RSS

Tag Archives: Short story

My better-half, a story (Gujarati) [મારી કાન્તા]

It is a matter of worth mention that I have occasionally posted some Gujarati Articles with ‘pdf’ attachments being scanned ones. Now, I have great pleasure torepresent a Gujarati Short Story following to this preamble directly. While going through the old collection of my literary work, I found out this one which was incomplete and requirededitingalso. You might have observed previously that I don’t hesitate to mention how any story of mine has taken its shape with what intuition behind it. Just to maintain your curiosity and preservesuspense of the story, I’ll keep mum here. Now, please, go further and enjoy:


મારી કાન્તા

સંસ્કૃત વિદ્વાન મમ્મટે કવિતાનાં પ્રયોજનો વર્ણવતાં દર્શાવ્યું છે કે કવિતા એ કાન્તાની જેમ ઉપદેશ આપનારી હોય. મમ્મટે અહીં આદર્શ કાન્તાને લક્ષમાં લીધી લાગે છે,અને તેથી જ તેના મતે કડવા ઉપદેશને મિષ્ટ વાણીમાં ઘોળીને પાઈ દેનારી કાન્તાસમી કવિતા હોય. નરી ઉપદેશની વાતો કવિતાની કલાની વિષકન્યા સમી બની રહે.

 હું કવિતાનાં પ્રયોજનોની ચર્ચા કરવા નથી માગતો, કારણ કે ખુદ મમ્મટે અને કેટલાય કાવ્યમીમાંસકોએ એ કાર્ય બજાવ્યું છે. હું તો કાન્તાનાં પ્રયોજનો વિષે જ ચિંતન કરી રહ્યો છું. વળી આ ચિંતન કાલ્પનિક નથી, પણ સાચે જ આદર્શ લક્ષણોનો યોગ મારી કાન્તામાં થએલો છે. મારી કાન્તાને લગ્નથી માંડીને આજ સુધી અવલોકી છે. અહીં કરવામાં આવતું તેના ગુણોનું નિરૂપણ એ કંઈ મારી કાન્તાનો પ્રચાર નથી કે મારા સુખી દાંપત્યજીવન વડે દુખિયાઓ સામેનો કોઈ ઉપહાસ પણ નથી! હું મારી કાન્તાના ગુણોનું આલેખન એટલા માટે કરી રહ્યો છું કે જેથી પરિણીત કે અપરિણીતસ્ત્રીઓ મારી કાન્તાના ગુણોમાંથી એકાદનું ગ્રહણ કરે,તો પણ તેમના સંસારને મધુર બનાવી શકે.

તો આ રહી એ મારી કાન્તા!

મારી કાન્તા પ્રત્યેક ક્ષણે મિષ્ટ વાણીમાં મને ઉપદેશ આપે છે. મારી એક જ પ્રકારની ભૂલોની હજારો પુનરાવૃત્તિઓ ટાણે એના એ જ સ્મિત વડે મને સન્માર્ગે દોરે છે. તપસ્વીઓ જ પ્રાપ્ત કરી શકે તેવી આ સિદ્ધિ મારી કાન્તાએ હસ્તગત કરી છે. રોજિંદા જીવનવ્યવહારની નાનીમોટી મારી ક્ષતિઓ ટાણે મારી કાન્તા હકારાત્મક પ્રશ્નાર્થસૂચક ટકોર એવી કમનીયતાથી કરે છે કે એ મને અતિ મિષ્ટ લાગે છે. વળી એવી ટકોર સાંભળવા ખાતર જ એવી ભૂલો અસંખ્યવાર કરવા હું લલચાઉં છું. મારી કાન્તા મારી કપડાં પહેરવાની ઢબ, ભોજનરીતિ, રહનસહન, ઊંઘવાજાગવા, હરવાફરવા કે વાક્-વિનિમય એવા પ્રત્યેક પ્રસંગે મિષ્ટ ઉપાલંભ આપતી સ્મિતને પોતાના ચહેરાથી જરાય અળગું કરતી નથી.

 

કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વના જમા પાસામાં હોય છે, તેનો સ્વર; મારી કાન્તાનો સ્વર રૂપાની ઘંટડી સમો છે તેમ કહેવું ચીલાચાલુ લાગશે,પરંતુ તેથીયે વિશેષ કહું તો તેના મુખમાંથી નીકળતોપ્રત્યેક શબ્દ મારા કર્ણખંડની દિવાલોમાં કેટલાય સમય સુધી ગુંજ્યા કરે છે. આ ગુંજન મારા હૃદયતલને હચમચાવી દે છે અને પ્રત્યેક ક્ષણને મધુરજનીની એ દિવ્ય ક્ષણો સમા રસથી રસી દે છે. વળી ઉચ્ચારણ વખતે થતો તેના ઓષ્ઠનો આરોહઅવરોહ, દંતપંક્તિની સંતાકૂકડી અને તેની જિહ્વાનું હલનચલન એવાં નમણાં અને મનમોહક બની રહે છે કે મારાં નેત્રો એ સૌંદર્યને પામવા જતાં મારી કર્ણેન્દ્રિયને નિષ્ક્રિય બનાવી દે છે, પરિણામે તેણે અવાજનો શો રણકાર કર્યો તેનો ખ્યાલ સુધ્ધાં પણ રહેતો નથી.

મારી કાન્તાનું સૌંદર્ય પરાકાષ્ઠાને પામે તેવું તો નથી, પણ જે કંઈ છે તે મારા મનને અવશ્ય ભાવે છે. મારે મન સૌંદર્ય એ ગૌણ બાબત છે. સંસ્કાર, શીલ અને ચારિત્ર્ય એ જ મારી કાન્તાનું સાચું સૌંદર્ય છે. તેનો વાન ગૌર નહિ, પણ સાધારણ શ્યામ છે. પ્રમાણસરના અવયવો તેના ચહેરા ઉપર એવા સ્થિત છે કે બધા પોતપોતાના સ્થાને શોભી ઊઠે છે. મારે આવા કે તેવા પ્રકારનાં નાક, કાન કે ચક્ષુઓની કોઈ અપેક્ષા સેવવી નથી પડી. વળી આ અપેક્ષાનો કોઈ માપદંડ પણ હજુ સુધી મને લાધ્યો નથી. મારો માપદંડ માત્ર એ જ કે પ્રથમ નજરે હૃદયમાં ઊતરી જાય તેવું ચહેરાનું સૌંદર્ય હોય. કોઈ પણ કલા કે સૌંદર્યને આખરે તો અખંડ જ નીરખી શકાય. કાન્તાના ચહેરા વિષેનો કોઈ સ્પષ્ટ ખ્યાલ મારી પાસે નથી અને કદાચ કોઈની પાસે નહિ હોય. માની લો કે ખુદ વિધાતાકોઈને માટીનો પિંડ આપીને એમ કહી દે કે બનાવી લે તારી કાન્તા આ પિંડમાંથી, તો હું નથી માનતો કે કોઈ તેમ કરી શકે! પોતે ચહેરો કંડારવા બેસે તો મને લાગે છે કે મસ્તકનો ગોળ ભાગ તૈયાર કરીને બેસીજ રહેવાનો સમય આવે! ચહેરાના સ્પષ્ટ ખ્યાલ વિના કામ કેવી રીતે આગળ વધી શકે! આમ મારી કાન્તાના ચહેરા વિષે હું માત્ર એટલું જ કહી શકું તેમ છું કે, ‘શી ખબર! કોણ જાણે,પણ મને તેનો ચહેરો જોવો ખૂબ ગમે છે! જોયા કરું, બસ જોયા જ કરું!

મારું હૃદય અને મારી કાન્તાનું હૃદય અમારાં બંનેનાંશરીરોમાં અલગઅલગ હોવા છતાં અમારી સુખશય્યામાં અમે ધબકાર તો એકસરખો જ અનુભવીએ છીએ,જાણે કે એક જ હૃદયધબકતું ન હોય! મારાં પ્રત્યેક સંવેદનોની અસર એનું હૃદય પણ ઝીલે છે. મારા હર્ષ ટાણે એને હર્ષ થાય છે,મારી વ્યથા ટાણે એ વ્યથા અનુભવે છે. અમારાં મનોમંથનો,અમારાં સ્પંદનો, અમારાઆઘાતો અને પ્રત્યાઘાતો,અમારી વેદનાઓ,અમારા ઉલ્લાસો, અમારી આશાઓ, અમારી નિરાશાઓ સર્વ સહિયારાં બની રહે છે.

