બનાવી શકે. એક પરહેજગાર ઈમાની માણસને પરણવામાં અને એક મજહબથી વિમુખ થઈ ગએલા સાથે લગ્નથી જોડાઈ જવામાં ઘણો ફરક છે. પરહેજગાર હંમેશાં પોતાના મજહબી કર્તવ્યપાલનમાં સજાગ રહેશે અને પોતાની જાતને અવળા માર્ગે જતાં રોકી શકશે, જ્યારે પેલો બિનમજહબી કર્તવ્યપાલનમાં બેદરકારી બતાવશે અને સમય પ્રમાણે દુન્યવી ઉપભોગ તરફ બદલાતો જતો રહેશે.’

‘જોખમ ખરું, પણ હું સફળ થઈશ તો મજહબની સેવા થઈ ગણાશે.’ બઈદાએ કહ્યું.

‘તું જ કહે છે જો હું સફળ થઈશ તો! તારું આ ‘જો…’ જ બતાવે છે કે તને તારી સફળતા વિષે શંકા છે. લગ્નજીવનની શરૂઆત મજબૂત પાયા ઉપર થવી જોઈએ.’આસિયા બોલી.

બઈદાએ નીચી નજર કરી લીધી જાણે કે તેના મનમાં આંતરિક સંઘર્ષ ચાલતો હોય. છેવટે તેણે પૂછી લીધું,’તારો શો અભિપ્રાય છે?’

આસિયાએ કહ્યું, ‘હું જાણતી નથી કે મારે શું કહેવું? પણ, મને ડર છે કે આ અનુભવ કરવામાં તારે સહન કરવાનું જ આવશે. આ ખતરનાક ખેલ છે. સામાન્ય રીતે શૌહરો (પતિઓ)પોતાની પત્નીઓનાં મંતવ્યોને ઘણે ભાગે સ્વીકારતા નથી હોતા અને ઊલટાનું એમ પણ બની શકે કે તેઓ તેમના વિચારો પત્નીઓ ઉપર લાદે.પછી તો પત્ની પોતાની જાતને ચૌરાહા ઉપર એવી રીતે ઊભેલી મહેસુસ કરે કે કાં તો પોતાનું લગ્નજીવન છિન્નભિન્ન થવા દે કે પછી પોતાના ખુદના મજહબી અને પરહેજગાર જીવનને હંમેશ માટે તિલાંજલી આપી દે. તું સમજી શકે છે કે આ બન્ને પરિસ્થિતિઓને સહન કરવી ભયંકર મુશ્કેલ છે.’

આસિયાએ થોડીક ચૂપકીદી સેવી અને બઈદાની બોલવાની રાહ જોવા માંડી.જ્યારે બઈદા બોલી ત્યારે કંઈક ગૂંગળાતી હોય તેમ એટલું જ બોલી શકી,’તો પછી શું?’

આસિયાએ લાગણીસભર જવાબ વાળ્યો, ‘ હું માનું છું કે તારે તારી જાતને આ આફતમાંથી બચાવી લેવી જોઈએ.’

‘ધારી લે કે તેમ કરવાની મને ફરજ પડે તો મારે શું કરવું જોઈએ?’

‘તે તારે નક્કી કરી લેવાનું છે, બઈદા. કોઈ પોતાની ઈચ્છાને તારી ઉપર લાદી ન શકે, પછી ભલે તે કોઈપણ હોય!’

બઈદા થોડીક મૌન રહ્યા પછી પડકારભર્યા અવાજે કહ્યું, ‘હું જોખમ ઊઠાવીશ. મને આશા છે કે હું સફળ થઈશ જ.’

આસિયાએ બઈદા તરફ જોયું અને ઠંડે કલેજે કહ્યું, ‘તને જે કંઈ ઠીક લાગે તે કરવા તું સ્વંતંત્ર છે. હું આશા રાખું છું કે તું પાછળથી પસ્તાઈશ નહિ.’ છેવટે બઈદા એમ કહીને ઊઠી કે, ‘તારો સમય લેવા બદલ હું દિલગીરી અનુભવું છું.’

આસિયાએ જવાબ વાળ્યો,’ એમાં કંઈ દિલગીર થવા જેવું છે જ નહિ. હું ઊલટી તારા માટે દિલગીરી અનુભવું છું.’

