RSS

Category Archives: gujarati

(૪૯૨) “વેદનાનું વૃક્ષ” પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૯)

Pain Tree

The fruits of pain

on every branch,

swinging with the moves

swaying with the limbs

like the apples sway and swing

on Apple Tree.

The apples of pain,

tasty n mouth watering

release balmy fragrance

that senses love boundlessly.

these pains are the fruits

of wisdom.

They realize me every moment

That I am human and hollow,

anyone can put drumsticks on me.

Their sweet bites, strong crackles,

soar stings and mild clatters

are the lessons of life.

They are the memorabilia

of my existence.

-Mukesh Raval

* * * * *

વેદનાનું વૃક્ષ

(અછાંદસ)

વેદનાનાં ફળ –

હર શાખે શાખે,

ઝૂલતાં ને હાલતાં

હાલતાં ને ઝૂમતાં

અંગ અંગ સંગ,

જ્યમ ઝૂલતાં ને ઝૂમતાં

સફરજન નિજ ઝાડવે.

વેદનાનાં ફળ –

લિજ્જતદાર

ને વળી

મુખમાં પાણી લાવે

સૌમ્ય સુગંધ પ્રસારે

સ્નેહ અપાર બતાવે.

આ વેદનાઓ તો

ડહાપણનાં ફળ

જે હર પળે યાદ અપાવે

કે હું માનવ છું ને પોલો પણ,

હરકોઈ દાંડી પીટી શકે મુજ પર !

તેઉનાં મધુરાં બચકાં

ને તીવ્રતર તડતડ ધ્વનિ

સ્વૈરવિહારી ડંખ અને હળવો ખડખડાટ

એ સઘળા છે

જીવનના પાઠો.

એ સઘળાં છે

યાદગાર તથ્યો

મુજ અસ્તિત્વનાં.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

રસદર્શન

વિષયવૈવિધ્ય હોય અને વળી વિષયો પણ પાછા કલ્પનાતીત હોય એવાં કાવ્યો આપવામાં માહિર એવા કવિશ્રી મુકેશ રાવલનું આ કાવ્ય પણ વાચકો માટે મનભાવન બની રહે તેમ છે. માનવજીવનમાં પરસ્પર વિરોધી એવી ઘણી બાબતો સમાવિષ્ટ હોય છે; જેવી કે જન્મ-મરણ, અમીરી-ગરીબી, બીમારી-તંદુરસ્તી વગેરે. સ્વાભાવિક છે કે માનવી સુખદ બાબતોથી પ્રસન્નતા અનુભવે અને દુ:ખદ બાબતોથી ગમગીન રહે. જો કે સુખ અને દુ:ખ સાપેક્ષ છે. કોઈ એક જ ઘટના માનવીમાનવીએ રુચિ અને પરિસ્થિતિની વિભિન્નતાના કારણે કોઈને સુખ આપે તો કોઈને દુ:ખ આપે. સુખ તો સૌ કોઈને ગમે, પણ અહીં કવિ દુ:ખને અને દુ:ખની વેદનાને પણ સુખદ હોવા તરીકે સમજાવે છે.

વિલિયમ શેક્સપિયરના એક નાટકમાં અવતરણ છે કે ‘Sweet are the uses of adversities’ અર્થાત્ વિષમ પરિસ્થિતિઓને પણ સુખદ સ્થિતિમાં પરિવર્તિત કરી શકાય છે. અહીં કવિએ ‘વેદના’ને એક વૃક્ષ તરીકે કલ્પીને તેના ઉપર પરિણામ રૂપે બાઝતાં ફળોને સફરજનનાં ફળો સાથે સરખાવ્યાં છે. સફરજનના ઝાડ ઉપર જેમ સફરજન ઝૂલતાં અને ઝૂમતાં હોય તેમ વેદનાના વૃક્ષ ઉપર પણ એવાં જ ફળ ડાળેડાળે હાલતાં, ઝૂલતાં અને ઝૂમતાં કલ્પી શકાય, જો એવો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો. આ વેદનાનાં ફળ પણ પેલાં સફરજનની જેમ સ્વાદિષ્ટ અને એવી જ સોડમ ફેલાવતાં લાગી શકે.

