RSS

Tag Archives: protocol

(૪૪૩-અ) બ્લોગીંગમાં ‘પ્રતિભાવો’ અંગે વલદાના પ્રતિભાવો

સાહિત્યકારો પોતાનાં સર્જનોમાં ઘણીવાર એવાં કથનો પ્રયોજતા હોય છે કે જે લાંબાગાળે સૂત્રો કે સુવિચારો બની જતાં હોય છે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે અને તેમાંય આ નિયમ લાગુ પડતો હોય છે. બ્લૉગ ઉપરના પ્રતિભાવ એ એક રીતે જોવા જઈએ તો વિવેચનની લઘુ આવૃત્તિ જ છે. અત્રે કનૈયાલાલ મા. મુનશીના વિવેચનશાસ્ત્રમાંના તેમના એક સૂત્ર ‘નીતિ એ કલાની વિષકન્યા છે.’ને ધ્યાનમાં ન રાખીને ‘વેગુ’વાચકોને ઊઘાડી શિખામણનાં કટુવચનોને યથાશક્ય શર્કરાયુક્ત આવરણમાં લપેટીને વટિકા ગળાવવાનો મારો અત્રે વિચાર છે. ક્યાંક આવરણ પાતળું રહી ગયું હોય કે કટુવચનના કોઈક ભાગે એ આવરણ બરાબર ચોંટ્યું ન હશે તો કટુતાનો થોડોક સ્વાદ આવી જવાની શક્યતા પણ ભારોભાર રહેલી છે જ. ‘કારેલાના ગુણ કડવા નથી હોતા’ એવું માનનારાઓ ભલે અલ્પસંખ્યક હોય, તો પણ તેમને જ ધ્યાનમાં રાખીને ગૃહિણીઓ કે વીશીઓના મહારાજો દ્વારા સમારાએલાં કારેલાંની કડવાશને નીચોવીને અને થોડોક વધુ પ્રમાણમાં ગોળ નાખીને પણ ભોજનની થાળીમાં એક વધારાના વિકલ્પ તરીકે કારેલાંનું શાક પીરસાતું હોય છે. આ લેખમાં મને “‘વલદા’ ગૃહિણો” કે “‘વલદો’ મહારાજ”, જે કહો તે, એવું જ કંઈક હું રાંધવા જઈ રહ્યો છું; પેલા અલ્પસંખ્યકોને જ મદ્દેનજર રાખીને જ તો !

આજનું કારેલું એ છે કે જેને બ્લૉગની દુનિયાનાં માણસો ‘પ્રતિભાવ’ના નામે ઓળખે છે. બ્લૉગનું માળખું ગોઠવનારાઓએ તો તેના માટે અંગ્રેજી શબ્દ ‘Comment’ આપ્યો છે, જેનો સીધો અર્થ તો ‘ટીકા’ થાય છે; પણ આપણાં શાંતિપ્રિય ગુર્જરજનોએ એના માટે ‘પ્રતિભાવ’ શબ્દ અપનાવીને તેને ‘Response’ના અર્થમાં ગોળ કાણામાં ચોરસ ખીલાની જેમ લાકડાની હથોડીએ હળવેથી બેસાડી દીધો છે. મારા મતે Comment Box એ એક પ્રકારનું Magic Box છે કે જે લેખનાં વિવિધ પાસાંઓને દેખાડે છે. પ્રતિભાવના બે જ સારા શબ્દો સારા લેખકને ઊંચે લઈ જાય છે, તો એ જ બે સારા શબ્દો નઠારા લેખકને પાછો પાડી દેતા હોય છે. પહેલામાં કાબેલિયતને પ્રોત્સાહન મળતું હોય છે, તો બીજામાં મિથ્યા ગર્વને પોષણ મળતું હોય છે.

મારો એક હોસ્ટેલ મિત્ર ભજનો ગાવાનો શોખીન હતો અને જુદાજુદા સમયે નિશ્ચિત ભજન જ ગાતો. બાથરૂમમાં નહાતી વખતે તે ‘પ્રભુ ભાવ-ના ભૂખ્યા છે, ભોજનના થાળ શાને !’ ગાય. આ વાત એટલા માટે યાદ આવે છે કે બ્લોગર એ પણ પોતાના બ્લોગનો પ્રભુ છે અને વાચક એનો ભક્ત છે. આ પ્રભુ ભક્તની પાસે ગિફ્ટ પાર્સલ જેવી મોટી અપેક્ષા નથી રાખતો, માત્ર બેચાર શબ્દોના પ્રતિભાવની આશા રાખે છે. હવે એ પણ ન મળે ત્યારે એને એવું ગાવાનો વારો આવે કે ‘હું પ્રતિભાવનો ભૂખ્યો છું, ખાલીખમ થાળ શાને ?’