બન્નેએ હાથ મિલાવ્યા અને બઈદા છૂટી પડી. આસિયાને લાગ્યું કે જાણે કે તેણે એક મિત્ર ગુમાવી દીધી!

કેટલાંક અઠવાડિયાં પછી, બઈદા મોડી રાત સુધી આતુરતાપૂર્વક તેના પતિની રાહ જોતી રહી. રાતના અગિયાર વાગી ચૂક્યા હતા અને તેને બહુ જ ચિંતા થતી હતી. દરેક મિનિટે તે ઘડિયાળ જોએ જ જતી હતી અને સાડા અગિયાર વાગે તેણે દરવાજો ખૂલતો અને ધીમેથી બંધ થતો સાંભળ્યો. તે બેઠી થઈ અને પતિને ઘરમાં દાખલ થતો જોયો. તેનો ચહેરો ખુશીથી ચમકી ઊઠ્યો. તેણે કહ્યું, ‘ઓ ફહદ, તમે મોડા પડ્યા!’. ફહદને નિરાશ વદને જોઈને તે ગભરાઈ ગઈ. તેણે કહ્યું,’હજુ સુધી તું કેમ ઊંઘી નથી?’

બઈદાએ જવાબ આપ્યો, ‘ જ્યારે તમે બહાર હોવ ત્યારે હું કેવી રીતે ઊંઘી શકું?’

ફહદે સુટ કાઢતાં અને પાયજામો પહેરતાં ગણગણ્યું, ‘આ તો તારા માટે હંમેશાં ચિંતાનું કારણ બની રહેશે!’

બઈદાએ પૂછ્યું, ‘કેવી રીતે?’

‘કારણ કે હું ઘણીવાર મોડો જ પડીશ. તારે એકલાએ આમ મોડે સુધી જાગવાની જરૂર નથી.’

ફહદના જવાબથી બઈદાને આઘાતસહ તકલીફ પહોંચી અને પોતાના કાન ઉપર તેને વિશ્વાસ ન બેઠો. આગળ કંઈ ન કહેતાં તે માત્ર એટલું જ બોલી, ‘તમારું ખાવાનું તૈયાર છે,’

ફહદે સ્મિતસહ જવાબ આપ્યો, ‘મેં બહાર ખાઈ લીધું છે.કેટલાક મિત્રોએ મને ક્લબમાં આમંત્રણ આપ્યું હતું. તેઓએ મારા માનમાં પાર્ટી યોજી હતી.’

‘હું માનું છું કે તમને ખૂબ આનંદ પણ થયો હશે! પણ,તમે મને પહેલાંથી કેમ કહ્યું નહિ?’બઈદાએ કહ્યું.

‘તને કહેવાનું મને જરૂરી લાગ્યું નહિ, કેમકે આવી જગ્યાએ તું મારી સાથે ક્યાં આવવાની હતી!

‘ભલે, પણ ઓછામાં ઓછું ચિંતા તો ન થઈ હોત!’

ફહદે કહ્યું, ‘તારે જાણી લેવું જોઈએ કે હું સામાજિક સંબંધોથી સંકળાયેલો છું. હું શિક્ષિત અને ઉદારમતવાદી લોકો વચ્ચે રહું છું અને ઘરમાં એકલોઅટૂલો સ્ત્રી સાથે રહી શકું નહિ.’ તે પાછળના શબ્દો વેધક અવાજે બોલ્યો. છેવટે તેણે કહ્યું,’જા હવે અને તું ખાઈ લે.’

આંખોમાં આંસુ સાથે તે ગમગીનીપૂર્વક એટલું જ બોલી, ‘મને ભૂખ નથી!’

ફહદે કહ્યું, ‘તો પછી આપણે સૂઈ જઈએ.’

બઈદાએ પૂછ્યું, ‘હુ ધારું છું કે તમે નમાજ તો પઢી જ લીધી હશે, ખરું ને?’

ફહદે ઠંડા કલેજે જવાબ આપ્યો, ‘ અડધી રાત થઈ ગઈ છે અને નમાજનો સમય પણ પૂરો થઈ ગયો છે.’

‘ના’ ફઈદાએ કહ્યું. ‘હજુ અડધી રાત થઈ નથી. વળી ગમે તે હોય, પણ મોડી મોડી પણ નમાજ પઢી લેવી જ જોઈએ.’

