RSS

Tag Archives: Perforated

(175) “૬૦+ ગુજરાતીઓ” ના ચર્ચાચોરે ‘ધનસંચય’નું ગાંઠાળું લાકડું – ભાગ ૨

ભાગ-૧ માટે અહીં ક્લિક કરો. 

પેલા ભાઈના આર્ટિકલમાં મુખ્યત્વે નીચેની ત્રણ બાબતોનો સમાવેશ થયાનું સ્મરણમાં આવે છે. (૧) સમાજમાંથી સંપૂર્ણપણે વ્યાજપ્રથાની નાબૂદી (૨) દર વર્ષે કે સમયાંતરે ચલણી નોટોની ફેરબદલી કરવી. (૩) વ્યાજનાબૂદીના વિકલ્પે નિયમિત રાષ્ટ્રીય આવક મેળવવા તથા નવીન ચલણી નોટોના છપામણી ખર્ચને પહોંચી વળવા વટાવ (ઘસારો) વસુલવો.

હવે આ ત્રણેય મુદ્દાઓને વિશદ રીતે સમજવા માટે હવે પછી જે કંઈ વિચારમંથન કે શક્યતાઓ રજૂ કરવામાં આવશે તેમાં એ મૂળ લેખની ઝાંખી યાદદાસ્ત ઉપર આધારિત આછીપાતળી રૂપરેખા સાથે મારા પોતાના વિચારોનું સંયોજન કરીને આપ સૌ વાંચકોને સમજાવવાનો મારો નમ્ર પ્રયાસ રહેશે. જો કે આ ચર્ચાનો નિષ્કર્ષ મારા કરતાં વધારે સારી રીતે લાવવા એવા નિષ્ણાતો અને અનુભવીઓ વધારે સક્ષમ પુરવાર થઈ શકે છે. લેખની વ્યાપમર્યાદાને ધ્યાનમાં લેતાં હું નીચે ક્રમિક રીતે મુદ્દાઓ માત્ર રજૂ કરીશ અને તેમની યોગ્યતા કે અયોગ્યતા તો વાંચકોના પ્રતિભાવ અને ચર્ચાઓના અંતે નક્કી થશે. વળી ચારેક દાયકા પછી સુષુપ્ત અવસ્થામાં પડી રહેલા અને મારા મનોજગતના કોઈક ખૂણે સંતાઈ રહેલા આ ક્રાંતિકારી વિચારનાં વિવિધ પાસાંઓનો તલસ્પર્શી અભ્યાસ તો તજજ્ઞો જ વધારે સારી રીતે કરી શકશે અને એ જ લોકો આ વિચારની ખાસિયતો કે મર્યાદાઓનું વિશ્લેષણ પણ કરી શકશે. નીચે આપવામાં આવતાં મારાં પોતાનાં તારણો છે અને તેમને સર્વાંગસંપૂર્ણ સમજવાની કોઈ ગેરસમજ ન થાય તેવું મારું નિખાલસ અને વ્યવહારુ મંતવ્ય છે. તો નિષ્કર્ષ રૂપે નીચે આપવામાં આવનારા મારા મુદ્દાઓને વાંચવા, સ્વીકારવા કે અવગણવા તે વાંચકોએ પોતે જ નક્કી કરી લેવાનું છે. Read the rest of this entry »

 

Tags: , , ,