RSS

Tag Archives: spirituality

(215) ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)

મારા વાંચકોએ ‘ભૂતપ્રેત’ ના વિષયે સાવ સંક્ષિપ્ત એવી મારી એક વાર્તા ‘The Proof’ જેનો મેં ‘સાબિતી’ શીર્ષકે અનુવાદ પણ આપ્યો છે તે વાંચી હશે. એ વાર્તા વિષે કહું તો એ માત્ર સાહિત્યિક રચના જ હતી અને તે સંપૂર્ણપણે કાલ્પનિક હતી. ભૂતપ્રેતના અસ્તિત્વ વિષે મતમતાંતરો હોવા છતાં સૌ કોઈ જન ભૂતના વાસ્તવિક કે કાલ્પનિક એવા ભયથી બાકાત રહી શકે નહિ અને આ એક માત્ર થિયરીને પકડીને સાહિત્યસર્જકો કે ફિલ્મ-સિરીયલના નિર્માતાઓએ સાહિત્યના નવ રસો પૈકીના આ ભયાનક રસની નિષ્પત્તી દ્વારા લોકોને મનોરંજનો (કોઈપણ રસ વ્યથાઓનું શમન કરે જ એ અર્થમાં) પૂરાં પાડ્યાં છે અને એવાં સર્જનો પ્રસિદ્ધિ પણ પામ્યાં છે. અહીં મારા આજના લેખમાં હું મારા પોતાના ભૂતપ્રેત વિષેના જાતઅનુભવોને આપવા માગું છું, જેમાં હકીકત વિષે કોઈ જ અતિશયોક્તિ નહિ હોય; પણ હા, તેને સાહિત્યિક ઓપ તો જરૂર આપવામાં આવશે અને એ વાંચકોને વાંચનમાં જકડી રાખવા માટે જરૂરી પણ હોય છે.

મારા લેખમાં આગળ વધવા પહેલાં મારા Disclaimer ને ટૂંકમાં રજૂ કરીશ કે અહીં ભૂતપ્રેતની લોકમાન્યતાને દૃઢ કરવાનો મારો કોઈ ઈરાદો નથી કે વૈજ્ઞાનિક અથવા અવૈજ્ઞાનિક રીતે પણ ભૂતપ્રેતનું અસ્તિત્વ હોવા ન હોવાનો એવો કોઈ દાવો પણ હું કરવા માગતો નથી. ઘણા લોકો મારા જેવા જ હશે કે જેઓ ભૂતપ્રેતના વહેમ કે તેવી અંધશ્રદ્ધામા માનતા નહિ હોય અને છતાંય એવા કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવો થયેથી પોતાની માન્યતામાં થોડા કે વધુ પ્રમાણમાં ચલિત પણ થયા હોય!. લેખની કદમર્યાદાને ધ્યાનમાં રાખીને અહીં હું અનેક પૈકીના મારા એવા બેએક જાતઅનુભવોને રજૂ કરીશ. Read the rest of this entry »

 

Tags: , , , , , , , ,

(211) મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ

(211) મરહુમ જનાબ ‘સૂફી’ સાહેબને નિવાપાંજલિ

Click here to read in English with Image

મારા કેટલાક વાંચકોએ જુન ૧૨, ૨૦૦૮ થી મારા બ્લોગ ઉપર મારા કોઈ આર્ટિકલ ન દેખાતાં મને પૃચ્છા કરી હતી. મારા કારોબારના આ દિવસોમાં મારી વ્યસ્તતાના કારણે હું મારી બ્લોગીંગ પ્રવૃત્તિમાં થોડોક નિષ્ક્રીય હતો. એવામાં મારા એક મિત્રે અચકાતાં અચકાતાં મને મેઈલ કરી હતી કે હું મારી તબિયત બાબતે સ્વસ્થ છું કે કેમ! આ મેઈલનો ગર્ભિત ભાવ એવો હતો કે તેઓશ્રી કદાચ જાણવા માગતા હતા કે હું જીવિત છું! ઈશ્વરકૃપાએ હું તો અહીં છું, પણ આજે ‘કોઈક’ સર્વશક્તિમાન સર્જનહારના સાન્નિધ્યમાં છે. મલૈકુલ મોત (યમદૂત) દ્વારા કદાચ કોઈ ભૂલ થઈ હશે કે શું (હું લોહીના ઊંચા દબાણનો દર્દી છું), પણ આજના દિવસે આપણા વ્હાલા માનવંતા મહાનુભાવ જનાબ મહંમદઅલી પરમાર ‘સુફી’ સાહેબની રૂહનું આ ફાની દુનિયામાંથી અનંત અને અજ્ઞાત એવી દુનિયા તરફ પ્રયાણ થયું છે. બ્લોગીંગ જગતના નભોમંડળમાંથી આજે ‘સુફી’ નામનો એક ચમકતો સિતારો ખરી પડ્યો છે. Read the rest of this entry »