ફહદે કહ્યું, ‘તું જાણતી નથી કે હું કેટલો બધો થાકી ગયો છું અને મને ઊંઘ પણ આવે છે.’

‘થાક એ કંઈ મજહબી બાબતો ન બજાવવાનું કારણ નથી!’

ઠેકડી ઊડાડતો હોય તેમ ફહદ બોલ્યો, ‘એ તો અલ્લાહ મને માફ કરી દેશે!’

‘ભલે, પણ જો તમે સાચે જ મને ચાહતા હોવ તો, તમારે નમાજ પઢવી જોઈએ!’ બઈદાએ ગુસ્સો કર્યો. ફહદ બોલી ઊઠ્યો, ‘તું મારા પ્રેમને નમાજ અને રોજાં (ઉપવાસ)સાથે ભેગો ન કર. મને મારી રીતે તને ચાહવા દે, નહિ કે તારી રીતે! હું તને રજા નથી આપતો કે તું રોજ રાત્રે મારી નમાજનો હિસાબ માગે!’

ફહદે પથારીમાં લંબાવ્યું અને બઈદાને તેના શબ્દો દ્વારા આઘાતજનક પરિસ્થિતિમાં છોડીને તે ઊંઘી ગયો. તેને આસિયાના શબ્દો યાદ આવી ગયા, જે ખરેખર સાચા પડી રહ્યા હતા.

તેણે પાક કુરઆનની તિલાવત (પઠન)આરંભ્યું કે જેથી તેને આ મનોસ્થિતિમાં કંઈક રાહત અને આશ્રય મળી રહે. તેણે પાક કુરઆનને ખોલતાં જે પાના ઉપર નજર પડી તેની પહેલી સુરા હતી, “અમે (અલ્લાહ) તેમને કોઈ અન્યાય કર્યો નથી, પણ તેઓ પોતે જ પોતાની જાત પ્રત્યે અન્યાય કરી રહ્યા છે.” (અલ-નહલ ૧૧૮)

દિવસો અને મહિનાઓ પસાર થતા રહ્યા. બઈદાને કોઈ માર્ગ જડતો ન હતો કે જે વડે તે ફહદને પોતાની વિચારશરણી તરફ વાળી શકે. જ્યારે જ્યારે તે મજહબની વાત કરતી, ત્યારે કાં તો તે વાતને હસીમજાકમાં કાઢી નાખતો અથવા બહેરો કાન રાખતો. તેણે પોતાનાથી બનતી બધી જ રીતે ફહદને ઘરમાં સુખસુવિધાઓ આપવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે જોયું કે ફહદને પોતાનો વધુમાં વધુ સમય બહાર પસાર કરવામાં રસ હતો. એક રાત્રે તેણે ફહદના ઘરે પાછા વળવાની મોડે સુધી રાહ જોઈ અને જ્યારે તે આવ્યો ત્યારે બઈદાને લાગ્યું કે તે ખુશમિજાજમાં હતો. તેણે વિચાર્યું કે ફહદ સાથે વાત કરવાનો આ સરસ મોકો હતો.

તેણે ખૂબ જ નમ્રતાથી વાત શરૂ કરી, ‘તમને લાગતું નથી કે હું કેટલી દુઃખી છું?’

ફહદે આશ્ચર્ય બતાવતાં કહ્યું, ‘તું દુઃખી છે? શા માટે? શું મેં તને તારી જરૂરિયાત માટેની સઘળી વસ્તુઓ પૂરી નથી પાડી?’

‘હા, હું કબૂલ કરું છું કે તમે એ બધું કર્યું છે. આમ છતાંય એવા સુખનો શો મતલબ કે જ્યાં આત્મસંતોષ થતો ન હોય?’

‘તો પછી તું સુખી કેમ નથી?’ ફહદે પૂછ્યું.

બઈદાએ જવાબ વાળ્યો, ‘હું કેવી રીતે ખુશ રહી શકું જ્યારે કે તમે મારાથી શારીરિક, આધ્યાત્મિક અને લાગણીઓથી દૂર દૂર રહ્યા કરતા હોવ?’

‘તારી વાત થોડા અંશે સાચી છે અને સ્વીકારું પણ છું. હું તને ચાહું છું, પણ તું જે કંઈ કહે છે તે બધા સાથે સંમત નહિ થાઉં.’