રેડિયોના જમાનામાં સમાચાર-વાંચનમાં શરૂઆતમાં અને વચ્ચેવચ્ચે ‘આ આકાશવાણી છે’ એમ જે કહેવાતું, બસ તેમ જ વચ્ચે આ ‘વલદા’ કહી રહ્યો છે કે “આ લેખ ‘વેબગુર્જરી’ માટે લખાઈ રહ્યો છે.” અને તેજીને કરવામાં આવતી ટકોરની જેમ ‘વલદા’ એ કહેવા માગે છે કે કલાકારને દાદ(પ્રશંસા) ન મળે તો એ બિચારો દાદ(ફરિયાદ) કરવા ક્યાં જાય ! વિશ્વવિખ્યાત તબલાવાદક ઝાકિરહુસેન પણ જો દાદ ન મળે તો સંચાલકોના મોંઢા ઉપર મળેલી ફીની નોટો ફેંકીને બગલમાં તબલાં દબાવીને સ્ટેજ છોડીને ભાગી જાય ! જો બ્લૉગર પોતાની જ કૃતિઓને પોતાના બ્લૉગ ઉપર મૂકતો હોય, તો તેના માટે તો સમજ્યા મારા ભાઈ કે, તે નિજાનંદ માટે લખે છે એટલે એને ભાવ, સમભાવ, અનુભાવ, પ્રતિભાવ, કટુભાવ, દ્વેષભાવ કે જે કહો તે ભાવ મળે કે ન મળે એને કોઈ ફરક પડશે નહિ; કેમ કે ત્યાં તો ‘વાડી’ અને ‘દલો તરવાડી’ એકના એક જ છે. પરંતુ એવી કોઈ સાઈટ કે એવાં કોઈ ઈ-સામયિક કે જે બિનવ્યાપારી ધોરણે કામ કરતાં હોય તેને તો અન્ય લેખકો ઉપર અવલંબિત રહેવું પડે અને એ લોકો જ્યારે કોઈ પુરસ્કારની અપેક્ષા વગર જાન રેડીને કંઈક લખતા હોય ત્યારે તે પ્રતિભાવ તો અવશ્ય ઝંખે જ ને !

કલાપીની આ કાવ્યપંક્તિ કે ‘કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહિ’ ને આપણે હરખપદુડા થઈને રટ્યા કરીએ અને વાચક તરીકે આપણે એને અમલમાં ન મૂકીએ તો ‘પોથીમાંના રીંગણા’ના ચિત્રને ચાવવા જેવું જ સમજવું પડે ને ! મોંઢામાં કાગળનો ડુચો વળશે, પણ એમાંથી સરસ મજાનાં મસાલાથી ભરેલાં રીંગણનાં સમારિયાંનો સ્વાદ તો ક્યાંથી મળવાનો છે ! અહીં વળી એક કાવ્યપંક્તિ યાદ આવી જાય છે, ‘મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી’; જેને આમ ગાવાની ઇચ્છા થાય છે, ’મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યાં ‘Like’ બટનને જરી !’ ભલાં ગુર્જરભાંડુડાંઓ, કોઈને ખુશ થઈને ભલે ઈનામ ન આપો, પણ મફતના ભાવની તાળી તો આપી શકાય ને ! ‘Like’ બટન એ ટેકનોલોજિકલ તાળી જ છે ! વળી તમે બ્લોગધારક હશો અને તમારા બ્લૉગમાં તમારો ફોટો હશે તો ‘Like’ બટનની હારોહાર તમારા ફોટા સાવ મફતમાં ગોઠવાતા જશે અને બ્લોગરે ‘Like’ ની જાણકારી મેળવવા માટેની મેઈલનો વિકલ્પ પસંદ કર્યો હશે તો બ્લૉગ સર્વિસ પ્રોવાઈડર પેલા લેખકને ‘Like’ની મેઈલ મોકલી આપીને મેટ્રિક પદ્ધતિમાં કહીએ તો એમને પાંચસો ગ્રામ (જૂનો માનાંક ‘શેર’) લોહી ચઢાવશે !

