RSS

Tag Archives: seldom

(419) Best of 5 years ago this month Feb., 2009 (22)

Click on

A thoughtful thought! – ‘Seldom’ such Posts (1)

A Grave Note on Shoe-missiles! – ‘Seldom’ such Posts (2)

– Valibhai Musa 

 
Leave a comment

Posted by on February 1, 2014 in 5 years ago, Article

 

Tags: , ,

એક વિચારશીલ વિચાર! – ‘જવલ્લે’ જ આવા લેખ (૧)

Click here to read in English
ઘણાં વર્ષો પહેલાં મેં કોઈક ગુજરાતી સમાચારપત્રમાં એક સમાચાર વાંચ્યા હતા કે ઈસ્તંબુલ (તુર્કી) ખાતે ‘બાળકોની શિસ્ત વિષયક વર્તણુંક પરત્વેનો માતાપિતાનો અભિગમ કે વ્યવહાર’ વિષય ઉપર એક આંતરરાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. ચર્ચામાં ભાગ લેનારા એક વક્તાએ સૂચન મૂક્યું હતું કે બાળકોને તેમની ગેરશિસ્તના પ્રસંગે ગુસ્સાના આવેશમાં આવીને શારીરિક શિક્ષા કરવાના બદલે તકિયાઓને લાકડી કે મુઠ્ઠીઓ વડે ઝૂડવા કે ખંખેરવા જોઈએ. મારા વાંચકો હળવું સ્મિત કરશે અને હું પણ કરી રહ્યો છું, પણ આ સૂચનમાં થોડુંક તથ્ય છે તો ખરું! અહીં ગુસ્સાની અભિવ્યક્તિ અને બાળકની સ્વમાનરક્ષા વચ્ચેનો મધ્યમ માર્ગ છે. ઉપાય મજાનો, પણ સાથેસાથે મૂર્ખાઈભર્યો પણ છે. જ્યારે આપણે સજા કરવા તકિયાને ફટકારતા હોઈએ ત્યારે, તોફાની બાળક તેના દાંત કાઢ્યા વિના રહેશે નહિ.

ઉપરોક્ત સૂચન ઉપરનું મારું ચિંતન મને પ્રોત્સાહિત કરે છે કે હું તેને એવી રીતે સુધારું કે બાળકોના બદલે તકિયા ઝૂડવા એના કરતાં તેમને તકિયા જ મારવા જોઈએ, એ શરતે કે તે નરમ હોય અને તેમને કોઈ ઈજા ન પહોંચે. આનાથી માતાપિતાના ગુસ્સાનું શમન થશે અને બાળકો વિચારશે કે તેમને સજા કરવામાં આવી. આમ તકિયો એ મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ જેવા અહિંસાત્મક શસ્ત્ર તરીકેનું કામ કરશે! શૈક્ષણિક સંસ્થાઓએ તેમના શિક્ષકોને અન્ય શૈક્ષણિક સાધનોની જેમ તેમને તકિયા પણ ન પૂરા પાડવા જોઈએ? માબાપને આ ખાસ સુવિધા પૂરી પાડવી જરૂરી નથી, કેમ કે તેમની પાસે તો તેમનાં ઘરોમાં તકિયા હાથવગા હોય જ.

Read the rest of this entry »

 

Tags: , , , , , , ,

પગરખા પ્રક્ષેપાસ્ત્ર (મિસાઈલ) ઉપર એક ગંભીર નોંધ – ‘જવલ્લે’ જ આવા લેખ (૨)

Click here to read in English
પ્રાચીન સંસ્કૃતિના આધારલેખો પગરખાં વિષેના ઘણા સંદર્ભો દર્શાવે છે. અસંખ્ય પુરાવાઓ એ સાબિત કરી આપે છે કે શા માટે અને કેવી રીતે આપણા પૂર્વકાલીન પૂર્વજોએ હાલમાં વપરાતાં પગરખાં જેવા વૈકલ્પિક ઉપાયો જેવા કે જાડાં અને મોટાં પાંદડાં અથવા મરેલાં પ્રાણીઓનાં ચામડાં પગતળિયે લપેટવાં કે પછી લાકડાની પાદુકાઓ (ચાખડીઓ)પહેરવી વગેરે પ્રયોજ્યા હતા. આ ઉપાયો માટેનાં કારણો આજના જેવાં એ જ હતાં કે આશ્રય અને ખોરાક માટે ભટકતું જીવન ગાળતા આપણા આદિ માનવો પોતાનાં પગનાં તળિયાંનું અણીદાર પથ્થરો, કાંટાઓ, કાદવકીચડ કે બળબળતી રેતીથી રક્ષણ કરી શકે.