‘જો મને તમે સાચે જ ચાહતા હોત તો મને તમે ખુશ રાખત. પણ તમે જાણો જ છો કે હું તમારી વર્તણુંકથી સંતુષ્ટ નથી.’

‘મેં તને અન્યથા કોઈ રીતે હાનિ પહોંચાડી છે?’ ફહદે આશ્ચર્યસહ પૂછ્યું.

‘તમે મને શારીરિક રીતે કોઈ હાનિ નથી પહોંચાડી, પણ માનસિક રીતે તમે વચનબધ્ધ એવી આપણી મજહબી માન્યતાઓને અવગણી કાઢીને મને દુઃખ આપ્યું છે. તમે પોતાના મજહબ પ્રત્યે સજાગ ન હોવા ઉપરાંત આપણી વચ્ચે નિકટતા પ્રાપ્ત કરવાથી પણ દૂર રહ્યા છો.’

‘હા, પણ હું મારી જીવનશૈલી નહિ બદલી શકું. હું મારા મિત્રો કે મારા વર્તુળને નહિ જ છોડી શકું. હું આ ઘરની દિવાલો વચ્ચે બંધાઈ રહી મારું જીવન પસાર કરવા ખાતર જ મારા અન્યો સાથેના સંબંધોને કાપી નહિ શકું. હું તને માત્ર ખુશ રાખવા ખાતર મસ્જિદમાં જઈને નમાજ નહિ બજાવી શકું. મજહબી લગાવ આત્મસંતોષ માટે હોય છે અને તે ન હોય તો ફક્ત તારી ખાતર જ અલ્લાહની બંદગી કરું તો તે માત્ર દંભ ગણાશે. તું જાણે છે કે હું મારી અંગત બાબતો અને ધંધાકીય વ્યવહારોમાં પ્રમાણિક અને સીધોસાદો માણસ છું. આનાથી વધારે તારે શું જોઈએ?’

બઈદા ફહદની વાત સાંભળીને ખૂબ જ ગમગીન બની ગઈ. તેણે ભગ્ન અવાજે કહ્યું, ‘તો પછી મારું શું? તમારા જીવનમાં મારું કોઈ જ સ્થાન નહિ?’

‘તું મારી વ્હાલી પત્ની છે. હું બીજી કોઈને નહિ, માત્ર તને જ ચાહું છું. મારા દિલની નજીક આવ અને તું સાચું સુખ જાણી શકીશ.,

‘તમારી વાતનો શો મતલબ?’

‘મતલબ એ કે જીવનનાં સુખો માણવાના માર્ગોથી તું દૂર હડસેલાય તેવા વિચારોને તું છોડી દે. પૂરા દિલથી તું મારી તરફ ફરી જા અને તને જિંદગીના આનંદોથી તરબતર કરી દઈશ કે જેનાથી તું સાવ અજાણ છે. તું હવે ચૌરાહા ઉપર ઊભી છે. કાં તો તું તારો હાથ મારા હાથ સાથે મિલાવ અને તને હું સુખમય દુનિયા તરફ લઈ જઈશ; અથવા તું તારા ઘરમાં કેદીની માફક જિંદગી વિતાવ, જો એનાથી તું સંતુષ્ટ હોય તો!’

‘આનો કોઈ ત્રીજો વિકલ્પ નથી?’ તેણે પૂછ્યું. ફહદ થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ‘હા, છે અને તે એ કે આપણે છૂટાં પડીએ. જો કે તે મારા માટે બહુ જ મુશ્કેલ બની રહેશે. જો તેં મારા સૂચનને નકારી કાઢવાનું નક્કી કરી જ દીધું હોય તો આ ત્રીજો માર્ગ ઓછો નુકસાનકારક રહેશે.’

બઈદા ચૂપ રહી. તે ચીસ પાડીને ભાગી જવા માગતી હતી, પણ હાલ તો નિઃસહાય હતી. તે આખીય રાત તેણે ઊંઘ્યા વગર જ વીતાવી. તે વિચારતી જ રહી જાણે કે તે બે સળગતી આગની વચ્ચે હતી અને એ બન્ને તેને બાળી કે દઝાડી નાખવા સમર્થ હતી. તે તલાક (છૂટાછેડા)ના માર્ગે જવા માગતી હતી, પણ તરત જ વિચાર્યું કે તેના ઉદરમાં એક નાનકડો જીવ હલનચલન કરી રહ્યો હતો.