મારી કાન્તા એ માત્ર સૌંદર્યની પૂતળી બની રહીને મારા શયનખંડની શોભા માત્ર જ બની નથી રહેતી, તે રાંધણકલામાં પણ પાવરધી છે.અમારું રસોડું એ પણ સ્વર્ગીય વાનગીઓ સર્જે છે. મને ઈષ્ટ વાનગીઓ એને ઈષ્ટ હોય છે. મારે કદીય કહેવું નથી પડતું કે ભોજનની થાળીમાં અમુક વાનગીઓ હોય કે પછી વાનગીઓમાં અમુક સ્વાદ હોય. તેની બનાવેલી રસોઈ એટલી આદર્શ હોય છે કે મારે કદીય કોઈ ફરિયાદ નથી હોતી. રસોઈનું સમયપત્રક મારા મનમાં હોય છે અને તેને વાંચવા માટે તેની પાસે દિવ્ય ચક્ષુ છે.

વસ્ત્રપરિધાન કલામાં મારી કાન્તા એવી પારંગત છે કે મારે એ નથી કહેવું પડતું કે અમુક સાડી સાથે અમુક બ્લાઉઝ મેચ થશે. અરે! એના વસ્ત્રપરિધાન માટે તો ઠીક,પણ મારા વસ્ત્રપરિધાન માટે પણ તેની પાસે સૌંદર્યસૂઝ છે. મારાં કપડાં માટેના કાપડની ખરીદી, કપડાંની સિલાઈ, ધોલાઈ સર્વ બાબતો પરત્વે એટલી બધી જાગૃત છે કે રહી રહીને મને એક શંકા થયા કરે છે કે તે સંભવિતપૂર્વજન્મમાં કોઈ વરણાગિયો પુરુષ તો નહિ હોય! તેની કેશગૂંફનની કલા વિષે તો કહેવાનું જ શું હોય! એની એ કલા મારી દૃષ્ટિથી એટલી તો પરિચિત છે કે ગમે તે પ્રકારે તેની કેશગૂંથણી થએલી હોય્,પણ મારી દૃષ્ટિને માટે તો તે ફાઈનલ જ હોયછે! ઘરની સજાવટ માટે મારી સમજાવટની તેને જરૂર પડતી નથી. સર્વ ચીજો યથાસ્થાને યથોચિત જ હોય છે.

મારા શોખ અને મારી અભિરુચિઓની એ હંમેશા સહભાગી રહી છે.સાહિત્યકલામાંનો એનો મને મળતો સથવારો ખરેખર અનન્ય છે. જગત આખાયને મારાં સર્જનોથી આંજી દેવાની દિવ્ય પ્રેરણા મને તેના સાન્નિધ્યમાંથી સાંપડી રહે છે. મારી પ્રત્યેક કવિતા, પ્રત્યેક વાર્તા કે નવલકથામાં બસ એ જ હોય છે, એ જ હોય છે.આ કાવ્યમાં આમ હોત તો,આ વાર્તાની નાયિકાને આમ ઉપસાવી હોત તો, આ નવલકથાનો અંત તે રીતે હોત તોવગેરે જેવાં સૂચનો કરતી, મારાં સર્જનોની મુદ્રણ માટેની નકલો કરી આપવા ઉપરાંત જોડણીમાં ખૂબ કાચા એવા મારા માટે તે સાચી જોડણીઓ પણ કરી આપે છે. મોતીના દાણા જેવા અક્ષરો વડે મારાં સર્વ સર્જનોના ઉતારા કરી આપતી મારી કાન્તા મારા સાહિત્યક્ષેત્રે મારી છાયા સમી બની રહે છે.

આમ મારી કાન્તા એ મારી આસપાસ ભિન્ન ભિન્ન પરિસ્થિતિએ સરખા અંતરે રહેતા વર્તુળના પરિઘ સમી બની રહે છે. હું કેન્દ્રસ્થાને સ્થિત હોઉં છું અને તે નાનાંમોટાં વર્તુળો રૂપે મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી હોય છે. મારી કાન્તાને મારા ઉપરાંત બીજાં ગૌણ બિંદુઓને પણ પોતાના પરિઘમાં સમાવવાં પડતાં હોય છે. આ બધાં બિંદુઓ છે, મારાં માતાપિતા, અમારાં સંતાનો. આ સૌની તે સાથે સૌજન્યપૂર્ણ વ્યવહારથી વર્તે છે. મારાં માતાપિતા પ્રત્યે મારા જેટલી જ તેના દિલમાં ભક્તિ છે. મારા મિત્રો, મારાં સ્નેહીઓ પણ મારી પાસેથી જેટલો પામી શકે તેટલો જ આદરસત્કાર તેની પાસેથી પામે છે. અમારાં બાળકોનો ઉછેર પણ આદર્શ ઢબે થાય છે. બાળમનોવિજ્ઞાનને તો જાણે ઘોળીને પી ગઈ હોય તેમ તેમના ચારિત્ર્યઘડતરમાં મારે કંઈ કહેવું તો નથી પડતું, પણ ઊલટાનું બાળકો પ્રત્યેના મારા કઠોર વર્તાવ ટાણે મને માર્ગદર્શક બની રહે છે. આમ મારાથી કોઈકવાર દૂર તો કોઈકવાર નજીક રહેતી એવી મારી કાન્તા અને હું બેમાંથી એક અને એકમાંથી બે એમ થતાં રહીએ છીએ.

હું નથી ઈચ્છતો કે તે સદાકાળ મારા ઉપર જ છવાએલી રહે. મારે પણ કેટલાંય સામાજિક અને આર્થિક કારણોસર બહારના જગતમાં આથડવાનું હોય છે. આવા ટાણે તે મને કદીય અવરોધરૂપ નથી બનતી. તેણે મને કદીય પત્નીઘેલો કે મોહાંધ બનવા નથી દીધો કે જેથી હું મારી જવાબદારીઓ પ્રત્યે દુર્લક્ષ સેવું. આવી કોઈક ક્ષણોમાં તેણે એક યા બીજી યુક્તિ કે પ્રયુક્તિ વડે મને સજાગ અને સભાન રાખ્યો છે.

હજુ તો મારી કાન્તા વિષે ઘણું બધું કહી શકું એમ છું! કેમ ન કહી શકું? એ મારી વાસ્તવિક કાન્તા થોડી છે! અતિશયોક્તિની પણ કોઈક હદ હોય તો ખરી ને!

તો પછી!‘, તમે પૂછી બેસશો.

તો મારોજવાબ છે, ‘એ તો છે મારી સ્વપ્નકાન્તા!

વલીભાઈ મુસા

તા.૦૧-૦૪-૨૦૦૮

 
1 Comment

Posted by on April 6, 2008 in લેખ, gujarati

 

Tags: , , , , , ,

Lottery (લૉટરી)

Click here to read Preamble in Gujarati
In the western countries, the Government Lotteries are very popular among the people. The revenue from the Lotteries is utilized for the welfare of the state or the country. The Lottery players can win the cash prizes in a very huge amount and be wealthy overnight. At the same time, over-playing of Lotteries may prove to be wastage of money also and be the cause of financial troubles.

Here, you will find my Gujarati story related to the Lottery. The theme is based on reality. When I was in States in 1994, I had happened to see the character (the name is changed) of my story at my friend – Mr. Jafferbhai’s store. I heard about the fellow interestingly when he left. This data was stored in my mind and took shape of the story later on.

Every deed is always an outcome of a reason. No reason, no deed ! Deed may be good or bad as the reason may be. Some deeds are for the sake of the deeds and cannot fall in any of the above categories. The definition of good or bad varies as per the angle of seeing or thinking of a particular person.  The same deed looks good to one and bad to the other. This simple but somewhat complicated issue of human nature is interwoven in my story.

I remember a Gujarati poem of my study days. The poet was most probably Ramneeq Araalwala and the poem was Gujarati titled “Drushtibhed” i.e. variable angles of seeing. Many examples were illustrated to conclude the definition of happiness and gloomy. The poet verdicts at the end that these outcomes of happiness and gloomy depend on the angles of viewing the situation by the viewer. I’ll quote only one example from the poem. That is of a night of full moon. People who are happy and living with their beloved ones enjoy the night happily, but those who are miserable, away from their beloved ones and thieves also hate this night. Night is the same, but the angles of seeing are different, the situations are different and the people are different. Lastly, the poet concludes the poem by saying that happiness and gloomy are created by the human, but nature is always neutral. It has no concern with what impacts or effects fall on the various people. It is the nature of the nature to flow on and on in its own way at its own will.

Welcome and go further to understand the philosophy discussed above.