અમે કેટલાંક મિત્રો એક હાસ્યબ્લોગે એકવાર એવાં તોફાને ચઢેલાં (બહેનો પણ ભેગી હતી !) કે પ્રતિભાવોમાં ટોળટપ્પા કરીને થોડાક સમયમાં તો એ સાઈટને ગરમલ્હાય કરી દીધેલી. પછી તો થયું કે લાવોને આપણે અંગત રીતે એ બ્લૉગ માટે કોઈ હાસ્યલેખકોને નિમંત્રીએ. અમારા નિમંત્રણને માન આપીને કેટલાક લેખકોએ સરસ મજાના હાસ્યલેખો આપ્યા પણ ખરા. પરંતુ પછી તો થોડાક સમય માટે પ્રતિભાવોમાં થોડીક મંદી (Recession) આવી અને પેલા લેખો પ્રતિભાવ વગરના કોરા જવા માંડ્યા અને એક લેખકે તો શિષ્ટાચાર(Protocol) ને ભૂલી જઈને અંગત મેઈલમાં એવી હૈયાવરાળ કાઢી કે ‘જોયા, જોયા તમારા વાચકો, એકેયમાં Sense of humor તો છે જ નહિ; આવા બ્લૉગ ઉપર અમારી સોનાની સાંકળને પાણીમાં શા માટે નાખીએ !’ મિત્રો, બધાંય ‘વેગુ’વાચકોને સમજાય એ રીતે આ વાત અહીં એટલા માટે મૂકી છે કે ‘બાપલિયાં, જો જો હાં, અહીં ‘વેગુ’ ઉપર અમારાં નિમંત્રણને માન આપીને આવતા વિદ્વાન લેખકો અમને સંચાલકોને એવું મહેણું ન મારી જાય કે ‘જોયા, જોયા તમારા વાચકો; એકેયમાં કામની કદર કરવાની અક્કલ તો છે જ નહિ !’ અને પછી નવ અને બેનો સરવાળો કરી દે ! ( ન સમજાયું હોય, તો તેનું હિંદી કરી દઉં કે ’નૌ ઓર દોકા જુમલા કર દેં !; હજુ ન સમજાયું હોય તો કહું કે ‘નવ અને બેનો સરવાળો અગિયાર કરી દે !’ હાશ, હવે સમજાયું હશે ખરું !!!)

‘વેગુ’મિત્રો, ‘જોયા, જોયા તમારા…’ લખતાં એના અનુસંધાને એક રમુજી ટુચકો યાદ આવ્યો છે; જેને અહીં નહિ મૂકું તો મારા લેખના ઉપરોક્ત લખાણમાંનો મારો રૂની પૂણીનો પ્રહાર કોઈને ઈજા પમાડી ગયો હોય તો તેમને રૂઝ નહિ વળે ! “શ્રીરામ અને સીતાજીના વનવાસ દરમિયાન સીતાજીની પતિસેવા જોઈને નરવાનરો પ્રભાવિત થયા અને માદાવાનરોને શિખામણ આપવા માંડ્યા કે ‘અલી વાંદરીઓ, જાઓ અને સીતામાતાને જોઈ આવો કે એ કેવાં ગુણિયલ છે અને પતિની કેવી સેવા કરે છે ! તમે લોકો તો એમાંનું કશું જ કરતી નથી !’ માદાવાનરોએ સીતામાતાને વચમાં ઊભાં રાખીને કેટલીયવાર સુધી તેમની ફરતે પ્રદક્ષિણા કરી અને ઝાડવાંઓ ઉપર પ્રતીક્ષા કરતા નરવાનરો પાસે જઈને કહ્યું, ‘જોયાં જોયાં, તમારાં સીતામાતાજી ! એમને પૂંછડી તો છે જ નહિ !’” આપ સૌ સમજદાર અને શાણા વાચકોને ‘વલદા’થી એવું થોડું કહેવાય કે ‘…. એટલા માટે જ તો ‘Like’નું બટન આપ્યું છે, ને !!!’

