RSS

Tag Archives: Lou Holtz

(601) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૩૦ (આંશિક ભાગ – ૨) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (ગ઼ઝલ) – મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

ગતાંકના શેર ૧ અને ૨થી આગ

ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૩ થી ૫)

 

 

 

 

ક઼િબ્લા-એ-મક઼્સદ-એ-નિગાહ-એ-નિયાજ઼
ફિર વહી પર્દા-એ-અમારી હૈ (૩)

[ક઼િબ્લા-એ-મક઼્સદ-એ-નિગાહ-એ-નિયાજ઼= કૃપાપાત્ર નિગાહ, રહેમનજર; પર્દા-એ-અમારી= હાથીની અંબાડી ઉપરનું છત્ર, અહીં ‘ઘૂંઘટ (Veil) એવો અર્થ લઈ શકાય.]

અહીં આપણને ફરી એકવાર વધુ તેજસ્વી એક શેર મળે છે. આનો સરળ શબ્દોમાં ભાવાર્થ તો એ લઈ શકાય કે માશૂક તો માશૂકાની કૃપાપાત્ર નિગાહ (નજર) માટે આશાભરી મીટ માંડી રહ્યા છે, પણ અફસોસ કે ફરી એક વાર માશૂકાનો ચહેરો પર્દા (Veil)થી ઢંકાયેલો હોઈ એ નજરથી પોતે મહરૂમ (વંચિત) રહી જાય છે.

પરંતુ આ શેરમાં માર્મિક રીતે ઘણુંબધું કહેવાયું છે. કિબ્લા એ મુસ્લીમોની મક્કા શહેર (સાઉદી અરેબિઆ)માંની હજ અદા કરવા માટેની એક પવિત્ર એવી જગ્યા છે કે જે દિશા તરફ આખી દુનિયામાં નમાજ પઢવામાં આવે છે અને મસ્જિદોનું નિર્માણ પણ એ કિબ્લાની દિશાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. વળી એ કિબ્લાને કાળા કપડાથી ઢાંકેલો રાખવામાં આવે છે. બસ, માશૂકાનું પર્દાનશીન હોવું એ આ બાબત સાથે સામ્ય ધરાવતું હોઈ ગ઼ાલિબે અહીં કિબ્લા શબ્દ પ્રયોજ્યો છે. માશૂકનો કિબ્લા તો માશૂકાની અમીનજર છે કે જો એની એક ઝલક પણ જોવા મળી જાય, તો તેઓ ન્યાલ (ભાગ્યશાળી) થઈ જાય. પરંતુ ગલેફ (આવરણ)થી ઢંકાયેલા એ કિબ્લાની જેમ માશૂકા પણ પર્દામાં છે, જેથી તેનું દર્શન જ સંભવિત ન હોઈ એ રહેમનજરને માશૂક પામી શકતો નથી. ગ઼ાલિબ તેમની ગ઼ઝલોમાં ધાર્મિક આવાં પ્રતીકો પ્રયોજીને ઘણીવાર ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એવાં બેઉ લક્ષ સિદ્ધ કરતા હોય છે.

* * *

ચશ્મ દલ્લાલ-એ-જિંસ-એ-રુસ્વાઈ
દિલ ખ઼રીદાર-એ-જ઼ૌક઼-એ-ખ઼્વારી હૈ (૪)

[ચશ્મ =આંખ, નયન; દલ્લાલ-એ-જિંસ-એ-રુસ્વાઈ = ખરાબ ચીજવસ્તુઓનો દલાલ; ખ઼રીદાર-એ-જ઼ૌક઼-એ-ખ઼્વારી= સારી ચીજવસ્તુઓનો ખરીદાર (ગ્રાહક)]

