RSS

Tag Archives: Soul

(349) My quoted Quotes in my Posts (4)

(349) My quoted Quotes in my Posts (4)

(41) “A person should not be too honest. Straight trees are cut first and honest people are screwed first.” (Chanakya)

(42)“Laxmi (goddess of wealth) and Sarswati (goddess of education) cannot live together”. (By Author based on a line of a Gujarati poem)

(43)“Earth provides enough to satisfy every man’s need, but not every man’s greed.” (Mahatma Gandhi)

(44) “Though I am not naturally honest, I am so sometimes by chance.” (A dialogue from Shakespeare’s play)

 (45) “God is not in idols. Your feelings are your God and the soul is your temple.” (Chanakya)

(46) “Honest hearts produce honest actions.” (Brigham Young)

(47) The honest man thinks honestly, speaks honestly and works honestly. (Valibhai Musa)

(48) “The greatest way to live with honor in this world is to be what we pretend to be.”(Socrates)

# Honesty (August – 2007)  

(49) “The ultimate end of man is to find the One (God) which is in him, which is his truth, which is his soul, the key with which he opens the gate of the spiritual life, the heavenly kingdom.” (Rabindranath Tagore)

(50) “Whoever knew his soul, knew his Lord.” (Hajarat Imaam Ali)

(51)“In knowing Thee, O Wonder of the Cosmos, the mind is weakened all the while; Whenever my reason comes a span closer to Thee, it surely flees a mile.” (Unknown source)

(52) “Man has overcome steam and electricity; but he could not overcome his mind. He reached the planets, but could not reach his inner soul.” (By author based on a stanza of a Gujarati poet)

(53)“Say not, ‘I have found the truth’; but rather, ‘I have found a truth’.” (Khalil Gibran)

(54)“Soul made intention of leaving. I said, ‘Do not leave’. It said, ‘What can I do? The house is falling apart’.” (A poetic quote from an unknown source)

(55)  “Your own soul is nourished when you are kind, and it is destroyed when you are cruel.” (King Solomon)

(56)  “Kindness is the root of Dharma (Religion).” (Saint Tulsidas)

(57)“To overcome evil with good is good; to resist evil by evil is evil.” [Prophet Mohammad (PBUH)]

(58) “The uplifting of soul depends on uplifting of the character. We are now approaching a global economy, a global culture. Now let us globalize this mission of ‘Humanity’ to establish Universal Peace. Souls of individuals make the soul of a nation; and souls of the nations make the soul of the universe. To make the universe glorious, the individuals will have to promote their souls towards advancement and perfection.” (Valibhai Musa)

# Soul – A brief study (August – 2007)

-Valibhai Musa

 

 

 
Leave a comment

Posted by on September 15, 2012 in Article, My quoted Quotes

 

Tags: , , , , , , , , , ,

(339) Best of 5 years ago this month/Aug-2007) (4)

(339) Best of 5 years ago this month/Aug-2007) (4)

Click on …

As if Mr. Jeff is alive!

Soul – A Brief Study

Soul – Its nourishment

 

Tags: , ,

આત્માનું પોષણ

Click here to read in English
મારા ‘આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ” આર્ટિકલમાં આપણે ચર્ચા કરી હતી કે માનવ જીવન શરીર અને આત્માના સમન્વયથી બનેલું છે. આત્મા એ વિધાતાનું કોઈ પદાર્થ વગર કરવામાં આવેલું સર્જન છે. વળી આ સર્જન તેની ઈચ્છા કે આજ્ઞાનુસાર કે પછી તેના એક કાર્યના ભાગરૂપે થએલ છે. મારા વાંચકો ઉપરોક્ત તારણોના પુનરાવર્તન બદલ મને માફ કરે કેમ કે તેઓ કદાચ એમ વિચારતા હશે કે આ તો એની એ જ ઘસાઈ ગએલી રેકર્ડ વગાડવામાં આવી રહી છે; પણ આજના વિષયની આગળ ચર્ચા સાથે તેને સાંકળી લેવું મને જરૂરી લાગ્યું છે.

ઈશ્વરે આત્માઓનું સર્જન કેટલાક ઉદ્દેશોથી કર્યું છે અને માનવજાત તેમને સિદ્ધ કરી બતાવે તેવી પણ તેણે અપેક્ષા રાખેલી છે. પરંતુ અહી આપણે એ ઉદ્દેશોને બાજુએ રાખીશું, કેમ કે તે એક સ્વતંત્ર વિષય છે અને વળી અહીં સંબંધિત પણ નથી. આપણને એ યાદ રહે કે આત્માને શરીર આપવામાં આવ્યું છે કે જેથી તે તેમાં વસવાટ કરી શકે અને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી શકે. કુશળ ઘોડેસ્વારી ત્યારે જ શક્ય બની શકે, જ્યારે કે ઘોડો અને ઘોડેસ્વાર બંને કાર્યક્ષમ હોય. કોઈ એકની કાર્યક્ષમતા અપેક્ષિત પરિણામ ન લાવી શકે. બસ, તે જ રીતે આત્મા એ સવારી કરનાર (સવાર) અને શરીર એ ઘોડા સમાન છે. સારાંશ એ છે કે આત્મા અને શરીર એ બંનેએ તંદુરસ્ત રહેવું જ પડે. એમ કહેવાયું છે કે ‘બીમારીનો ઈલાજ કરવા કરતાં તેને અટકાવી દેવી વધારે ઉત્તમ છે.’ તો હવે, આપણે પાયાનાં એ કારણોને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે શરીર અને આત્માને કમજોર કે બીમાર બનાવે છે.