– Valibhai Musa
Dtd. 18th June, 2007

લૉટરી

‘ઓ માય ગોડ ! આઈ કાન્ટ બિલીવ !’ના હૃદયદ્રાવક ઉદગાર સાથે મારિયાના હાથમાંથી બંડલ સરકીને ફ્લોર ઉપર પડી ગયું. પછી તો તે બહાવરી બનીને કબાટના પ્રત્યેક ખાનાને ફંફોસી વળી. તેના પગ આગળ એવાં જ બંડલોનો ઢગલો થતો રહ્યો. કબાટને યથાવત્ રાખીને રાડ પાડતી મારિયા પાસેની ઇઝીચેર ઉપર ઢગલો થઈને ફસકી પડી. હીબકાં ભરતી ચોધાર આંસુએ મારિયા હૈયાફાટ રડવા માંડી.

આજે વહેલી પરોઢે જ્યારે જ્યોર્જ હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો હતો, ત્યારે તેની પાંપણો પણ ભીની થઈ ન હતી. ચર્ચયાર્ડમાં તેની દફનવિધિ વખતે પણ તે જ્યોર્જની ત્રાહિત વ્યક્તિની જેમ શૂન્યમનસ્ક ઊભી રહી હતી. સ્નેહીજનો શિષ્ટાચાર ખાતર મારિયાનો હાથ દબાવીને, ખભા ઉપર હાથ મૂકીને કે પછી મસ્તક ઉપર હાથ પસવારીને સૌ કોઈ શબ્દો દ્વારા અથવા મૌન રહીને દિલાસો આપતાં હતાં, તે વખતે મારિયાને આવાં કૃત્રિમ કે વાસ્તવિક આશ્વાસનોની જરૂર ન હતી; કેમ કે તે રૂઢિચૂસ્ત અને ધર્મપરાયણ સાચી અમેરિકન મહિલા હતી.

જીવન-મૃત્યુ, હર્ષશોક, અમીરી-ગરીબી, તંદુરસ્તી-બીમારીકે જીવનના કોઈપણ ચઢાવઉતારને પ્રભુની ઇચ્છા સમજનારી સ્થિતપ્રજ્ઞ આ મારિયાને કબાટ પાસેનાં લૉટરીની ટિકિટોનાં બંડલોના ઢગલાએ એવી તો અકળાવી દીધી હતી કે હવે તેના રૂદન ઉપર પોતાનો કોઈ કાબૂ રહ્યો ન હતો. દિવસભર જ્યારે તેને આશ્વાસનની જરૂર ન હતી, ત્યારે તે ફરજ બજાવનારાં ઘણાંબધાં હતાં. પરંતુ હાલ જ્યારે તેને લાગેલા આઘાતમાંથી ઊગરવું છે, ત્યારે સૂમસામ બંગલામાં પોતે અને પોતાના રૂદનના પડઘા સિવાય કોઈ ન હતું. દૂરદૂરનાં અલગ અલગ સ્ટેટમાં પોતપોતાનાં પરિવારો સાથે રહેતાં દીકરા-દીકરીઓનાં આગમન તો હવે આવતી કાલથી શરૂ થશે. શું ત્યાં સુધી પોતે રડ્યે જ જવાનું કે પછી આપમેળે જ ચૂપ થઈ જવાનું !

પરંતુ મારિયા પોતાના જ આશ્ચર્ય વચ્ચે અચાનક રડતી બંધ થઈ ગઈ. આમ થવામાં મારિયાનું પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું સોશિઅલ સાયન્સીઝની વિવિધ વિદ્યાશાખાઓનું વાંચન સહાયરૂપ બન્યું.

મારિયાના ચિત્તે ચિંતનનાં સોપાનો ચઢવાનું શરૂ કર્યું. પ્રથમ સોપાને તેણે ભયના સંવેગ વિષે વિચારવા માંડ્યું. તેને રાજનીતિના એક પ્રચલિત સૂત્રની યાદ આવી ગઈ કે ‘ભય વિના પ્રીતિ નહિ’. રાજાશાહી કે સરમુખત્યારશાહી શાસનપ્રથામાં શાસકનો ભય પ્રજાને અનુશાસનમાં રાખે. લોકશાહીમાં પણ હળવી માત્રામાં આ જ નિયમ લાગુ પડે. પણ…પણ પ્રજાને ક્યાં સુધી ભયભીત રાખી શકાય ? ભયનું સાતત્ય ભય પામનારને કોઈક એવી પળ સુધીમાં તો એવી સ્થિતિ ઉપર લાવી દે કે પોતે ભય સામે બાથ ભીડવાની ક્ષમતા ધારણ કરી લે. પરંતુ આ તો થઈ દુન્યવી રાજ્યવ્યવસ્થાના ભિન્નભિન્ન પ્રકારોની વાત કે જ્યાં ભય ઉપર નિર્ભયતા કદાચ જીત મેળવી પણ લે !

મારિયાના ચિંતને રાજ્યશાસ્ત્ર તરફથી ધર્મશાસ્ત્ર તરફ વળાંક લીધો અને વિચારવા માંડી કે ‘પરંતુ એકમાત્ર સામ્રાજ્ય એવું છે કે જ્યાં ભયનો ભય સદા પ્રજ્વલિત જ રહે છે, કદીય ઠંડો નથી પડતો ! એ છે પ્રભુનું સામ્રાજ્ય ! ઈશ્વર એ તો સમ્રાટોનો સમ્રાટ, શાસકોનો શાસક, પોતાનાં પ્રત્યેક સર્જનોનો સર્જક; પણ પોતે તો સ્વયંભૂ જ ! ધાર્મિક વૃત્તિવાળા લોકો ડરતા હોય છે, ઈશ્વરથી; અને જે ઈશ્વરથી પણ નથી ડરતા, તે ડરતા હોય છે, મૃત્યુથી ! જો કે ઈશ્વર તો કૃપાળુ છે, કોઈને ડરાવે શાનો ! પરંતુ ધર્મશાસ્ત્રોમાં માનવીઓને ઈશ્વરથી અને મૃત્યુથી ડરવાનું પ્રબોધાયું છે.’

મારિયા જ્યોર્જના રિડીંગરૂમના કબાટ પાસેના નિષ્ફળ લૉટરીની ટિકિટોના ઢગલાને ટ્યુબલાઈટના ઝળહળતા પ્રકાશમાં જોઈ રહી અને વિચારવા માંડી કે, ‘જ્યોર્જ તેમના ચારચાર દાયકાના દાંપત્યજીવન દરમિયાન કાં તો ઈશ્વરથી ડર્યો નથી કે પછી મૃત્યુથી પણ ડર્યો નથી ! જો ડર્યો હોય તો માત્ર પોતાનાથી એટલે કે મારાથી, મારિયાથી !’

‘અરરર… જ્યોર્જે મને કેવા સ્થાને બેસાડી દીધી ! પોતાના મૃત્યુથી અને સૌના ઈશ્વરથી પણ ઉપર ! મારાથી ડરીને, મને અંધારામાં રાખીને, ચોરીછૂપીથી મને ગંધ પણ ન આવે તેવી રીતે આટઆટલાં વર્ષો સુધી લૉટરીનો જુગાર ખેલતો રહ્યો ! માન્યામાં આવતું નથી ! એ જાણતો હતો કે મારિયાને હરામની કમાણી ખપતી નથી ! એને ખબર હતી કે અમારું હંગેરીઅન ભાષાનું દૈનિક સમાચારપત્ર લૉટરીનાં પરિણામો ન છાપવાના કારણે બહોળો ફેલાવો ન પામી શકતાં વેચી દેવું પડ્યું હતું. વાચકોની વિનંતિઓ સામે મેં મચક આપી ન હતી. જ્યોર્જે મારા પ્રત્યેના પ્રેમના કારણે કે પછી મને રાજી રાખવા મારી વાત સાથે સંમત થયો હતો. જો તેનું સાચા દિલનું સમર્થન હતું, તો પછી તેના વર્તનમાં આમ કેમ બન્યું !’

મારિયા મુંઝવણમાં મુકાઈ ગઈ કે, ‘આજે જ અવસાન પામેલા જ્યોર્જને તેના આ ગુનાહિત કૃત્ય બદલ ધિક્કારવો કે પછી તેની દયા ખાવી ! તેના અનૈતિક કૃત્યથી મારી લાગણીને ભલે ઠેસ પહોંચી હોય, પણ આ અપવાદ સિવાય જીવનભર તેણે સુખ કે દુ:ખમાં ખરા દિલથી મને ચાહી છે; તો તેનો તિરસ્કાર તો કેવી રીતે કરી શકું ! વળી એ પણ તેના મૃત્યુ પછી ! જે થયું તે બદલી શકાય તેમ નથી, તો શા માટે મારે તેના આત્માને વ્યથિત કરવો !