 

Tags: , , , , , , , , , , ,

(210) ભેદભરમની ભીતરમાં – આસ્થા કે ઈમાન! (૨)

મારા અગાઉના આ શીર્ષકે લખાએલા લેખ પછી કેટલાક મિત્રોનાં સૂચનોથી મને એવું પ્રોત્સાહન સાંપડ્યું છે કે મારે મારા જીવનમાં અનુભવાએલી આવી ભેદભરમને ઉજાગર કરતી અન્ય કોઈ વાતોને લેખશ્રેણી રૂપે રજૂ કરવી. આમેય મારા બ્લોગનું શીર્ષક પણ છે, “William’s Tales” (વિલિયમની વાતો) અને તેથી જ હું છેલ્લાં ત્રણેક વર્ષથી વિવિધ વિષયો ઉપર વાતો જ કરતો આવ્યો છું. આમ હું આપ સૌને સંબોધીને જ લખતો હોઉં તેવી મારી કથનશૈલી પણ અનાયાસે આવી જાય છે.

મેં એક બહુ જ સંવેદનશીલ વિષય પસંદ કર્યો હોઈ મારે ખૂબ જ સાવધાની વર્તવી પડશે અને તે મારા માટે જરાય મુશ્કેલ નહિ બને. મને અંગત રીતે પ્રત્યક્ષ જાણતા અને પરોક્ષ રીતે મારા લેખો દ્વારા મને સમજનારાઓને ખબર હશે જ કે હું સર્વધર્મને સન્માન આપવાની ભાવનાને વરેલો છું. વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિનું ઉમદા લક્ષણ છે. ભારતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ગણાતા એવા બે મોટા મુખ્ય સમુદાયોને એ જ ક્રમે ઓળખાવવા મારા શીર્ષકમાં મેં ‘આસ્થા’ અને ‘ઈમાન’ એવા બે શબ્દો મૂક્યા છે. હું મારા જે અનુભવને આ લેખમાં દર્શાવવા જઈ રહ્યો છું તેમાં કોઈ ધર્મ કે ધર્મગ્રંથને ઉલ્લેખવાથી દૂર રહીશ. પ્રત્યેક ધર્મના અનુસરનારાઓની મૂળભૂત ભાવના તેમની આસ્થા કે ઈમાન (Faith) ના પાયા ઉપર મંડાએલી હોય છે. ખેર, હવે આપણે ઘટનાના નાયક (Hero)ના સ્વાનુભવની વાત ઉપર આવીએ.

અહીં અપાતી ઘટનાના નાયક તરીકે મને કે અન્ય કોઈને ઓળખાવવું જરૂરી નથી. મારા વાંચકો પોતે પણ આ કે આવી ઘટનાઓના નાયક તરીકે પોતાને ગોઠવી શકે. આમ હું આપણા નાયકને ‘અ’ તરીકે જ દર્શાવીને આગળ વધું છું. હવે આપણે તેના જ શબ્દોમાં તેના સ્વાનુભવને ભેદભરમની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે તેને જ સાંભળીએ.

* * * * * Read the rest of this entry »

 

Tags: , , , , , , , , ,

(206) પ્રણાલિકાગત જન્મદિવસોની ઊજવણીઓ

Click here to read in English 

આજે ૭મી જુલાઈ છે અને તે મારો જન્મદિવસ છે. આગળ વધવા પહેલાં સ્પષ્ટતા કરી લઉં કે આ આર્ટિકલ એ મારો અંગત ન રહેતાં સૌ કોઈને લાગુ પડતો સાર્વત્રિક બની રહે તેવો મારો ઈરાદો છે. મારો જન્મદિવસ એ તો માત્ર મારા આજના લેખને લખવા માટેના પ્રોત્સાહનથી વિશેષ કશું જ નથી. ભાષાકીય વ્યાકરણની પરિભાષામાં ‘મારો જન્મદિવસ’ શબ્દોમાં ‘મારો’ એ સંબંધ કે માલિકીવાચક સર્વનામ છે અને ‘જન્મદિવસ’ ના વિશેષણ તરીકે છે. હવે જો ‘મારા’ શબ્દ ઉપર ભાર મૂકીને કહેવામાં આવે તો એવું સમજાય કે આ દિવસ એ માત્ર મારો જ જન્મદિવસ છે, અન્ય કોઈનો નહિ; પરંતુ, એમ સંભવી શકે નહિ, કેમકે આ દિવસ ઉપર એકમાત્ર મારા એકલાનું ધણિયાપું ન હોઈ શકે. હયાત કે સ્વર્ગસ્થ એવા અસંખ્ય માણસો આ દિવસે જન્મ્યા હશે અને ભવિષ્યમાં આ જ દિવસે કેટલાય જન્મશે પણ ખરા.

