RSS

Category Archives: જીવન ઘડતર

(563) સ્વસ્થતા (WELLBEING)

[મારા બ્લોગ પેજ ‘My Interview’ ઉપરના હાલમાં દોહા (Doha) – કતાર (Qatar) સ્થિત કવયિત્રી સુશ્રી રબાબ મહેર (બ્રિટિશ-પેલેસ્ટિનીઅન નાગરિક)ના પ્રતિભાવ સામેના આ મુજબના મારા પ્રત્યુત્તરીય શબ્દો હતા: ‘Thank you very much for supporting my views on Yoga.’  ત્યાર પછી તેમના બ્લોગ ઉપર તેમનો ‘યોગ’ વિષેનો તેમના જાતનુભવ ઉપર આધારિત ઉપરોક્ત લેખ મારા વાંચવામાં આવ્યો. આ લેખનો અનુવાદ કરવા અને મારા બ્લોગ ઉપર મૂકવા માટે તેમણે ઉદાર સંમતિ આ શબ્દોમાં આપી છે : Please feel free to translate my article – you’ll be doing me a great service and honor.

આશા રાખું છું કે ‘યોગ’ ઉપરનો ભાવાનુવાદિત આ લેખ સૌ વાચકો અને ખાસ કરીને મુસ્લીમોને માત્ર  ગમશે જ નહિ, પરંતુ અનુકરણીય પણ બની રહેશે. મુસ્લીમો યોગ અને ધ્યાન કરતા થશે; તો આ એકદમ શુદ્ધ, વૈજ્ઞાનિક અને આખા જગતમાં બહુ જ ઝડપથી પ્રચલિત થઈ રહેલી પ્રક્રિયાનો લાભ મેળવતા થઈ શકશે. ધ્યાન વખતે નમસ્કાર કરવાનું કંઈ જરૂરી નથી. ધ્યાનની આ મુદ્રા સાવ ધર્મનિરપેક્ષ છે. 

(courtesy – Internet & Mr. Suresh Jani, USA)

Open and upwards  palm is  the best, as our fingers are at the end of nervous system. Through them cosmic energy can enter the nervous system in maximum amount.

– વલીભાઈ મુસા (ભાવાનુવાદક)] 

 * * *

સ્વસ્થતા (WELLBEING)

એક મુસ્લીમ તરીકે ‘યોગ’ મને મદદરૂપ થાય છે. (YOGA HELPS ME AS A MUSLIM)

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મારું મન અને મારું શરીર સતત કાર્યશીલ રહે છે, કેમ કે તેના અટકાવ માટે કોઈ ઓફ બટન છે જ નહિ. માનસિક રાહત કે શાંતિ માટે મને વિચાર આવે છે કે હું કંઈક એવી પ્રવૃત્તિમાં લાગી જાઉં કે જેનાથી મારી બુદ્ધિમત્તા કે શરીર કે પછી એ બંને રસતરબોળ બની જાય.

મારી આ અપેક્ષા મને યોગક્રિયામાં સિદ્ધ થતી લાગે છે. યૌગિક વિવિધ પ્રક્રિયાઓ થકી મારી સર્વગ્રાહી તંદુરસ્તી, આંતરિક અને બાહ્ય શારીરિક સુયોગ્યતા ઉપરાંત માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક કલ્યાણ અંગેની જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. 

શરીર

યોગથી થતા શારીરિક ફાયદાઓ અગણ્ય છે. મારા વ્હાલા વાચકો, એ ફાયદાઓને જાત અનુભવ કર્યા વગર નહિ સમજી શકાય. મારા અનુભવે એ ફાયદાઓ છે : માનસિક અને શારીરિક સ્વસ્થતા, શરીરના અવયવોની સંવાહનતા, શરીરની આંતરિક પ્રક્રિયામાં સુધારો, ચયાપચય (પાચનક્રિયા)માં વધારો, પીઠના મણકાઓની સુગ્રથિતતા, શરીરના સ્નાયુઓની મજબૂતી અને ઇંદ્રિયોની દૃઢતા, વજન ઘટવું, શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ અને સ્ફૂર્તિ તથા ચપળતામાં વધારો થવો.     

યોગમાં જરૂરી હોય છે, નાક દ્વારા શ્વાસ લેવો અને છોડવો અને આ ક્રિયા તંદુરસ્ત મન અને તનને જાળવવા માટે અતિ આવશ્યક છે. 

