RSS

Tag Archives: mercifyl death

દયાહત્યા કે દયાપૂર્ણ મૃત્યુ – એક ચર્ચા

Click here to read in English

આજના મારા લેખનો વિષય અનહદ ગૂંચવણભર્યો અને મુશ્કેલ પણ છે અને તેથી જ તેના કોઈ નક્કર તારણ ઉપર ન પણ આવી શકાય. આ એક લાંબા સમયથી ચાલી આવતી અને વિરોધભાસી ચર્ચા છે જેનો કોઈ અંત નથી, કેમ કે બંને વિચારધારાઓ પાસે પોતપોતાની પોતાના મતની તરફેણમાં અને વિરુદ્ધમાં સેંકડો દલીલો છે. અહીં મારા વાંચકો આ ચર્ચાના ભાગરૂપ મારા પ્રમાણિક પ્રયત્નને જોઈ શકશે, જેમાં મેં મારા પક્ષે પૂરી તટસ્થતા જાળવી રાખી છે અને ચર્ચાના સંભવિત પરિણામને મારી સંમતિ કે અસંમતિની કોઈ મહોર પણ મારી નથી. ‘દયા-હત્યા’ જેને અન્ય સારા શબ્દોમાં ‘અસાધ્ય વેદનામય દર્દથી પીડિત દર્દીનું શાંતિપૂર્વક મોત નિપજાવવું’ કહી શકાય. આ મુદ્દે ઘણાં વર્ષોથી વિશ્વભરમાં ચર્ચાઓ થતી આવી છે અને હું પણ અહીં અન્યોની જેમ આ ચર્ચામાં દાખલ થઈ રહ્યો છુ. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે,’આપણું જીવન એ દીર્ઘ અને મથામણયુક્ત સત્યની શોધ માટે છે.’ મારા અગાઉના કોઈક આર્ટિકલમાં મેં કહ્યું છે કે ‘આપણે સત્યના કોઈ એક અંશ (A Truth) સુધી કદાચ પહોંચી શકીએ, પણ પૂર્ણ સત્ય (The Truth)ને પામવું તો મુશ્કેલ હોય છે.’

હવે આપણે એ સમજીએ કે આ પ્રકારની હત્યા કે મોત એ છે શું! મારા લેખના શીર્ષકમાં ‘દયા’ અથવા ‘દયાપૂર્ણ’ શબ્દો સામાન્ય છે; પરંતુ ‘હત્યા’ અને ‘મૃત્યુ’ શબ્દો ભિન્ન છે, જેમનો એક જ અર્થ ‘જીવનનો અંત આણવો’ એમ જ લેવાનો છે. મેં ઈન્ટરનેટના માધ્યમથી આ વિષય ઉપરની બે વ્યાખ્યાઓ તારવી કાઢી છે : (૧) વ્યક્તિના જીવનનો તેની વિનંતીથી ઈચ્છાનુસાર, સરળ અને પીડારહિત અંત આણવો, જ્યારે કે તે અસાધ્ય અને પીડાજનક રોગથી પીડિત હોય. (૨) ઈરાદાપૂર્વક પીડિત કોઈ વ્યક્તિના જીવનનો દયાથી પ્રેરાઈને અન્યો દ્વારા અંત લાવવામાં આવે..

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , , ,