Click here to read in English version with Images
આપણી પાસે કોઈ ઠોસ અને નિર્ણયાત્મક સાબિતી નથી કે જે થકી આપણે કહી શકીએ કે મનુષ્ય સિવાયનાં અન્ય પ્રાણીઓ પણ રૂદન કરતાં હશે! આ લેખ માનવીઓ ઉપર કેન્દ્રિત હોઈ આપણે પ્રાણીઓ સાથે કોઈ લેવાદેવા નથી. ટોમ લુત્ઝ (Tom Lutz) નામના જીવવિજ્ઞાની લાક્ષણિકતાઓને અનુલક્ષીને આંસુઓના ત્રણ પ્રકાર આપે છે. (1) મૂળભૂત (Basal) આંસુ (2) પ્રત્યાઘાતી (ઈજાના ફલસ્વરૂપ) આંસુ; અને, (3) લાગણીજન્ય (મનોવૈજ્ઞાનિક કારણથી નિપજતાં) આંસુ. પરંતુ, અહીં પણ મારો એવો કોઈ ઈરાદો નથી કે હું રૂદન કે આંસુ સારવાની પ્રક્રિયાનો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કરું. હું હવે પછી અહીં ફક્ત લાગણીજન્ય આંસુઓ વિષેની જ ચર્ચા હાથ ધરીશ.
ચાર્લ્સ ડાર્વિને (Charles Darwin) કહ્યું છે કે ‘રૂદન એ મનુષ્યની વિશિષ્ટ પ્રકારની સાંવેગિક અભિવ્યક્તિ છે’. રૂદનને કોઈ ઉંમર, લિંગ કે સંસ્કૃતિના ભેદ નડતા નથી અને માનવજીવનમાં આ સંવેગ યુગો સુધી ચાલ્યા જ કરશે. રડનારને કોઈ બાહ્ય સત્તા કે શક્તિ તેને તેમ કરતાં અટકાવી શકે નહિ, જ્યાં સુધી કે વ્યક્તિ પોતે જ પોતાની મેળે અથવા પોતાની ઈચ્છાથી રડવાનું બંધ ન કરી દે! ઘણીવાર એમ પણ બનતું હોય છે કે રડનાર પોતે પણ પોતાના રૂદન ઉપર અંકુશ મૂકી ન શકે, જ્યાં સુધી તેની પ્રસન્નતા કે ગમગીનીનું મૂળભૂત જે કોઈ કારણ હોય તેની અસર સંપૂર્ણપણે તેના મનમાંથી સાવ ભૂંસાઈ ન જાય. Read the rest of this entry »
[…] ક્રમશ: (7) […]