નાક દ્વારા શ્વાસ લેવાનો મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરનું તાપમાન વધે છે. આ સરળ અને અગત્યના મહાવરાથી ફેફસાં વૃદ્ધિ પામે છે અને આખા શરીરમાં શુદ્ધ ઓક્સિજન પ્રસરે છે અને તેથી કીટાણુજન્ય વિષ નાશ પામે છે અને આવા તો ઘણા બધા ફાયદા થાય છે. 

યોગથી હું સાચી રીતે શ્વાસ લેવાનો આનંદ લઈ શકી અને તેનાથી તેનું મૂલ્ય સમજાયું. વળી એટલું જ નહિ, મને મારા શરીર અને તેની અદ્ભુતતા પરત્વે પ્રેમ ઉભરાયો અને તેના પરત્વે મારો સન્માનીય દૃષ્ટિકોણ વિકાસ પામ્યો.   

યોગ એ જીવનપદ્ધતિ છે અને તે સમગ્ર જીવન દરમિયાનની એવી સફર છે કે જેમાં નવું જાણવાનું મળવા ઉપરાંત અલ્લાહ દ્વારા અપાયેલા આ શરીર, ચિત્ત અને આત્મા સાથેનું અનુસંધાન સધાય છે.     

ચિત્ત અને આત્મા

ઇચ્છાશક્તિ, ધીરજ, એકાગ્રતા, પ્રતિબદ્ધતા અને સમતુલા એ આસન પ્રયોગનાં ચાવીરૂપ તત્ત્વો છે, જે મને માનસિક અંધાધૂંધીમાંથી બહાર લાવે છે; મારી રોજિંદી કાર્યશૈલીને ચેતનવંતી બનાવે છે અને મારી દિશાશૂન્યતાને અટકાવી દે છે.    

હું જ્યારે કોઈ આસનને લાંબા સમય સુધી જાળવી રાખું છું, ત્યારે અલ્લાહના નામનો જાપ જપવામાં મારી જીભમાં એક પ્રકારની મીઠાશનો અનુભવ કરું છું. મેં નોંધ્યું છે કે આમ આસન દ્વારા મને એવી ઊર્જા પ્રાપ્ત થાય છે કે જે થકી હું મારા આસનકાળને લંબાવી શકું છું અને તેનાથી મારા શરીરમાં શક્તિનો સંચાર થાય છે; વળી એટલું જ નહિ, પણ મારી અલ્લાહ પરત્વેની મારી આસ્થામાં ઈજાફો થાય છે.   

મારી અન્ય આસનોની પ્રક્રિયાના અંતે હું જ્યારે સુખાસન અવસ્થામાં બેઠેલી હોઉં કે પછી શવાસન અવસ્થામાં સુતેલી હોઉં ત્યારે એક પ્રકારની વિશ્રામની અનુભૂતિ સાથે હું ધ્યાન ધરતી હોઉં છું. હું મારી આંખોને બંધ કરીને મારી શ્વાસોચ્છવાસની ક્રિયાને ધીમી પાડું છું, જેનાથી મારા હૃદયના ધબકારાઓને અનુભવી શકું છું, શાંતિને ધારણ કરી શકું છું અને માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકું છું. આ બધું મારી શ્વાસોચ્છવાસની ક્રિયા સાથેના મારા અલ્લાહના જિક્ર (સ્તવન) દરમિયાન અનુભવી શકું છું.         

મને નથી લાગતું કે યોગ સિવાયનો બીજો કોઈ ઉત્તમ માર્ગ હોય કે જેના થકી આપણે ક્ષણભંગુર એવાં વૈશ્વિક બંધનોમાંથી મુક્તિ અનુભવી શકીએ અને પોતાની જાતને તનાવમુક્ત કરી શકીએ. યોગની આ પ્રક્રિયા દરમિયાન મારા શરીર અને ચિત્તને કેન્દ્રિત કરીને હું અલ્લાહ આગળ મારા હૃદયને ખોલી શકું છું.      

ઉપચારાત્મક જીવનરાહ

શરીઆ એ મારો જીવનરાહ છે અને તેની સાથે સાથે જો હું મારી જાતની પણ કાળજી રાખું તો તે મને અલ્લાહની નજદીકી તરફ અવશ્ય લઈ જઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો આ માર્ગ એટલે પયગંબર હજરત મહંમદ (સ.અ.વ.)નો માર્ગ. 

