RSS

Tag Archives: Mignon McLaughlin

જીવનસાથી

Click here to read in English

લગ્ન એ માત્ર સામાજિક રિવાજ જ નહિ, એક સંસ્કાર પણ છે. જગતભરની વિવિધ જ્ઞાતિઓના સમુદાયો કે સમાજો સર્વસંમત રીતે સ્વીકારે છે કે વ્યક્તિએ પુખ્તવયે પહોંચતાં પરણી જ જવું જોઈએ. આ ‘પરણી જ જવું’ શબ્દો સાર્થક કે પરિપૂર્ણ કરવા પહેલાં જીવનસાથીની પસંદગી કરવી પડે, જે વ્યક્તિના જીવનનું ખૂબ જ કપરું કાર્ય છે. સોક્રેટીસ કહે છે, ‘મારી તમને સલાહ છે કે પરણી જાઓ. જો તમને સારી પત્ની મળી, તો તમે સુખી થશો; અને જો તેમ ન બન્યું, તો તમે અવશ્ય તત્વચિંતક તો બનશો જ!’ આ વિધાન આત્મલક્ષી અને કટાક્ષમય પણ છે, કેમ કે સોક્રેટીસને તત્વજ્ઞાની બનાવવાનો ખરો જશ તેમની પહેલી પત્નીના ફાળે જાય છે કે જે સંભવતઃ ખૂબ જ ઝગડાખોર હતી. જો કે તેના પછીની બીજી પત્ની નામે ઝેન્થીપી (Xanthippe) બહુ જ ભલી હતી. ગમે તે હોય, પણ યુવાન પુરુષ કે સ્ત્રીને સમાન અધિકાર છે કે પોતે પોતાના માટે આદર્શ જીવનસાથીની પસંદગી કરી લે અને કોઈએ પણ તત્વજ્ઞાની બનવાની જરૂર નથી!

લગ્ન એ માનવજીવનમાં ખૂબ જ અગત્યનો સંબંધ છે. વળી, લગ્નને યોજનાર અર્થાત્ ગોઠવનાર વ્યક્તિ પણ એટલી જ અગત્યની બની જાય છે, ભલે પછી તે પોતે હોય કે માતાપિતા કે મિત્રો હોય. હવે આ લગ્ન સ્વયં કરી લેવામાં આવતું હોય કે બાહ્ય મદદ વડે કરવામાં આવતું હોય, પણ તે પહેલાં બંને પાત્રોએ એકબીજાને સારી રીતે ઓળખી લેવાં જોઈએ. લગ્ન એ સંવેદનશીલ અને ગંભીર બાબત છે. તે પરસ્પર ચાહનાર બે વ્યક્તિઓ વચ્ચેનું બંધન છે. આ બંને લગ્ન વડે બેમાંથી એક થાય છે, પ્રેમથી પરસ્પર જોડાય છે, સાથે મળીને પોતાના કૌટુંબિક જીવનને શરૂ કરે છે અને પોતાનું શેષ જીવન સાથે મળીને પસાર કરે છે. લગ્ન એ એકરાર (કબુલાત) છે અને તેની ઉભયના જીવન, કારકીર્દિ અને વ્યક્તિત્વ ઉપર મોટી અસર પડતી હોય છે.

Read the rest of this entry »

 
2 Comments

Posted by on February 11, 2010 in Article, લેખ, Culture, gujarati, Human behavior

 

Tags: , , , , , , , , , , , , , , ,