ગ઼ાલિબ આ શેરમાં આપણને આંખ અને દિલની અજીબોગરીબ લાક્ષણિકતાને અનુક્રમે દલાલ (વચેટિયો) અને ખરીદાર (ગ્રાહક) એવાં રૂપકો દ્વારા સમજાવે છે. તિજારત (વ્યાપાર)ના ક્ષેત્રમાં ઘણી જ્ગ્યાએ ગ્રાહક અને વ્યાપારી વચ્ચે દલાલ રહેતો હોય છે, જે બંને પક્ષ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવીને સોદો પાર પડાવતો હોય છે. ગ્રાહક વિશ્વાસુ હોય છે અને તે દલાલ ઉપર ભરોસો મૂકતો હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે દલાલ ઉપરના આંધળા વિશ્વાસના કારણે ગ્રાહક છેતરાતો હોય છે. ખરીદાર તો હમેશાં સારી જણસ જ ઇચ્છતો હોય અને તે માટે તે નક્કી થયેલા મૂલ્યને ચૂકવતો પણ હોય અને છતાંય તેને નઠારી (Substandard) ચીજવસ્તુ પધરાવી દેવામાં આવે. બસ, આવું જ આંખ અને દિલ મધ્યે બનતું હોય છે. આંખને જે સુંદર લાગે તેને દિલ તરત જ સ્વીકારી લે છે, પરંતુ ઘણીવાર આમાં છેતરાવાનું બનતું હોય છે. દિલની અપેક્ષા તો હંમેશાં સારી ખરીદીની એટલે કે પ્રાપ્તિની હોય, પણ આંખના ભરોંસે તે વિષમ પરિસ્થિતિમાં મુકાય છે. વાચકને લાગશે કે આ શેરમાં માશૂક, માશૂકા કે ઇશ્કના વિષયો પડઘાતા નથી; પણ એવું નથી, કેમ કે ખરીદારનો એક અન્ય અર્થ આશક કે પ્રેમી પણ થતો હોય છે. આમ દિલ પોતે આશક છે અને તેને તો હંમેશાં સુપાત્રીય માશૂકાની જ અપેક્ષા હોય છે; પરંતુ ઘણીવાર તેમની વચ્ચે મધ્યસ્થી કરનાર ત્રાહિત થકી ગેરમાર્ગે દોરાવાનું બનતું હોય છે. ગ઼ાલિબ તેમની ઘણી ગ઼ઝલોમાં માશૂક અને માશૂકા વચ્ચે એક ત્રીજા જ પાત્ર એવા નામાબર (સંદેશાવાહક) કે મધ્યસ્થીને લાવતા હોય છે, જે સહાયક અથવા ખલનાયકની ભૂમિકા નિભાવે.

* * *

વહી સદ-રંગ નાલા-ફ઼રસાઈ
વહી સદ-ગોના અશ્ક-બારી હૈ (૫)

[સદ-રંગ = સો રંગ; નાલા-ફ઼રસાઈ= દર્દ વિષે લખવું; સદ-ગોના = સો ગડીઓ-પડ; અશ્ક-બારી = આંસુ વહાવવાં]

મિતાર્થભાષી શબ્દો થકી રચાયેલા આ શેરને સમજવો-સમજાવવો મુશ્કેલ, છતાં અશક્ય તો નથી જ; કેમ કે ગ઼ાલિબ પોતાના કેટલાક શેરમાં ગહન વિચારો ગૂંથતા હોય છે અને એ ગૂંથણી જો ભાવક ઉકેલી શકે તો શેર સમજાઈ જતો હોય છે. આ શેરમાં શાયર જીવનનાં દુ:ખદર્દ વિષયે કહેવા માગે છે કે તેમના વિશે કંઈક લખવું કે વર્ણવવું મુશ્કેલ છે, કેમ કે કોઈ એક પ્રકારનું દુ:ખ હોય તો તેનું બયાન કરવું આસાન છે; પરંતુ જીવન તો શતશત એવા ઘસાઈ ગયેલા રંગોથી ભરેલું છે અને તેથી તેને સુપેરે વર્ણવી શકાતું નથી. અહીં બીજા મિસરામાં અધ્યાહાર સમજી લેવાની એ સાંત્વના છે કે એવાં શત શત પડ ધરાવતાં ગહન દુ:ખોને દુનિયા આગળ વર્ણવવા કે ગાતા ફરવા કરતાં તેમને સહી લેવાં કે માત્ર આંસુ સારી લેવાં એ વધારે ઇષ્ટ છે. મારી આ વાતના અનુમોદનમાં લો હોલ્ટ્ઝ (Lou Holtz)નું રસપ્રદ વિધાન આપીશ, જે આ પ્રમાણે છે : ‘તમારી સમસ્યાઓને લોકો આગળ કહેતા ફરો નહિ; કેમ કે, એંસી ટકા લોકો તમારી વાત તરફ ધ્યાન આપશે જ નહિ અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે એ જાણીને કે તમારે જે તે સમસ્યા છે!’

* * *

ઋણસ્વીકાર :

(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

(૨) http://www.youtube.com વેબસાઇટનો…

(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

(૫) Courtesy : https://rekhta.org

(૬) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ

 

 

Tags: , , , ,

(367) My quoted Quotes in my Posts (6)

(367) My quoted Quotes in my Posts (6)

(78) “If you plan for a year, grow rice (corn); if you plan for ten years, grow trees; and if you plan for 100 years, educate mankind (grow children !).” (A Chinese Proverb)

(79) “Be more concerned with your character than with your reputation. Your character is what you really are, while your reputation is merely what others think you are.” (Dale Carnegie)

(80) “Reputation is the photograph, but the character is the face. Reputation is made in a moment, but the character is built in a life time. Reputation makes you rich or poor, but the character makes you happy or miserable.” ( William Hersey Davis)

(81) “The reputation is just like a bubble of water – it comes in existence and vanishes, but the character always remains with us. Everybody should try to develop own character and should not care for reputation as it will follow to the character itself in its own way as the child follows its mother.” (Valibhai Musa) 

(82) “Character is like a tree and reputation like its shadow.” (Abraham Lincoln)

# Character and Reputation 

(83) “Remember that there is nothing stable in human affairs; therefore avoid undue elation in prosperity or undue depression in adversity”. (Socrates)

# Depression

(84) “Misfortunes always come in by a door which has been left open for them.” (A Czechoslovakian Proverb)

# Winning hearts and bridging minds

(85) “Consideration of others is the basic of a good life, a good society.” (Confucius)

(86) “Manners are a sensitive awareness of the feelings of others. If you have that awareness, you have good manners, no matter what fork you use. (Emily Post (An American Hostess)

(87) “Good manners have much to do with emotions. To make them ring true; one must feel them, not merely exhibit them”.(Amy Vanderbilt)

# Manners

(88) “The exaggerated sensitiveness is an expression of the feelings of inferiority”. (Alfred Adler)

(89) “I am extremely –extremely sensitive. I can cry at the drop of a hat. I am (like) such a girl when it comes to that. Anything upsets me. I cry all the time. I cry when I am happy too.” Further, he added, “If you are a sensitive person like me, you turn to something that makes you feel good.” (Dennis Farana)

(90) “A talent somewhat above mediocrity, shrewd and not too sensitive, is more likely to rise in the world than genius.” (Charles Horton Cooley)

(91) “Don’t tell your problems to people; eighty percent don’t care, and other twenty percent are glad you have them.” (Lou Holtz)

# Over Sensitiveness

-Valibhai Musa

 
1 Comment

Posted by on February 7, 2013 in Character, Life, Miscellaneous, My quoted Quotes

 

Tags: , , , , , , , , , , , ,

અતિ સંવેદનશીલતા

કેટલાંક વર્ષો પહેલાં વિશ્વસાહિત્યમાંથી ગુજરાતીમાં અનુવાદિત થએલી કેટલીક વાર્તાઓ મેં વાંચી હતી. આજે મારા આર્ટિકલના વિષયમાં રશિયન વાર્તાકાર એન્ટોન ચેખોવ (Anton Chekhov)ની વાર્તા ‘The Death of a Government Clerk’ (એક સરકારી કારકુનનું મૃત્યુ) કેન્દ્રસ્થાને છે. હું મારા વિષયમાં પ્રવેશવા પહેલાં આ વાર્તાનો ટૂંકસાર આપીશ.

વાર્તાનું મુખ્ય પાત્ર છે, એક સરકારી કારકુન. તે થિયેટરમાં એક સંગીતપ્રધાન નાટક જોવા જાય છે, તેને છીંક આવે છે, અજાણતાં અને અકસ્માતે આગળની બેઠક ઉપર બેઠેલા એક ઓફિસરના માથાની ટાલ ઉપર તેનું થૂંક ઊડે છે અને શિષ્ટાચારભંગના અપરાધભાવે તે માફી માગે છે. પેલો ઓફિસર આ વાતને હળવાશથી લેતાં બોલે છે, ‘કોઈ વાંધો નહિ, કોઈ વાંધો નહિ!’; પરંતુ કારકુન આ જવાબથી સંતુષ્ટ થતો નથી. તે ફરી એકવાર ઈન્ટરવલમાં પેલા ઓફિસરની માફી માગે છે. આ વખતે ઓફિસર થોડોક ગુસ્સે થઈને કહે છે, ‘અરે! ખૂબ થયું… હું આ વાતને ભૂલી જ ગયો છું અને તું એનું એ જ ચાલુ રાખે છે!’