માનવજીવનની વેદનાઓમાંથી જ ડહાપણ ઉદ્ભવે. પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાંથી આપણે જીવનનું મૂલ્ય સમજી શકીએ. માનવી વેદનાઓમાં જેટલો વધુ પિસાય તેટલો જ વધુ શક્તિશાળી બનીને બહાર આવી શકે અને વિષમ પરિસ્થિતિઓ સામે લડવાનું કૌવત પણ મેળવી શકે. કવિ દુ:ખોને સહજ તરીકે અપનાવી લેવા માટે એક રમૂજી વાત સંભળાવે છે. વેદનાઓમાંથી પ્રાપ્ત થયેલું ડહાપણનું ફળ આપણને માનવી હોવાનો અહેસાસ તો કરાવે છે, પણ સાથેસાથે આપણે પોલા ઢોલ જેવા છીએ એવી વાસ્તવિકતા સ્વીકારી લેવાની વાત પણ સમજાવે છે. પોલા ઢોલ ઉપર સૌ કોઈ દાંડી પીટીને તેને વગાડી લે, બસ તેવું જ માનવીનું પણ હોય છે. માનવી ઉપર પણ આધિ, વ્યાધિ અને ઉપાધિના મારા આવતા જતા હોય છે, કેમ કે એ સૌ પોલું ભાળીને એને સતાવ્યે રાખતાં હોય છે. પરંતુ આપણે એ વિટંબણાઓના ઊજળા પાસાને ધ્યાનમાં લેવું જોઈએ, કેમ કે એ જ વિટંબણાઓ આપણા ચારિત્ર્ય અને મનોબળને મજબૂત બનાવવા માટે પોષણ પણ પૂરું પાડતી હોય છે.

કવિ કાવ્યસમાપને આવવા પહેલાં ગંભીર વાતને એવી સહજ રીતે સમજાવે છે કે જેમ આપણે સફરજનને મધુરાં બચકાં ભરતા હોઈએ અને તે ટાણે થતો તીણો તડતડાટ આપણને આનંદ આપે, તેમ વેદનાના વૃક્ષનાં ફળ પણ આપણને જીવનોપયોગી મધુર પાઠ ભણાવતાં હોય છે. વેદનાનાં આ ફળ આપણા જીવનનાં તથ્યો કે તારણો સમાન છે જે આપણને આપણા અસ્તિત્વનું ભાન કરાવે છે.

ગહન વિચારને સરલ બાનીમાં અભિવ્યક્ત કરતી મર્મસ્પર્શી રચના બદલ કવિશ્રીને અભિનંદન.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

* * * * *

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ :–

“Pots of Urthona” – ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩

* * * * *

 

Tags: , , , , , ,

(૪૮૪) “તાત્ત્વિક સ્વગતોક્તિ”- શ્રી વિજય જોશીનાં અંગ્રેજી કાવ્યોના ભાવાનુવાદ અને સંક્ષેપ (૨)

Soliloquy of Essence

 

While descending

into my personal universe

scattered along the way I found

unfinished dreams

faded memories

mistaken identities

broken promises

un-confessed sins

deflated egos.

Continuing my descent

into innermost recesses

of my nascent space,

At last I reached

the end of all multiplicities

dawn of my singularity.

There I heard hum

of my existence

very essence of

my being.

-Vijay Joshi

 

* * * * *

 

તાત્ત્વિક સ્વગતોક્તિ (ભાવાનુવાદ)   

(અછાંદસ)

 

નિજિ દુનિયામાં

જ્યારે હું અવરોહણ કરું છું,

ત્યારે મુજ માર્ગે જોવા પામું હું,

વેરાયેલાં અત્ર, તત્ર સર્વત્ર

કંઈ કેટલાંય સપનાં અધૂરાં,

ધૂંધળી વળી યાદદાસ્તો

ને ભૂલભરી પહેચાનો,

તોડેલાં વચનો

ને વણકબૂલ્યાં પાપો

અને વળી જામી ગયેલો અહમ્ પણ ખરો !

હજુય મારું અવરોહણ ધપે ભીતરે

આવિર્ભાવ પામતા અવકાશ મહીં

ઊંડેરી આંતરિક વિશ્રાંતિ ભણી.

છેવટે હું પહોંચ્યો

બહુવિધતાઓનીય પેલે પાર

મુજ એકલતાના નૈકટ્યે.

અહો ! ત્યાં તો ગુંજન શ્રવ્યું મેં –

મુજ અસ્તિત્વનું,

મુજ હોવાપણાના તત્ત્વનું !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

* * * * *

સંક્ષેપ :

આ એક સ્વગતોક્તિ છે કે જ્યાં માણસ પોતે જ પોતાના વિચારોને મોટેથી પોતાને જ ઉદ્દેશીને બોલી સંભળાવતો હોય છે.

આ એક અંતરયાત્રા છે, આત્મનિરીક્ષણ છે, નવજીવન છે.  અહીં પોતાની જાતને, પોતાના આત્માને, પોતાના ચૈતન્યને, પોતાનામાં રહેલા નિર્દોષ શૈશવને કે જે આપણા સૌમાં વસે છે તેની શોધ આદરીને તેને પામવાનો પ્રયત્ન છે. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે આપણા આત્મતત્ત્વને જાગૃત કરવાનું છે, આપણા ચૈતન્યને દેદીપ્યમાન બનાવવાનું છે.

આપણી આ આંતરિક શોધ થકી આપણી ભૂતકાલીન એવી કેટલીય બાબતો કે જે ભુલાઈ ગઈ હોય, અણદેખી થઈ  હોય કે અવગણાઈ હોય એ સઘળી પુન: પ્રત્યક્ષ થઈ જતી હોય છે. આ શોધ થકી વીતી ગયેલી જીવનપળોની યાદદાસ્ત તાજી થતી હોય છે, અહંનો ક્ષય થતો હોય છે, ખોટું સાચામાં પરિણમતું હોય છે, વગેરે…વગેરે.

જાતમાં ઊંડા ઊતરવાની આ સફર ત્યાં સુધી ચાલુ રહેતી હોય છે કે જ્યાં સુધી આપણે એ તત્ત્વના હાર્દ સુધી પહોંચીએ, એને જાણી લઈએ અને એનું પ્રગટીકરણ કરી લઈએ. આ કક્ષાએ પહોંચ્યા પછી માનવી પરમ શાંતિનો અનુભવ કરી શકે છે.

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

# # # # #

શ્રી વિજયભાઈ જોશીનાં સંપર્ક સૂત્રો : –

ઈ મેઈલ – Vijay Joshi aajiaba@yahoo.com

બ્લૉગ – VIJAY JOSHI – WORD HUNTER : https://vrjoshi.wordpress.com

* * * * *

 

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

 

 

Tags: , , , , ,

(૪૬૫) “માધુરી દીક્ષિત (સિનેતારિકા)” : પ્રૉફેસર મુકેશ રાવલનાં અંગ્રેજી કાવ્યો – ભાવાનુવાદ અને રસદર્શન (૩)

Madhuri Dixit

Beauty and sweetness compete to sit
on the heavenly curve of her lip’s rim.
Even wind dare not whistle at her feet
she commands respect in the dream.

She sees and smiles and makes her way
Brings the spring at the soul’s bay
Like lightening in rain she keeps the pace
Quenches the thirst through godly face

A queen that wears the necklace of charm
And sways like the golden wheat in the farm
Venus in disguise steals hearts from screen
Through steps of dance let lookers scream

Deity of dance and smile personified
She takes at glance the world in her stride

-Mukesh Raval

(Courtesy: ‘Pots of Urthona’ – A Collection of Poems)

માધુરી દીક્ષિત (સિનેતારિકા)

નિજ લાવણ્ય અને માધુર્ય  સ્પર્ધતાં એકમેકને, બિરાજવા કાજે,
એ  લલિતાંગી  લલના તણા અધર-રેખના  દિવ્ય વળાંક  ઉપરે.

મારુત પણ ફફડે, ના સૂસવે, તેણીના કદમો સમીપે
વળી એ જે સ્વપ્ન મહીં પણ  નિજ આત્મગૌરવને રક્ષે.

દૃષ્ટિપાતે મૃદુ મલકતી માર્ગ કંડારતી એ
આણી દેતી વસંત ઋતુરાણી  નિજ આતમાંતરાલે

વર્ષાકાલીન દામિની સમ સરતી એ તેજલીસોટે ત્વરાએ
દૈવી વદને સૌંદર્યપાન તણી તીવ્ર તૃષા છિપાવે.

મોહિની તણા કંઠહારે  શોભે રાજરાણીસમી એ,
નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.

છૂપી  પ્રેમદેવી વીનસ સમ દિલડાં ચોરતી  ચિત્રપટ-પટલે
નૃત્યકલાએ ઠમકતાં ડગે ચિસાવે દર્શકોને હર્ષનાદે !

સાક્ષાત્ નૃત્યદેવી તણા મૂર્તિમંત પ્રતીકશી  મધુર માધુરી એ
જગ આખાને  નીરખી  લેતી  નિજ નર્તન તણાં  વિરાટ ડગલે !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(સૌજન્ય : Pots of Urthona (કલ્પનાનાં પાત્રો) – અંગ્રેજી કાવ્યસંગ્રહ)

રસદર્શન :

“વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધુ જાદુઈ અસર ઉપજાવે છે” – સૉક્રેટીસનું આ વિધાન મુકેશભાઈના આ કાવ્યને અક્ષરશ: બંધ બેસે છે. આ કાવ્યની વાચક મુનિરા અમી મુકેશભાઈના કાવ્યને આ શબ્દોમાં ઓળખાવે છે, ‘માધુરીએ આ કાવ્ય વાંચવું જોઈએ કે જેથી તેના આત્મસંતોષમાં ઈજાફો થાય, કેમ કે આમાં તેની ગૌરવવંતી (dignified) પ્રશંસા છે.’ ફિલ્મી સાહિત્યમાં સિનેતારક-તારિકાઓ વિષે અભદ્ર ભાષા અને ગપસપ (gossip)ની ભરમાર હોય છે, જ્યારે આ કાવ્યમાં માધુરીના સૌંદર્યસભર વ્યક્તિત્વને શિષ્ટ સાહિત્ય રૂપે અને શૃંગારરસના પ્રમાણભાનને જાળવીને આલેખવામાં આવ્યું છે.

હજુ કાવ્યના રસદર્શનના પડાવે આવવા પહેલાં આપણે શૃંગારરસ વિષે થોડુંક જાણી લઈએ. ભરત મુનિ શૃંગારરસને આનંદદાયિત્વના જનક તરીકે ઓળખાવે છે અને તેથી જ સાહિત્યરસિયાઓ તેને રસરાજ તરીકે સ્વીકારે છે. તો વળી ભોજ તો શૃંગારરસ સિવાયના અન્ય રસોને સ્વીકારવાની જ ના પાડે છે. એ તો કહે છે કે કાવ્યનાટકાદિમાં કમનીયતા તો આ રસથી જ નિષ્પન્ન થઈ શકે છે. વિદ્વાન મમ્મટે તો શૃંગારરસની ઊંડાણથી મીમાંસા આલેખી છે. એ બધા તો ભૂતકાલીન વિદ્વાનો હતા અને એ બધી એમની વ્યાખ્યાઓ હતી, જ્યારે સાંપ્રતકાલીન દાદા ધર્માધિકારી ‘સૌંદર્ય મીમાંસા’માં જણાવે છે કે ‘રસિકતા વૈષયિકતા નથી. સૌંદર્ય વિષય નથી, પણ ભગવાનની વિભૂતિ છે. સૌંદર્ય માટેની અભિરુચિ એ જીવન છે.’

બોલીવુડની ભાષામાં ભલે માધુરી દીક્ષિતને ‘ધકધક ગર્લ’ તરીકે ઓળખાવાઈ હોય, પણ આ કાવ્યના આરંભે  જ કવિએ તો માધુરીના સૌંદર્ય અને માધુર્યને તેના હોઠો ઉપર બિરાજવા માટે આપસમાં સ્પર્ધા કરતાં બતાવીને કોઈપણ જાતનો ઔચિત્યભંગ ન કરતાં થોડામાં ઘણું કહી દીધું છે ! અહીં કવિની ભવ્યાતિભવ્ય કલ્પનાનાં દર્શન થયા સિવાય રહેશે નહિ. વળી પોતાની સ્વપ્નાવસ્થામાં પણ જે નારી પોતાના આત્મગૌરવને જાળવી રાખે છે, તેના ચરણો આગળ પવન પણ સૂસવવાની હિંમત કરી શકતો નથી. આમ કહીને માદક પવનના વરુણદેવ પણ તેના ગૌરવની આમન્યા જાળવતા દર્શાવીને કવિએ અહીં ગજબની ક્માલ દેખાડીને માધુરીના વ્યક્તિત્વને  સુપેરે ઉપસાવ્યું છે.

ફિલ્મરસિયાઓ પુરોગામી મધુબાલાના મોહક સ્મિતની હરોળમાં માધુરીના સ્મિતને મૂકતા હોય છે, તો આપણા કવિ પણ એમ ગાંજ્યા જાય એવા નથી. એ તો કહે છે કે મૃદુ હાસ્યસહ દૃષ્ટિપાત કરતી આ સુંદરી પોતાના માર્ગ ઉપર ચાલે છે, ત્યારે માદક એવી ઋતુઓની રાણી વસંતને પોતાના આત્મામાં ભરી દે છે. પ્રભાવશાળી સૌંદર્યની સમ્રાજ્ઞી એવી એ એવી ઝડપથી પસાર થઈ જતી હોય છે કે જાણે વર્ષા ઋતુમાં આકાશમાં ઝબકતી વીજળી તેજલીસોટો પાડી દેતી હોય ! દૈવી ચહેરા ઉપર એવું તો અદ્ભૂત એનું સૌંદર્ય છે કે સૌંદર્યપિપાસુઓની સૌંદર્યપાનની તૃષા તત્ક્ષણ જ છિપી જાય.

કવિની કલ્પનાશક્તિની અને કાવ્યના શબ્દોને શણગારવાની આગવી કલા કાવ્યની આ કંડિકામાં ચમકે છે : “મોહિની તણા કંઠહારે  શોભે રાજરાણીસમી એ, નિજ કોમલાંગે ઝૂલતી ઝૂમતા જ્યમ ગેહૂં સોનવર્ણા ખેતરોએ.” પ્રાચીન સંસ્કૃત કવિઓના શ્લોકોમાંના અર્થાલંકારોની હરોળમાં બેસી શકે તેવી કવિની મનહર કલ્પના આપણને ઘઉંનાં ખેતરોમાં લઈ જાય છે કે જ્યાં ઘઉં પાકી ગયા છે અને સુકાવા માંડેલાં કણસલાં સુવર્ણરંગી દેખાય છે. અહીં કવિ દૃષ્ટાંત અલંકાર પ્રયોજતાં આપણને રસાવે છે કે ગળામાં મોહિનીરૂપી માળાથી રાજરાણી જેવી શોભતી અને કોમળ અંગો વડે ઝૂમતી આ સૌંદર્યવતી નારી મંદમંદ પવનથી ઝૂલતાં પેલાં સોનેરી કણસલાંની યાદ અપાવે છે.

માધુરી દીક્ષિત એ રૂપેરી પડદે અભિનય કરતી એક એવી નૈસર્ગિક કલાકાર છે, જેનો કોઈ દૃશ્યમાં પ્રવેશ થતાંની સાથે અને તેમાંય વળી એ જ્યારે નૃત્ય કરતી હોય, ત્યારે બોલપટના દર્શકો હર્ષનાદની ચીસો પાડી બેસે છે અને એની એ કલાને બિરદાવે છે. આ કાવ્ય અંગ્રેજી ભાષા અને ભાષીઓને ગ્રાહ્ય કરવું સુગમ પડે તેવી ચીવટના ભાગરૂપે કવિએ માધુરીને પ્રણયની દેવી વીનસ સાથે સરખાવી છે. ભારતીય સંદર્ભે પ્રણયના દેવતા તરીકે કામદેવ અને તેમનાં પત્ની રતિને ગણવામાં આવતાં હોય છે. પરંતુ અહીં કવિએ પોતાની આત્મસૂઝ વડે દેવી વીનસને પસંદ કરીને વિશ્વની ભિન્નભિન્ન સંસ્કૃતિઓના અભ્યાસુ હોવાનો પરચો બતાવ્યો છે.

કાવ્યના અંતિમ ચરણમાં માધુરીના લાજવાબ નૃત્યકૌશલ્યને બિરદાવતાં કવિ તેને સાક્ષાત્ નૃત્યદેવી સાથે સરખાવીને તેના નૃત્યની કોઈ એવી અદા જાણે કે પોતે પ્રત્યક્ષ નિહાળતા હોય તેમ વર્ણવે છે કે ‘જગ આખાને  નીરખી  લેતી  નિજ નર્તન તણાં  વિરાટ ડગલે !’ શાસ્ત્રીય નૃત્યમાં શારીરિક મુદ્રાઓ આવશ્યક અંગ તરીકે  મનાય છે. નર્તકનૃત્યમાં ‘લસ્ય’ એક એવો આયામ ગણાતો હોય છે કે જેમાં સ્ત્રીસહજ લાલિત્યપૂર્ણ મુખડાના ભાવો અને ચાલ પ્રધાનપદે  હોય છે. કવિએ પોતાના કાવ્યમાં પ્રયોજેલા અંગ્રેજી શબ્દ ‘Stride’ના સમાનાર્થી ગુજરાતી શબ્દ માટે મારે (આ અનુવાદકને) ખાસ્સી એવી માનસિક જહેમત ઊઠાવવી પડી છે અને દીર્ઘ વિચારણાના અંતે બરાબર બંધબેસતો ‘વિરાટ ડગલે’ શબ્દયુગ્મ મનમાં ઝબકી જાય છે અને મારાથી તે અહીં પ્રયોજાઈ જાય છે.

આ કાવ્યના ભાવાનુવાદક અને રસદર્શનકાર એવા આ લેખકડાને ચિત્રકાર એમ. એફ. હુસૈન દ્વારા નિર્મિત,  માધુરી દીક્ષિત દ્વારા અભિનિત અને શાસ્ત્રીય નૃત્યો ઉપર આધારિત ‘ગજગામિની’ જોવાનો મોકો મળ્યો નથી, પણ એના વિષે વિવિધ માહિતીસ્રોતોમાંથી જાણવા મળ્યું છે તે મુજબ આ ફિલ્મ ભલે હિટ ન ગઈ હોય, પણ કલાપ્રેમીઓ અને ફિલ્મ સમીક્ષકોએ તેને બિરદાવી હતી. આપણા કવિ મહાશયે એ ફિલ્મ જોઈ હોય અથવા અન્ય ફિલ્મોમાં માધુરીનાં નૃત્યો અવલોક્યાં હોય કે પછી  પોતે નૃત્યકલાના વિશારદ હોય, પણ તેમણે કાવ્યના અંતિમ ચરણે મિતભાષી શબ્દોમાં માધુરીના નૃત્યને ઉજાગર કરીને વાચકોને રસતરબોળ કરી દીધા છે.

શૃંગારરસ નિરૂપણમાં સમતોલન જાળવી રાખીને માધુરી દીક્ષિતનાં સૌંદર્ય અને નૃત્યકલાને સન્માનપૂર્વક અભિવ્યક્ત કરતા અને સૌજન્યપૂર્ણ વ્યવહારે એટલે કે અભિનેત્રીના સ્વાભિમાનને જરાય ઠેસ ન પહોંચે એવા મૃદુ ભાવે  લખાયેલા આ કાવ્ય બદલ કવિ શ્રી મુકેશભાઈને ખોબલેખોબલે ધન્યવાદ.