જ્યોર્જ હયાત હોત અને આ ભંડો ફૂટ્યો હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવત ! મારિયાએ સહૃદયતાપૂર્વક જ્યોર્જને માફ તો કરી દીધો, પણ તેની જિજ્ઞાસા વધી પડી એ જાણવા માટે કે તેનામાં આ નકારાત્મક વલણ ક્યારથી અને કેમ દાખલ થયું ! જ્યોર્જના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ માટેની મારિયાની ઉત્કંઠા વધી ગઈ. સમગ્ર પ્રકરણને સંતાનોથી છુપાવવાના બદલે તેમના જ સહકારથી જ્યોર્જની આ આદતના સમયગાળાને શોધી કાઢવાનું માર્યાએ વિચાર્યું. લૉટરીનાં બંડલો ઉથલાવવાથી જૂનામાં જૂની તારીખ મળી જવાની આશા બંધાઈ. વળી કોઈ ટિકિટોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોય તો જે તે લૉટરીવિક્રેતા પાસેથી જ્યોર્જ તેમનો કેટલા સમયથી ગ્રાહક હતો તે જાણવું સરળ હતું. મારિયા મનોવૈજ્ઞાનિક પરિભાષામાં જાણવા માગતી હતી કે દશેક વર્ષ પહેલાં તેમનું અખબાર વેચાઈ ગયા પછી જ્યોર્જ લૉટરીના રવાડે ચઢ્યો હતો કે તે પહેલાંથી જ તેની લત હતી. જો પહેલેથી જ તેમ હોય, તો મારિયાએ વિચાર્યું કે, ‘તો દાદ દેવી પડે તેની દિલી મહાનતાને અને સાથેસાથે તેની ચતુરાઈને કે જેણે પોતાની બૉડી લેન્ગવેજથી પણ મને આ વાતનો અણસાર સુદ્ધાં ન આવવા દીધો!’

મારિયાના વિચારોએ મૂળ વાતને વળગી રહેતાં થોડીક અવળી દિશા પકડી, ‘જ્યોર્જને નાણાંની ભૂખ ન હતી. સુખેથી જીવી શકાય તેવી રોયલ્ટીની આવક હતી. સ્ટૉકના ધંધામાં કમાએલાં અઢળક નાણાંની બેંકરસીદો હતી. ભવિષ્યની સલામતી માટે વ્યક્તિગત અને સંયુક્ત વીમાઓનું રક્ષણ હતું. સંતાનોને સારામાં સારું શિક્ષણ આપ્યું હતું અને સૌ પગભર હતાં. આલીશાન બંગલો અને બંને માટેની જુદીજુદી કાર હતી. આટલું બધું હોવા છતાં અગમ્ય એવું શું કારણ હતું કે જ્યોર્જ લૉટરીના અનૈતિક માર્ગે ચઢ્યો હતો. લૉટરીમાં કમાયો હશે કે ખોયું હશે ?

મારિયાની ધાર્મિકતા અને રૂઢિચૂસ્તતાએ તેને હળવેથી એ મુદ્દે વિચારતી કરી કે ‘ઈશ્વરસર્જિત મહામૂલ્ય માનવીને આત્મનિર્ભર થવા માટે શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓ મળી છે. પરિશ્રમ અને પ્રમાણિકતાથી રોજીરોટી મેળવવાની કૌવત છતાં માનવી પોતાના ભાગ્યને બદલવા આવા ટૂંકા માર્ગ અપનાવે તે કેવું કહેવાય !’

આગળ વિચારવાનું પડતું મૂકીને મારિયા ઇઝીચેરમાંથી સફાળી બેઠી થઈ. જ્યોર્જની લૉટરીપ્રિયતાનો કોઈ સંકેત મળી જાય તે આશાએ તેણે જ્યોર્જના રાઈટીંગ ટેબલનાં ખાનાંઓને વારાફરતી ખેંચવા માંડ્યું. વચ્ચેના ખાનાના ઊંડણના ગુપ્ત ખાનામાંથી એક પરબીડિયું તેના હાથે ચઢ્યું. ઉપર મારિયાનું નામ હતું. તેણે કુતૂહલપૂર્વક ઝડપભેર વાંચવા માંડ્યું. આમાં લખ્યું હતું :

‘વહાલી મારિયા,

જીવનભર તારો ગુનેગાર બનીને હું લૉટરી રમતો રહ્યો છું. અનેકવાર ખોટાં બહાનાં બતાવીને તારાથી વિખૂટો પડીને લૉટરીની ટિકિટો ખરીદવાનું તને અપ્રિય કામ હું કરતો રહ્યો. મારું કૃત્ય માફીને લાયક ન હોવા છતાં હું આશાવાદી છું કે તું મને માફ કરશે જ. તારો ઉદ્દામવાડી સ્વભાવ તને રોકશે, પણ તારો મારા પ્રત્યેનો અનહદ પ્રેમ તને માફ કરવાની ફરજ પાડશે.

મારા મતે સરકારી લૉટરી જુગાર ન હતી. ખાનગી સટ્ટાબજાર કે કેસિનોવાળાઓ કરતાં આ લૉટરી અલગ પડતી હતી. તેની વ્યવસ્થા અને વિશ્વસનીયતા વિષે કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ હું માનું છું કે લૉટરીની રમતનો અતિરેક કોઈના જીવનને બરબાદ પણ કરી શકે. ખેર, અહીં આ ચર્ચાને હું સમાપ્ત કરું છું. પ્લીઝ, હવે આગળ વાંચ.

તું મારા જીવનમાં આવી, ત્યારે એક જીવતી-જાગતી લૉટરી જ બનીને આવી હતી. મારી પાસે ગરીબી સિવાય બીજું શું હતું ? લગ્નપૂર્વેના મારા જીવનથી તું પરિચિત હોવા છતાં ફરી પુનરાવર્તન એટલા માટે કરું છું કે સુખ અને સમૃદ્ધિનાં સ્વપ્ન મેં એ દિવસોમાં જ સેવ્યાં હતાં. કોઈક વિચારકે કહ્યું છે કે જ્યારે કોઈ માણસ સ્વપ્નો સેવતો બંધ થઈ જાય, ત્યારે માની લેવું કે તેણે મરવાની શરૂઆત કરી દીધી. સ્વપ્ન એ તો જીવનનો પ્રાણવાયુ છે. હતાશાપૂર્ણ એ દિવસોમાં સ્વપ્નોએ તો મને જીવતો રાખ્યો છે. સ્વપ્નો સિદ્ધ થવા માટે પુરુષાર્થ અને પ્રારબ્ધ જરૂરી છે. શરાબી અને લંપટ પિતાથી ત્રાસી ગયેલી મારી માતા બીજે પરણી ગઈ હતી. અમને ભાઈ-બહેનોને જીવાડવા માટે શૉપલિફ્ટીંગથી માંડીને ઘરફોડ ચોરીઓ સુધી પહોંચી ગયેલો મારો બાપ જેલમાં વધારે અને બહાર ઓછો એમ કરતાંકરતાં જેલમાં જ અવસાન પામ્યો. હું સંઘર્ષ કરતો હતો, ત્યારે મારા ભાગ્યને જગાડવા મારી પાસે માત્ર લૉટરીનો જ સહારો હતો. તને આશ્ચર્ય થશે કે તે દિવસોમાં લૉટરી મારા ભાગ્યને જગાડી શકી ન હતી, પણ તેણે મને જીવતો રાખ્યો હતો અને તે જ મારા માટે પૂરતું હતું.

જોગસંજોગે હું તારા પિતાજીના અખબારમાં મામુલી કમ્પોઝીટરમાંથી મારી મહેનત અને કામ પ્રત્યેની વફાદારી વડે મેનેજીંગ ડિરેક્ટર પદે પહોંચ્યો. આ ગાળામાં આપણી વચ્ચે પ્રણ્યના અંકુર ફૂટ્યા. તારા મહાન પિતાએ મને તારા કુટુંબમાં સમાવી દીધો. તું અઢળક સંપત્તિની એકમાત્ર વારસ અને હું માત્ર તારો સહભાગી જ બની રહ્યો. આંખના પલકારામાં તારું એ આપણું બની ગયું. મારી કૌટુંબિક જવાબદારીઓ પણ આપણી સહિયારી બની ગઈ. મારા જીવનમાં તારી સાથેનું જોડાણ એ એક રીતે તો બે આત્માઓનું જોડાણ બની રહ્યું. પ્રેમાળ, નિરભિમાની અને સંવેદનશીલ પત્ની પામવાનું સૌભાગ્ય મારા જેવા કોઈ નસીબદારને જ પ્રાપ્ત થાય. આપણા પાશ્ચાત્ય ઢબના કૌટુંબિક જીવનમાં અશક્ય ગણાય તે આપણા જીવનમાં શક્ય બન્યું. મારા માટે તો તું મૂલ્યમાં ન આંકી શકાય તેવો લૉટરીનો મોટો જેકપૉટ પુરવાર થઈ. ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને પ્રકારે મૂલ્યવાન તેવી તારા જેવી મૂલ્યવાન લૉટરી સામે મેં કાગળની એકાદ કે અડધા ડૉલરની ટિકિટોને પ્રાધાન્ય આપ્યું, તેમ જો તને લાગે તો મને માફ કરી દેજે. તું મહાન છે, બાકી તને છેહ દેવા પાછળ મારી કોઈ ધનલાલસા ન હતી.

હવે હું જરૂરી મૂળ મુદ્દા ઉપર આવું છું. આપણા શહેરની વેસ્ટ એન્ડ વિસ્તારની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં મારું એક એકાઉન્ટ છે. પ્રથમ નોમિની તરીકે તારું નામ અને ઈશ્વર ન કરે અને તું હયાત ન હોય તો બીજા નોમિની તરીકે આપણા શહેરના જે તે વખતે જે હોય તે શેરીફને નિયુક્ત કર્યા છે. લૉટરીની ટિકિટો આપણી આવકમાંથી ખરીદાઈ છે, પણ નાનાંમોટાં લાગેલાં સઘળાં ઈનામો તે ખાતામાં માત્ર જમા જ થતાં રહ્યાં છે. ઉપાડ માટે મેં કોઈ ચેક્સુવિધા લીધી નથી. ખાતામાં કેટલી રકમ હશે તે જાણવાની ઇચ્છા ન થાય તે માટે મેં પાસબુક પણ મેળવેલ નથી. બેંક તરફના ખાતાને લગતા કોઈ પત્રવ્યવહાર માટે લાઈફ ટાઈમ રેન્ટ ભરેલા પોસ્ટ બોક્ષનો સહારો લીધો છે.

છેલ્લે આશા રાખું છું કે આ ખાતામાંથી જે કંઈ રકમ મળે તે ઉપરાંત મારા પોતાના પાકતા વીમાની રકમને સામેલ કરીને તેનું ફેમિલી ટ્રસ્ટ બનાવીને વ્યાજની આવકમાંથી તને ઠીક લાગે તેવી ચેરિટી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે. ઈશ્વર તને દીર્ઘાયુષ્ય બક્ષે. તું પણ મને માફી બક્ષે તે જ અભ્યર્થના સાથે વિરમું છું.

તારો અને શાશ્વત કાળ પર્યંત માત્ર તારો જ,

જ્યોર્જ’

પત્ર પૂરો થયો. આંખોમાં અશ્રુ તો ઊભરાયાં, પણ વેદના શમી ગઈ. ત્વરિત નિર્ણય લેવાઈ ગયો, ફેમિલી ટ્રસ્ટ રચી દેવાનો. ટ્રસ્ટનો બીજો કોઈ હેતુ નહિ, માત્ર એક જ કે જ્યોર્જની મૃત્યુતિથિએ વર્ષભરની આવક જેટલી લૉટરીની ટિકિટોનું જરૂરિયાતમંદ લોકોમાં મફત વિતરણ કરવું.

આનાથી વિશેષ સારી બીજી કઈ રીતે જ્યોર્જને અંજલિ આપી શકાય તેમ હતી !

-વલીભાઈ મુસા

તા.૨૧-૧૦-૨૦૦૩

 
 

Tags: , , , , , ,

Daughter, Daughter-in-law! (દીકરીવહુ)

Click here to read Preamble in Gujarati
Here below, follows a short story of mine in Gujarati. I would like, in brief, to say that my story was written in 1980, but some time ago a Hindi movie ‘Baugbaan’ is released; and co-incidentally, there is the resemblance in the plots of both my story and the movie. Sometimes, it happens so as the writers, after all, take their characters from the living people of the society. The idea may be the same, but the presentation and media can differ.

In literature, some times the symbolic quotes in flowery speech are seen resembling with the other in one or more way either the same or somewhat changed. When I was in post graduation, I had to study both Gujarati and English. In my Gujarati, I had to study “Sarshwatichandra” – Part-4 (By G.M.Tripathi) and in English “The Return of the Native” (By Thomas Hardy). I had brought to the knowledge of both the Heads of the Departments of Gujarati and English, the similarity in narration of a narrow river and a hilly footway. The common phrase or sentence was somewhat like this “It passed like a parting line on the head with white hair of an old man.”

Now, let us go to the main point of my preface of the story. Here is a talk of economically middle class family. The problems and miseries of the old people are the same throughout the world. The places change, the color of skin changes, the societies change, the environment changes; but the problems of the most of the old people, single or in couple, remain the same. The young people should always remember that a day may come when they people have to be old and treatment they give to their parents is likely to be received from their children. Turn is after turn and one has to reap as one has sown it.

Now, please go on and be co-partners of the old characters of the story to feel the pain they feel.

-Valibhai Musa
Dtd. :
15th June, 2007

દીકરીવહુ !

આ છે મુકુંદરાય. તેમના હાથમાં બકાલું ખરીદવા માટેની લાકડાની દાંડીવાળી થેલી છે. એકધારી ધીમી ગતિએ પોતે શાકમારકીટ તરફ જઈ રહ્યા છે. સફાઈદાર પાટલી પાડેલી ધોતી અને લોનના શ્વેત ઝભ્ભામાં તેઓ સજ્જ છે. ભદ્ર ગુજરાતી પોષાકમાં માથે સફેદ ટોપી માત્ર જ ખૂટે છે. છતાંય સંપૂર્ણ સફેદ થઈ ગએલા માથાના વાળ કદાચ ટોપીની જ ગરજ સારી રહ્યા છે. પોતે વન વટાવી ચૂક્યા છે.

થોડુંક ચાલ્યા પછી ચોક આવે છે. ત્યાંથી જમણી તરફ વળતાં આગળ શાકમારકીટ આવે છે. વચ્ચે આવે છે, તેમની હંમેશની પ્રાત:કાલીન પ્રથમ ખરીદી માટેની પાનની દુકાન. ખરીદી થતી આવી છે, મસાલેદાર ‘મિલન’ મુખવાસની બે પડીકીની ! બીજી દુકાનેથી નહિ,વળી ‘મિલન’ જ. દુકાનદાર કદી ખૂટવા દેતો નથી. અઠવાડિક ગુમાસ્તા ધારાની રજાના આગલા દિવસે તો ચાર પડીકી !

મુખવાસની બંને પડીકીઓ ગજવામાં સરકાવતા પોતે આગળ સરકે છે. વચ્ચે બસસ્ટૉપ આવે છે. પગ થંભી જાય છે. બાંકડા પર થેલી બિછાવીને બેસે છે. નજર મંડાઈ રહે છે, પોતે જે દિશામાંથી આવ્યા છે તે દિશા તરફ.

ઓચિંતુ તેમના ચહેરા ઉપર સ્મિત તરવરી ઊઠે છે. આંખો ઘેલછાભરી રીતે ક્ષણભર નાચી ઊઠે છે. વુદ્ધનું મન જાણે બોલી ઊઠે છે, એક કાવ્યપંક્તિના થોડાક ફેરફાર સાથેના શબ્દો : ‘તારા મારા મધુર મિલનનું હંમેશનું આ પ્રભાત !’

આગંતુક બાંકડા સમીપ આવે છે. આખો બાંકડો ખાલી હોવા છતાં વૃદ્ધ થોડા સરકીને જગ્યા આપે છે. આવનાર નિ:સંકોચપણે પાસે ગોઠવાઈ જાય છે. ચાલવાના પરિશ્રમને કારણે થોડીક હાંફ ચઢી ગઈ છે. મુકુંદરાયની નજર આવનારના ચહેરા ઉપર ખોડાયેલી રહે છે અને હાથ યંત્રવત્ ગજવામાં લંબાય છે. ‘મિલન’ મુખવાસની બે પડીકી સાથે એ હાથ બહાર આવે છે. હથેળી સમતલ થઈને લંબાય છે. આગંતુકનાં આંગળાં વૃદ્ધની હથેળીને ક્ષણભર સતાવીને એક પડીકી ઊઠાવી લે છે. ચાર આંખો ભેગી થાય છે. આંખો સ્નેહ વરસી જાય છે.

થોડીક ક્ષણો ચૂપકીદીમાં અને પછી ઔપચારિક વાતચીત શરૂ થાય છે :

‘આજે તારે કયું શાકભાજી…?’

‘ભીંડા, તમારે ?’

‘મારી વાત પછી. પહેલાં મને જવાબ આપ કે ભીંડા તો તને ભાવતા નથી !’