મારા અંતરાત્માના દૃષ્ટિબિંદુ પ્રમાણે મારી સંપૂર્ણ સ્વસ્થતા એ યોગને આભારી છે. હું મારી બૌદ્ધિક અને શારીરિક સ્વસ્થતા અને સુયોગ્યતા માટે જાગૃત છું અને હું જાણું છું કે તન અને મનને કેળવવામાં આવશે, તો તેનું પરિણામ બહાર દેખાઈ જ આવશે.    

આ માટે મેં મારી જાત સાથે વાયદો કર્યો છે કે હું ગમે તે રીતે સમય કાઢીને પણ વ્યાયામ કરીશ અને યોગને પ્રાથમિકતા આપીશ; કેમ કે તે જ મારા ચિત્ત અને શરીરને જોડશે અને તેનાથી જ મારામાંની નકારાત્મકતા દૂર થઈને મારું મન શુદ્ધ થશે.   

આમ હું એવી જિંદગી જીવવા માટે શક્તિમાન બની છું કે જેનાથી મારી સંપૂર્ણ તંદુરસ્તી સાથે હું અલ્લાહની સક્ષમતાપૂર્વક ઈબાદત કરી શકું છું અને મારી જાતને મુસ્લીમ તરીકે ઉમદા બનાવવાની દિશામાં આગળ વધી રહી છું જેનો ફાયદો મને થયો છે અને અન્યોને પણ થઈ શકે છે.    

* * *

આપણે આપણા જીવનમાં આપણાં લક્ષ્યોનાં પ્રમાણપત્રો, ઉપાધિઓ (Degrees) અને નાણાં કમાવા માટે સમય કાઢી શકીએ છીએ. આપણે  નેટવર્ક, સોશિયલ મિડિયા અને એવાં માધ્યમોમાં કાર્યરત રહીએ છીએ; તો પછી આપણે આપણો સમય આપણા જ હિત માટેની આ યોગક્રિયા માટે પણ ફાળવવો જોઈએ અને આ નિર્ણાયક ક્રિયા બીજા કોઈએ નહિ, પણ આપણે જ આપણી અને અલ્લાહની ખુશી માટે કરવી જ રહી. 

આપણે આપણા માટેની જ આ જવાબદારી ઉઠાવવી પડશે અને આજની વ્યસ્તતાપૂર્ણ દુનિયાદારીના બહાના હેઠળ આ જવાબદારીમાંથી આપણે છટકી નહિ શકીએ. 

આપણા પ્રિય એવા હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે ‘…તમારા શરીરનો તમારા ઉપર એક અધિકાર છે..’

નોંધ :-

મારા એવા વાચકો માટેના મારા ઉપરોક્ત લેખમાંના ચાર મહત્ત્વના મુદ્દાઓને મારે સ્પષ્ટ કરવા જોઈશે કે જેઓ અને એમાંય ખાસ તો મુસ્લીમો એમ માનતા હોય કે યોગ એ તેમની માની લીધેલી ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી  અને આધ્યાત્મવિદ્યા માટેની મહત્ત્વની આ યોગક્રિયાને તેઓ અપનાવવા ન ઇચ્છતા હોય!      

નીચેની ચાર સામાન્ય યૌગિક ક્રિયાઓ કે જે ઈસ્લામિક માન્યતા સામે  દેખીતી રીતે જ વિરોધાભાસી લાગતી હોય તો તેને અવગણી શકાય.  

(૧) નમસ્કાર મુદ્રા અને નમન;

(૨) એવી કોઈ મુદ્રા કે જેમાં હાથ જોડવાના હોય કે હિંદુ અથવા બુદ્ધ ધર્મના કોઈ મંત્રોનું રટણ કરવામાં આવતું હોય;

(૩) નમસ્કાર કે નમસ્તે જેવા સંસ્કૃત કે સમાનાર્થી અંગ્રેજી શબ્દો હોય;

(૪) યૌગિક ક્રિયામાં ત્રીજી આંખ જાગૃત કરવાની માન્યતા કે જેનું કાર્ય માનવસ્વભાવમાં ભલે મહત્ત્વનું હોય, પણ તે માટે આભારદર્શન કરવું જરૂરી નથી, કેમ કે તેનામાં કોઈ જાદુઈ શક્તિ નથી.       