પછી તો કારકુન તેની પત્નીની સલાહ લઈને પેલા અધિકારીને તેની ઓફિસમાં ફરી એકવાર મળે છે અને ખુલાસો કરવાની કોશીશ કરે છે કે તે ઈરાદાપૂર્વક તેમના માથા ઉપર થૂંક્યો ન હતો અને તેથી તેને માફ કરવામાં આવે! આ વખતે તો ઓફિસરે પોતાનો પગ જમીન ઉપર જોસથી પછાડતાં અને ગુસ્સાથી આખા શરીરે ધ્રૂજતાં ધ્રૂજતાં બરાડા પાડીને કહ્યું, ‘અહીંથી તું દૂર થા!’ ઓફિસરના અમર્યાદ ગુસ્સાથી કારકુન હતાશા અનુભવે છે અને ભાંગી પડે છે. હવે તો તેને એટલો બધો આઘાત લાગે છે કે સીધો જ તે યંત્રવત્ તેના ઘરે જાય છે. તે તેનો યુનિફોર્મ પણ ઉતારતો નથી, સોફા ઉપર સૂઈ જાય છે અને મરી જાય છે.

ઉપરોક્ત વાર્તા રમૂજભરી રીતે આગળ વધતી જાય છે, પણ તેનો અંત કરૂણ આવે છે. પોતાના નજીવી વાત ઉપરના અતિ સંવેદનશીલપણાના કારણે કારકુનનું મૃત્યુ નીપજે છે. નિ:શંક, અહીં અતિશયોક્તિ જોવા મળે છે, પણ ખરેખર તો અહીં માનવસ્વભાવની કમજોરી ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. અતિ સંવેદનશીલ લોકો અન્યો સાથેની પોતાની બાબતોને પાર પાડવામાં નિષ્ફળ પુરવાર થતા હોય છે. ખૂબ જ નાજુક સંવેદનશીલતા એ ભોગ બનનારને બિનજરૂરી માનસિક ભારણ કે ત્રાણ તરફ એવી રીતે ધકેલી દે છે, કે જેના પરિણામે વ્યક્તિ હતાશા કે ઉત્સાહભંગની સ્થિતિમાં મુકાઈ જાય છે અને તેનો વિકાસ સ્થગિત થઈ જતો હોય છે. આલ્ફ્રેડ એડલર (Alfred Adler) નામના ઓસ્ટ્રીયન મનોચિકિત્સકે અવલોકન કર્યું છે કે, ‘વધારે પડતી સંવેદનશીલતા એ લઘુતાગ્રંથિની લાગણીઓને અભિવ્યક્ત કરે છે.’ બધાયથી એ સુવિદિત છે જ કે લઘુતાગ્રંથિથી પીડાતી વ્યક્તિ પોતાના જીવનમાં કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે નહિ. હવે આપણે આ લેખના વિષયમાં થોડાક ઊંડા ઊતરીએ.

અતિ સંવેદનશીલતાનો અતિરેક આપણી પ્રારંભિક લાગણીઓને અન્યને સૂગ ઉત્પન્ન કરી દે તેવી સ્થિતિમાં લાવી દે છે. આ વાતને અન્ય શબ્દોમાં સમજીએ તો વધારે પડતી ઉદારતા કે ઉદાત્ત ભાવના કોઈકવાર બીજાને સંકુચિતતા જેટલી જ ત્રાસરૂપ નીવડતી હોય છે. આવું જ અતિ આભારવશતાની લાગણીની બાબતમાં પણ બની શકે, જ્યાં તેનો અતિરેક તિરસ્કારજનક બની જાય છે. આવી અસહ્ય વર્તણુંક સામેની વ્યક્તિના સલામત અને સંસ્કારી જીવન ઉપર વિપરિત અસર કરે છે.