આ નિર્દોષ નાનકડા જીવે પોતાના ઘર અને પતિ એમ બન્ને સાથે તેને બાંધી રાખી. તે થોડા સમયમાં જ માતા બનવાની હતી. આ વિચારોમાં તેનું માથું ચકરાવા માંડ્યું અને તેણે માથે હાથ દબાવી દીધો. તેની રાત્રિઓ સ્વપ્નવિહીન અને જાગૃતાવસ્થામાં પસાર થતી રહી. જ્યારે તે પથારીમાંથી ઊઠતી, ત્યારે ફહદ પૂછી બેસતો, ‘ બઈદા, તું કેમ સાવ ઊંઘતી જ નથી?’

જ્યારે તે આંખો ઊઘાડતી ત્યારે સ્મિતસભર ચહેરા સાથે ફહદને પથારી પાસે ઊભેલો જોતી, જાણે કે તે કારણથી અજ્ઞાત જ હોય કે શા માટે પોતે ઊંઘતી નથી! બઈદા ચૂપચાપ તેને જોઈ જ રહેતી.

ચિંતાતુર અવાજે તેણે પૂછ્યું પણ ખરું કે, ‘શા માટે તું સાવ ફિક્કી પડી ગઈ છે? તું બીમાર તો નથી ને ?’ તેણે તેના માથા ઉપર હાથ મૂક્યો અને પાસે બેસી ગયો.

ફઈદાએ કહ્યું,’શું ખરેખર જ તમે નથી જાણતા કે હું ઉદાસ કેમ છું?’

તે એમ કહેતાં હળવેથી હસ્યો,’જો કદાચ હું જાણતો હોઉં તો પણ તે અંગે હું શું કરી શકું? મેં તને મારું દિલ આપી જ દીધું છે તે પછી પણ તું તેનો ઈન્કાર કરે તો મારો દોષ શો? સાથે સાથે કહી દઉં કે આજે આપણા ત્યાં કેટલાક મુલાકાતીઓ આવવાના છે તો તે માટે તૈયાર રહેજે.’

‘તેઓ કોણ છે?’ બઈદાએ પૂછ્યું.

‘કેટલાક મારા મિત્રો, તેઓની પત્નીઓ સાથે.’ ફહદ પત્નીના પ્રતિભાવ જાણવા માટે રાહ જોતો થોડીક વાર ચૂપ રહ્યો.

બઈદાએ પૂછ્યું,’પુરુષો અને સ્ત્રીઓની તે સંયુક્ત મિટીંગ હશે?’

‘અલબત્ત! શું તું મારી પાસે એ અપેક્ષા રાખે છે કે જૂની પ્રથા મુજબ પુરુષો અને સ્ત્રીઓ જુદાજુદા ઓરડાઓમાં બેસે!’

‘પણ તો પછી મારું શું?’બઈદાએ પૂછ્યું.

‘તને ઠીક લાગે તે કરવા તું સ્વતંત્ર છે.’ ફહદે જવાબ વાળ્યો.

બઈદા ક્ષણભર ચૂપ રહીને સમાધાનકારી વલણ અને સમજદારી બતાવવાના હેતુથી તે બોલી, ‘ભલે, હું હાજર રહીશ.’

તેનો પતિ ખૂશખૂશ થઈ ગયો અને આલિંગન દેતાં લાગણીસહ બોલ્યો,’સાચે જ! હું કેટલો બધો ખુશ છુ? આજની મિટીંગમાં હું ખરેખર સૌથી વધારે સુખી હોઈશ! તારા સૌંદર્યનો બધા આગળ ગર્વ લઈશ! તું એક ઝળહળતા સૂર્યની જેમ સઘળા ઝાંખા દીવાઓમાં ચમકી ઊઠીશ.’

‘મારા સૌંદર્ય સાથે બીજાઓને શું લેવાદેવા? તમને ખુશ રાખવા ખાતર જ હું હાજર રહેવા તૈયાર થઈ છું અને એ પણ હિજાબ (મર્યાદારૂપ ઈરાની ઢબનો સ્ત્રીપોષાક) સાથે જ!’