છેલ્લે,

જો તમે ઈટાલિયન ખોરાક ખાઓ છે, તો શું તમે ઈટાલિયન બની જાઓ છો? ધ્યાન અને યોગ એ છે કે જે તમારા માટે લાભદાયક છે. તમે જે કોઈ ખ્યાલ બાંધો છો કે ધ્યાન ધરો છો તે તમારી જાત માટે અનુરૂપ છે. આસનો કે તટસ્થ સ્થિતિઓ કાલાતીત છે અને તે સિદ્ધ થયેલાં છે. – ડો. પિટર જે. ડી’આદમો. 

-રબાબ મહેર (મૂળ લેખિકા)

-વલીભાઈ મુસા (ભાવાનુવાદક)

મૂળ લેખ ‘YOGA HELPS ME AS A MUSLIM’ વાંચવા માટે અહીં ક્લિક કરો

 

      

 

 

Tags: , , , , , , , , , , , , ,

(૫૩૧) દૃઢ નિશ્ચયની તાકાત   (Power of Determination) – અનુવાદ

Click here to read in English

આપણા જીવનના કોઈપણ ક્ષેત્રમાં કારકીર્દિ બનાવવા માટે કે ઉદ્દેશો સિદ્ધ કરવા માટે દૃઢ નિશ્ચયનું આગવું મહત્ત્વ છે. આજનો દૃઢ નિશ્ચય એ આવતી કાલની સફળતા છે. ટોમી લાસોર્ડા (Tommy Lasorda) કહે છે, ‘શક્ય અને અશક્ય વચ્ચેનો તફાવત માણસના દૃઢ નિશ્ચયમાં રહેલો છે.’ આ બધાં દૃઢ નિશ્ચયમાંથી નિપજતાં હકારાત્મક ભવિષ્ય કથનો છે. કોઈપણ માણસ માટે આવું આવું  હજુય વધારે કહેવું આસાન છે. માત્ર એમ કહેવું એ એક બાબત છે અને તેને અમલમાં મૂકવું એ જુદી બાબત છે. તમને જીવનમાં આગળ ને આગળ વધવામાં દૃઢ નિશ્ચયનું ચાલક બળ કે તેની શક્તિ તમને સક્રિય બનાવે છે. ઘણીવાર માણસને પોતાના સંઘર્ષ દરમિયાન ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને તેથી ઘણીવાર તે નાસીપાસ કે હતાશ થઈ જતો હોય છે. પરંતુ આવા સમયે તમારી દૃઢ નિશ્ચયની શક્તિ એ અવરોધને દૂર કરવા માટેની મદદ કરવા માટે આગળ આવતી હોય છે.

અત્રે હું મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન કે ઘણા એવા મહાન માણસોની વાત કરવા નથી માગતો. એ લોકો તો માનવજાતની ભલાઈ માટેનાં જે સ્વપ્નાં સેવ્યાં હતાં તેમને પોતાના દૃઢ નિશ્ચયના બળે સિદ્ધ કરી શક્યા. સુજ્ઞ વાચકો વિશ્વભરમાં તેમના વિષે લખાયેલાં અઢળક પુસ્તકોમાંથી તેમના વિષેની માહિતી મેળવી શકે છે.

પરંતુ આજનો મારો લેખ તો એક વિદ્યાર્થી વિષેનો છે. અલબત્ત તેણે જે કંઈ સિદ્ધિ મેળવી બતાવી તે પોતાની જ કારકીર્દિ બનાવવા અને તે કારકીર્દિથી જે કંઈ લાભ કે ફાયદા થશે તે માત્ર પોતાના કુટુંબ માટેના જ હોઈ શકે, પણ તેમાંથી મળવા પામનારો બોધપાઠ એ વિશ્વભરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. એક અંગ્રેજી કાવ્યમાં કહેવાયું પણ છે કે પ્રતિકૂળતાઓને પણ તકમાં પરિવર્તિત કરી શકાય છે. આ લેખના નાયકે એ સિદ્ધ કરી બતાવ્યું કે કેવી રીતે કોઈ અશક્ય વસ્તુને દૃઢ નિશ્ચયની તાકાત વડે શક્યમાં બદલી શકાય છે.

હું આ લેખના નાયકને ઓળખાવું તે પહેલાં મારા વાચકોને મારા અગાઉના લેખ ‘એક સજ્જનનું મૃત્યુ’ની યાદ અપાવીશ. અહીં જેની વાત કરવામાં આવનાર છે તે એ જ સજ્જનના પુત્ર અશરફ જ છે. તેની સફળતાની ગાથા વર્ણવવાનો હેતુ માત્ર એ નથી કે તેનાં ગુણગાન ગવાય, પરંતુ એથીય વિશેષ તો એ છે કે વિદ્યાર્થીઓનો એક મોટો સમૂહ કે જે પોતાના માધ્યમિક શિક્ષણમાં બહુ જ ખરાબ પરિણામ આવ્યું હોવાના કારણે કોલેજ શિક્ષણ મેળવવાનું મુલતવી રાખ્યું હોય તેમને પ્રેરણા મળી રહે.