મારા શીર્ષકનો પહેલો શબ્દ બતાવે છે કે દુનિયા આખીયમાં ઊજવાતા જન્મદિવસો માત્ર પ્રણાલિકાગત જ હોય છે અને તેમનો ઉદ્દેશ પણ ઊજવનારની આર્થિક ક્ષમતા અને સામાજિક મોભાનું પ્રદર્શન કરવાનો જ હોય છે. મિજબાનીઓ અને જન્મદિવસની ઊજવણીઓ વીજળી અને ગાજવીજની જેમ એકબીજા સાથે સંકળાએલી હોય છે. જ્યાં જ્યાં જન્મદિવસની ઊજવણીઓ હોય, ત્યાં ત્યાં મિજબાનીઓ તો હોવાની જ! જન્મદિવસની મિજબાનીઓ ઘરે રાખવામાં આવતી હોય કે મોંઘી હોટલોમાં, પણ તેમાં સ્પષ્ટ ખ્યાલ એ જ હોય છે કે મિત્રો અને કુટુંબીજનો સાથે મળીને બધાંયે ખુશમિજાજથી બસ આનંદ જ લૂંટવો. Read the rest of this entry »

 

Tags: , , , , ,

(200) ભાવપ્રતિભાવ -૪ (શ્રી સુરેશ જાની, અનુવાદક – ‘વર્તમાનમાં જીવન’)

એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે. સુરેશભાઈ જેવા તજજ્ઞે જ્યારે આ પુસ્તક હાથમાં લીધું છે, ત્યારે એ બાબત પોતે જ પ્રમાણ બની જાય છે કે આત્મોત્થાન માટેનાં અનેક ઉમદા પુસ્તકો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રીતે સ્થાપી શકે એવું આ પુસ્તક છે. પ્રકરણો ક્રમિક રીતે અપાતાં જાય છે અને વંચાતાં જાય છે, તે પણ એક રીતે લાભદાયી એટલા માટે છે કે આખું પુસ્તક એકી બેઠકે સળંગ વંચાય તો દરેક વિચાર ઉપર ચિંતન કરવાની તક ઓછી રહે. આ અને આવાં તત્વદર્શી પુસ્તકોના વાંચનની સાચી રીત ‘વાંચવું ઓછું અને વિચારવું વધારે’ એ જ હોઈ શકે.

આ પુસ્તક વિદ્વતાપૂર્ણ બન્યું હોવાનું અનુમાન અત્યારસુધીના વાંચન ઉપરથી સાચું એ રીતે પડે છે કે લેખકે સ્વાનુભવે અને ઊંડા વિચારમંથનના પરિણામરૂપે જ તેને લખ્યું છે. તેમણે વિચારો કરીને નહિ; પણ વિચારો આવવા દઈને, તેમને ચકાસીને, તેમનું સંકલન કરીને, તેમને તાર્કિક ક્રમ (Logical Sequence) માં ગોઠવીને જ પછી આપણી સામે રજૂ કર્યા છે. વિચારો તો સૌને આવે, પણ એ વિચારોને જીવાતા જીવનમાં અન્ય કોઈની સામે મૌખિક રીતે અભિવ્યક્ત કરવા કે તેને અક્ષરદેહ આપવો એ કલા છે અને આવી કલા દરેક માટે સાધ્ય નથી હોતી. લેખકની વર્તમાનમાં જીવન જીવવાની વાત ચીલાચાલુ રીતે જોવા, વાંચવા કે સાંભળવા મળતી વાતો કરતાં મુઠેરી ઊંચી છે. આવા મહાન વિચારકના સર્જન ઉપર મારા જેવા સામાન્ય માણસનું કામ નથી કે એ સમગ્ર પુસ્તક ઉપર ન્યાયયુક્ત કોઈ ભાષ્ય આપી શકે. આમ છતાંય હા, એટલું કદાચ સંભવ છે કે તેના એકાદ વિચારઅંશ ઉપર સમર્થનકારી, વિવેચનાત્મક કે ટીકાત્મક કોઈ પ્રતિભાવ આપવામાં આવે. Read the rest of this entry »

 

Tags: , , , , ,