ફહદ ઘૃણાપૂર્વક પાછો હઠી ગયો અને બોલ્યો, ‘ખૂબસૂરત હિજાબમાં? નહિ જ, મારી મજાક થાય તેવું હું નથી ઈચ્છતો, સમજી? બધાય માટે ખાવાનું તૈયાર કરી દે અને તું બહાર જતી રહેજે! આ જ ઉત્તમ રહેશે! તારી ગેરહાજરી માટે હું ગમે તે બહાનું બતાવી દઈશ!’

બઈદા આવું અપમાન સહન ન કરી શકી. તે એમ કહેતી ઊભી થઈ, ‘હું હાલ તરત જ ઘર છોડી દઉં તે જ ઉત્તમ રહેશે!’

હહદે કહ્યું,’મહેમાનોનું શું?’

‘તમે તેમને ક્લબમાં લઈ જઈ શકો છો.’

‘તું ક્યારે પાછી ફરીશ?’ ફહદે પૂછ્યું.

બઈદાએ વળતો જવાબ આપ્યો,’હું ક્દીય પાછી નહિ ફરું.’

‘મારા બાળકનું શું?’ ફહદે ઠાવકાઈથી સહેતુક પૂછ્યું. તેના આ શબ્દો બઈદાને કઠોર વાસ્તવિકતા યાદ અપાવવા અને તેનામાં દ્વિધાભાવ ઉત્પન્ન કરાવવા મજબૂત રીતે પૂરતા હતા.

બઈદા નિસાસાપૂર્વક ધીમેથી બોલી,’હું કેવી મૂર્ખ ઠરી! આસિયા કેટલી સાચી હતી!’

ફહદ જ્યારે આસિયાનું નામ સાંભળી ગયો ત્યારે ખડખડાટ હસતો બોલી ઊઠ્યો, ‘ ઓહ! એ દંભી સ્ત્રી! મેં તેના ગર્વને અને તેની વ્યર્થ ધાર્મિકતાને કચડવા જ તો તેની સાથેના લગ્ન માટેની દરખાસ્ત મૂકી હતી! હવે તું તેને યાદ કરે છે! તેણે અથવા તેની શિખામણે કદીય તારા માટે શું ભલું કર્યું! તું હવે તારા લગ્નજીવનને બરબાદ કરવાના ઢાળ ઉપર ઊભેલી છે અને જૂનાપુરાણા વિચારો ધરાવતી એ આસિયાના કારણે જ તારો ઘરસંસાર હવે નિષ્ફળ જવાની અણી ઉપર છે!’

બઈદાએ ગુસ્સે થતાં કહ્યું,’ નહિ જ, હું તમને તેના વિષે બૂરું બોલવા દઈશ નહિ! મેં જો તેની સલાહ સ્વીકારી હોત તો હું મારી જાતને આ અનુભવથી બચાવી શકી હોત! ગમે તેમ, પણ તે મારી પોતાની ભૂલ છે અને તેનાં પરિણામો મારે જ ભોગવવાં રહ્યાં!’

બે વર્ષ બાદ, આસિયા પોતાની મિત્ર બઈદા વિષે વિચારતી બેઠી. તેણે તેના વિષે ઘણું બધું સાંભળ્યું હતું તે માનવું તેના માટે મુશ્કેલ હતું. તે માની શકતી ન હતી કે ખૂબ જ સંઘર્ષ પછી પણ તેને પતિ આગળ ઝૂકી જવું પડ્યું હતું. તેણે સાંભળ્યું હતું કે તે હવે ઈસ્લામિક હિજાબની જરાય કાળજી લેતી નથી અને તેના પતિની સાથે પાર્ટીઓ અને નાઈટક્લબમાં જવા માંડી છે. તેણે એક છોકરાને જન્મ આપ્યો હતો. ફરીદ અને તેઓ કહેતાં કે તે હંમેશાં ઉદાસ જ રહ્યા કરતી હતી અને ભાગ્યે જ તે સ્મિત કરતી હતી. આસિયાએ આવી બધી અફવાઓ સાંભળી હતી અને ઈચ્છતી હતી કે તે બઈદાને રૂબરુ મળે અને તેની પાસેથી સત્ય જાણી લે.