પ્રથમ તો હું અહીં બરાબર બંધ બેસતું હેન્ડરસન (Henderson)નું એક રમૂજી અવતરણ મૂકીશ, જે આ પ્રમાણે છે : પિતાઓ પોતાનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે એટલા માટે મોકલતા હોય છે કે કાંતો તેમણે કોલેજ શિક્ષણ લીધું હોય છે અથવા તો તેઓ કદીય કોલેજનાં પગથિયાં ચઢ્યા નથી હોતા. આપણા આ કિસ્સામાં અશરફના પિતા શ્રીમાન અહમદભાઈ પલાસરા કોલેજમાં ભણવા નહોતા ગયા, કેમ કે તેમને પોતાના માધ્યમિક શિક્ષણ પછી તરત જ એમના કૌટુંબિક ધંધામાં તેમની જરૂરિયાત હોવાના કારણે જોડાવું પડ્યું હતું. તેઓ ભલે કોલેજ શિક્ષણ મેળવી શક્યા ન હતા, પણ એ મતના તો જરૂર હતા કે તેમની ભવિષ્યની પેઢીએ યુનિવર્સિટી શિક્ષણ અવશ્ય મેળવવું જ જોઈએ.

palasara_ashraf.jpgહવે આપણે મિ. અશરફની વાત ઉપર આવીએ. ગામડાંઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણવું જ્યારે જવલ્લે જ જોવા મળતું હતું, ત્યારે અશરફને તેના વતનની નજીકની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘરમાં અને સમાજમાં ઉપકારક થઈ પડે તેવું વતાવરણ ન હોઈ એ દિવસોમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું ઘણું મુશ્કેલ લાગતું હતું, કેમ કે મોટા ભાગનાં લોકો માત્ર ગુજરાતી માધ્યમમાં ભણેલાં હોઈ આવા અંગ્રેજી માધ્યમમાં ભણનાર બાળકને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં માર્ગદર્શન અને વાતાવરણ  મળી શકતું હતું. શરૂઆતથી જ ભાષાકીય અવરોધના કારણે તેને અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં પાયાની સમજ મેળવવામાં ખૂબ જ મથામણ કરવી પડતી હતી. સમય પસાર થતાં ભણવામાં સારો દેખાવ કરવાના બદલે તેની આ પ્રકારની મુશ્કેલીઓ ઘટવાના બદલે ઉત્તરોત્તર વધતી જ ગઈ. આમ તે ઘણીજ મુશ્કેલીથી તેના વિષયોમાં માંડ ઉત્તીર્ણ થઈ શકતો હતો. જ્યારે તે ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે ધંધાકીય સંજોગોના કારણે તેના કુટુંબને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે અભ્યાસમાં સારો દેખાવ કરવા માટે તેણે ગુજરાતી માધ્યમ અપનાવવું જોઈએ. પરંતુ તેના મરહૂમ પિતાએ તેને અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા ખૂબ સમજાવ્યો. અશરફ કહે છે, ‘શરૂઆતમાં અમદાવાદમાં ધોરણ ચોથામાં અચકાતાં અચકાતાં અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવા માટે મેં નક્કી કર્યું, ત્યારે તે મને ખૂબ જ અઘરું લાગવા માંડ્યું અને એ જ માધ્યમમાં ચાલુ રહેવાના મારા મૂર્ખાઈભર્યા નિર્ણય બદલ હું પસ્તાતો હતો. પરંતુ મારા પિતાએ મને એમ કહીને પ્રોત્સાહિત કર્યો હતો કે એ લોકોએ મને અંગ્રેજી માધ્યમમાં એટલા માટે મૂક્યો છે કે જેથી હું અંગ્રેજી વિષય ઉપર સારું પ્રભુત્વ મેળવી શકું અને આગળ જતાં અમારા ધંધામાં મદદરૂપ થવા માટેનો હેતુ સિદ્ધ થઈ શકે. વધુમાં તેમણે કહ્યું હતું કે મારે અન્ય વિષયોમાં વધુ ગુણ મેળવવાની જરાય ચિંતા કરવાની નથી. પાછળથી મેં જાણી લીધું હતું કે તેમણે મને સાવ સાદી સલાહ એટલા માટે આપી હતી કે હું ગમે તે રીતે અંગ્રેજી માધ્યમમાં ચાલુ રહેવાના મારા નિર્ણયને વળગી રહું.”