‘પણ દીકરાને, વહુને અને નાનાં છોકરાંને તો ભાવે છે ને !’ કથનમાં માર્મિક વ્યંગ છે.

મુકુંદરાય ઠાવકા થઈને આંખો ઉલાળતા બોલે છે, ‘આપણે તો વંત્યાક ! પણ હું નહિ હોં કે ! હવે મને પણ ભાવવા માંડ્યાં છે !’

બંને જણ હસી લે છે, હસી જવાય છે. રુચિ વિરુદ્ધની ખરીદીઓ અનિવાર્ય છે. રસોડાની રાણીઓના હૂકમ છે. હસી કાઢવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી. વૃદ્ધોની રસના (જીભ) નાનાં બાળકોના જેવી થઈ જતી હોય છે. ભાવવા- ન ભાવવાના પ્રશ્નો વૃદ્ધો અને બાળકો માટે સરખા જ હોય છે. બાળકો રડીને કે જીદ કરીને ધાર્યું કરે-કરાવે; પણ મુકુંદરાય અને પાર્વતી જેવાં વૃદ્ધોએ ચલાવી લેવું પડે, હસી લેવું પડે. માત્ર શાકભાજી જેવી સામાન્ય રુચિ પૂરતાં જ નહિ, ઘણીબધી. જૂની અને નવી પેઢીનાં મતમતાંતર સહી અને હસી લેવાં પડે.

થોડીકવારની વળી પાછી ચૂપકીદી. મુકુંદરાય તો ‘હવે મને પણ ભાવવા માંડ્યાં છે !’ બોલીને મરકમરક હસી રહ્યા છે, પણ પાર્વતી ક્ષણભર વિચારોમાં ખોવાઈ જાય છે. તેમનો ચહેરો ગમગીનીની ચાડી ખાધા વગર રહેતો નથી.

મુકુંદરાયની પૃચ્છા થતાં પાર્વતી કદાચ યુવાનોને મોંઢે જ શોભી શકે તેવા શબ્દોમાં ગંભીરતાપૂર્વક વાત છેડે છે, ‘આખી રાત ઊંઘ આવતી નથી. બસ, એમ જ થયા કરે છે કે ક્યારે સવાર પડે અને તમારી મુલાકાત થાય ! દીકરાઓએ આપણને ભયંકર સજા કરી છે, પણ વ્યથા કોને કહેવી ? હું પૂછું છું, તમને કંઈ લાગણી નથી થતી ?’

‘અરે ભલી, સુગંધીદાર મુખવાસ અનેક કંપનીઓનો મળતો હોવા છતાં હું આપણા માટે ‘મિલન’ જ પસંદ કરું છું, તે ઉપરથી તને નથી સમજાતું !’ છેલ્લા કેટલાક મહિનાથી ‘મિલન’ની જ ખરીદીના રહસ્યને મુકુંદરાય ગર્વભેર છતું કરે છે.

મુકુંદરાયના રમતિયાળ સ્વભાવની ઈર્ષા કરતાં પાર્વતી નિસાસો નાખી દેતાં બોલે છે, ‘હું અભાગણી તમારી જેમ બદલાતી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શક્તી નથી. જવા દો આડી અવળી વાત. મારા મનમાં કેટલાય સમયથી ઘોળાયા કરતી વાત મૂકું ?’

‘’બોલ.’

એ પછી; પણ હું કહું છું કે દીકરાઓ વહુઓના કંકાસના કારણે જુદા થયા, આપણી વચ્ચે તેમણે કેમ દિવાલ ઊભી કરી દીધી ?’

મુકુંદરાયનો પ્રફુલ્લ મિજાજ ગંભીર બની જાય છે. ઊંડો શ્વાસ લેતાં તેમનાથી બોલી જવાય છે, ‘બે કુટુંબો વચ્ચેની દિવાલ ચણી છે તેમના કંકાસે, પણ આપણા બેની વચ્ચે ચણાઈ છે; તેમના આર્થિક સંજોગોના કારણે ! આપણે બંને કોઈ એકના ત્યાં સાથે રહીએ તો તેને ભારે પડીએ. તેમણે આપણને જુદાં પાડીને માત્ર આર્થિક સમજૂતિ સાધી લીધી છે, વિશેષ કંઈ કર્યું નથી.’

‘એટલે શું તેઓ એમ માનતાં હશે કે વયોવૃદ્ધ દંપતીનો પ્રેમ પણ વયોવૃદ્ધ થઈ જતો હશે ! હવે જવા દો એ લાંબીપહોળી વાત, પણ મને દુ:ખ એ વાતનું છે કે નાનાની વહુનો મારી સાથેનો વર્તાવ બરછટ છે. ખેર, હવે દીકરાને શી ફરિયાદો કરવી ?’

પાર્વતીનું છેલ્લું વાક્ય મુકુંદરાયના હૃદયતલને હચમચાવી દે છે. એમનો વડીલશાહી જુસ્સો અવાજમાં થોડા કંપ સાથે તેમની પાસે બોલાવે છે, ‘તો મારે નાનાને ટકોર કરવી પડશે. એ બધાં શું સમજતાં હશે એમના મનમાં ? એ પારકીજણીઓ તારા હૃદયને જરાપણ ઠેસ પહોંચાડે તે મારાથી સહન નહિ થાય, સમજી ?’

પાર્વતી સજળ નયને બોલી ઊઠે છે, ‘ભગવાનને ખાતર એમ કરશો નહિ. વાત આગળ વધે તો મારે ક્યાં જવું ? તમારી મોટી વહુ અને મારે તો એક પળવાર પણ ન બને, નહિ તો આપણે અદલબદલ થઈ જાત !’

વૃદ્ધા ‘તમારી મોટી વહુ’ શબ્દો ઉપર ભાર મૂકે છે. વાતવાતમાં સ્વાભાવિક રીતે જ દીકરા અને દીકરાવહુઓ બંનેનાં હોવા છતાં ‘મારા’ અને ‘તમારા’માં વહેંચાઈ જાય છે.

મુકુંદરાય વાતને વાળવાનો પ્રયત્ન કરતાં પાર્વતીને યાદ અપાવે છે, ‘પેલી તારા મનની વાત તો તેં કહી નહિ !’

પાર્વતી પોતાની વાતની યાદ અપાતાં ઓચિંતી અને કોઈપણ પૂર્વભૂમિકા વગર સહજ ભાવે જ બોલી જાય છે, ‘આપણે બંને ક્યાંક ભાગી જઈએ તો !’

મુકુંદરાય બેવડા વળીવળીને ખડખડાટ હસી પડે છે. હસવામાં જાહેર સ્થળનો ખ્યાલ પણ વીસરી જાય છે. પરંતુ પાર્વતીની આંખોમાં ધસી આવેલાં આંસુ જોઈને તેમનું હાસ્ય છોભીલું પડીને સંકેલાઈ જાય છે. ચોતરફ નજર ફેરવી લેતાં મુકુંદરાય એકીશ્વાસે બોલી દે છે, ‘આંસુ લૂછી નાખ, ભલી; કોઈ જોઈ જશે તો વરવું લાગશે. એક કામ કર, તું દેવમંદિરે જવાના બહાને અને હું લાયબ્રેરીના બહાને ઘરેથી નીકળીએ. આપણે પાર્કમાં મળીએ અને શાંતિથી વિચારીએ.’

* * * * *

પાર્કના એકાંત બાંકડા ઉપર મુકુંદરાય અને પાર્વતી એકબીજાંને એકદમ અડીને બેઠાં છે, પોતાની ઉંમરને પણ ભૂલી જઈને ! મુકુંદરાયના બંને હાથ પાર્વતીના જમણા હાથને ગુંગળાવવા મથી રહ્યા છે. પાર્વતી નવોઢાની જેમ શરમના ભારથી પોતાની પાંપણો ઢાળી દે છે. તેમને પોતાનો હાથ છોડાવવાની ઇચ્છા થતી નથી લાગતી. પતિની સુંવાળી અને શીતળ હથેળીઓનો રોમાંચક સ્પર્શ તેમની મહિનાઓની હૃદયવ્યથાને હળવી બનાવતો હોય તેમ લાગે છે. છતાંય આ સ્પર્શમાં યૌવનસહજ ઘેલછા નથી; પણ છે નિર્ભેળ, નિખાલસ અને પરિપક્વ દાંપત્યપ્રેમ.’

મુકુંદરાયની સાંત્વનાપૂર્ણ વાચા ઊઘડે છે, ‘તારામાં અને મારામાં ફરક એટલો કે તું તારા દુ:ખને વ્યક્ત કરી શકે છે, જ્યારે હું મૂંગા મોંઢે સહી લઉં છું; પણ સાચું કહું તો આ વિરહ મારાથી પણ નથી જીરવાતો. સંયુક્ત કુંટુંબવ્યવસ્થા સંતાનો અને વૃદ્ધો માટે આશીર્વાદરૂપ હોવા છતાં નવી પેઢીના ગળે આ વાત ઊતરતી કેમ નહિ હોય !’