તે સવારે દરવાજાની ઘંટડી રણકી અને આસિયાએ ઝડપથી દરવાજો ખોલ્યો. તેના આશ્ચર્ય વચ્ચે તેણે પોતાની સામે જ બઈદાને ઊભેલી જોઈ. તે ચહેરે સાવ નંખાઈ ગએલી અને દુઃખી દેખાતી હતી. આસિયાએ તેને આવકારી અને પોતાના બેઠકખંડમાં તેને દોરી ગઈ. બઈદા શું કહેવું તેની સમજ ન પડતાં શાંત બેસી રહી.

આસિયાએ કહ્યું, ‘ઓ બઈદા, મેં કેવી આશા રાખી હતી કે હું તને મળું! મેં તારા વિષે ખૂબ જ સાંભળ્યું હતું, પણ તે હું તારા પોતાના મોંઢે જ સાંભળવા ખૂબ જ આતુર હતી.’

બઈદા બોલતાં જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડી,’મારી પાસે કલંક અને શરમ સિવાય કોઈ સમાચાર નથી. હું મૂર્ખાઈ અને જાત છેતરપિંડીનો ભોગ બની છું. ખરે જ હવે હું તારી મિત્રતાને લાયક નથી રહી. હું ઊંડી ખીણના તળિયે જઈ પડી છું અને સાવ નકામી બની ગઈ છું. અલ્લાહ મને માફ કરે!’

આસિયાને તેના ઉપર ખૂબ જ દયા આવી અને માયાપૂર્વક કહ્યું,’તું હજુ ય મારી બહેન છે અને મારે તને તારી દારૂણ પરિસ્થિતિને જીતવામાં મદદ કરવી જ જોઈએ. હવે મહેરબાની કરીને તું નિઃસંકોચપણે તારા ભૂતકાળમાં જે કંઈ બન્યું હોય તેની મને વાત કર.’

બઈદાએ કહ્યું, ‘જો, તું જાણે જ છે કે મેં કદીય તારી સલાહ સાંભળી નથી. હું સ્વપ્નમાં રાચતી હતી અને તે મેળવવા હું દોડી ગઈ. તે મેળવવા મેં ખૂબ જ પ્રયત્ન પણ કર્યો કે હું ફહદને મારી વિચારશરણી ઉપર લાવી દઉં, પણ હું નિષ્ફળ પુરવાર થઈ. તેણે કદીય મારા ધાર્મિક આદર્શોને સ્વીકાર્યા નહિ અને મારી સાથે ક્રૂરતાપૂર્વક વર્ત્યો અને કેટલીય વાર મને હલકી પાડી. કોઈકવાર તે નમ્ર અને માયાળુ લાગતો, તો કોઈકવાર મને ભયભીત બનાવી દેતો. મેં તલાક વિષે વિચારી જોયું, પણ મારા પુત્રને ખાતર મારે એ વિચાર પડતો મૂકવો પડ્યો. છેવટે મારે શરણે થઈ જવું પડ્યું અને આજ્ઞાંકિત બનીને તેની વાતોને માનવી પડી. તેણે મારી કમજોરીનો ગેરલાભ ઊઠાવ્યે જ રાખ્યો અને મારા ઉપર તેનું વર્ચસ્વ વધારતો રહ્યો. તે મને નામોશીની ઊંડી અને ઊંડી ગર્તામાં ખેંચતો જ રહ્યો. એક કેદી જેમ પોતાની સજા સાંભળી રહે તેમ હું તેની દરેક વાતને સ્વીકારતી જ રહી. અને હવે તું મને અહીં જોઈ રહી છે!’

આસિયાએ જે કંઈ જાણ્યું અને બઈદાને જે કંઈ કરવાની ફરજ પડી તે અંગે જાણ થતાં હવે તે તેનો કોઈ દોષ કાઢી શકે તેમ ન હતી. તેણે આગળ પૂછ્યું, ‘તો પછી હવે તારે શી સમસ્યા છે?’

‘તેણે એક અઠવાડિયા પહેલાં મને તલાક આપી દીધી છે. તેણે મારા ઉપર અમારા પુત્રના મૃત્યુનો આરોપ મૂક્યો છે.’ બઈદાએ કહ્યું.

આસિયા જાણે વિશ્વાસ પડતો ન હોય તેવા ભાવે પૂછ્યું,’શા માટે?’

‘કારણ કે મેં રમજાનનાં રોજાં રાખ્યાં હતાં!’

આસિયાએ પૂછ્યું,’શું તારો દીકરો ભૂખથી મરી ગયો?’