મિ. અશરફે તેની એસ.એસ.સી. (૧૯૯૪) પરીક્ષા સાવ ઓછા એવા ૫૫% ગુણથી પસાર કરી. વળી એમાંય પણ તેનું માનવું હતું કે તેની ઓછી તૈયારી અને અત્યાર સુધીની લેવાયેલી પરીક્ષઓમાંના નબળા દેખાવને જોતાં આ એક કરિશ્મો જ હતો કે જે થકી તેણે એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેને આ તબક્કે એવું લાગ્યું કે હવે પોતાની જિંદગીમાં આગળ ઉપર શું કરવું તેના ઉપર ગંભીર વિચારણા કરવા માટેનો સમય આવી ગયો હતો. હવે તો તેની પાસે બે જ વિકલ્પ હતા કે કાં તો ભણવાનું જ છોડી દઈને  કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે પછી પોતાના મન  અને આત્માથી ગંભીર બનીને આગળ ભણવું અને અભ્યાસમાં સારો દેખાવ કરી બતાવવો. તેણે આગળ ભણવાનું પસંદ કર્યું અને ઉચ્ચતર માધ્યમિકમાં વાણિજ્ય પ્રવાહને પસંદગી આપીને પોતાનો નોંધપાત્ર દેખાવ બતાવ્યો અને આમ ૭૫% ગુણ સાથે હાયર એસ.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરી. હવે વળી ફરી પાછા એ નક્કી કરવાનું હતું કે  તેણે કૌટુંબિક ધંધામાં જોડાઈ જવું કે આગળ યુનિવર્સિટી શિક્ષણ પ્રાપ્ત કરવું. આ તેના જીવનનો ખૂબ જ અગત્યનો વળાંક હતો. તેને કુટુંબના સભ્યો અને મિત્રો તરફથી કોલેજમાં ભણવા જવા માટેનું પ્રોત્સાહન મળ્યું. છેવટે તેણે આગળ ભણવાનું નક્કી કરી જ લીધું અને તે પણ માત્ર કોમર્સ ફેકલ્ટીનું ગ્રેજ્યુએશન  જ નહિ, પણ તેથીય કંઈક વિશેષ અગત્યનું ભણવું. તેણે વિચાર્યું કે કોમર્સમાંનું માત્ર ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન શિક્ષણ તો એવું બનીને રહી જશે કે ચીલાચાલુ ભણેલા એવા કમનસીબ મોટા સમુદાય ભેગા પોતાની જાતને પણ ભેળવી દેવી કે જેઓ નોકરી કે એવું કંઈક કરવા માટે આમથી તેમ ભટકતા હોય છે અને ભણવામાં કરેલી મહેનતના બદલામાં કશું જ પ્રાપ્ત કરી શકતા નથી હોતા. મારા વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એડવાન્સ કોર્સમાં જોડાવાનું નક્કી કરી જ લીધું. આમ જોઈએ તો તેનો આ નિર્ણય સાંકડા અને નાના મોંઢામાં મોટો કોળિયો મૂકવા જેવો હતો અને છતાંય તેણે એમાં જ ભણવા માટેનો પોતાનો દૃઢ નિશ્ચય કરી જ લીધો હતો.

અહીં પોતાના આ કઠોર નિર્ણયના પક્ષમાં તેનો હકારાત્મક મુદ્દો એ હતો કે તેનું હવે અંગ્રેજી ભાષા ઉપર નોંધપાત્ર પ્રભુત્વ હતું. તેને ચોક્કસ ખાત્રી હતી કે પોતાના સંઘર્ષના શસ્ત્ર વડે તે અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશે. અને લ્યો ! તેણે પોતાની સી.એ.ની પરીક્ષા પ્રથમ જ પ્રયત્ને સમગ્ર ભારતમાં ૩૩મા ક્રમાંકે નવેમ્બર – ૨૦૦૦માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે ઉત્તીર્ણ કરી લીધી. આ ખાસ પ્રકારની સ્પેશ્યલાઈઝ્ડ પ્રોફેશનલ ડિગ્રી હતી અને હવે તેના માટે ગેજ્યુએશનની એવી કોઈ ડિગ્રી મેળવવી જરૂરી ન હતી. આમ છતાંય તેણે સી.એ.ની પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પહેલાં ૧૯૯૯માં જ ૭૦% ગુણે બી. કોમ. પરીક્ષા ઉત્તીર્ણ કરી દીધી હતી. વળી તેને લાગ્યું કે આ ડિગ્રી પર્યાપ્ત નથી અને તેણે ૨૦૦૧માં એલ.એલ.બી. (જનરલ) ડિગ્રી પણ મેળવી લીધી. હવે તેની પાસે સ્પેશ્યલાઈઝ્ડ સી.એ.ની ડિગ્રી સાથે ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ પણ હતી.