-વલીભાઈ મુસા (રસદર્શનકાર)

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

પુસ્તક પ્રાપ્તિ : –

“Pots of Urthona” –  ISBN 978-93-5070-003-7 મૂલ્ય : રૂ|. ૧૫૦/- (શાંતિ પ્રકાશન, ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ, ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ, અમદાવાદ – ૩૮૦ ૦૧૩)

 

 

Tags: , , , , , , , , , , , , , , , ,

(૪૬૪) જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… – ભાવાનુવાદ [11]

When the election war will end …

 The train was running at its fastest.
From the Nazi nationalism
to English valor
from American dominance
to commonwealth slavery
he studied along with Freud
the psychology of peasants
and embarked on for train of power.

From a cup of tea
sold on the platform
he learnt the idea of habit.
the habit of people to follow what they like.

He learnt how to manipulate and use
the feelings for the power.
He started selling dreams
to the dream-less mass.
He aroused them fore more.
the train started
from an already versatile state.
Deeply buried in his thoughts
Hitler was still alive.

His courtiers were the followers of Goebbels.
The train accelerated fast
through the spongy hearts of few other states.

He wished to capture the whole fruit.
Now he reached the core of the coconut.
the train was tired now
the train needed some more fuel
and a bit of repairs.
again the same power shots
on character and style
on coughing and mufflers
on the bad luck of enemy
Which are the identity of his opponent
with millions others.

The mufflers made the rope
strong and unbreakable
tied the train from behind
and let not move further
in spite of all his mighty thrusts

his train was moving at its fast
until a muffler man
showed him the red signal.
the vodka, the bunker and the Goebbels
wait him on 10th
when the election war will end
the train will derail
on its own fake rails…..

– Prof. Mukesh Raval

(Dt.090215)

 જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે… (ભાવાનુવાદ)

દોડી રહી હતી એ ટ્રેઈન નિજ પૂરઝડપે
નાઝી રાષ્ટ્રવાદી વિચારધારાથી અંગ્રેજ રણક્ષેત્રીય વીરત્વ ભણી
ને વળી અમેરિકી સત્તાપ્રભાવથી તે રાષ્ટ્રસમૂહ દેશો તણી નિર્માલ્યતા લગી
એણે આત્મસાત કરી લીધું સિગમંડ ફ્રોઈડ મનોવિજ્ઞાની તણી ઢબે
મનોવિજ્ઞાન એ ગ્રામ્યપ્રજા તણું
અને ચઢી બેઠો એ સત્તા તણી ટ્રેઈન ઉપરે.

રેલવે પ્લેટફોર્મે વેચાતા
ચાના એ કપ થકી
શીખી લીધી એણે માદક પ્રભાવકતા આદત તણી
કે લોકટોળાં એને જ અનુસરતાં જે તેઉને ગમતું.

શીખી લીધું એણે વળી ક્યમ ચાલાકીથી કામ નિપટવું
અને વટાવી લેવી ક્યમ લોકલાગણીઓ કરવા સત્તા હસ્તગત.
દિવાસ્વપ્નો વેચવાં શરૂ કર્યાં એ લોકસમુદાય મહીં
જે હતો સાવ જ શુષ્ક  અને વળી સ્વપ્નવિહીન
જગાડી  ઉગ્ર લાલસાઓ તેઉમાં પ્રથમથી જ પામવા અધિક.
ટ્રેઈન તો નીકળી પડી મોજુદા બાહોશ સ્થિતિએ.
વિચારોમાં એના ઊંડેઊંડે ધરબાયેલો
હિટલર હજુય જીવિત હતો !

હજુરિયા દરબારીજનના ભ્રામક પ્રચારો થકી
પકડી લીધો વેગ એ ટ્રેઈને એવો અધિક
કે વિશેષ કૈક પ્રદેશોનાં પોચટ લોકહૃદયો વચાળે સડસડાટ એ વહી ગઈ.

