Click here to read in English
કોઈપણ સમાચારપત્ર ખોલો, ટી.વી.ની કોઈ સમાચાર ચેનલ જૂઓ કે પછી કોમ્પ્યુટર ઉપર છેલ્લા તાજા સમાચાર માટેની શોધ ચલાવો; અને તમને દુનિયામાં ક્યાંક ને ક્યાંક, વ્યક્તિગત કે સમૂહગત, એક યા બીજા સંઘર્ષના કારણ હેઠળ માનવહત્યા કે માનવસંહાર થએલો જાણવા મળશે જ. જગતના તમામે તમામ ધર્મો એક મુદ્દા ઉપર સર્વસંમત છે કે મનુષ્ય એ ઈશ્વરસર્જિત તમામ જીવો પૈકીનું ઉત્તમોત્તમ સર્જન છે; તો વળી એ પણ એટલું જ સાચું છે કે જ્યારે આપણે માનવી દ્વારા માનવીની થતી હત્યા વિષે સાંભળીએ, ત્યારે એ નગ્ન સત્યને આપણે કબૂલવું જ પડશે કે દુનિયામાં માનવી જેવું અત્યંત ખરાબ કોઈ પ્રાણી નથી.
એ તો સાવ દેખીતું જ છે કે બધા જ પ્રકારના સંઘર્ષો પૈકી નૃવંશીય ભેદભાવમાંથી નિપજતો સંઘર્ષ મિટાવવો સૌથી વધારે મુશ્કેલ છે. સમૂહગત આવા સંઘર્ષો લોહિયાળ હોય છે અને મોટી સંખ્યામાં અહીં માનવસંહાર જોવા મળે છે. જો આપણે શાંત ચિત્તે માનવજાતિઓમાં થતા રહેતા આવા આંતરિક હત્યાકાંડો વિષે વિચારીએ; તો આપણે એ તારણ ઉપર આવીશું જ કે નિર્દોષોનાં લોહી વહેવડાવવાનું આ પાપકર્મ આચરવું એ માત્ર કાયરતા જ નહિ, પરંતુ મૂર્ખાઈ પણ છે. મારા વાંચકો સમક્ષ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરવા, હું નીચે દાખલારૂપ કોઈકની પાસેથી સ્થાનિક રીતે સાંભળવા મળેલી એક બોધકથાને રજૂ કરીશ, જે આ પ્રમાણે છે :
Tags: લેખ, Ethics, life, Live and Let Live, Passions, Social, story
Click here to read in English
મારા કેટલાક વાંચકોએ મારો અગાઉનો આર્ટિકલ “Inspired Knowledge (Intuition)” અર્થાત્ “સહજ જ્ઞાન” વાંચીને વિવિધ રીતે મારો સંપર્ક સાધ્યો હતો અને આગ્રહ સેવ્યો હતો કે હું એ જ વિષય ઉપર આધ્યાત્મિક કે તત્વજ્ઞાન આધરિત કંઈક વિશેષ લખું. મારા કોલેજ કાળના એક મિત્ર પ્રોફેસર વિનાયક રાવલ પણ મારી ઉપરોક્ત કૃતિના પ્રતિભાવ વખતે એ જ મતના હતા. ‘સહજ જ્ઞાન’ એ કેટલાક આધ્યાત્મિક મુદ્દાઓની સહજ છણાવટ કરતી વિશિષ્ટ શૈલીમાં લખાએલી કૃતિ છે, જેને લલિત નિબંધ કે નવલિકા કહી શકાય.; પરંતુ અહીં હું ‘આત્મા’ વિષેનો મારો સામાન્ય અભ્યાસ બહુ જ સંક્ષિપ્તમાં નિબંધ રૂપે રજૂ કરું છું. અલબત્ત, ‘આત્મા’ જેવા ગહન વિષયને ગાગરમાં સાગર સમાવવા જેવી અઘરી છતાં નમ્ર અહીં મારી કોશીશ રહેશે.
માનવજીવનનું પરમ આધ્યાત્મિક લક્ષ હોય છે કે ઈશ્વરને ઓળખવો. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે ‘માણસનું અંતિમ ધ્યેય એ જ છે કે તે એક ઈશ્વરને ઓળખે, જે તેની ભીતર જ છે, તે જ સત્ય છે, તે જ તેના આત્મામાં વસે છે અને તે જ આત્મા આધ્યાત્મિક જીવન અને પ્રભુના રાજ્યનાં દ્વાર ખોલવાની ચાવી સમાન છે.’ હજરત ઈમામ અલી ઈબ્ને અબુતાલીબ (અ.સ.)એ પણ એ જ ફરમાવ્યું છે કે, ‘જેણે પોતાના આત્માને ઓળખ્યો, તેણે અલ્લાહ (ઈશ્વર)ને ઓળખ્યો.’ માનવીએ વિવિધ પ્રકારનાં વિજ્ઞાનોમાં પુષ્કળ જ્ઞાન મેળવીને ઘણું બધું સિદ્ધ કર્યું છે, પણ પરમાત્મા, આત્મા, બ્રહ્માંડ, જીવન, મૃત્યુ વગેરે જેવા વિષયોના તાત્વિક રીતે સર્વસંમત એવા અફર નિષ્કર્ષ ઉપર આવી શકાયું નથી. અહીં ઉલ્લેખાએલા જુદા જુદા વિષયો પૈકી માનવીની બુદ્ધિ કે વિચારશક્તિની મર્યાદાઓ હોવાના કારણે ઈશ્વરને પૂર્ણ કે અપૂર્ણ રીતે પણ જાણવો કે સમજવો એ ભગીરથ કાર્ય છે. કોઈકે કહ્યું છે કે, ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ કોઈક ગુજરાતી કવિએ પણ કહ્યું છે કે, ‘માણસે વરાળ અને વીજળીને નાથ્યાં, પણ તેના મનને તે નાથી શક્યો નથી; તે ગ્રહોને પણ આંબી શક્યો, પરંતુ તેના અંતરથી તો તે અજાણ જ રહ્યો છે.’ ખલિલ જિબ્રાનનું આ જ મતલબનું વિધાન નોંધનીય છે કે, ‘એમ કહો નહિ કે મને નિશ્ચિત કે પૂર્ણ સત્ય (the truth)) લાધ્યું છે; અલબત્ત, એમ કહો કે મેં સત્યનો માત્ર એક અંશ(a truth) જ જાણ્યો છે.’
Tags: લેખ, Ethics, Inspired knowledge, intuition, King Solomon, life, Live and Let Live, MacDougall, Soul, spirituality, truth
[…] Click here to read in English […]