બ્લોગીંગમાંની પ્રતિભાવની વ્યવસ્થાને ગંભીરતાથી સમજવી પડશે અને લેખકોએ પણ માનસિક રીતે તૈયારી રાખવી પડશે કે All the times સારા પ્રતિભાવ ન મળે અને કોઈકવાર વાચકો દ્વારા તેમના કાન પણ ખેંચવામાં આવે અને ત્યારે પ્રત્યુત્તર આપવાની તેમની ફરજ પણ બની રહે. અપરિપક્વ લખાણના લેખકે સારા પ્રતિભાવોની અપેક્ષા રાખવી અસ્થાને છે. ઊલ્ટાનું એણે તો એમ ઇચ્છવું જોઈએ કે કોઈક એમની ખામીઓ બતાવે. જાહેરમાં એવી ટીકાટિપ્પણી ન ખમાય તેમ હોય તો અંગત મેઈલથી પણ જાણીજણાવી શકાય. સારા પ્રતિભાવો મેળવવા માટે લાંઘણ કરવી એ તો માગીને માન મેળવ્યા બરાબર ગણાય અને એવા માનનું મૂલ્ય પણ શું ગણાય ?

વાચકપક્ષે પણ એ અપેક્ષિત છે કે તેઓ પોતાના પ્રતિભાવોમાં લખાણની શિષ્ટતા જાળવે. બ્લોગ એ બુદ્ધિજીવીઓ અને બુદ્ધિશાળીઓ માટેના વિચારોના આદાનપ્રદાન માટેનું એક ફલક (Platform) છે; જ્યાં સૌએ ખેલેદિલીપૂર્વક વર્તવાનું છે, એકબીજાનાં માનસન્માનને જાળવવાનાં છે, તટસ્થ અભિપ્રાયો મુક્ત રીતે આપવાના છે, એને કુસ્તીનો અખાડો બનાવવાનો નથી ! અહીં એવું ન બને કે પેલા પ્રાચીન કવિએ ‘પશુમાં પડી તકરાર’ જેવું કોઈ વર્તમાન કવિએ લખવું પડે કે ‘બ્લોગરોમાં પડી તકરાર’ ! અહીં પ્રશંસાને સ્થાન છે, ખુશામતને નહિ; અહીં સ્પષ્ટવક્તાપણું આવકાર્ય છે, તોછડાઈ નહિ; અહીં જ્ઞાન, ગમ્મત, ચિંતન, અને મનનને અવકાશ છે, બાલિશતાને નહિ; અહીં વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાએ એકાદ કદમ આગળ વધવાનું છે, પીછે કદમ નહિ.

અનેક બ્લૉગરોને અનુભવ થયો હશે કે કોણજાણે કેટકેટલા અજનબી માણસો સાથેના તેમના સંપર્કો સંધાયા હશે અને મિત્રાચારીના અંકુરો ફૂટ્યા હશે, આ બ્લોગના માધ્યમ થકી ! અહીં ‘વલદા’ એમ કહે કે ‘એટલા બધા સંબંધો બંધાયા છે કે તેમનાથી એક નાનકડું ગામ સર્જાઈ રહે’ તો તેને અતિશયોક્તિ સમજતા નહિ. વલદાનું તારણ છે કે બ્લોગના માત્ર લેખન કે વાંચનથી સંબંધો બંધાતા નથી, કેમ કે એ તો બંને પક્ષે એક મૂક ક્રિયા માત્ર બની રહે છે; પ્રતિભાવના માધ્યમ દ્વારા જ સંબંધો બંધાય છે અને સાથેસાથે એ પણ ખરું કે વિવેકભાન ગુમાવાય તો સંબંધો વણસે પણ ખરા !

‘વલદા’ એ આ લેખમાં સાવધાની વર્તીને જે કહેવા ધાર્યું હતું તે કહી દીધું છે, કોઈની લાગણી ન દુભાય તેની તકેદારી પણ એણે રાખી છે, જે કંઈ લખાયું છે તે ‘વેબગુર્જરી’ પ્રત્યેના અહોભાવના કારણે જ તો; આમ છતાંય જાણેઅજાણે આજના આ લેખરૂપી કારેલાની કોઈ કડવાશ કોઈ વાચકની જીભને સ્પર્શી ગઈ હોય તો તેમની ક્ષમા પ્રાર્થીને ‘વલદા’ અત્રેથી વિરમે છે.

જય ગુર્જરી.