વાંછ્યું તેણે નિજ કાજે ઝડપવા ફળ આખેઆખું,
અને ઊંડેરો એ પહોંચ્યો ખરોય શ્રીફળના ગર્ભ સુધી,
પણ હવે એ ટ્રેઈન થઈ હતી શ્રમિત
અને માગે એ અધિક ઈંધણ ને થોડી મરમ્મત
વળી પાછા ત્રાટકવા એ જ બળે અને એવા જ  રંગઢંગે
દુર્ભાગી ખાંસતા એ વિપક્ષી જન અને તદ તણા મફલર ઉપરે
કે જે ઓળખ બની વિરોધી એના ને લાખો એના સાથીઓ તણી

મફલરોએ વણી લીધું એવું જાડું જ રજ્જુ
કે જે હતું મજબૂત અને વળી અતૂટ પણ
દીધું બાંધી એને ટ્રેઈનના પછવાડે કસકસીને
કે ન હાલે એ ટ્રેઈન અગાડી લગીરે
ભલે ને મારે એ તાકતવર હડસેલા અધિકાધિક !

દોડ્યે જતી હતી એની ટ્રેઈન પૂરઝડપે
કે જ્યાં લગણ એ મફલરવાળાએ લાલ સિગ્નલ ન ધર્યો.
સ્વઘાત પૂર્વેની હિટલરની આખરી ચુસકી વૉડકાની બન્કર મહીં
ને વળી ગૉબેલ્સ જેવા દુષ્પ્રચારના અંજામ એ સઘળાં તણી
કરો પ્રતીક્ષા આગામી દસમી સુધી
કે જ્યારે એ ચુનાવયુદ્ધ વિરમશે
અને પેલી ટ્રેઈન નિજ કૃત્રિમ પાટાઓ પરથી
ખડી પડશે ભોંય ઉપરે !

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

(તા.૦૯૦૨૧૫)

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,

(૪૬૩) ચાલો ને, આપણે … – ભાવાનુવાદ [10]

Let us …

Let us
All remove the title” Human”
Voluntarily,
Until we cannot remove
The inhumanity
Stored in us
From the ages and ages.

Let us
All stop believing in religion
Until we cannot make
Every one believe
That we are the children of same
Father.

Let us not butcher our progeny
like we did in Peshawar
Children are our future
and the heir to the throne of  humanity.

 Let us make this world
a place of beauty and peace
a place of arts and bliss
where the children of our children
remember us
for this gift.

– Mukesh Raval

* * * * *

ચાલો ને, આપણે

ચાલો, આપણે
’માનવી’ હોવાના બિરુદને
સ્વૈચ્છિક રીતે
ફંગોળી દઈએ;
જ્યાં સુધી કે
આપણે આપણામાં યુગોયુગોથી
ઘર કરી ગયેલી એ ‘અમાનુષિતા’ને
ન જાકારો દઈએ !

ચાલો ને, આપણે સૌ
ધર્મોમાં માનવાનું પણ બંધ કરી દઈએ;
જ્યાં સુધી કે
આપણે એકેએક જણને
સમજાવી ન શકીએ કે
આપણે સૌ એક જ પરમ પિતાનાં
સંતાનો જ છીએ !

આપણે રહેંસી ન નાખીએ નિજ સંતતિને,
જ્યમ રહેંસી ક્રૌર્યે પેશાવરે હવણાં !
સંતાનો આપણાં ન અવ માત્ર ભવિષ્ય જ,
વારસ પણ ખરાં માનવ્ય તણા તખતનાં.

તો વળી, ચાલો ને આપણે
બદલી દઈએ આ ધરિત્રીને
એવા સ્થળ મહીં
કે જે હોયે, રમણીયતા અને શાંતિ,
વિનયન અને પરમ સુખ થકી સભર,
જેથી આવનારી પેઢીઓ
સદાકાળ યાદ કરતી રહે આપણને,
આ બહુમૂલ્ય નજરાણા થકી !

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક

 [કવિશ્રી મુકેશ રાવલના આભારસહ]

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો 

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,

એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,

પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –

Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-

શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩

   

 

Tags: , , , , , , , , , , , , , , , ,