Read the rest of this entry »

 
1 Comment

Posted by on January 10, 2010 in Article, લેખ, Culture, gujarati, Human behavior

 

Tags: , , ,

આત્મા – સંક્ષિપ્ત અભ્યાસ

Click here to read in English
મારા કેટલાક વાંચકોએ મારો અગાઉનો આર્ટિકલ “Inspired Knowledge (Intuition)” અર્થાત્ “સહજ જ્ઞાન” વાંચીને વિવિધ રીતે મારો સંપર્ક સાધ્યો હતો અને આગ્રહ સેવ્યો હતો કે હું એ જ વિષય ઉપર આધ્યાત્મિક કે તત્વજ્ઞાન આધરિત કંઈક વિશેષ લખું. મારા કોલેજ કાળના એક મિત્ર પ્રોફેસર વિનાયક રાવલ પણ મારી ઉપરોક્ત કૃતિના પ્રતિભાવ વખતે એ જ મતના હતા. ‘સહજ જ્ઞાન’ એ કેટલાક આધ્યાત્મિક મુદ્દાઓની સહજ છણાવટ કરતી વિશિષ્ટ શૈલીમાં લખાએલી કૃતિ છે, જેને લલિત નિબંધ કે નવલિકા કહી શકાય.; પરંતુ અહીં હું ‘આત્મા’ વિષેનો મારો સામાન્ય અભ્યાસ બહુ જ સંક્ષિપ્તમાં નિબંધ રૂપે રજૂ કરું છું. અલબત્ત, ‘આત્મા’ જેવા ગહન વિષયને ગાગરમાં સાગર સમાવવા જેવી અઘરી છતાં નમ્ર અહીં મારી કોશીશ રહેશે.

માનવજીવનનું પરમ આધ્યાત્મિક લક્ષ હોય છે કે ઈશ્વરને ઓળખવો. રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે ‘માણસનું અંતિમ ધ્યેય એ જ છે કે તે એક ઈશ્વરને ઓળખે, જે તેની ભીતર જ છે, તે જ સત્ય છે, તે જ તેના આત્મામાં વસે છે અને તે જ આત્મા આધ્યાત્મિક જીવન અને પ્રભુના રાજ્યનાં દ્વાર ખોલવાની ચાવી સમાન છે.’ હજરત ઈમામ અલી ઈબ્ને અબુતાલીબ (અ.સ.)એ પણ એ જ ફરમાવ્યું છે કે, ‘જેણે પોતાના આત્માને ઓળખ્યો, તેણે અલ્લાહ (ઈશ્વર)ને ઓળખ્યો.’ માનવીએ વિવિધ પ્રકારનાં વિજ્ઞાનોમાં પુષ્કળ જ્ઞાન મેળવીને ઘણું બધું સિદ્ધ કર્યું છે, પણ પરમાત્મા, આત્મા, બ્રહ્માંડ, જીવન, મૃત્યુ વગેરે જેવા વિષયોના તાત્વિક રીતે સર્વસંમત એવા અફર નિષ્કર્ષ ઉપર આવી શકાયું નથી. અહીં ઉલ્લેખાએલા જુદા જુદા વિષયો પૈકી માનવીની બુદ્ધિ કે વિચારશક્તિની મર્યાદાઓ હોવાના કારણે ઈશ્વરને પૂર્ણ કે અપૂર્ણ રીતે પણ જાણવો કે સમજવો એ ભગીરથ કાર્ય છે. કોઈકે કહ્યું છે કે, ‘બ્રહ્માંડના નિશ્ચિત અને વિસ્મયકારક વ્યવસ્થાતંત્રને અવલોકીને, હે ઈશ્વર, તને જાણવા અને સમજવામાં મારી વિચારશક્તિ કમજોર પડે છે, ગોથાં ખાય છે. જ્યાં માંરી બુદ્ધિ અણુંના માપ જેટલું પણ અંતર કાપીને તારી નજીક આવવા મથે છે, ત્યાં તો તું માઈલો દૂર ચાલ્યો જાય છે.’ કોઈક ગુજરાતી કવિએ પણ કહ્યું છે કે, ‘માણસે વરાળ અને વીજળીને નાથ્યાં, પણ તેના મનને તે નાથી શક્યો નથી; તે ગ્રહોને પણ આંબી શક્યો, પરંતુ તેના અંતરથી તો તે અજાણ જ રહ્યો છે.’ ખલિલ જિબ્રાનનું આ જ મતલબનું વિધાન નોંધનીય છે કે, ‘એમ કહો નહિ કે મને નિશ્ચિત કે પૂર્ણ સત્ય (the truth)) લાધ્યું છે; અલબત્ત, એમ કહો કે મેં સત્યનો માત્ર એક અંશ(a truth) જ જાણ્યો છે.’

Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , ,

હતાશા કે ઉત્સાહભંગ

Click here to read in English
હતાશા કે ઉત્સાહભંગ એ મનની નકારાત્મક સ્થિતિ છે. મારા મતે આ કોઈ નવીન બાબત નથી; કેમ કે આવું મને, તમને કે અન્ય કોઈને પણ પોતાના જીવનમાં બની શકે. હતાશાની પડકારજનક આ સમસ્યા આજકાલ જગત આખાયમાં ચેતવણીરૂપ પ્રમાણમાં વધતી જ જાય છે. આજે જીવન સાવ સરળ રહ્યું નથી. આવી મનોવૈજ્ઞાનિક સ્થિતિમાંથી પસાર થયા વગર સાવ સરળતાથી આપણે જિંદગી પસાર કરી શકીએ નહિ. હું કોઈ મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સક નથી. આ સમસ્યાના વ્યવહારુ ઉકેલ લાવવા માટેના મારા અભ્યાસકીય અનુભવોનો નીચોડ અહીં છે. મારા બહોળા સંયુક્ત પરિવારના સભ્યો (કોઈકવાર હું પોતે પણ) અને મિત્રો-સ્નેહીઓ કે તેમનાં સંતાનોને ખાસ કરીને તેમના અભ્યાસકાળ દરમિયાન વાર્ષિક, બોર્ડ કે યુનિવર્સિટી પરીક્ષા વખતે હતાશાનો ભોગ બનવું પડ્યું છે. એવા પ્રસંગોએ તેમની સમસ્યાના હલ માટેના માર્ગદર્શનમાંથી જે કંઈ તારણો અને ઉપાયો મને મળ્યા છે તેનું પ્રતિબિંબ આ લેખમાં પડ્યા વિના રહેશે નહિ. હતાશા માટે કારણભૂત શાળા-કોલેજના અભ્યાસકાળ સિવાયની જીવનની અન્ય ઘણી પરિસ્થિતિઓ અને સંજોગો પણ હોય છે, જ્યાં તેનો મુકાબલો કરવાનો પ્રસંગ આવતો હોય છે. આ સમસ્યાના વ્યાપમાં ધંધાકીય નુકસાન, નાણાંકીય કટોકટી, કૌટુંબિક સમસ્યાઓ, માનસિક ત્રાસ કે હેરાનગતિ, બીમારી, સંવેદનશીલ સ્વભાવ, સામાજિક કે રાજકીય અશાંતિ, કુદરતી કે માનવસર્જિત આફતો, પ્રિયજનનું અવસાન, વતનથી અન્યત્ર સ્થળાંતર કે ઘરચકલી જેવી સંકુચિત મનોવૃત્તિના કારણે અનુભવાતો ગૃહવિયોગ વગેરે આવી શકે.

હળવી માત્રાની હતાશા કેટલાક કલાકો કે દિવસો પૂરતી સીમિત હોય છે અને તેનો ભોગ બનનાર કોઈ પણ જાતના પ્રયત્ન વગર તેમાંથી બહાર નીકળી શકે છે; પણ,તીવ્ર હતાશા ખતરનાક હોય છે અને તેના ફળ સ્વરૂપે કોઈક વાર અનિચ્છનીય નકારાત્મક પરિણામો આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. પોતે અસલામતી અનુભવવાના કારણે જીવન જીવવામાંથી રસ ગુમાવી દે છે. કોઈકવાર હતાશાનાં કારણો ઉપર વધુ પડતો વિચાર કર્યે રાખવાના પરિણામે વ્યક્તિ કાં તો આત્મહત્યા કરી બેસે છે કે પછી પોતાના કુટુંબને રઝળતું મૂકીને ઘર છોડીને ભાગી જાય છે. આ બંને પૈકી કંઈ ન બને તો છેવટે તેનો સ્વભાવ એવો બની જાય છે કે તે વાતવાતમાં બીજાઓ ઉપર ગુસ્સે થઈ જાય અથવા આક્રમક કે હિંસક બની જાય છે. કેટલાક કિસ્સાઓમાં માણસ સાવ મૌનધારક બની જાય છે અને પોતાની સમસ્યાની વાતના કોઈને સહભાગીદાર બનાવવાથી દૂર રહે છે. કોઈકવાર તે વ્યક્તિ પોતાની જાતની લાચારી ઉપર દયા ખાઈને ચૂપચાપ રડી લે છે અથવા તો પોતાની જાતને કોઈક ખૂણામાં સંતાડી દઈને લોકોને મળવાનું ટાળે છે. ભોગ બનનાર ઈસમ અનેક રાત્રીઓ ઊંઘ્યા વગર પસાર કરે છે અને ખાવાનું બંધ કરી દેવા ઉપરાંત કોઈ પણ જાતના મનોરંજનથી પણ દૂર રહે છે. ટૂંકમાં કહેતાં આવા હતાશ માનવીની વર્તણુંક અસાધારણ અને વિચિત્ર જોવા મળે છે. Read the rest of this entry »

 
 

Tags: , , , , ,