‘પણ મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આપણે સંયુક્ત હતાં, ત્યારે દેરાણીજેઠાણી વચ્ચે કંકાસ હતો તે માની લીધું; પણ હવે વિભક્ત થયા પછી શું ? છતાંય છેલ્લા ત્રણેક મહિનાથી તેમની એકબીજાના ત્યાંની અવરજવર બંધ, એકાદ મહિનાથી તો છોકરાં ઉપર પણ પ્રતિબંધ ! વળી અધૂરું હોય તેમ આપણા …’ પાર્વતીની આંખો વરસી જાય છે.

‘રડીશ નહિ, પારૂ. આપણા ઉપર પ્રતિબંધ ક્યાં છે ? આપણું તો સાહજિક જ એકબીજાના ત્યાં જવુંઆવવું ઓછું થયું છે. વળી દરરોજ સવારે આપણે મળીએ તો છીએ જ. આંખોના તેજના કારણે રાત્રે હું બહાર નીકળતો નથી; છતાંય જો તને વસવસો રહેતો હોય, તો હું દરરોજ તારા ત્યાં આવું.’

‘તમારી વાત ખરી; પણ મારા ત્યાં તમે આવો, ત્યારે વહુનું મોં ચઢેલું કે ઊતરેલું દેખાય નહિ અને મારું તો કાળજું કપાઈ જાય ! વળી મારાથી તમારા ત્યાં તો પગ જ મૂકી શકાય તેમ નથી. કંઈક એવો માર્ગ કાઢો ને કે આપણે બંને સાથે રહી શકીએ.’

‘માર્ગ તો એક જ બાકી રહે છે અને તે છે, ત્રીજું રસોડું ! પણ આ પોષાય ખરું ? વળી જ્ઞાતિમાં અને સમાજમાં કેવું ખરાબ દેખાય ! બબ્બે દીકરાઓ હોવા છતાં આપણે જુદાં રહીએ તે ન શોભે. આ બધીય વાતોને આપણે કદાચ અવગણીએ, પણ આપણી આજીવિકાનું શું ? તું માને છે કે હું છોકરાઓનાં સાલિયાણાંની આશા રાખું ! તો પછી આપણાથી કામ ધંધો પણ શો થાય ? કદાચ પેટિયું રળવા આપણે કંઈક કરીએ તેની લાજ આપણને તો શી આવવાની છે, પણ તારા જણેલાઓને તો આવે જ ને ! સગાંવહાલાં તેમના તરફ આંગળી ચીંધ્યા સિવાય રહે ખરાં ? માટે મને એ તો ઠીક નથી જ લાગતું કે આપણે આ સ્થળે જુદાં રહીએ !

બસસ્ટૉપવાળી વાતનું પુનરાવર્તન કરતાં પાર્વતીથી બોલી જવાય છે, ‘તો આપણે ભાગી જઈએ, અહીંથી અથવા આ જગતમાંથી ! પણ હવે આ વિયોગ મારાથી તો સહન નહિ જ થાય.’ પાર્વતીના શબ્દોમાં ભારોભાર વેદના છે.

‘આ સ્થળેથી ભાગી જવાની તારી વાત વિચારી શકાય, પણ જગતમાંથી શા માટે ? એનો અર્થ એ થાય કે આત્મવિલોપન ! મુર્ખાઈભરી વાત ન કર. આત્મવિલોપન એ કાયરતા અને પાપ બંને છે.’

‘દીકરીના આશ્રયે જઈએ તો !’

‘એ હરગિજ ન બને. દીકરીને સાસરિયે વળાવી, એટલે તે પરાઈ થઈ ચૂકી. પછી તેના ઉપર આપણો કોઈ હક્ક ચાલે નહિ. વળી એના સંજોગોનો તો વિચાર કરવો પડે ને !’

‘એના સંજોગો તો અનુકૂળ છે. જમાઈ એકલવાયા જીવ છે. કુટુંબમાં માતાપિતા કે ભાઈબહેન કોઈ નથી. વળી સુશીલા અને તેમના જીવ મળેલા છે. પોતે સારું કમાય પણ છે. જમાઈ આપણને પોતાનાં જ માબાપ ગણીને સાચવે તેવા ગુણિયલ છે. મારું માનો તો એ જ ઉત્તમ માર્ગ છે.’

‘તારી વાત સાચી. પરંતુ આપણે એ ચેક નાછૂટકે જ વટાવવાનું રાખીએ, બાકી આ સ્થળેથી ભગવાનભરોંસે ભાગી જવાની વાત હાલ પૂરતી વિચારી શકાય.

‘તો પછી વિચારવાનું શું હોય, નિર્ણય જ કરી લઈએ !’ પાર્વતીના શબ્દોમાં મક્કમતાનો રણકો છે.

‘પણ આપણે ભાગીને કેટલે દૂર જઈશું ? વળી આપણા પરાક્રમને દુનિયા જાણતી થાય તે નફામાં !’ મુકુંદરાયના વિધાનમાં આવેગ નહિ, પણ વ્યાવહારિકતા છે.

‘તો પછી યાત્રાએ જવાના બહાને ઘર તજીએ અને દૂરદૂર આવડા વિશાળ દેશના કોઈક ખૂણાના ગામડામાં ખોવાઈ જઈએ !’

‘તારો એ વિચાર ગમ્યો, પણ મને ડર છે કે કદાચ ફોટાઓ સાથેની સમાચારપત્રોમાં જાહેરાત અપાય તો ગમે તે માણસ આપણને ઓળખી ન પાડે ?’

‘આપણે આપણા ફોટાઓને પણ અહીં રહેવા ન દઈએ તો !’

‘તું ટૂંકું વિચારે છે, ભલી ! ફોટાઓ વગરની માત્ર વર્ણનાત્મક જાહેરાતો ક્યાં નથી અપાતી ! વળી આપણે જ્યાં હોઈએ ત્યાં સાથે જ હોઈએ, તેથી પકડાયા વિના રહીએ ખરાં ! આમ છતાંય તારી વાતમાં તથ્ય ખરું. ફોટા વગરની જાહેરાતથી જલ્દી પકડાઈ જવાની ભીતિ ઓછી.’

‘તો એવા પહાડી વિસ્તારમાં કે જ્યાં સમાચારપત્રો જતાં ન હોય ! આપણાં આદિ માનવ ભાઈબહેનોની વચ્ચે કે જે બિચારાં આપણી કહેવાતી ભદ્ર સંસ્કૃતિમાં વટલાયાં નહિ હોય ! અને, નહિ તો છેવટે જંગલમાં આપણને વાઘવરુ તો ભેટશે ને !’ આમ કહેતાં પાર્વતીથી ડૂસકું મૂકી દેવાય છે.

મુકુંદરાયની પાંપણો પણ ભીની થાય છે. એમનો અંતરાત્મા પાર્વતીની વાતને સમર્થન આપે છે કે સંયુક્ત કુટુંબવ્યવસ્થાની આપણી પ્રાચીન પરંપરા આ દેશમાંથી મરી પરવારશે. કહેવાય છે કે પશ્ચિમના દેશો આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાવા માંડ્યા છે, જ્યારે આપણે તેમનું ફેંકી દીધેલું અપનાવી રહ્યાં છીએ. વ્યક્તિલક્ષી કુટુંબભાવના કદાચ આ દેશનાં લાખો વયોવૃદ્ધોને ભરખી તો નહિ જાય !’

આમ વિચારતાં છેવટે મુકુંદરાય ચૂકાદાની આખરી મહોર મારી દે છે, ’આપણે ભાગી જઈશું; બહુ જ નજીકના ભવિષ્યમાં ભાગી જઈશું, ક્યાંક યાત્રાએ જવાના બહાને !’

આ સાંભળતાં પાર્વતીનો ચહેરો પ્રસન્નતાથી છલકાઈ જાય છે.