 

Tags: , , ,

(218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ (ક્રમશ:)

કસ્તુરીમૃગને ખબર નથી હોતી કે તેની પોતાની નાભિમાંથી જ કસ્તુરીની સુગંધ આવે છે અને એ બિચારું કસ્તુરીની તલાશમા પર્વત પર્વત, જંગલ જંગલ ભટક્યે જ જતું હોય છે. ગુમશુદા બાળકની શોધમાં બહાવરી બનીને દરબદર ભટકતી કોઈ ધુની માતાને એમ કહેવામાં આવતું હોય છે કે તેની કમરે તેડાએલું બાળક અન્ય કોઈનું નહિ, પણ તેનું પોતાનું જ છે! બસ, આવું જ થતું હોય છે મારા તમારા જેવા અનેકોના જીવનમાં કે તેમની સમસ્યાઓના ઉકેલ તેમની પાસે જ હોવા છતાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર તેની તલાશ અર્થે પરિભ્રમણ કર્યે જતા હોય છે. મારા આ કથન સંદર્ભે પ્રાચીન કવિ ધીરા ભગતની કૃતિ “તરણા ઓથે ડુંગર”ને ટાંકીશ જેનાથી મારા સુજ્ઞ વાંચકો સુવિદિત થશે કે ઘણીવાર માનવજીવનની કોઈ ડુંગરસમાન સિદ્ધિઓ કે વૈજ્ઞાનિક શોધસંશોધનો આડે એક ક્ષુદ્ર તણખલું માત્ર જ હોય છે અને તે સહજ રીતે જ દૂર થઈ જતાં પેલું મહત્વનું લક્ષ્ય જે અદૃશ્ય હોય છે તે દૃશ્યમાન થઈ જતું હોય છે.

તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાના મારા અસફળ પ્રયત્નો મારા વ્યસનની અર્ધી સદી ઉપરાંતની અવધિ દરમિયાન અવિરત ચાલુ જ રહ્યા. મારા ભાગ્યની વક્રતા ગણો કે જે ગણો તે, પણ હું તમાકુના વ્યસન આગળની મારી લાચારીના એક માત્ર અપવાદ સિવાય (આત્મશ્લાઘા જેવું લાગે તો માફી ચાહું છું!) મારા સમગ્ર જીવનકાળમાં દૃઢ નિશ્ચયબળે કોણ જાણે કેટકેટલાય સંઘર્ષોમાંથી ઈશ્વરકૃપાએ હું પાર ઊતર્યો છું. માનવીમાત્રમાં એકાદ એવી કમજોરી હોય જ છે અને મારા દુર્ભાગ્યે મને મારી આ કમજોરી સાથે પનારો પડ્યો. Read the rest of this entry »

 

Tags: , , , , , , , , ,

(213) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – ૨

‘હેલો, વલીભાઈ. વેબ કેમેરાથી અમે ત્રણેય જણ તમને દેખાતા હોઈશું જ. મારા ફોનનું સ્પીકર On છે. મારી પાસેના બે મિત્રોને ઓળખી લો. ‘રાત્રિ’ પણ તેમના ઘરેથી આપણી સાથે જોડાએલા છે. લ્યો, પૂછવાનું શરૂ કરો.’

‘ભાઈઓ, જરા તમારાં નામો જણાવશો?’

‘ના જી, અમારાં નામોથી આપને શું નિસ્બત? અમારાં કામથી જ અમને જાણી લો. હું છું Liar અને મારો જોડીદાર છે, Lawyer! મારું કામ ન મનાય તેવું જૂઠું બોલવાનું અને મારા પાર્ટનરે દલીલોથી તેને સાચું સાબિત કરી આપવાનું!’

‘પેલી દુનિયાભરની કોર્ટકચેરીઓ અને રાજકારણમાં થતું આવે છે તેવું જ કે?’

‘શું ‘રાત્રિ’ભાઈ બોલ્યા કે? હા, તો મિ. Liar, એક સેમ્પલ થવા દેશો કે?’

‘હા,હા. કેમ નહિ? ઈન્ટરવ્યુ તો છે. અમે સુરદાજીના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં એક પચાસેક ફૂટ ઊંચું ઝાડ જોયું, જેની ટોચ ઉપરનાં પાંદડાં એક બકરી ખાતી હતી!’

‘તમે આ વલદાને મૂર્ખ નહિ બનાવી શકો! તમારો Lawyer શું દલીલ આપવાનો હતો! હું જ કહી દઉં કે એ ઝાડ ઊંડા ખાડામાં ઊગેલું હતું! આ તમારું પહેલું જ સેમ્પલ મૌલિક નથી. અકબર બાદશાહના ત્યાં તમારો જ નાતીલો આ જૂઠ બોલ્યો હતો. તમે તો ભૂતકાળની વાત તમારા નામે ચઢાવો છો, કેમ સુરદા બરાબર કે?’