તાજેતરમાં પગરખાંના ઉપભોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને તેનો અસ્ત્ર (મિસાઈલ)તરીકે તથા વિરોધ પ્રદર્શિત કરવાના પ્રતીક તરીકે ઉપયોગ થવા માંડ્યો છે! અમેરિકી પ્રમુખ મિ. જ્યોર્જ બુશ જ્યારે ઈરાકના વડા પ્રધાન મિ. નૂરી અલ-માલિકી સાથે ડિસેમ્બર ૦૮, ૨૦૦૮ ના દિવસે બગદાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા,ત્યારે અચાનક મુન્તઝર અલ-ઝૈદી નામના પત્રકારે તેમના તરફ તેના જોડા ફેંક્યા હતા. વળી એ જ ઘટના પછી, ફેબ્રુઆરી ૦૩, ૨૦૦૯ના રોજ એક વિરોધ પ્રદર્શનકારી (નામ જાણવા મળ્યું નથી)એ ચીનના વડાપ્રધાન મિ. વેન જિઆબો (Wen Jiabao)ને કેમ્બ્રીજ યુનિવર્સિટી (યુ..કે.)માં ગાળો ભાંડી હતી અને તેમના તરફ પગરખું પણ ફેંક્યું હતું.

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , ,

ખરેખર દીવાનું કોણ છે? – ‘જવલ્લે’ જ આવા લેખ (૩)

Click here to read in English
આજે આપ સૌ સમક્ષ હું મારા ઉપરના શીર્ષકે દર્શાવેલ “જવલ્લે જ આવા લેખ” હેઠળ ત્રીજા આર્ટિકલ સાથે ઉપસ્થિત છું. અહીં આ વિભાગમાં તમે ખાસ પ્રકારના વિષયોને જોઈ શકશો, જે અંગે હું માનું છું કે મારા વાંચકો તેમના તરફ કંઈક વિશેષ ધ્યાન આપે. મારા નિયમિત વાંચકો તો સારી રીતે જાણે છે કે બ્લોગના મારા આ ફલક ઉપર હું જે કંઈ આપું છું, તે બધું હંમેશાં વાંચવા લાયક જ હોય છે અને તેમાં કંઈ ખાસ કે સામાન્ય એવું અલગ હોતું નથી; પરંતુ કોઈ ખાસ આર્ટિકલ ઉપર ભાર મૂકવાનો હોય, તેમને જ આ શ્રેણીમાં વર્ગીકૃત કરું છું.

મારા વિષયપ્રવેશ પહેલાં, હું ઈસ્લામના પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.) પ્રત્યક્ષ ઉપસ્થિત હતા તેવા એક પ્રસંગને વર્ણવીશ. એક વાર આપ હજરત સાઉદી અરેબીયાની એ વખતની રાજધાની મદીનાના જાહેર માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં ભરચક બજારની જગ્યાએ કેટલાક માણસોનું એક ટોળું એકત્ર થએલું હતું. ટોળાની વચ્ચે એક દીવાનો માણસ ચેનચાળા કરી રહ્યો હતો. લોકો એ દૃશ્યથી આકર્ષાઈને ટોળે વળ્યા હતા અને પેલા માણસની મજાકમશ્કરી કરતા હસી રહ્યા હતા. પયગંબર સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘તમે ખરેખર દીવાનો માણસ કોણ છે એ જાણવા માગો છો?’ બધા એકદમ શાંત થઈ ગયા અને ધ્યાનથી અને માનપૂર્વક આપને સાંભળવા માંડ્યા. આપે ફરમાવ્યું, ‘કોઈ માણસ એવો હોય કે જે અભિમાનપૂર્વક ચાલતો હોય અને સતત પોતાના તરફ જ ધ્યાન આપતો હોય! તે એવો હોય કે પોતાના બંને ખભા તરફ પોતાના બદનને હલાવ્યે જતો હોય! તે પોતાની જાતને જ પ્રદર્શિત કરતો હોય અને બીજાને જોતો સુદ્ધાં ન હોય; તદુપરાંત પોતાના સિવાય અન્ય કોઈ વિષે વિચારતો પણ ન હોય!. તે એવો માણસ હોય કે જેનાથી લોકો ભલાઈની કોઈ અપેક્ષા ન રાખતા હોય અને ઊલટાના લોકો તેની હરકતોથી સલામત ન હોય! આવો માણસ જ ખરેખર દીવાનો છે. તમે હમણાં જેને જોયો તે માણસ દર્દી છે, માનસિક રોગનો દર્દી છે.’

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,