* * * * *

આખરે અઠવાડિયા માટે યાત્રાએ જવાનો કાર્યક્રમ યોજાય છે. રેલવે સ્ટેશન ઉપર પુત્રો, પૂત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓ મુકુંદરાય અને પાર્વતીને વળાવવા માટે આવ્યાં છે. ઘણા મહિને રેલવે સ્ટેશન ઉપર આખા પરિવારને સાથે જોઈને પાર્વતીની આંખોમાં આંસુ ઉભરાઈ જાય છે. પુત્રો રડે છે. પુત્રવધૂઓનાં હૃદયોનાં ઊંડાણમાં છુપાઈ રહેલી સુષુપ્ત લાગણીઓ ઝળહળિયાંરૂપે આંખોમાં ડોકાઈ જાય છે. ભુલકાં પણ ગંભીર બની ગયાં છે. એક માત્ર મુકુંદરાયે જ લાગણી સાથેનો છેડો જાણે કે ફાડી જ નાખ્યો છે. તેઓ બ્રહ્માની જેમ નિર્લેપભાવે પોતાની કુટુંબસૃષ્ટિને નિહાળી રહ્યા છે !

યાત્રાગમનને અઠવાડિયું પૂરું થાય છે, દસ દિવસ પૂરા થાય છે. મુકુંદરાયના પુત્રોનાં ઘરોમાં સૌ કોઈની માનસિક ત્રાણ વધી ગઈ છે. મુંબઈ રહેતી બહેન સુશીલાને જણાવાય છે, એમ ધારીને કે બાબાપુજી તેના ત્યાં ગયાં હોય, પણ વ્યર્થ ! પ્રત્યુત્તરરૂપે તે પોતે જ બિચારી દોડતી આવે છે. સમાચારપત્રોમાં જાહેરાત આપવાનું વિચારાય છે, ત્યારે જ સૌના ધ્યાન ઉપર આવે છે કે બાબાપુજીના ફોટાઓને તેમના ઓરડાઓની દિવાલો ગળી ગઈ છે. સૌનો અંતરાત્મા શંકા અનુભવે છે કે માતાપિતાએ કદાચ ગૃહત્યાગ જ કર્યો છે !

સુશીલાનો ગુસ્સો ભભૂકી ઊઠે છે. તે કલ્પાંત કરીકરીને ભાઈઓ અને ભાભીઓને ઉપાલંભ આપે છે. જાહેરખબર આપવાનું વિચારતા ભાઈઓનો ઉધડો લઈ નાખતાં સુશીલા કહે છે, ‘જગત આખાયમાં બદનામીનો ઢંઢેરો પિટાવવો હોય તો તેમ કરી શકો છો !’

સુશીલા આગળ પૂછે છે, ‘તમે લોકોએ તેમને દુભવેલાં ખરાં ?’

આ પ્રશ્નનો કોઈનીય પાસે જવાબ નથી, છે માત્ર બધાંયની આંખોમાં આંસું ! વયોવૃદ્ધ અવસ્થાએ માતાપિતાને વિખૂટાં પાડવાં એટલે એક જ દેહને ઊભો ચીરવા બરાબર છે, તેવી પ્રતીતિ સૌને થાય છે. પરંતુ હવે ઢોળાયેલા દૂધ અને વેડફાએલા પાણી ઉપરનો અફસોસ નકામો છે.

ઓશિયાળા ચહેરા લઈને સામે બેઠેલી ભોજાઈઓને સુશીલાનો એક જ પ્રશ્ન છે, ‘તમારે લોકોને માતાપિતા છે કે નહિ ?’

પરંતુ સુશીલાને તેમની પાસેથી પશ્ચાત્તાપરૂપે રૂદનનાં ડૂસકાં સિવાય કંઈ જ સાંભળવા મળતું નથી. શાણી સુશીલા બાળકોની ઉલટતપાસમાંથી જાણી લે છે કે તેમની માતાઓનો દાદાદાદી સાથેનો વર્તાવ સારો ન હતો. બાલમંદિરે જતા એક ભુલકાની શાકમારકીટ પાસેના બસસ્ટૉપના બાંકડે દરરોજ દાદાદાદીને સાથે જોયાની માહિતી મળતાં સુશીલા ભાઈભાભીઓ સામે સૂચક નજરે જોતી જાય છે. ચારેય જણની આંખો અપરાધભાવે વારાફરતી ઢળતી જાય છે.

ભાઈઓથી આ વેદના સહન ન થતાં સુશીલાના ચરણોમાં પોતાનાં મસ્તક ઢાળી દેતાં નાનાં છોકરાંની જેમ બેઉ જણ કલ્પાંત શરૂ કરે છે. મોટાભાઈ વ્યથિત અવાજે છતાંય મક્કમ ભાવે બોલી નાખે છે, ‘સુશી, અમને માફ કર. દુનિયાદારીના વ્યવહારમાં પરોવાયેલા અમે માબાપની હૃદયવ્યથાથી અજાણ જ રહ્યા ! હવે બદનામીનો ઢંઢેરો પિટાવ્યા વગર આખી ધરતી ખૂંદી વળીને તેમને શોધવાનો પ્રયત્ન કરીશું. સફળતા મળશે તો સંયુક્ત કુટુંબમાં ફેરવાઈ જવાની ખાત્રી સાથે તેમને મનાવીને પાછાં તેડી લાવીશું. જો એકાદ મહિનામાં તેમનો પત્તો નહિ લાગે તો તારી સામે અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે નાનાં છોકરાંથી માંડીને અમારા સુધીનાં બધાંય સામૂહિક આત્મહત્યા કરીશું !’

‘નહીં…નહીં !’ કાળજાં ચીરી નાખતી એક કારમી ચીસ સુશીલા પાડી દે છે. તેની નજર સામે તરફડિયાં ખાતી લાશોનો ઢગલો તરવરી ઊઠે છે. તેનાથી એકી શ્વાસે બોલી જવાય છે, ‘બાબાપુજી સલમત છે; મુંબઈ છે, મારા ત્યાં જ છે ! બાની હઠ આગળ બાપુજી પાસે બીજો વિકલ્પ જ ક્યાં હતો !’

આટલું સાંભળતાં જ બધાંયનાં મોં પહોળાં થઈ જાય છે. વહેતાં અશ્રુ ઘડીભર થંભી જાય છે. બધાંયના ચહેરા ઉપરનું રૂદન પશ્ચાદભૂ તરફ સરકી જાય છે અને તેમની આંખોમાં અકથ્ય એવો આનંદ તરવરી ઊઠે છે. છોકરાં પણ હર્ષોલ્લાસથી ઘેલાં બની જાય છે.

પરંતુ સુશીલા બધાંનાં દિલોને હચમચાવી દેતી એક વાત તો નાછૂટકે હવે જ છેડે છે, ‘બાબાપુજીએ અમારા ઘરમાં પ્રવેશતાં જ એક આકરી શરત મૂકી હતી કે મારે ત્રાહિતોની હાજરીમાં તેમની લાજ કાઢવી અને તેમની ઓળખ સાસુસસરા તરીકેની આપવી ! આમ હું આટલા દિવસ તેમની દીકરીવહુ બનીને રહી. બિચારાંને તેમનું સ્વમાન…!’. સુશીલા આગળ ન બોલી શકી.

ફરી એકવાર સૌ મોકળા મને રડી લે છે.

– વલીભાઈ મુસા

(તા.૧૦૦૩૧૯૮૦)

 
 

Tags: , , , , , , , , ,

The True Judgment

Click here to read in Gujarati
I am swinging on my easy chair with the news paper in my hands in my Verandah. I am concentrated in reading and meanwhile, I hear the loud words of both my sons. They are not quarrelling, but they have a dispute for their heights in-between them. They stand about ten feet away from me, keeping their shoulders touched and ask in their childlike tone of speech, “Daddy, please give us your true judgment. Who is taller among us?”

Smilingly, I observe them accurately as I have to give them my true judgment. There is the difference of only two years in their ages. They seem almost equal in height. I just try to speak; but meanwhile, I slip away to some far past. After a while, I see their faces dim as the tears in my eyes have over flown.

Both, rapidly running towards me, set themselves by my both the sides. They wipe out my tears with their rosy tiny palms and say crying, “Daddy, are you crying?”

I try to recover myself as it is true that I am crying. The news paper falls down my lap and I press their cheeks with mine and give my true judgment. “You are equal. Nobody is taller than the other. But, behind you, I saw my Swati standing with dimples on both her cheeks, like a she-pigeon and smiling like a blossomed flower. She is taller than both of you. My Swati who, before your births, had left us weeping behind almost at your age to play in the lap of your grandpa in heaven.”

On the open page of my news paper, all the six eyes of ours once again over flow and shower the tears making the sound like rain drops. At that right moment, my wife bows down to place the tray of tea on teapoy. Her lukewarm tears also fall down in my cup of hot tea and mingle in it.

-Valibhai Musa
Dtd:
10th June, 2007

Annexure – II :-
(With reference to “A Challenging Puzzle (3 in 1) dated
10th Sept., 2007)

Modification of the Answer: – “You have to go opposite to the Answer.”

 

 
1 Comment

Posted by on June 10, 2007 in લઘુકથા, MB

 

Tags: , , ,