આપણા આ લેખના નાયક મહાશય પોતાની સી.એ. (ઈન્ડિયા)ની ડિગ્રીથી સંતુષ્ટ ન હતા, કેમ કે તેઓ પરદેશમાં પોતાની કારકીર્દિ બનાવવા માગતા હતા. આ માટે તેણે ૨૦૦૩માં સી.પી.એ. (યુ.એસ.એ.)ની પરીક્ષા આપી અને પ્રથમ પ્રયત્ને તેમાં પણ સફળતા મેળવી લીધી. હવે તે ડબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  અને ડબલ ગ્રેજ્યુએટ હતો. હજુ પણ એ જ ક્ષેત્રની ત્રીજી ડિગ્રી મેળવવાનું તેનું લક્ષ હતું અને તે ડિગ્રી હતી યુ.કે.ની એ.સી.સી.એ., જે એણે ૨૦૦૪માં મેળવી લીધી. હાલમાં એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ઓસ્ટ્રેલીઆની ચોથી ડિગ્રી મેળવી લેવાના ફિરાકમાં છે, કેમ કે તેણે હવે ઓસ્ટ્રેલીઆમાં જ સ્થિર થવાનું વિચારી લીધું છે. તેને ખાત્રી છે કે એ પણ થઈને જ રહેશે. આ બધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડિગ્રીઓ ભેગી કરવાનો તેનો સીધો સાદો તર્ક એ છે કે તે દુનિયાના કોઈપણ ભાગમાં પોતની કારકીર્દિને પ્રસ્થાપિત કરી શકે તેવી ક્ષમતા કેળવાય. વળી ભવિષ્યે અનુકૂળતાએ તે  પોતાના જીવનની કદાચ આખરી એવી ઇન્ડિયાનીની એમ.કોમ.ની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરવાની નેમ ધરાવે છે.

હવે આપણે તેણે આ સમયગાળામાં અનેક વૈશ્વિક કંપનીઓમાં પોતાની પ્રોફેશનલ કારકીર્દિ બનાવી છે તેના ઉપર દૃષ્ટિપાત કરીશું.

– ભારતમાં ઓગસ્ટ ૧૯૯૭થી એપ્રિલ ૨૦૦૨ સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ફર્મ્સ જેવી કે તૃષિત ચોકસી એન્ડ એસોસિયેટ્સ, યુસુફ સી, મનસુરી એન્ડ કંપની અને મનુભાઈ એન્ડ કંપની.

– કે.પી.એમ.જી. મસ્કત (ઓમાન) કે જે ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં જુન, ૨૦૦૨થી જુલાઈ, ૨૦૦૫ સુધી કામ કર્યું.

– પ્રાઈસ વોટર હાઉસ કૂપર્સ (PwC)  કે જે પણ ઓડિટ, એડવાઈઝરી અને ટેક્સ સર્વિસીઝની ચાર મોટી કંપનીઓમાંની એક છે તેમાં ઓગસ્ટ-૨૦૦૫થી એપ્રિલ-૨૦૦૬ સુધી કામ કર્યું.

– હાલમાં ડેલોઈટ સિડની (ઓસ્ટ્રેલીઆ) ઓફિસમાં મે ૨૦૦૬થી કામ કરે છે.

અશરફ હાલમાં નીચેનાં પ્રોફેશનલ બોડીઝ/ચેપ્ટરમાં  સભ્યપદ ધરાવે છે.

– ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI – India)
– સિડની ચેપ્ટર ઓફ આઈ.સી.એ.આઈ., સિડની – ઓસ્ટ્રેલીઆ
– કોલોરાડો સ્ટેટ બોર્ડ ઓફ એકાઉન્ટન્સી (licensed CPA) – Co. USA
– એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ  એકાઉન્ટન્ટ્સ (ACCA) – United Kingdom

આટલું જ પૂરતું નથી. તેનું ધ્યાન પોતાની પત્ની રૂબિનાની કારકીર્દિ પરત્વે પણ કેન્દ્રિત છે. તેણી એમ.કોમ. છે અને પોતાના માર્ગ A.C.C.A. (U.K.). ઉપર પ્રયાણ કરી રહી છે. તેણી હાલમાં જ એ પરીક્ષાનાં કુલ ૧૪ પેપર્સમાંથી છેલ્લાં ચાર પેપર્સની પરીક્ષા આપી રહી છે. તેની A.C.C.Aની ડિગ્રી મેળવવા આ ચાર પેપર્સ એક સાથે પાસ કરવાં ફરજિયાત છે.

અહીં આપણે અશરફની સત્ય ઘટનાત્મક કથાને પૂર્ણ કરીએ  છીએ. અશરફ જેવી પરિસ્થિતિમાં મુકાયેલા વિદ્યાર્થીઓ તેમના દૃઢ નિશ્ચય વડે કરેલા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી શકે છે. પોતાના ધ્યેય તરફ આગળ ધપવા માગતા કોઈપણ ઈસમ માટે દૃઢ નિશ્ચયની તાકાત એક ચૂંબકનું કામ કરતી હોય છે કે જેથી તેમાં તે રચ્યોપચ્યો રહીને સિદ્ધિ મેળવી શકે. થોમ્સ આલ્વા એડિસને કહ્યું છે કે ‘કેટલાક જીવનમાં નિષ્ફળ જનારા એવા લોકો હોય છે કે જેમને ખબર નથી હોતી કે તેઓ સફળતાના  કેટલા નજીક છે અને તેઓ પોતાની પ્રવૃત્તિ છોડી દેતા હોય છે. મારા પ્રિય મહાનુભાવ  મિ. ચર્ચિલ પણ કહે છે કે ‘નિષ્ફળતા ઉપર નિષ્ફળતા મળતી હોવા છતાં હતાશ થયા વગર મથામણ ચાલુ રાખવામાં જ સફળતા સમાયેલી છે.’

ઉપરોક્ત લેખ માત્ર વિદ્યાર્થીઓને જ લાગુ પડતો નથી. તે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા તમામ પ્રકારના લોકોને એટલો જ લાગુ પડે છે. થિયોડોર રૂઝવેલ્ટ આ અંગેની એક સામાન્ય રીત સમજાવે છે કે, ‘તમારી પાસે જે કંઈ હોય અને તમે જ્યાં પણ હો ત્યાં તમે જે કંઈ કરી શકતા હો તે અવશ્ય કરતા રહો.’

મારા ભલા વાચકો, અહીં મારો લેખ પૂર્ણ થાય છે.

-વલીભાઈ મુસા

(તા.૧૭-૦૭-૨૦૦૭)

તા.ક. મારા વાચકોને એક આશ્ચર્યજનક સમાચાર આપું તો આ લેખ પ્રસિદ્ધ થયા પછી મિ. અશરફે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની C.A. (Australia)ની ચોથી  ડિગ્રી પણ ઉત્તીર્ણ કરી લીધી છે. હવે તેમની લાયકાત આમ વાંચી શકાશે, ” B.Com., LL.B., C.A.(India), C.P.A.(U.S.A.), A.C.C.A.(U.K.), C.A.(Australia). અભિનંદન (લેખક)

(તા.૦૮-૦૮-૨૦૦૭)

(Translated from English version titled as “Power of Determination“ published on July 17, 2007)

 

 

 

Tags: , , , , , ,

(462) Best of 5 years ago this month Feb., 2010 (34)

Dear Readers

You may click on below, if you like.

All the 5 Gujarati Articles of this month available in English version also on various topics are worth reading. 

-Valibhai Musa

 

(446) Best of 5 years ago this month Nov., 2009 (31)

Click on

Bahlool Dana, a Gem in Rags

A Dangerous Game – A Translation (ખતરનાક ખેલ)

ઘણા સમય પહેલાં ….

ફાનસવાળાં સન્નારી

આત્મહત્યા

ચારિત્ર્ય અને પ્રતિષ્ઠા

-Valibhai Musa

 

 

Tags: , , ,

(444) Best of 5 years ago this month Oct., 2009 (30)

Click on

પ્રમાણિકતા

Expositions of Chosen Poems – 1 (A Poison Tree)

– Valibhai Musa

 

Tags: , ,