બઈદાએ જવાબ આપ્યો,’બિલકુલ નહિ. તેને સારી રીતે સ્તનપાન કરાવતી હતી અને ઉપરથી બોટલથી દૂધ પણ પાતી હતી. તે માંદો થયો અને પછી અવસાન પામ્યો.’આસિયા આ સાંભળીને આંતરિક રીતે હાલી ઊઠી. તેણે છીનવાઈ ગએલ પુત્રની માતા એવી બઈદા માટે તેની દયનીય સ્થિતિ અને તેના ઉપર લાગેલા આરોપ બદલ અનુકંપા અનુભવવા માંડી.

બઈદાએ આગળ કહ્યું, ‘તુ હવે સમજી શકે છે કે મેં સર્વસ્વ ગુમાવી દીધું છે.’

આસિયા સહૃદયતાપૂર્વક બઈદાને ભેટી પડતાં બોલી,’તેં સર્વસ્વ ગુમાવ્યું નથી. હજુ તારી પાસે તારો મજહબ છે જે તને પ્રાયશ્ચિત સાથે તને પાછો બોલાવી રહ્યો છે અને હું હજીય તારી મિત્ર જ છું. તારી પાસે હજુ પણ તારા ભાવી જીવન તરફ દોરી જનારો ધોરી માર્ગ છે. કદાચ તારો આ અનુભવ તને તારી સાચી ધાર્મિકતાની નવીન શરૂઆત કરવામાં મદદરૂપ થશે, તારું એવું ભવિષ્ય કે જેનો પાયો ખૂબ જ મજ્બૂત હશે. નિરાશ થઈશ નહિ.’

“…ચોક્કસ અલ્લાહની કૃપાથી કોઈ નિરાશ નહિ થાય, સિવાય કે નાફરમાની કરવાવાળા લોકો.” (અલ-યુસુફ ૮૭)

* * * * *

મૂળ લેખિકાઃ શહીદ અમિનાહ હૈદર અલ-સદ્ર ઊર્ફે બિન્ત અલ-હુદા (ઈરાક)

સ્રોતઃ Stories by Bint-al-Huda Volume – II (January 2006)

અનુવાદકઃ વલીભાઈ મુસા

Disclaimer :

I have tried to have permission through available sources to translate and publish the above story in Gujarati. I have not received any response; but being my literary work non-profit, I dared to do my work prior to any permission. If any breach of copyright is felt by the authentic owner of the Article, I earnestly request to related persons or Organizations just to mail me and the Article will immediately be withdrawn from my blog.

 

 
Leave a comment

Posted by on November 13, 2009 in લેખ, Culture, gujarati, Human behavior

 

Tags: , , , , , , , , , , , , ,

Bahlool Dana, a Gem in Rags

Click here to read in Gujarati
As promised in my earlier post “A true story of an insane, but sane person!”, I am going to talk about Bahlool Dana (the Wise) today. Bahlool (real name – Wahab bin Amr) was a well known judge and scholar from a wealthy family in Iraq in the times of Haroun Al-Rashid (786 – 809 A.D), the Abbasid Caliph. He was the disciple of the Shi’ite Muslim’s 6th Imam Hajarat Ja’far Sadiq (a.s.) and he was alive also during the Imamate of the 7th Imam Hajart Musa Kazim (a.s.). Haroun Al-Rashid feared for the safety of his Khilaphat and kingdom from Hajarat Musa Kazim (a.s.) and he planned to destroy him. He put the blame of rebellion upon the Imam and appointed a batch of Jury from Chiefs of the capital to prove the charge. All of the Jury members were the ‘Yes-men’ of the Caliph except Bahlool. He did not vote against the Imam and thus became the enemy of Haroun. The Imam was imprisoned on ground of majority votes.

Here, Bahlool Dana was afraid of punishment of the Caliph and contacted the Imam in prison to seek guidance for what to do. The Imam told him to act insanely for life time, create an image of Lunatic among the people and be outspoken to carry on his mission of educating people to follow the virtuous path of truth. Bahlool, under the acting of insanity, fired the Caliph himself and his Courtiers also. The people acknowledged him for his superior wisdom and excellence. Even today, many of Bahlool’s stories are narrated in assemblies and valuable lessons of life are being taught to the listeners.

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , , , , , , ,