RSS

Tag Archives: On line

(૫૦૦) “વિખૂટા પડ્યાનો વલવલાટ” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૧૧)

વિખૂટા પડ્યાનો વલવલાટ

ક્યમ આધુનિકતા પછીનું સાંપ્રત માનવીય અંત:કરણ
ભાસે સાવ ક્ષુબ્ધ, ઉદાસીન અને અવઢવમય સદાય
જ્યમ કે ફસાયું હોયે કો’ મૃગ કાંટાળાં ઝાંખરાં મહીં !

સોબતમહીં એ ઝંખે એકલતા
તો વળી એકલતામાં શોધે ટોળાં
અને પુસ્તકોય વળી ફેંદે, કિંતુ ન પામે કશુંય !

જ્યારે તીવ્રેચ્છાઓ ન થાયે સાકાર કોમ્પ્યુટર ઉપરે
ઑફલાઇન, ઑનલાઇન કે હૉટલાઇન સેવાઓ થકી
અને કંપે કો’ મેળા મહીં ખોવાયા શિશુસમ !

તો વળી, ટીવી ચેનલો ફેરવ્યે જ જાયે
કશું ન પામે જોવા કે સૂણવા
ને ડોક્યા કરે છીછરા સ્ક્રીન મહીં સાવ અમથું !

આને તમે કો’ વ્યાધિ તણું નામ આપો
કે ગણાવો એને માનસિક વિકૃતિની ઘેલછા કે પછી ગમે તે
પણ એ છે વિખૂટા પડ્યાનો વલવલાટ જ, ન અન્યથા !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

Withdrawal symptoms

The post modern heart,
fearful, aloof and always skeptical
like a deer in thorny bushes.

In company wants loneliness
in solitude searches crowds
surfs books reaches nowhere.

When longings not materialized,
offline or online or through hotline
shivers like a baby lost in fair.

Switches over and over to channels
to watch nothing listen nothing
but peeps into shallow surfaces

you may name it a disease
or call it a mania or whatever
they are withdrawal symptoms.

-Mukesh Raval

* * *

રસદર્શન :

આધુનિક માનવીની મન:સ્થિતિને ઉજાગર કરતું કવિનું આ વિશિષ્ટ વિષય ઉપરનું કાવ્ય સાહિત્ય ઉપરાંત તેમના અન્ય સામાજિક વિજ્ઞાનોના અભ્યાસને છતું કરે છે. આપણા આ કવિ પાસે કાવ્યના વિષયોનો કોઈ તોટો નથી અને તેથી જ તો આપણને મનોવિજ્ઞાનમાં આજકાલ બહુચર્ચિત એવી હાલના માનવીની મનોવૈજ્ઞાનિક સમસ્યા કે જે ‘Withdrawal symptoms’ તરીકે ઓળખાય છે, તે કાવ્યનો વિષય બનીને આવે છે અને કવિએ તેને જ શીર્ષક તરીકે મૂક્યું પણ છે. કવિશ્રી અને ભાવાનુવાદક એવા અમે બંનેએ આપસી વિચારવિમર્શ થકી સમાનાર્થી અને સમભાવી એવા ‘વિખૂટા પડ્યાનો વલવલાટ’ શીર્ષક માટે સહમતી સાધી છે, જે સ્વયં કાવ્યના મધ્યવર્તી વિચારને તો દર્શાવે છે; પણ સાથે સાથે વાચકને વાંચન માટે આકર્ષવા પણ સફળ બની રહે છે.

અહીં ‘કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય’ એવી આધુનિક માનવીની મનોવ્યથાની વાત છે. વિજ્ઞાનની અકલ્પ્ય શોધોએ માનવી માટે ભૌતિક સુવિધાઓનો અંબાર ખડકી દીધો અને છતાંય માનવી વ્યથિત છે, એને સુખચેન નથી. સાવ દેશી શબ્દોમાં કહીએ તો માનવી આંતરિક રીતે દુ:ખી છે; અને આ દુ:ખ બીજું કોઈ નહિ, પરંતુ સુખનું જ દુ:ખ છે. વળી કવિએ આ કાવ્યમાં માનવીના એ વલવલાટને માત્ર વાચા આપી છે, એ દુ:ખના નિવારણનો કોઈ ઈલાજ નથી સૂચવ્યો. માનવીએ આત્મનિરીક્ષણ દ્વારા એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ જાતે જ શોધી લેવાનો છે. ટોળાથી વિખૂટું પડેલું કોઈ પ્રાણી સૂનમૂન ઊભું રહી જાય અને સામે પડેલા ઘાસચારાને કે પીવાના પાણીને માત્ર જોયા જ કરે એવું કલ્પનાચિત્ર નજર સમક્ષ લાવવાથી માનવીની આ માનસિક અકળામણને સમજી શકાશે.

હવે આપણે કાવ્ય તરફ વળીએ તો પ્રારંભે જ કવિ આપણને કાંટાળા ઝાંખરામાં ફસાયેલા હરણનું દૃષ્ટાંત આપીને માનવીના દિલની ક્ષુબ્ધતા, ઉદાસીનતા અને એના અવઢવપણાને સમજાવે છે. આ માનવીની એવી દયાજનક મનોવ્યથા છે કે તેની પાસે બધું જ હોવા છતાં તેને કંઈક ખૂટતું હોવાનું તે મહેસુસ કરે છે. અહીં વિધિની વક્ર્તા એ જોવા મળે છે કે માનવી ખૂટતા એ ‘કંઈક’ને જાણી શકતો નથી. પેલી બાળવાર્તામાં આવતી ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી; અને છતાંય તે ઉદાસ રહ્યા કરે !’ જેવી સ્થિતિમાં પોતે મુકાઈ ગયો હોવાનું આધુનિક માનવી વિચારે છે.

કવિ આગળ જતાં માનવીની વ્યથામાંથી બહાર નીકળવા માટેની મથામણ અને અંતે મળતી નિષ્ફળતાને સુપેરે સમજાવે છે. માનવીને સામાજિક પ્રાણી ગણાવાયું હોઈ એ સમૂહમાં રહેવાનું પસંદ કરે છે, છતાંય વળી કોઈક વાર એકધાર્યા સમૂહજીવનથી તે કંટાળી જાય છે અને એકાકીપણું ઝંખે છે. તો વળી આવી એકાકી સ્થિતિમાં પણ તે ઝાઝો સમય રહી શકતો નથી અને ફરી પાછો ટોળાના આશરે જાય છે. પુસ્તકોના સહવાસથી કદાચ મનને શાંતિ મળી રહે તે આશયે તેમને ફેંદી વળે છે, પણ પરિણામ શુન્ય જ પ્રાપ્ત થાય છે. પુસ્તકોના વિકલ્પે આજકાલ સહજ રીતે પ્રાપ્ય એવા વિવિધ માર્ગે સેવાઓ આપતા કમ્પ્યુટર સાથેની માનવીની માથાફોડી પણ નિરર્થક સાબિત થાય છે. કવિ માનવીની અનિર્ણિત અને ચંચળ મનોદશાને સમજાવવા માટે મેળામાં ખોવાયેલા બાળકનું સરસ મજાનું દૃષ્ટાંત આપે છે. આવું આપ્તજનોથી વિખૂટું પડેલું બાળક આમથી તેમ વિહ્વળતાપૂર્વક ભટક્યા કરતું અને વલોપાત કર્યા કરતું હોય એવા શબ્દચિત્ર થકી કવિએ કાવ્યના લક્ષને સિદ્ધ કરી બતાવ્યું છે. કાવ્યની આ કડી વાંચતાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ વાચકોને ખ્યાતનામ એવા ‘The Lost Child’ કાવ્યની યાદ આવ્યા સિવાય રહેશે નહિ.

આધુનિક સમયની ટી.વી.ની સુવિધા વિષે કહેવાય છે કે હાથનાં આંગળાંના ટેરવાં થકી વિશ્વદર્શન (The world at the finger tips)  કરી શકાય. પરંતુ આપણા કવિ તો એ ઉપકરણને પણ નિરર્થક સાબિત કરી આપતાં સમજાવે છે કે માનવીની સુખશાંતિની ઝંખના એના થકી કદીય સિદ્ધ નહિ થાય. હાથમાંના રિમોટ કન્ટ્રોલ વડે ચેનલો બદલાયે જશે અને અમથી અમથી ટી.વી.ના સ્ક્રીન ઉપર નજરો ફર્યા કરશે, પણ કશુંય હાથ નહિ લાગે; અને ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર (Much ado about nothing) જેવું જ થઈ રહેશે !  ટી.વી.ની બિનઅસરકારકતા છતાંય માનવીનો દિવસરાત એની સાથેનો લગાવ એવો જળવાઈ રહેતો હોય છે કે તેનાથી તે અળગો રહી શકતો નથી અને સાથે સાથે એ કશુંય પામતો પણ નથી હોતો.

કાવ્યસમાપને કવિ કોમ્પ્યુટર અને ટી.વી. સાથે જળોની જેમ ચોંટી રહેતા એવા માનવીઓને અકળ એવા કોઈક રોગનો ભોગ બનેલા કલ્પે છે. કવિ એ રોગનું નામ આપવાના કેટલાક વિકલ્પો સૂચવ્યા પછી પોતે  જ માનવીની આવી ઘેલછાને ‘વિખૂટા પડ્યાના વલવલાટ’ તરીકે ઓળખાવી દે છે અને ખરે જ તે યોગ્ય પણ છે. હવે આપણે નક્કી કરવાનું રહે છે માનવી કુટુંબ સાથે અને સમાજની વચ્ચે જ રહેતો હોવા છતાં એ કોનાથી વિખૂટો પડ્યો હશે અને એનો કયો વલવલાટ હશે ! કવિએ તો આધુનિક માનવીના આ આધુનિક દર્દનું નામકરણ દર્શાવી દઈને પોતાના હાથ ખંખેરી લીધા છે અને દર્દશામક ઔષધની ખોજ તો એ ખુદ માનવીએ જ કરવી રહી.

– વલીભાઈ મુસા

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭
પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

 

 

 

Tags: , , , , , , ,

(212) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૧

‘હેલો, વલીભાઈ’

’આપ કોણ? ઓળખાણ આપશો, જરા!’

’જરા શું, પૂરી આપીશ! પરંતુ, અવાજ ઉપરથી ઓળખાણ ન પડી? ભલે તો અંદાજે નામ બોલતા જાઓ, સાચું નામ આવશે ત્યારે ‘હા’ પાડીશ!’

’અમેરિકાથી સુરદા?’

’ના’

‘તો પછી, ‘રાત્રિ’?’

’મને લાગે છે કે તમે આઠદસ નામ એકસાથે બોલી નાખો! તેમાં મારું નામ આવશે તો તરત હા પાડી દઈશ! આજે તો તમારી પરીક્ષા કરવી છે!’

’ટકલુ, ફેટી, છોટમ, ગાંડાલાલ, ઢેબર, ઓબામા, મનમોહનસિંઘજી, લાલુજી!’

’બસ, બસ! તમે તો ઠોકંઠોક કરવા માંડ્યા! ટકલુથી ઢેબર સુધી તો બરાબર, પણ પાછળવાળા ગુજરાતી બોલી શકે ખરા, ભલા માણસ! લ્યો, કહી જ દેવું પડશે! હું સુરદા!’

’એ નામ તો મેં પહેલું જ આપ્યું હતું, તો પછી ના કેમ પાડી?’

’તમારી પાક્કી પરીક્ષા કરવા!’

’હોઓ… I see! પણ દોસ્તી કરવા પહેલાં પરીક્ષા થાય કે પછી પણ પરીક્ષા ચાલુ જ રહે!’

’એ બધી વાત પછી! કામની વાત જરા પહેલી કરી નાખીએ. આજે લાંબુ નહિ ખેંચાય. મારે હાસ્ય દરબારે જવાનો સમય થઈ ગયો છે. તો સાંભળો, અહીંથી બે માણસો ઈન્ડીઆ તમારી પાસે આવે છે. તમારે ઈન્ટવ્યુ લઈને મને અથવા ‘રાત્રિ’ને જણાવવાનું છે કે તેઓ આપણા હાસ્ય દરબારનાં રત્નો થવા માટે લાયક છે કે કેમ?’ Read the rest of this entry »

 

Tags: , , , , , ,