હું મારા ખુલ્લા મને ડેનિસ ફરાના (Dennis Farana) નામના એક અમેરિકન ફિલ્મ અને ટી.વી. અભિનેતાને ટાંકતાં અચકાઈશ નહિ. તે નિખાલસભાવે પોતાની જાત માટે કબૂલે છે કે, ‘હું અમર્યાદ સંવેદનશીલ માણસ છુ. હું મારા માથા ઉપરનો ટોપો (Hat)પડી જાય તો પણ રડી પડું છું. હું કોઈ છોકરી જેમ વાતવાતમાં રડી પડે તેવું મારે થઈ જાય છે. નજીવી બાબતો પણ મને બેચેન બનાવી દે છે, અને હું રડ્યા જ કરું છું; બસ, દરેક વખતે રડ્યા જ કરું છું. હું ખુશીના પ્રસંગે પણ રડી બેસું છું.’ આગળ તે ઉમેરે છે, ‘તમે પણ જો મારા જેવા અતિ લાગણીશીલ હો તો તમે કંઈક એવી ‘કોઈક વસ્તુ’ તરફ વળી જાઓ કે જેનાથી તમને સારું લાગે.’ હું અહીં તેની પસંદગીની ‘કોઈક વસ્તુ’ના શબ્દોને કાપી નાખું છું, કેમ કે તે સુસંસ્કૃત માણસ માટે ઈચ્છનીય નથી. તમે તેના કરતાં વધારે સારી ‘કોઈક વસ્તુ’ પસંદ કરી શકો છો; જે શરીર, મન અને આત્માને નુકસાનકારક ન હોય. ફક્ત અતિ સંવેદનશીલતા ઉપર કાબૂ મેળવવાના જાતપ્રયત્નના ભાગ રૂપે કોઇ અનિચ્છનીય વિકલ્પ તો ન જ પસંદ કરવો જોઈએ.

ચાર્લ્સ હોર્ટન કૂલે (Charles Horton Cooley) એક સમાજશાસ્ત્રી છે, જેમણે કહ્યું છે કે, ‘મધ્યમ કક્ષા કરતાં થોડોક વધારે હોશિયાર, વિચક્ષણ અને વધારે સંવેદનશીલ ન હોય તેવો કોઈપણ માણસ પ્રતિભાસંપન્ન માણસ કરતાં દુનિયામાં વધુ આગળ નીકળી જતો હોય છે.’ આ વિધાન સ્વયંસિદ્ધ હોઈ તેને સમજાવવાની કોઈ જરૂર હોવાનું મને લાગતું નથી, તો પણ એટલું તો કહીશ કે આ વિધાન મારા અગાઉના વિચારોને પુરસ્કૃત કરે છે કે કોઈ પણ માણસ માટે પોતાની જાતને ઊંચે લઈ જવામાં અતિ સંવેદનશીલતા એ ભારે અવરોધરૂપ બાબત બનતી હોય છે.

છેલ્લે, હું મારા વાંચકોને એક જ ટીપ આપીશ જેનાથી તમે જાતે જ જાણી શકશો કે તમે સ્વભાવગત જ અતિ સંવેદનશીલ વ્યક્તિ છો કે નહિ. આ સાવ સરળ છે કે જ્યારે તમે પોતાની દુભાયેલી લાગણીઓ અંગેની કોઈ વાત સામે જે કોઈ મળતું જાય તેને તમે કહેતા જ ફરો, ત્યારે તમારે માની જ લેવું પડે કે તમે અતિ સંવેદનશીલતાની માનસિક બીમારીના એક દર્દી છો! મારા ભલા વાંચકો, તમારી લાગણી ઘવાયાની વેદનામાં જરૂર તમે તમારા નિકટના મિત્રો કે જીવનસાથીને સહભાગીદાર બનાવી શકો; પણ તમે તમારી સમસ્યાની લોકો આગળ જાહેરાત કરતા જ રહો તેમાં તમારી માત્ર મુર્ખાઈ જ નહિ, તે વ્યર્થ પણ છે. મારી આ વાતના અનુમોદનમાં લો હોલ્ટ્ઝ (Lou Holtz)નું રસપ્રદ વિધાન આપીશ, જે આ પ્રમાણે છે : ‘તમારી સમસ્યાઓને લોકો આગળ કહેતા ફરો નહિ; કેમ કે, એંસી ટકા લોકો તમારી વાત તરફ ધ્યાન આપશે જ નહિ અને બાકીના વીસ ટકા લોકો ખુશ થશે એ જાણીને કે તમારે જે તે સમસ્યા છે!’

આશા રાખું કે મારો આર્ટિકલ તમને ગમ્યો હશે તો ખુશ થયા હશો જ.

વંદનસહ,

વલીભાઈ મુસા


 
1 Comment

Posted by on January 30, 2010 in Article, લેખ, gujarati, Human behavior, Humor

 

Tags: , , , , , , , , ,