Click here to read in English
ગુજરાતીમાં એક મુહાવરો છે કે ‘વાઘને કોણ કહેશે કે તારું મોંઢુ બધો જ સમય ગંધાય છે!’ નીચે એક બોધકથા છે કે જે મેં ઉપરોક્ત મુહાવરાને આધાર બનાવીને વિચારી કાઢી છે. વળી મારો એવો કોઈ વિચાર પણ નથી કે કથાના અંતે મારે કોઈ બોધપાઠ દર્શાવવો, કેમ કે તે શીર્ષકમાંથી જ સ્વયં અભિપ્રેત છે. હવે વાંચવા માટે આગળ વધો :
“એક વખતે જંગલમાં પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓની એક સભા મળી હતી. એક યા બીજા કારણે એકેય વાઘ કે સિંહ આ સભામાં હાજર ન રહી શક્યો. તેમની ગેરહાજરીનો ફાયદો ઊઠાવતાં સભામાંના બાકીના તમામે તેમની ઉણપોની ટીકાટિપ્પણી કરવાની શરૂઆત કરી. તેમણે મુખ્યત્વે તો અહર્નિશ તેમનાં બહુ જ ખરાબ ગંધ મારતાં મોંઢાંની કુથલી કરી. પહાડોમાં હંમેશાં ઝરણાં તો વહેતાં જ રહેતાં હોય છે, આમ છતાંય તેઓ કદીય પોતાનાં મોઢાં ધોવાની દરકાર કરતા નથી. વળી આટલું જ નહિ તેઓ લોહીથી ખરડાએલાં તેમનાં મોંઢાં લઈને તથા દાંતોમાં માંસના રેસાઓ સાથે અહીંતહીં ભટક્યા કરે છે.
[…] ક્રમશ: (7) […]