‘ભાઈ વલદા, આ વકીલજીને તો બોલવા દો! બોલો ભાઈ, તમારું શું કહેવું છે?’

‘જનાબ, મારે જે જવાબ આપવાનો હતો, તે જ વલદા અંકલે આપી દીધો છે! પણ તેમનો આક્ષેપ કે અમે ભૂતકાળની કોઈ વાતને અમારા વર્તમાન તરીકે ખપાવીએ છીએ, તેના સામે મારો સખ્ત વાંધો છે. હકીકતમાં તો પેલા બાદશાહવાળા જૂઠિયાએ તો ભવિષ્યમાં એટલે કે આજે અમે જે બોલવા જવાના છીએ કે બોલ્યા હોત તેને પોતાના વર્તમાનમાં ખપાવીને અમારા જ કોપીરાઈટ જેવા કલાકૌશલ્યને પોતાના નામે ચઢાવી દીધું છે, તેને તો તમે લોકો Clean Chit આપતા હો તેવું મને તો લાગે છે! તમને કદાચ ખબર નહિ હોય, પણ તેઓ બંને ત્રિકાળ જ્ઞાની હતા અને આ કોન્ફરન્સ જે ચાલી રહી છે, તેની પણ એ લોકોને ખબર જ હતી!’

‘માન ગએ, ભીરુ માન ગએ! બહોત ખુબ, બહોત ખુબ!’ Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , , ,

Time-pass Crazy Q&A

Click here to read in Gujarati
Questions are the keys of knowledge. Questions struck in minds have initiated many scientists to make inventions; for example, Isaac Newton and an apple. Philosophers have been able to answer many spiritual mysteries through questions. Students learn with questions and are tested also by questions in their examinations. What, when, how, why, where, who, how many are interrogative words put before questions. The answers of all these questions might be in single words from like’ yes’ or ‘no’ to sentences, paragraphs, chapters and even in volumes.

My today’s post is as my attempt to entertain you with some humor to refresh your minds and to establish that silly questions and their crazy answers have their own vital importance in human behaviors. I have come across such crazy questions by surfing on I-net, but here you will find some easy/silly questions with their crazy answers solely thought out by myself. In brief to say, they are not the recycling of any authors’ assets. Enjoy, my good Readers, and try to create such sets yourselves. I would like to read at least one such set of Q&A in the comment box by at least any one of my Readers just to break my suspicion of ability of mine only in this regard!

Q. What is the function of the nose?

A. To give support to spectacles!

Q. Why the fingers of a human hand are in number of five?

A. They are not in number of other than five, therefore they are five.

Q. What is the first, a hen or an egg?

A. Money of the buyer of a hen or an egg is the first.

Q. Have you missed any step of your stair and have stumbled down?

A. No, not a single! I have touched all the steps while stumbling down.

Q. Why is the earth round?

A. It has to take rounds to the sun and rounds on its axis also.

Q. How will you distinguish powders of salt and sugar?

A. By making tea or coffee using any one and see how it tastes.

Q. What will you do when you find that your lighter is not working to light your cigarette?

A.  I’ll purchase a match box to light my lighter to light my cigarette.

Q. From where the mall owners have learnt to advertise ‘Buy one, get one free’?

A. From the farmers! They sell their cows or buffalos with their young ones free of cost.

Q. Why do the waiters not strike wooden hammers on the dining tables at Restaurants and say ‘order’ ‘order’?

A. Because they are sitting in order, reading menus silently and consulting

with their companions in whispering voice what to order.

Q. Why do truck owners write ‘Horn please’ behind their vehicles?

A. To ask the followers to taste their horns whether they work.

Q. Why the sign ‘School – Drive slow’ is found near schools?

A. It may be to avoid accidents. But, teachers drive the school slow to catch the tuitions!

Q. Is it true to say that nothing is impossible in the world?

A. Wrong! Nobody can refill the paste manually once pressed out from the tube.

Q. Why ‘Silence please’ in hospitals is being written on walls?

A. But, they ignore the new born babies crying in maternity wards.

Q. Which is the bogus set of Q&A out of above 13?

A. Better to ask me which is not!!!

Summing up, I hope that you will agree with the answer of my last question with no any fear of breach of any protocol between a Blogger and a Reader! How nice to recognize and accept own limitations!

Have a good day or night whichever you are passing through!

– Valibhai Musa

 

Tags: , , , , , , , ,